આત્માની માતૃભાષા/30: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|‘આવ્યો છું મંદિરો જોવા—’ વિશે| પારુલ કંદર્પ દેસાઈ}} <poem> આવ્...")
 
No edit summary
Line 114: Line 114:
{{Right|અમદાવાદ, ૧૧-૬-૧૯૪૫}}
{{Right|અમદાવાદ, ૧૧-૬-૧૯૪૫}}
</poem>
</poem>
{{Poem2Open}}
ઉમાશંકર જોશીની કાવ્યયાત્રાનું સ્થિત્યંતર તેમના પાંચમા કાવ્યસંગ્રહ ‘આતિથ્ય'માં જોવા મળે છે. આમાંનું એક મુખ્ય ગુચ્છ વિવિધ લલિતકલાઓ અંગેનું છે. જેમાં ‘કવિ', ‘નેપથ્યે નર્તિકાને', ‘ચિત્રવિધાતાને', ‘મુમતાઝ', ‘શિલ્પલાલસા', ‘આવ્યો છું મંદિરો જોવા—’ વગેરેનો સમાવેશ થાય છે. તેમાંય દક્ષિણ ભારતનાં મંદિરોનાં શિલ્પ અને સ્થાપત્યને અવલંબતી ‘આવ્યો છું મંદિરો જોવા—’ રચના વિશિષ્ટ બની આવે છે.
‘સમગ્ર કવિતા'ની પ્રસ્તાવના ‘આત્માની માતૃભાષા'માં કવિ લખે છે: “સ્વાતંત્ર્ય, સામાજિક ન્યાય, માનવીય ગૌરવ જેવાં મૂલ્યોની સ્થાપનાના કંઈ ને કંઈ સંઘર્ષમાં ઓછેવત્તે અંશે ગૂંથાયેલા હોવું એ જાણે કે કાવ્યરચનાની પૂર્વશરત નહીં તો પણ ભૂમિકા જેવું રહ્યું છે. આ બંને વસ્તુઓ સર્જનકાર્યની વિરોધી જેવી લેખાતી હોય છે. મને એવી લાગી નથી. કહો કે મારે માટે એ બાબતમાં પસંદગીનો અવકાશ જ નથી.”
‘આવ્યો છું મંદિરો જોવા —’ કવિતાના રસાસ્વાદ માટે કવિની આ ભૂમિકા ઉપકારક બની આવે છે. કવિતાના શીર્ષકમાં જ અંતે જે નાનકડી લીટી — ડેશ, છે એ સાંકેતિક છે. દક્ષિણ ભારતનાં મંદિરો જોતાં તેનાં શિલ્પ-સ્થાપત્યથી કવિ પ્રભાવિત થાય છે. ઉમળકાથી તેની વાત કરે છે, પણ આ મંદિરો જોતાં તેની ભવ્યતા અને રમ્યતાની સાથે કવિને એ સમાજ પણ યાદ આવે છે જે મંદિરની અંદર પ્રવેશી શકતો નથી અને બહારથી ભગવાનની ઝાંખી કરવા પ્રયત્નો કર્યા કરે છે.
માર્ગે રહી બ્હારથી જ દ્વારોની આરપારથી
દેવની કરતા ઝાંખી લોક કૈં મથી મથી.
એક બાજુ અનંત અને ભવ્યનું દર્શન અને વિપરીત દૈન્યનું દર્શન — આ રચનાનું એ ભરતવાક્ય છે. સૌંદર્યલોકમાંથી બહાર આવી કવિ વાસ્તવલોકમાં પ્રવેશે છે. કવિ મંદિરોને માત્ર પૂજાના સ્થળ તરીકે નથી જોતા, પણ એમાંથી પ્રજાકીય લાક્ષણિકતા શોધવાનો પ્રયત્ન કરે છે. ૧૯૪૫માં — એટલે કે ભારત આઝાદ થયું તે પહેલાં આ કાવ્ય રચાયું છે. કાવ્યની અંતિમ પંક્તિઓમાં આ પરાધીનપણાની વ્યથા, વેદના વ્યક્ત થયાં છે. આમ, શિલ્પ અને સ્થાપત્યને જોતાં જોતાં કવિનું આંતરસંવિદ આ કાવ્યમાં જે રીતે વ્યક્ત થયું છે તેને કારણે આ કાવ્ય રસપ્રદ બને છે.
‘આવ્યો છું મંદિરો જોવા —’ દીર્ઘ વર્ણનાત્મક કાવ્ય છે. તેમાં આઠ ખંડો છે. વિવિધ ખંડોની યોજના કરી એક મોટા ફલક પર કવિતાની માંડણી કરવાની સૂઝઉમાશંકરનાં અન્ય કાવ્યોની જેમ અહીં પણ જોઈ શકાય છે. અનુષ્ટુપનો ઉપયોગ એમની અભિવ્યક્તિને વધુ સંવાદી અને અનુકૂળ બનાવે છે. કાવ્યનો આરંભ એક ઉત્સાહ, ઉમળકો, ઉત્કંઠાથી થાય છે. પ્રવાસની તત્પરતા દેખાય છે. રેલગાડીમાં સેંકડો માઈલો કાપી, પર્વતો ઓળંગી, ખીણો-કોતરોને વીંધતાં-વીંધતાં, વન-વગડા વટાવતા, મેદાનો અને ખેડેલાં ખેતરો માપતા વેગે કવિ દક્ષિણનાં મંદિરો જોવા આવી પહોંચ્યા છે. કાવ્યની પહેલી પંક્તિ ‘આવ્યો છું મંદિરો જોવા, જોવા દક્ષિણ મંદિરો’ — આ પહેલી પંક્તિમાં જ જે પદક્રમ યોજાય છે તેમાં અનુષ્ટુપની લાક્ષણિક છટા દેખાય છે.
દક્ષિણ ભારતમાં પ્રવેશતાં જ કવિને એનો ઇતિહાસ તાજો થાય છે. બીજા ખંડમાં કવિ એ ઇતિહાસથી આપણને પરિચિત કરાવે છે. દક્ષિણ ભારત કળાની પ્રાચીન પરંપરાનું કેન્દ્ર હતું. ચૌલુક્ય, પાંડ્ય, પલ્લવ, નાયક અને હોયશળ જેવા રાજવંશના રાજાઓએ આ સુરમ્ય પ્રદેશનું નિર્માણ કર્યું. આ રાજકર્તાઓ કળાઓ તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવામાં ગૌરવ અનુભવતા હતા. તેના ખૂણે ખૂણે, નગરે નગરે, ગામોગામ સમુદ્રના તટ પર ધનપતિઓએ ભવ્ય મંદિરો બંધાવ્યાં છે જેનાથી આ પ્રદેશ શોભાયમાન બન્યો છે. આ મંદિરોની દુર્દશાથી કવિહૃદય કંપી ઊઠે છે. કેટલાંક ખંડેર થયાં છે, કેટલાંક વિધર્મીઓની અદેખાઈ અને અસહિષ્ણુતાને કારણે નાશ પામ્યાં છે. સહદ્ર વર્ષોમાં કૈંક લીલીસૂકી અનુભવી જે મંદિરો ટકી રહ્યાં છે તેમાંથી કેટલાંક મંદિરોનો ઉપયોગ ફ્રેન્ચ અને અંગ્રેજોના દળે કોઠીકિલ્લા તરીકે કર્યો છે એ જોઈને કવિને વ્યથા થાય છે, એ પીડા અનુભવે છે. કારણ કે ભારતીય પ્રજા માટે મંદિરોનું, ધર્મસ્થાનોનું મહત્ત્વ છે. એટલે જ કવિ મંદિરોને દેશની શેષ આશા જેવા કહે છે.
આવી એક ઐતિહાસિક ભૂમિકા બાંધ્યા પછી, ત્રણ દીર્ઘ ખંડોમાં મંદિરના મુખ્ય દ્વારથી આરંભ કરીને મંદિરના ગર્ભગૃહ સુધીનું વર્ણન કવિની સૌંદર્યનિષ્ઠ દૃષ્ટિનો પરિચય આપે છે. મંદિરોનાં શિલ્પ અને સ્થાપત્યને ચાક્ષુષ કરી આપતા આ ખંડોમાં ઉમાશંકરની સર્જકતા પૂરેપૂરી ખીલી ઊઠે છે. મંદિરોનો એક એક ભાગ ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, સજીવારોપણ, સ્વભાવોક્તિ વગેરે અલંકારોથી પ્રત્યક્ષ થતા જાય છે. કવિની સાથે આપણે પણ મંદિરમાં પ્રવેશતાં જઈએ છીએ. તાડનાં ઝુંડોની પાછળ ડોકાતાં તોતિંગ ગોપુરો, ટોપ પહેરેલ સંત્રી જેવા લાગતા ચારે દિશાએ ઊભેલા દિઙનાગો, વિરાટને ચીંધી રહેતા, બારણે ઝૂલતા દિગ્ગજરાજોને જોઈને કવિ અનુભવે છે:
જગભંગુરની સામે ડોલતી ઉપહાસમાં
તાલના ઝુંડ માથેથી વાસુકિની ફણા સમાં.
મંદિરના મુખ્ય દ્વારમાં પ્રવેશતાં જ ચોકમાં ઘાટીલો જળકુંડ છે. એનાં પગથિયાં માટે કવિ શબ્દ પ્રયોજે છે ‘રમ્ય સેતાનમાલા.’ પગથિયાં પૂરાં થાય એટલે સહદ્ર સ્તંભથી શોભતા ઊંચી માંડણીવાળા સભાગૃહને જોઈને કવિ વિસ્મિત થાય છે કે આ મંડપ છે કે શિલાનું વન છે! એના પ્રદક્ષિણામાર્ગો એટલા પ્રલંબ છે કે હાથી-અંબાડી સાથે પણ સવારી કરી શકાય. મોટા વર્તુળમાં રચેલી દીપમાળા એવી લાગે છે જાણે શેષનાગની સહદ્ર ફેણા છે અને એના પ્રતિફેણે મણિ શોભે છે. નંદીના વર્ણનમાં સજીવારોપણ અલંકારથી કવિ એક જીવંત ચિત્ર ઊભું કરી દે છે. આ નંદીનું શરીર કેવડું મોટું છે તો કવિ કહે છે:
ઊભો થાય તો એની નીચે થઈ શકે જઈ
બળદો શીંગડે ઊંચે, ભીડ લેશે પડે નહીં
લંબાતી ડોક, ને કર્ણો સરવા દીસતા અતિ,
નીકળી જીભ ફૂલેલાં નસકોરાં જઈ ચાટતી.
ત્યાર પછીનું અતીવ ગયાત્મક વર્ણન અનન્ય છે:
બેઠો છે પગ વાળીને જમણે પડખે નમી;
થતું કે કદી બેઠી જો બરડે માંખ, તો જમીં
પરે પગ પછાડીને જોરમાં પુચ્છ વીંઝતો
થૈ જશે હમણાં ઊભો, સારી પૃથ્વીની ખીજતો!
મંદિરના દ્વારા પાસે પથ રોકીને આકાશ ચુંબતા વિરાટ રથ, મહાકાય મૂર્તિઓ — જાણે અહીં કશું જ ક્ષુદ્ર નથી, તુચ્છ નથી, સાંકડું નથી. સીમાને ભેદીને અસીમનું, અનંતતાનું રાજ્ય વિસ્તર્યું છે. મંદિરની શીલાએ શીલામાં જે સ્થાપત્ય છે એનું પણ કવિ ભાવવિભોર થઈને વર્ણન કરે છે. હમણાં જ છરીથી કાપીને ન ગોઠવ્યા હોય એવા દીવાલે પથ્થરો શોભે છે. જાણે સંઘાડેથી ઊતર્યા હોય એવા કંકણાકૃતિ સ્તંભો, અને સ્તંભે સ્તંભે જાણે ટાંકણાના જાદુ ઊભર્યા છે. કવિ એનું વર્ણન શબ્દના જાદુ વડે કરે છે. એક એક દૃશ્ય કવિના શબ્દે શબ્દે સજીવ થઈ જાય છે, જીવંત બની જાય છે. એક ગતિશીલ ચિત્રપણ જાણે ભાવકના કલ્પનાચક્ષુ સમક્ષ રજૂ થતું જાય છે:
અહીં આ હારની હારો હાથીની ચાલી જાય છે,
અહીં અશ્વો રથો દોડે, ત્યાં સૈન્યો અથડાય છે.
મત્સ્યવેધ અહીં, ને આ વાલીવધ, પણે વળી
શીંકે કનૈયો પહોંચ્યો છે ગોપબાલ પીઠે ચડી.
હરહરિ, હરગૌરીની એકરૂપતા, ધ્યાનસ્થ કૃષ્ણની વેણુ વગાડતી મૂર્તિ, હંસપંખીની પીઠે લહેરથી દેહ ટેકવી સવારી કરતી રતિ, શિવ અને પાર્વતી વચ્ચેના નૃત્યની સરસાઈ, નટરાજની રમ્યરુદ્ર લીલા, આંગળીઓમાં કંકુ ભરીને, પ્રિય આવશે કે નહીં એવું વિમાસતી નર્તકી, મૃગયા ખેલની રમણી, વીંછી ખંખેરતા વિપક્ષ થયેલી યુવતીની નિર્દોષ નગ્નતા પેખીને એ તો કામ એવું અર્થઘટન કરતી સંતવાણી, દુષ્ટને ભસ્મ કરવા સ્વયં મોહિની થયેલા હરિ. આવાં અનેક સ્વરૂપોની શોભતા ભવ્ય સુંદર મંદિરો કવિને દેશની દિવ્ય સિદ્ધિ જેવા લાગે છે.
માત્ર સૌંદર્યરાગી કવિ અહીં અટકી જાય. પણ આ કવિ મનુષ્યને ચાહે છે. કાવ્યના અંતિમ બે ખંડમાં ભાવપલટો છે. આ ભવ્યતા, સુંદરતા, વિશાળતા, સ્તંભે સ્તંભે ટાંકણાના જાદુ ઊભર્યા હોય એવાં શિલ્પ અને સ્થાપત્યને જોઈને કવિને પ્રશ્ન થાય છે અને એ તારસ્વરે પૂછી બેસે છે. આ સુંદરતા, આ ભવ્યતા આ રમ્યતાને અંતે શું?
નથી અસુંદર કંઈ, નથી કૈં અહીં ક્ષુદ્ર કે?
દેવો અને ભૂદેવોને મન કો નથી શુદ્ર કે?
ભૂમા ને ભવ્યતા વચ્ચે નથીને મન સાંકડાં?
પ્રજા ઝાઝેરીનાં શાને લાગે છે મુખ રાંકડાં?
આ નકાર અને પ્રશ્નાર્થ દ્વારા જે સૂચવાય છે એ સ્પષ્ટ છે. આરંભની બે પંક્તિઓમાં આવતો અંત્યાનુપ્રાસ ‘ક્ષુદ્ર કે — શૂદ્ર કે’ કવિકટાક્ષને ધારદાર બનાવે છે. જો આ અનંતતા અને ભવ્યતાની વચ્ચે મનુષ્યનાં મન સાંકડાં ન હોય તો ‘પ્રજા ઝાઝેરીના’ મોટાભાગની પ્રજાનાં મુખ રાંકડાં કેમ લાગે છે. કવિને બે દૃશ્યો દેખાય છે. કેટલાય લોકો બહારથી જ, દરવાજાની આરપારથી દેવની ઝાંખી કરતા નજરે પડે છે. આ લોકો માટે કવિ અદ્ભુત ઉપમા પ્રયોજે છે. ભીંતબારીથી સોનેરી શિખરે દૃષ્ટિ પડે એમ પ્રભુપ્રસાદની અપેક્ષાએ આ લોકો ઊભા છે. તો મંદિરની અંદર ઊભેલા લોકો, મંદિરમાં પ્રવેશ મેળવવા પાત્ર ઠરેલાં લોકો કેવા છે:
એય ભોળાં અદવગાં, ઝાઝાં તો મૂર્છિતો સમાં.
અહીં ભોળાં એટલે નિર્દોષ નહીં પણ ગતાગમ વગરનાં, ‘અદવગા’ જેવો શબ્દ ઉમાશંકર અહીં પ્રયોજે છે જેનો અર્થ થાય છે નજીવા, અતિસામાન્ય અને મૂર્છિતો જેવા આ લોકો અહીં માત્ર દર્શન કરવા આવ્યા છે? ના, એ તો પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા કશું ને કશું પ્રભુ પાસે માંગવા આવ્યા છે. એમની પ્રભુશ્રદ્ધાય પાંગળી છે. આવાં મનુષ્યોની પ્રભુ આંગળી કેવી રીતે ઝાલે? દેશની શેષ આશા જેવા, દેશની દિવ્ય સિદ્ધિ જેવાં મંદિરો તરફ જોવાની કવિદૃષ્ટિ બદલાય છે. હવે તેમને આ મંદિરો જડતાના કોટકિલ્લા જેવા લાગે છે અને પ્રભુ આવાં મંદિરોમાં કેવી રીતે હોઈ શકે એવો પ્રશ્નાર્થ ઉદ્ભવે છે. અહીં માર્ક્સવાદી વિચારસરણીનો પ્રભાવ વરતાય અને કવિનું ‘ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે’ કાવ્ય પણ યાદ આવે. પ્રભુ માત્ર મંદિરમાં નથી પણ સર્વત્ર છે અંતિમ પંક્તિઓમાં કવિ કહે છે:
દેવનાં મંદિરોની — આ મનુષ્યોની જ શી દશા?
આજે વિદેશીને હાથે થયાં છેક જ જર્જર
દેશી મુજ, — દેવનાં એ જોવા આવ્યો છું મંદિર.
અહીં મંદિરો એ મંદિરો નથી રહેતાં, પણ મંદિર — મનુષ્યો એકરૂપ થઈ ગયાં છે. મંદિરો જો વિદેશીઓને હાથે જર્જરિત થઈ ગયાં છે તો મનુષ્યોની પણ એ જ દશા છે. આમ, મંદિરોનાં શિલ્પ અને સ્થાપત્યની વાત કરતાં કરતાં કવિ વર્તમાન સમયની સામાજિક વિષમતા અને પરાધીન દેશની પ્રજાની કરુણા સુધી પહોંચે છે.
વર્ણાનુપ્રાસ અને અંત્યાનુપ્રાસ અહીં ઉત્તમ રીતે પ્રયોજાયા છે. મંદિરો — કંદરો, મંદિરો — ગોપુરો, અને — પ્રદેશને, રચાવિયાં — સુહાવિયાં, થકી — ટકી, અમર્ષમાં — વર્ષમાં, હળે — પળે, લટકેલ છે — મૂકેલ છે, ઉપહાસમાં — ફણા સમા, નમી — જમીં, તણી — રણી, વડા — કેવડા, પથ — રથ, ભવ્યતા — રમ્યતા, નહો — અહો, અલ્પના — કલ્પના વગેરે અંત્યાનુપ્રાસો કે ‘વીંધતો રેલગાડીમાં વટાવી વન ને વડાં', ‘મેદાનો માપતો', ‘ખેડેલા ખેતરે', ‘તાલઝુંડોની પૂંઠે તોતિંગ', ‘મંદિરો — કૈંક ખંડેરો', ‘દેવો — ભૂદેવો’ જેવા વર્ણાનુપ્રાસો કાવ્યના ભાવને પુષ્ટ કરવામાં મહત્ત્વનું કાર્ય કરે છે. એ જ રીતે કવિએ અહીં વિશાળતાસૂચક પર્યાયવાચી શબ્દો પણ અઢળક પ્રયોજ્યા છે. ત્રણ વાર ‘ભૂમા’ શબ્દ આવે છે. ત્રણેય વાર એ અલગ-અલગ સ્તરે પ્રયોજાય છે. ઉમાશંકરના આ કાવ્યની નોંધ બહુ લેવાઈ નથી પણ મંદિરોને નિમિત્તે કવિની જે આંતરયાત્રા ચાલે છે અને એમાંથી જે દર્શન પ્રગટે છે તેને કારણે આ કાવ્ય મહત્ત્વનું બને છે.
{{Poem2Close}}
18,450

edits