અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મૂળશંકર ‘પૂજક’/નથી (મંજિલ નથી...): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 17: Line 17:
‘પૂજક’ નથી કરાર મરણનો ય ડર નથી.
‘પૂજક’ નથી કરાર મરણનો ય ડર નથી.
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયંત પારેખ/તાવ | તાવ]]  | મારા બંને પગ સ્થિર છે છતાં મને હું ઊડતો લાગું છું ]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રદ્યુમ્ન તન્ના/છોળ | છોળ ]]  | અડકી ગઈ નેણ અચિંતી રંગની છાકમછોળ ]]
}}

Latest revision as of 13:05, 21 October 2021

નથી (મંજિલ નથી...)

મૂળશંકર ‘પૂજક’

મંજિલ નથી મુકામ નથી ને સફર નથી;
જીવું છું જિંદગી ને જીવનની અસર નથી.

મારી જ ઓળખાણ મને પૂછશો નહીં;
તમને ખબર નથી તો મને પણ ખબર નથી.

લોકો બધાં અજાણ, અજાણ્યાં ગલી ને ઘર;
મારું કહી શકાય એવું કો નગર નથી.

ખુશહાલ છે ચમન, છે ફૂલો ને મ્હેક છે;
તો યે નથી બહાર, અને પાનખર નથી.

બ્હેકી ગયું છે દર્દ, ઇલાજો નથી ફળ્યા;
‘પૂજક’ નથી કરાર મરણનો ય ડર નથી.