એકતારો/અસહ્ય વાત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|અસહ્ય વાત*|}} <poem> મને મારનારા ગોળી છોડનારા એને ઘેર હશે મારા...")
 
No edit summary
 
Line 24: Line 24:
* જાપાની સૈનિકોને નિર્દેશીને કલ્પેલા ચીનાઈ જનેતાના ભાવો
* જાપાની સૈનિકોને નિર્દેશીને કલ્પેલા ચીનાઈ જનેતાના ભાવો
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = મોતનાં કંકુ-ઘોળણ
|next = શૉફરની દિવાળી
}}

Latest revision as of 13:20, 27 January 2022


અસહ્ય વાત*


મને મારનારા ગોળી છોડનારા
એને ઘેર હશે મારા જેવી જ મા,
એ હરેકને ધોળુંડાં ધાવણ પાઈ
ઉઝેર્યાં હોશે હૈયાહીર સમા. ૧.


કવિઓની કવિતામાં ગાયું હશે એણે,
માટીને પૂજી હોશે કહી 'મા’;
એ મને ય જે અંતરિયાળ મળે
તો બોલાવે કહી 'તમે કોણ છો મા?' ૨.


છો સંહારે ચડયા આજે પેટને કારણ,
એક જ વાત સેવાય છે ના—
એને મોતને પંથ ચડાવણ જીભ
બોલે છેઃ 'મારો, મારો, માગે છે મા!’ ૩.

  • જાપાની સૈનિકોને નિર્દેશીને કલ્પેલા ચીનાઈ જનેતાના ભાવો