અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વાડીલાલ ડગલી/વર્ષા પછી દલ સરોવર

From Ekatra Wiki
Revision as of 08:19, 12 July 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search
વર્ષા પછી દલ સરોવર

વાડીલાલ ડગલી

સંધ્યાવાયુની મંદ ફરફરે
સ્થિર દલ સરોવરમાં
ભરત ચીતર્યું.

વાયુનું આ જળશિલ્પ
કહી જાય છે કે અહીં સરોવર છે.

વર્ષાવેળાએ
હિમાલયમાં જામેલા નવા બરફ પર
જતા સૂર્યનો પ્રકાશ ચમકે છે.

હમણાં હજુ રૂમઝૂમ નાચતી હતી
તે પરીઓ સરોવરોમાં ચાલી ગઈ.

સરોવરકાંઠે
ભીંજ્યો દેહ સંકોચીને
એક કબૂરત બેઠું છે,
પાંખ જળ તરફ,
મોં ધરતી તરફ,
જતાં જતાં
એની ચાંચ
લાવણ્યની ચણ ચણી રહી છે.