અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ 'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ/મનોહર મૂર્તિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 24: Line 24:
{{Right|(પૂર્વાલાપ, પૃ. ૧૨૫)}}
{{Right|(પૂર્વાલાપ, પૃ. ૧૨૫)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = સાગર અને શશી
|next = આપણી રાત
}}

Latest revision as of 10:44, 19 October 2021

મનોહર મૂર્તિ

'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ

દેવે દીધી દયા કરી કેવી મને,
         અહા! મૂર્તિ મનોહર માશૂકની!
નવરંગ, પ્રફુલ્લ, ગુલાબ સમી,
         મૃદુ, મૂર્તિ મનોહર માશૂકની!

નયને કંઈ નૂર નવું ચમકે,
         વદને નવી વત્સલતા ઝળકે;
સખી! એક જ તું ગમતી ખલકે
         મને, મૂર્તિ મનોહર માશૂકની!

શિરકેશ સુકોમલ સોહી રહ્યા,
         સ્મિત જોઈને તારક મોહી રહ્યા;
કામધેનુ શી બાલક દોહી રહ્યા
         તને, મૂર્તિ મનોહર માશૂકની!

હૃદયે શુભ, ઉજ્જ્વલ ભાવ ભરો :
         પ્રણયામૃતની પ્રિય ધાર ધરો :
સહચાર મહીં ભવ પાર તરો,
         સખી! મૂર્તિ મનોહર માશૂકની!

નવરંગ, પ્રફુલ્લ, ગુલાબ સમી
         મૃદુ, મૂર્તિ મનોહર માશૂકની!
દેવે દીધી દયા કરી કેવી મને,
         અહા! મૂર્તિ મનોહર માશૂકની!

(પૂર્વાલાપ, પૃ. ૧૨૫)