કંદરા/પ્રારંભિક

From Ekatra Wiki
Revision as of 15:38, 20 May 2022 by Shnehrashmi (talk | contribs) (Created page with "{{Ekatra}} <hr> બી. કે. મજૂમદાર ટ્રસ્‍ટ પ્રકાશન શ્રેણી : ૧૪ કંદરા મનીષા જોષી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
‘એકત્ર’નો ગ્રંથગુલાલ


Ekatra-foundation-logo.jpg


આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકોને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે.

આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઇ-બુકના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ

https://www.ekatrafoundation.org

તથા

https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page

તથા

https://ekatra.pressbooks.pub

પરથી વાંચી શકશો.


અમારો દૃષ્ટિકોણ:

હા, પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે.

આ રીતે –

• પુસ્તકોની પસંદગી ‘ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ.

• પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત – લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમાં) અને પછી હશે પુસ્તકનું શીર્ષક અને પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો.

– અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો.

તો, આવો. આપનું સ્વાગત છે ગમતાંના ગુલાલથી.

Ekatra Foundation is grateful to the author for allowing distribution of this book as ebook at no charge. Readers are not permitted to modify content or use it commercially without written permission from author and publisher. Readers can purchase original book form the publisher. Ekatra Foundation is a USA registered not for profit organization with objective to preserve Gujarati literature and increase its audience through digitization. For more information, Please visit: https://www.ekatrafoundation.org, https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page or https://ekatra.pressbooks.pub.


બી. કે. મજૂમદાર ટ્રસ્‍ટ પ્રકાશન શ્રેણી : ૧૪

કંદરા

મનીષા જોષી

ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ












Kandara

A Collectin of Gujarati Poems by Manisha Joshi

મુદ્રણ : મનીષા જોષી અધિકાર

પ્રથમ આવૃત્તિ : ૧૯૯૬ કિંમત : રુ. ૬૫

પ્રત : ૫૦૦

પ્રકાશક : પ્રકાશન મંત્રી, માધવ રામાનુજ ગુજરાતી સાહિત્ય પરિષદ આશ્રમમાર્ગ અમદાવાદ - ૩૮૦૦૦૯

કોમ્પ્યુટર ટાઈપ : સેટીંગ્સ રંગદ્વાર સોફ્ટવેર સર્વિસિસ એ/૬ પૂર્ણશ્વર, ગુલબાઈ ટેકરા, અમદાવાદ - ૩૮૦૦૧૫

મુદ્રક : શિવકૃપા ઓફસેટ ૨૭, અમૃત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, દૂધેશ્વર પાણીની ટાંકી પાસે, અમદાવાદ-૩૮૦૦૦૪


પપ્પાને....
















પ્રકાશકીય

સદ્ગત બી. કે. મજૂમદારના વસિયતનામામાં પ્રગટ થયેલી સાહિત્ય અને કલાના ક્ષેત્રમાં નવા સર્જકોને ઉત્તેજન આપવાની એમની ઈચ્છાના અનુસંધાનમાં રચાયેલી શ્રી બી. કે. મજૂમદાર ટ્રસ્‍ટ પ્રકાશન શ્રેણી હેઠળ આ કાવ્યસંગ્રહ પ્રકાશિત થઈ રહ્યો છે.

આ શ્રેણીમાં સંસ્કૃતિરાણી દેસાઈના ‘સુર્યો જ સૂર્યો' કાવ્યસંગ્રહ પછીનો નારીકવિને રજૂ કરતો આ બીજો સંગ્રહ છે. આ બંને સંગ્રહોમાં કવિચેતનાએ માત્ર ગદ્યને માધ્યમ બનાવ્યું છે; તર્કને છોડીને મુખ્યત્વે તરંગને તરીકા તરીકે અપનાવ્યો છે. આવી સીમિત વર્તુળ રેખામાં સંસ્કૃતરાણીની કોટિ (conceit) તરફની દોડ અને











મનીષાની અસંગત તરફની દોડ એમના કેટલાક વીજળીક આવેગોને સક્ષમ રીતે પ્રતિબિબત કરી શકી છે.

જીવન નર્હીં પણ એની પ્રક્રિયા અને એના પરની પ્રતિકિયા મનીષાને મન મહત્ત્વની છે. પ્રક્રિયા મારફતે એ જીવનની એકદમ નિકટ સરે છે, વાસ્તવને નિરીક્ષે છે અને પ્રતિક્રિયા મારફતે જીવનથી વેગળા હટી પોતાનું અતિવાસ્તવ અને પરાવાસ્તવ રચે છે. આવી રચના સૃષ્ટિમાં સૌથી વધુ હાથવગી સામગ્રી રહી છે મનુષ્યયોનિથી ઈતર પશુયોનિ. ઠેર ઠેર સંખ્યાબંધ પ્રાણીઓથી રચાતો અહીંનો શબ્દસંદર્ભ કવિના સંદિગ્ધ અંતરંગનો સંદર્ભ જ હોય છે. આ સંદર્ભ ક્યારેક તો ખુદમાં પ્રાણીઆરોપણ (Lycanthropy) સુધી પહોંચી જાય છે. એટલે કે આ સંદર્ભને સપાટી સાથે છે એથી વિશેષ ખીણ સાથે સંબંધ છે : સપાટી-સપાટી રમતાં રમતાં / છેવટે હું થાકીને મને થયું / ચાલને ખીણમાં પડું! (પૃ. ૩૨)

આમ જોઈએ તો આ રચનાઓ મુખ્યત્વે કવિના, બંધ બારણે થતાં રોમાન્સની કથાઓ છે. આંતરિક સંચલનના દસ્તાવેજો છે. એમાં પેટાળનું ધગધગતું પ્રવાહી છે અને અવકાશમાં મળનાર ઝેરી વાયુ પણ છે. એમાંથી જન્મતાં શિશુગ્રંથિ (બાળકોને જન્મ આપવાની, સ્તનપાન કરાવવાની વાત)નાં આવર્તનો અને નારી દેહનાં વિશિષ્ટ વેદનો ખાસ ધ્યાન ખેંચે છે.

અહીં ઘણીબધી રચનાઓમાં કેન્દ્રિય તણાવના અભાવને કારણે અસંગતની સીમ પર સામગ્રી વેરવિખેર થતી લાગે તેમ જ શિવાલય સાથે આવતું લોબાન (પૃ.૫૪); ગાયની અંદર ઊછરતો બળદ (પૃ. ૬૨) કે બ્રહ્મા વિષ્ણુ મહેશને બાળ રૂપે જમાડતી સીતા મૈયા જેવાં સ્થાનો ક્ષતિ યુકત લાગે - છતાં ‘પ્રદક્ષિણા', ‘સસ્યસંપતિ', ‘જેલ', ‘રંગ', ‘ગોઝારી વાવ', ‘રોમાન્સ' જેવી રચનાઓ બેશક નીવડી આવી છે. શ્રેણીનો આ ચૌદમો મણકો છે.

- ચન્દ્રકાન્ત ટોપીવાળા



સર્જકનો શબ્દ

નાની હતી ત્યારે જાદુનો ખેલ જોવા જતી. જાદુગર એક છોકરીને લોખંડની મોટી પેટીમાં તાળું લગાવી પૂરી દેતો. પછી ઉપરથી છરા ભોંકતો. પણ એ છોકરી અદ્રશ્ય બનીને પ્રેક્ષકો વચ્ચેથી બઠાર આવતી. હું મુગ્ધ બનીને જોઈ રહેતી, પણ એ વખતે ખબર નહોતી કે એ જાદુગર, એ પેટી, એ છોકરી, પાછાં આવશે, આમ કવિતા બનીને!

મારાં વાસ્તવ, પરાવાસ્તવ, અતિવાસ્તવ..., આજે પુસ્તક રૂપે પ્રગટ થઈ રહ્યાં છે એ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનો આભાર. એ સાથે જ મને સતત પ્રેમ-સ્વાતંત્ર્ય આપનારાં પપ્પા-મમ્મી-હીના, સૌ સ્નેહીઓ, મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

જીવવાની પ્રક્રિયાની પ્રતિક્રિયા એ કવિતા છે. હું લખું છું પણ હજી એને પામી નથી શકતી. એ મારી પહોંચની બહાર છે.

- મનીષા જોષી