કંકાવટી/​નિર્જળ માસ

From Ekatra Wiki
Revision as of 11:21, 22 January 2022 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search
નિર્જળ માસ

જેઠ મહિનો છે. તરસે તો ઘડી ઘડી શોષ પડે છે. છતાં બા તો નિર્જળું વ્રત રહી છે. નિર્જળું વ્રત એટલે?એટલે કે પોતાની જાણે બા કશુંય ન ખાય પીએ. કોઈ જો કહે કે - દાતણ પાણી મોકળા, તો જ બાથી દાતણ કરાય પછી કોઈ કહે કે - નાવણ પાણી મોકળાં, તો જ બા નાહી શકે. કોઈ કહે કે - અન્ન પાણી મોકળાં તો જ બાથી જમી શકાય.