કંકાવટી/​નિર્જળ માસ

નિર્જળ માસ

જેઠ મહિનો છે. તરસે તો ઘડી ઘડી શોષ પડે છે. છતાં બા તો નિર્જળું વ્રત રહી છે. નિર્જળું વ્રત એટલે?એટલે કે પોતાની જાણે બા કશુંય ન ખાય પીએ. કોઈ જો કહે કે - દાતણ પાણી મોકળા, તો જ બાથી દાતણ કરાય પછી કોઈ કહે કે - નાવણ પાણી મોકળાં, તો જ બા નાહી શકે. કોઈ કહે કે - અન્ન પાણી મોકળાં તો જ બાથી જમી શકાય.