અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ `ઉશનસ્' નટવરલાલ પંડ્યા/મન માને, તબ આજ્યો…: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
{{space}}મન માને તબ આજ્યો, માધો. | {{space}}મન માને તબ આજ્યો, માધો. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = બાઈ રે, જરીક જ વધુ જો વેઠે... | |||
|next =તારા દૂર દૂરના પ્રવાસે નીકળ્યો હતો હે પૃથ્વી | |||
}} |
Revision as of 10:23, 21 October 2021
મન માને, તબ આજ્યો…
`ઉશનસ્' નટવરલાલ પંડ્યા
મન માને, તબ આજ્યો
માધો, મન માને તબ આજ્યો રે.
આ ઘડીએ નહીં રોકું,
રોકાયું કોણ અહીં રોકાશે?
લ્યો, ખોલી દીધા દરવાજા,
વીંટળાયા અવકાશે,
મનભાવન ઘર જાજ્યો રે. માધોo
ખત નહીં લખીએ, નહીં લખલખીએ,
નહીં કહીએ કે ‘તેડો’,
કોી દન અહીં થઈ પાછા વળજ્યો,
એટલું જાચે નેડો.
બે ઘડી રોકાઈ જાજ્યો રે માધોo
મૂકી ગયાં જે પગલાં
તેની ધડકે હજીયે ધૂળ,
વિરહાને નહીં, ધથાક, અમો તો
હરઘડીનાં વ્યાકુળ.
હર ટહુકો દરદે તાજો રે. માધોo
મન માને તબ આજ્યો, માધો.
[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ `ઉશનસ્' નટવરલાલ પંડ્યા/તારા દૂર દૂરના પ્રવાસે નીકળ્યો હતો હે પૃથ્વી|તારા દૂર દૂરના પ્રવાસે નીકળ્યો હતો હે પૃથ્વી]]
→