અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યશવંત વાઘેલા/શું રચાશે?


શું રચાશે?

યશવંત વાઘેલા

હે વાલ્મીકિ!
એક પારધી દ્વારા
ક્રૌંચ પક્ષીની હત્યાથી
તમારો શોક
શ્લોકત્વ પામ્યો,
અને રચાયું રામાયણ...
પણ,
અમારી
રોજની
આ ચીસ
અને... ચિચિયારીઓમાંથી
શું રચાશે?