અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મુકુન્દરાય પારાશર્ય /એની ગાંઠે ત્રણ ભોમનું નાણું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 28: Line 28:
{{Right|(પ્રાણ પપૈયાનો, ૧૯૭૯, પૃ. ૨)}}
{{Right|(પ્રાણ પપૈયાનો, ૧૯૭૯, પૃ. ૨)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર દવે/ભય ટળી ગયો | ભય ટળી ગયો]]  | આખો બરફનો પ્હાડ આજે ઓગળી ગયો,  ]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મુકુન્દરાય પારાશર્ય /જેની રુદિયામાં પ્રીત રે  | જેની રુદિયામાં પ્રીત રે ]]  | જેની રુદિયામાં પ્રીત રે, એનાં આ ગીત રે!.]]
}}

Latest revision as of 08:26, 21 October 2021


એની ગાંઠે ત્રણ ભોમનું નાણું

મુકુન્દરાય પારાશર્ય

એની ગાંઠે ત્રણ ભોમનું નાણું
સાધુડા! જેના મનડામાં મોતી બંધાણું.

મોતી બંધાણું એનું દળદર દળાણું, વ્હાલા!
છૂટ્યું સંસારનું સરાણું;
હુંપદના બંધવાળું, કંચન-કામિનીવાળું,
જીવતર છે રાખનું છાણું... સાધુડા! જેના.

મોતી બંધાણું એનું સગપણ સંધાણું, વ્હાલા!
લાધ્યું અન્તનું લ્હાણું;
અમરત જીવનનું એને સહજ સમાધિ માંહે
વાયું કાલાતીત વ્હાણું... સાધુડા! જેના.

મોતી બંધાણું એથી ગોકુળ વસાણું, વ્હાલા!
જમુનાના નીરમાં નવાણું;
મધવની સંગે વ્રજમાં રાસે રમાણું, કેવળ
માધવના રહીને જિવાણું... સાધુડા! જેના.

મોતી બંધાણું એનું અંતર છલકાણું, વ્હાલા!
દૂધે ચરાચર ધરાણું;
એની પદરજને છોડી, મનને વૈકુંઠે જોડી
નહિ રે મુકુન્દથી જવાણું... સાધુડા! જેના.

(પ્રાણ પપૈયાનો, ૧૯૭૯, પૃ. ૨)