અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભોગીલાલ ગાંધી/આત્મદીપો ભવ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 16: Line 16:
{{Right|(સાધના, ૧૯૪૪, પૃ. ૬૪)}}
{{Right|(સાધના, ૧૯૪૪, પૃ. ૬૪)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ 'વિશ્વરથ' /સોળ શણગાર | સોળ શણગાર]]  | તરસને ઝાંઝવાંના એક અણસારે નજર લાગી]]
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/તનસુખ ભટ્ટ ‘યાત્રી’/ઝંખના (ધોળિયું ધજાયું) | ઝંખના (ધોળિયું ધજાયું)]]  | ધોળીયું ધજાયું જ્યાં ફરફરે, ગરવા ગિરિવરની ટૂંક,  ]]
}}

Latest revision as of 12:29, 20 October 2021


આત્મદીપો ભવ

ભોગીલાલ ગાંધી

તું તારા દિલનો દીવો થા ને, ઓ રે ઓ રે ઓ ભાયા! તું તારા.

રખે કદી તું ઉછીનાં લેતો, પારકાં તેજ ને છાયા;
એ રે ઉછીનાં ખૂટી જશે ને, ઊડી જશે પડછાયા… તું તારા.

કોડિયું તારું કાચી માટીનું, તેલ-દિવેટ છુપાયાં,
નાની-શી સળી અડી ન અડી, પરગટશે રંગમાયા… તું તારા.

આભમાં સૂરજ, ચંદ્ર ને તારા, મોટા મોટા તેજરાયા,
આતમનો તારો દીવો પેટાવવા, તું વિણ સર્વ પરાયાં, તું તારા.

(સાધના, ૧૯૪૪, પૃ. ૬૪)