અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોહર ત્રિવેદી/આણાતના અભાવનું ગીત...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|આણાતના અભાવનું ગીત...|મનોહર ત્રિવેદી}} <poem> ::: ગમતું નથી ક્યાં...")
 
No edit summary
 
Line 19: Line 19:
{{Right|૧૧-૫-’૭૨}}
{{Right|૧૧-૫-’૭૨}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous =એંધાણી
|next =ફળિયે ફૉરી દાડમડી
}}

Latest revision as of 11:54, 27 October 2021


આણાતના અભાવનું ગીત...

મનોહર ત્રિવેદી

ગમતું નથી ક્યાંય —
ઘરમાં સૂની સાંજ ઉદાસી આજ છવાતી જાય —

રોજ તો મારું ખોરડું રે’તું એ...ય લીલી નાઘેર
ઓરડે ને ઓશરીએ વ્હેતી હોય ભીનેરી લ્હેર
આંગણે તારા બોલથી, વહુ! તડકાઓ ભીંજાય —

કાલ લગી ઝલમલતો હતો તક્‌તો ભીને વાન
ફૂલને અડે હાથ ને ઝૂલે દાડમડીનાં પાન
ઝાંઝરનું ગીત ઠેઠ પણે પામીશેરડેથી સંભળાય —

ઊઘડ્યાં ભાળું નંઈ બે દી’થી હોઠનાં પારિજાત
એકલવાયાં લોચન ઝીલે સાવ, પીળું પરભાત
ઠીબમાં બોળી ચાંચ અરે, ક્યાં કાગડા ઊડી જાય? —
૧૧-૫-’૭૨