અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શુક્લ/વ્યાકુલકથા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|વ્યાકુલકથા|રાજેન્દ્ર શુક્લ}} <poem> આ બધું અંગત કશું કોનું થવ...")
 
No edit summary
 
Line 22: Line 22:
{{Right|(૨૯ જાન્યુ. ૧૯૯૦)}}
{{Right|(૨૯ જાન્યુ. ૧૯૯૦)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous =બારમાસી ગઝલ (સાજન)
|next =તું બધું જાણે, સજન!
}}

Latest revision as of 13:03, 23 October 2021


વ્યાકુલકથા

રાજેન્દ્ર શુક્લ

આ બધું અંગત કશું કોનું થવા વ્યાકુલ બને,
આટલું ઉત્સુક બને નભ ને હવા વ્યાકુલ બને!

આગમનની કોઈ એંધાણી નથી ક્યાંયે છતાં—
કોણ જાણે કેમ આજે નેજવાં વ્યાકુલ બને!

વેદનાની વાતનો આ તો હજી આરંભ છે,
દર્દ પૂરું ઊઘડે જો તો દવા વ્યાકુલ બને!

શ્વાસ વર્ણવજો તમે વ્યાકુલકથા એવી રીતે,
એક ક્ષણમાં એ સ્વયં અહીં આવવા વ્યાકુલ બને!

શ્વાસ વર્ણવજો તમે વ્યાકુલકથા એવી રીતે,
એક ક્ષણમાં એ સ્વયં અહીં આવવા વ્યાકુલ બને!

ઓ પ્રતીક્ષાની પરાકાષ્ઠા, અડકજો એવું કે—
કંકણા, મંજુસ્વના, નૂપુરરવા વ્યાકુલ બને!
(૨૯ જાન્યુ. ૧૯૯૦)