અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ `જલન' માતરી/પ્રથમથી જ રિવાજ છે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પ્રથમથી જ રિવાજ છે|`જલન' માતરી}} <poem> સુખ જેવું જગમાં કંઈ નથી જ...")
 
No edit summary
 
Line 14: Line 14:
મસ્જિદમાં આખરી આ ‘જલન’ની નમાઝ છે.
મસ્જિદમાં આખરી આ ‘જલન’ની નમાઝ છે.
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભગવતીકુમાર શર્મા/હરિ, સુપણે મત આવો! | હરિ, સુપણે મત આવો!]]  | હરિ, સુપણે મત આવો! મોઢામોઢ મળો તો મળવું  ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ `જલન' માતરી/શંકર નહીં આવે | શંકર નહીં આવે]]  | દુ:ખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવે  ]]
}}

Latest revision as of 12:09, 22 October 2021


પ્રથમથી જ રિવાજ છે

`જલન' માતરી

સુખ જેવું જગમાં કંઈ નથી જો છે તો આ જ છે,
સુખ એ અમારા દુઃખનો ગુલાબી મિજાજ છે.
હું જો અનુકરણ ન કરું તો કરુંયે શું?
અહીંયાં મરી જવાનો પ્રથમથી જ રિવાજ છે.
અસ્તિત્વ તારું આસ્થાનું નામ છે ખુદા,
એ વહેમ છે તો વહેમનો તો ક્યાં ઇલાજ છે?
દુનિયાના લોક હાથ પગ ના મૂકવા દિયે,
ને તું કહે સમસ્ત જગત મારે કાજ છે.
ઊઠ-બેસ વિણ, અજાન વિણ, પળમાં પતી જશે,
મસ્જિદમાં આખરી આ ‘જલન’ની નમાઝ છે.