અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોહર ત્રિવેદી/આણાતના અભાવનું ગીત...

Revision as of 09:09, 19 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આણાતના અભાવનું ગીત...|મનોહર ત્રિવેદી}} <poem> ::: ગમતું નથી ક્યાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


આણાતના અભાવનું ગીત...

મનોહર ત્રિવેદી

ગમતું નથી ક્યાંય —
ઘરમાં સૂની સાંજ ઉદાસી આજ છવાતી જાય —

રોજ તો મારું ખોરડું રે’તું એ...ય લીલી નાઘેર
ઓરડે ને ઓશરીએ વ્હેતી હોય ભીનેરી લ્હેર
આંગણે તારા બોલથી, વહુ! તડકાઓ ભીંજાય —

કાલ લગી ઝલમલતો હતો તક્‌તો ભીને વાન
ફૂલને અડે હાથ ને ઝૂલે દાડમડીનાં પાન
ઝાંઝરનું ગીત ઠેઠ પણે પામીશેરડેથી સંભળાય —

ઊઘડ્યાં ભાળું નંઈ બે દી’થી હોઠનાં પારિજાત
એકલવાયાં લોચન ઝીલે સાવ, પીળું પરભાત
ઠીબમાં બોળી ચાંચ અરે, ક્યાં કાગડા ઊડી જાય? —
૧૧-૫-’૭૨