કંકાવટી મંડળ 1/કંઠસ્થ વ્રત-સાહિત્ય (‘કંકાવટી’ (મંડળ 1) નો પ્રવેશક : 1927): Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 242: Line 242:
એટલું જ બસ નથી. જ્યારે જ્યારે પૌરાણિક વ્રતને પણ આ કુમારિકાઓનાં લોક-વ્રતોમાં પેસી ગયેલું આપણે જોઈએ છીએ ત્યારે પણ લોકકવિએ એ વ્રતની અસલની તમામ કઠોર રેખાઓને ભૂંસી નાખી, ફળ અને શિક્ષાના અતિશયોક્તિભર્યા ભયાનક ખ્યાલો અળગા મેલી, પાંડિત્યની બધી પરડ ચૂંટી કાઢી, પોતાના કલ્પનાના કોમલ સ્પર્શ વડે સૌમ્ય સ્વરૂપ ઘડી કાઢ્યું છે. ‘તુલસી-વ્રત’ લ્યો. તુલસી-વ્રત એટલે કાર્તિક સુદ એકાદશી, દેવદિવાળી. ‘વ્રતરાજ’માંનું એનું પૌરાણિક વર્ણન અસહ્ય થઈ પડે તેવું છે. હવે એને લોકકન્યાઓએ કેવી રીતે સાદું બનાવી કાઢ્યું? તુલસીને જેમ શ્રીકૃષ્ણ સરીખો સ્વામી મળ્યો, તેમ મને પણ મળો, સંસારમાં હું સામાન્યપણે સુખી રહું, એટલી જ સાદી સરળ વાંછનાથી પ્રેરાઈને કન્યા કહે છે :
એટલું જ બસ નથી. જ્યારે જ્યારે પૌરાણિક વ્રતને પણ આ કુમારિકાઓનાં લોક-વ્રતોમાં પેસી ગયેલું આપણે જોઈએ છીએ ત્યારે પણ લોકકવિએ એ વ્રતની અસલની તમામ કઠોર રેખાઓને ભૂંસી નાખી, ફળ અને શિક્ષાના અતિશયોક્તિભર્યા ભયાનક ખ્યાલો અળગા મેલી, પાંડિત્યની બધી પરડ ચૂંટી કાઢી, પોતાના કલ્પનાના કોમલ સ્પર્શ વડે સૌમ્ય સ્વરૂપ ઘડી કાઢ્યું છે. ‘તુલસી-વ્રત’ લ્યો. તુલસી-વ્રત એટલે કાર્તિક સુદ એકાદશી, દેવદિવાળી. ‘વ્રતરાજ’માંનું એનું પૌરાણિક વર્ણન અસહ્ય થઈ પડે તેવું છે. હવે એને લોકકન્યાઓએ કેવી રીતે સાદું બનાવી કાઢ્યું? તુલસીને જેમ શ્રીકૃષ્ણ સરીખો સ્વામી મળ્યો, તેમ મને પણ મળો, સંસારમાં હું સામાન્યપણે સુખી રહું, એટલી જ સાદી સરળ વાંછનાથી પ્રેરાઈને કન્યા કહે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
તુલસીમા તુલસીમા
વ્રત દ્યો, વરતોલા દ્યો.
</poem>
ત્યારે તુલસીમા કહે છે —
<poem>
તમથી વ્રત થાય નહિ
ને વ્રતનો મહિમા પળાય નહિ.
</poem>
હઠીલી કુમારિકા કહે છે —
<poem>
થાય તોય દ્યો
નો થાય તોય દ્યો!
</poem>
ત્યારે સુંવાળી વાણીમાં માતાજી સમજાવે છે :
<poem>
અષાઢ માસ આવે
અંજવાળી એકાદશી આવે
સાતે સર્યે સાતે ગાંઠે દોરો લેવો
નરણાં ભૂખ્યાં વાર્તા કહેવી,
વાત ન કહીએ તો ઉપવાસ પડે.
</poem>
{{Poem2Open}}
વાર્તા કહેવાની પ્રથાને ચિરંજીવ કરવા માટે હળવું છતાં કડક બંધન મૂકી દીધું. અને કાવ્યમયતા તો હવે આવે છે; વાર્તા કોને કહેવી અને શી રીતે કહેવી?
{{Poem2Close}}
<poem>
પીપળાને પાન કહેવી
કુંવારીને કાન કહેવી
તુલસીને ક્યારે કહેવી
ઘીને તો દીવે કહેવી
બામણને વચને કહેવી
સૂરજની સાખે કહેવી.
</poem>
{{Poem2Open}}
આટલા શબ્દોમાં જ આર્ય ગૃહજીવનની શાંત વિશુદ્ધિનો — મરજાદી ચોખ્ખાઈનો નહિ — સર્વાંગસુંદર આભાસ થઈ જાય છે. આપણી આસપાસ જાણે એ જીવનશુદ્ધિની સુવાસ ફોરે છે. અને એ વ્રતનું ઉજવણું પણ સાદું : વ્રતની પાછળ રહેલી કામના શુદ્ધ સાંસારિક : કોઈ દેવને વસમી ન પડે તેવી :
{{Poem2Close}}
<poem>
પે’લે વરસ લાડવો ને ઘાડવો
આવે ચોખો જનમારો
બીજે વરસ મગનું કૂંડું
આવે રે એવાતણ ઊંડું
ત્રીજે વરસ સાળ સૂપડું
આવે રે સંસારનું સુખડું
ચોથે વરસે ચરણાં ચોળી
આવે ભાઈપૂતરની ટોળી
પાંચમે વરસે ખીરે ખાંડે ભર્યાં ભાણાં
આવે શ્રીકૃષ્ણનાં આણાં.
</poem>
{{Poem2Open}}
સાચાં ને સ્વાભાવિક બંગાળી કુમારિકા-વ્રતોમાં પણ આવી રીતે કૌટુંબિક જીવનની જ માંગણી હોય છે.<ref>બંગાળી સેંજૂલી વ્રતમાં તો કન્યાને મુખે સચોટ માગણી મૂકી છે :
હે હર શંકર, દિનકર નાથ,
કખનો ના પડિ જેને મૂર્ખેર હાત.
</ref>  કુટુમ્બજીવનની એ પ્રીતિને જાણે કે પ્રકૃતિના ધાવણમાંથી જ ધાવતી ગુર્જર કન્યાઓ ગાતી —
{{Poem2Close}}
<poem>
ગોવિંદજી રે તમે આરી દેજો ઝારી દેજો
ગોઠડીએ બે બેન્યું દેજો
આણે પરિયાણે વીરોજી દેજો.
રાંધણીએ વવારુ દેજો
પીરસણે માતાજી દેજો
</poem>
26,604

edits