અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રામનારાયણ વિ. પાઠક 'શેષ'/ના બોલાવું

ના બોલાવું

રામનારાયણ વિ. પાઠક 'શેષ'

(મંદાક્રાન્તા)


ના બોલાવું તુજ સહ ફરી મ્હાલવા સ્હેલગાહો,
ના લેવાને મુજ વિકટ મુશ્કેલીઓમાં સલાહો,
ના કે તારા દરસથી તૃષા ચક્ષુની કૈંક છીપે,
કિન્તુ ગાવા તુજ વિરહનાં ગીત તારી સમીપે.