26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 37: | Line 37: | ||
સત્તર વર્ષની વયે ‘નખી સરોવર ઉપર શરત્પૂર્ણિમા’ સૉનેટથી કાવ્યદીક્ષા પામનાર ઉમાશંકરે માત્ર વીસ વર્ષની વયે ૧૯૩૧માં ‘વિશ્વશાંતિ’ જેવું ખંડકાવ્ય રચ્યું. ને વીસમી સદીના યુગદ્રષ્ટા કવિના આગમનની એંધાણી મળી. માત્ર વીસ વર્ષની વયે આવું ખંડકાવ્ય રચે તે વીસમી સદીનો ‘સર્જક-મનીષી’ બની રહે એમાં શી નવાઈ? દૂરથી આવતા મંગલ શબ્દને તેઓ નીરખી રહે છે. શતાબ્દીઓનો ચિર શાંત ઘુમ્મટો ગજાવતો ચેતનમંત્ર તેઓ પામે છે. નિત્યપ્રવાસપંથે ધપતી ધરાએ જ નહિ, ઉમાશંકરેય પ્રકાશના ધોધ અમોઘ ઝીલ્યા છે ને એમની આંતરખોજની આંતરયાત્રા સતત વિકસતી રહી છે. એમની ગાંધીદીક્ષા આ કાવ્ય થકી પમાય છે, કેટલીક પંક્તિઓ જોઈએ: | સત્તર વર્ષની વયે ‘નખી સરોવર ઉપર શરત્પૂર્ણિમા’ સૉનેટથી કાવ્યદીક્ષા પામનાર ઉમાશંકરે માત્ર વીસ વર્ષની વયે ૧૯૩૧માં ‘વિશ્વશાંતિ’ જેવું ખંડકાવ્ય રચ્યું. ને વીસમી સદીના યુગદ્રષ્ટા કવિના આગમનની એંધાણી મળી. માત્ર વીસ વર્ષની વયે આવું ખંડકાવ્ય રચે તે વીસમી સદીનો ‘સર્જક-મનીષી’ બની રહે એમાં શી નવાઈ? દૂરથી આવતા મંગલ શબ્દને તેઓ નીરખી રહે છે. શતાબ્દીઓનો ચિર શાંત ઘુમ્મટો ગજાવતો ચેતનમંત્ર તેઓ પામે છે. નિત્યપ્રવાસપંથે ધપતી ધરાએ જ નહિ, ઉમાશંકરેય પ્રકાશના ધોધ અમોઘ ઝીલ્યા છે ને એમની આંતરખોજની આંતરયાત્રા સતત વિકસતી રહી છે. એમની ગાંધીદીક્ષા આ કાવ્ય થકી પમાય છે, કેટલીક પંક્તિઓ જોઈએ: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<Poem> | <Poem> | ||
'''‘અહિંસાથી ભીંજાવો ને પ્રકાશો સત્યતેજથી!''' | '''‘અહિંસાથી ભીંજાવો ને પ્રકાશો સત્યતેજથી!''' | ||
'''શાંતિનો જગને માટે માર્ગ એકે બીજો નથી.’''' | '''શાંતિનો જગને માટે માર્ગ એકે બીજો નથી.’''' | ||
'''*''' | '''*''' | ||
'''‘માનવી માનવી ઉરે એક માનવભાવ છે;''' | '''‘માનવી માનવી ઉરે એક માનવભાવ છે;''' | ||
'''પેખીને પ્રેમની પીડા નકી એ પીગળી ઊઠે.’''' | '''પેખીને પ્રેમની પીડા નકી એ પીગળી ઊઠે.’''' | ||
'''*''' | '''*''' | ||
'''‘વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી:''' | '''‘વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી:''' | ||
'''પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ!’''' | '''પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ!’''' | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
૧૯૩૧માં તેઓ કૉંગ્રેસ અધિવેશનમાં બેડી બંદરથી શઢવાળા નાના જહાજમાં કરાંચી ગયેલા એટલે સમુદ્રનો નિકટથી પરિચય થયેલો. “તે સમયની બુલંદ રાષ્ટ્રભાવના, શોષિતો પ્રત્યેની હમદર્દી અને એક પ્રકારની વૈશ્વિક ચેતના — તેનો પ્રગાઢ સંસ્પર્શ સહેજે અનુભવાતો. તેમાંથી ‘વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી’ ઉદ્ગાર નીકળ્યો” —{{Poem2Close}} | ૧૯૩૧માં તેઓ કૉંગ્રેસ અધિવેશનમાં બેડી બંદરથી શઢવાળા નાના જહાજમાં કરાંચી ગયેલા એટલે સમુદ્રનો નિકટથી પરિચય થયેલો. “તે સમયની બુલંદ રાષ્ટ્રભાવના, શોષિતો પ્રત્યેની હમદર્દી અને એક પ્રકારની વૈશ્વિક ચેતના — તેનો પ્રગાઢ સંસ્પર્શ સહેજે અનુભવાતો. તેમાંથી ‘વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી’ ઉદ્ગાર નીકળ્યો” —{{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
'''‘વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી; | '''‘વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી; | ||
Line 59: | Line 58: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ કવિના મુખેથી ૧૯૩૨માં, ખાસ્સો વહેલો, માર્ક્સવાદી ઉદ્ગાર પણ નીકળે છેઃ{{Poem2Close}} | આ કવિના મુખેથી ૧૯૩૨માં, ખાસ્સો વહેલો, માર્ક્સવાદી ઉદ્ગાર પણ નીકળે છેઃ{{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
'''‘ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;''' | '''‘ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;''' | ||
'''ખંડેરની ભસ્મકણી ન લાધશે!’''' | '''ખંડેરની ભસ્મકણી ન લાધશે!’''' | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘ગંગોત્રી’નાં કેટલાંક કાવ્યોમાં વાસ્તવિકતાનો અભિગમ ઉત્કૃષ્ટ બનતો જણાય છે. પ્રકૃતિ તો આ કવિની રગ રગમાં વહે છે. બદલાયેલી ઇબારતાવળા શિખરિણીમાં ‘બળતાં પાણી’નું શરૂઆતનું ગતિશીલ દૃશ્ય જોઈએ:{{Poem2Close}} | ‘ગંગોત્રી’નાં કેટલાંક કાવ્યોમાં વાસ્તવિકતાનો અભિગમ ઉત્કૃષ્ટ બનતો જણાય છે. પ્રકૃતિ તો આ કવિની રગ રગમાં વહે છે. બદલાયેલી ઇબારતાવળા શિખરિણીમાં ‘બળતાં પાણી’નું શરૂઆતનું ગતિશીલ દૃશ્ય જોઈએ:{{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
'''‘નદી દોડે, સોડે ભડભડ બળે ડુંગરવનો; | '''‘નદી દોડે, સોડે ભડભડ બળે ડુંગરવનો; | ||
'''પડે ઓળા પાણી મહીં, સરિત હૈયે સળગતી!’''' | '''પડે ઓળા પાણી મહીં, સરિત હૈયે સળગતી!’''' | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘બળતાં પાણી’ ઉપરાંત ‘ગંગોત્રી’માં ‘પીછું’, ‘બીડમાં સાંજવેળા’ અને ‘વડ’ જેવાં સુંદર સૉનેટ મળે છે. બાળપણ ડુંગરોમાં ભમીને પસાર કર્યું હોઈ આ કવિમાં ડુંગરા ન પ્રગટે તો જ નવાઈ —{{Poem2Close}} | ‘બળતાં પાણી’ ઉપરાંત ‘ગંગોત્રી’માં ‘પીછું’, ‘બીડમાં સાંજવેળા’ અને ‘વડ’ જેવાં સુંદર સૉનેટ મળે છે. બાળપણ ડુંગરોમાં ભમીને પસાર કર્યું હોઈ આ કવિમાં ડુંગરા ન પ્રગટે તો જ નવાઈ —{{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
'''‘ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા, | '''‘ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા, | ||
Line 76: | Line 80: | ||
'''જોવી’તી કોતરો ને જોવી'તી કંદરા,''' | '''જોવી’તી કોતરો ને જોવી'તી કંદરા,''' | ||
'''રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.’''' | '''રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.’''' | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘નિશીથ’ના ઉદ્બોધનકાવ્યમાં વૈદિક સૂર(ટોન)નો લાભ લઈને નર્તકના પદન્યાસ અને અંગહિલ્લોળનું પ્રત્યક્ષીકરણ કરાયું છે. આ સંગ્રહમાંની અનન્ય સૉનેટમાળા ‘આત્માનાં ખંડેર’માં યથાર્થના સ્વીકાર દ્વારા, સમજણ દ્વારા જીવનની સાચી પકડ લાધી છે. થોડાં ઉદાહરણ જોઈએઃ{{Poem2Close}} | ‘નિશીથ’ના ઉદ્બોધનકાવ્યમાં વૈદિક સૂર(ટોન)નો લાભ લઈને નર્તકના પદન્યાસ અને અંગહિલ્લોળનું પ્રત્યક્ષીકરણ કરાયું છે. આ સંગ્રહમાંની અનન્ય સૉનેટમાળા ‘આત્માનાં ખંડેર’માં યથાર્થના સ્વીકાર દ્વારા, સમજણ દ્વારા જીવનની સાચી પકડ લાધી છે. થોડાં ઉદાહરણ જોઈએઃ{{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
'''‘રે! ખોલ, ખોલ, ઝટ છોડ વિકાસધારા,''' | '''‘રે! ખોલ, ખોલ, ઝટ છોડ વિકાસધારા,''' | ||
Line 85: | Line 91: | ||
'''*''' | '''*''' | ||
</poem> | </poem> | ||
<poem> | <poem> | ||
'''‘યથાર્થ જ સુપથ્ય એક, સમજ્યાં જવું શક્ય જે;''' | '''‘યથાર્થ જ સુપથ્ય એક, સમજ્યાં જવું શક્ય જે;''' | ||
'''અજાણ રમવું કશું! સમજવું રિબાઈય તે.’''' | '''અજાણ રમવું કશું! સમજવું રિબાઈય તે.’''' | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ સંગ્રહમાં કરુણપ્રશસ્તિકાવ્ય ‘સદ્ગત મોટાભાઈ’; ‘નખી સરોવર ઉપર શરતપૂર્ણિમા’, ‘લોકલમાં’, ‘પોતાના લગ્ન માટે ઘર શણગારતી બાલા’ જેવાં વિશિષ્ટ છાંદસકાવ્યો તેમજ ‘ગૂજરાત મોરી મોરી રે’, ‘દૂર શું? નજીક શું?’, ‘માનવીનું હૈયું’, ‘ગાણું અધૂરું’ જેવાં ગીતો; લોકરાસની રીતિનું ગીત ‘સાબરનો ગોઠિયો’, ઘરાકનું ભાન ભૂલી વાંસળી વગાડવામાં લીન થઈ જતો ‘વાંસળી વેચનારો’ આદિ મળે છે. | આ સંગ્રહમાં કરુણપ્રશસ્તિકાવ્ય ‘સદ્ગત મોટાભાઈ’; ‘નખી સરોવર ઉપર શરતપૂર્ણિમા’, ‘લોકલમાં’, ‘પોતાના લગ્ન માટે ઘર શણગારતી બાલા’ જેવાં વિશિષ્ટ છાંદસકાવ્યો તેમજ ‘ગૂજરાત મોરી મોરી રે’, ‘દૂર શું? નજીક શું?’, ‘માનવીનું હૈયું’, ‘ગાણું અધૂરું’ જેવાં ગીતો; લોકરાસની રીતિનું ગીત ‘સાબરનો ગોઠિયો’, ઘરાકનું ભાન ભૂલી વાંસળી વગાડવામાં લીન થઈ જતો ‘વાંસળી વેચનારો’ આદિ મળે છે. | ||
‘પ્રાચીના’ તથા ‘મહાપ્રસ્થાન’માં એમણે નાટ્યકાવ્યો આપ્યાં છે, જેમાં બોલચાલની છટાઓને ભાવમયતાની કક્ષાએ રજૂ કરાઈ છે. આ સંગ્રહોમાંથી ‘કર્ણ-કૃષ્ણ’ તથા ‘મંથરા’ જેવાં નાટ્યકાવ્યો મળે છે. ‘બાલ રાહુલ’માં બુદ્ધ એમના શિષ્ય આનંદને માર્મિક રીતે કહે છેઃ{{Poem2Close}} | ‘પ્રાચીના’ તથા ‘મહાપ્રસ્થાન’માં એમણે નાટ્યકાવ્યો આપ્યાં છે, જેમાં બોલચાલની છટાઓને ભાવમયતાની કક્ષાએ રજૂ કરાઈ છે. આ સંગ્રહોમાંથી ‘કર્ણ-કૃષ્ણ’ તથા ‘મંથરા’ જેવાં નાટ્યકાવ્યો મળે છે. ‘બાલ રાહુલ’માં બુદ્ધ એમના શિષ્ય આનંદને માર્મિક રીતે કહે છેઃ{{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
'''‘તો સાંભળી લે થઈને સમાહિત''' | '''‘તો સાંભળી લે થઈને સમાહિત''' | ||
Line 98: | Line 107: | ||
'''બની રહ્યો તે જ સમાધિયોગ.’''' | '''બની રહ્યો તે જ સમાધિયોગ.’''' | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નાટ્ય-કાવ્યની આ ક્ષણને ઉમાશંકરે વિશ્વવાત્સલ્ય-દીક્ષાની ઘડી તરીકે ઓળખાવી છે. | નાટ્ય-કાવ્યની આ ક્ષણને ઉમાશંકરે વિશ્વવાત્સલ્ય-દીક્ષાની ઘડી તરીકે ઓળખાવી છે. | ||
‘આતિથ્ય’ સંગ્રહમાં ‘દયારામનો તંબૂર જોઈને’, ‘આવ્યો છું મંદિરો જોવા —’, ‘મધ્યાહ્ન’ જેવાં છંદોબદ્ધ કાવ્યો ઉપરાંત ‘શ્રાવણ હો’, ‘ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય...’ તથા ‘ગામને કૂવે’ જેવાં ગીતો સાંપડે છે. | ‘આતિથ્ય’ સંગ્રહમાં ‘દયારામનો તંબૂર જોઈને’, ‘આવ્યો છું મંદિરો જોવા —’, ‘મધ્યાહ્ન’ જેવાં છંદોબદ્ધ કાવ્યો ઉપરાંત ‘શ્રાવણ હો’, ‘ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય...’ તથા ‘ગામને કૂવે’ જેવાં ગીતો સાંપડે છે. | ||
‘વસંતવર્ષા’માં ‘પંચમી આવી વસંતની’, ‘થોડો એક તડકો’ જેવાં ગીતો; ‘ગયાં વર્ષો–’, ‘રહ્યાં વર્ષો તેમાં –’ જેવી રચનાઓ, – ઉમાશંકરે નોંધ્યું છે તેમ, અડધે રસ્તે કાઢેલા જીવનના સરવૈયારૂપ સૉનેટરચનાઓ છેઃ{{Poem2Close}} | ‘વસંતવર્ષા’માં ‘પંચમી આવી વસંતની’, ‘થોડો એક તડકો’ જેવાં ગીતો; ‘ગયાં વર્ષો–’, ‘રહ્યાં વર્ષો તેમાં –’ જેવી રચનાઓ, – ઉમાશંકરે નોંધ્યું છે તેમ, અડધે રસ્તે કાઢેલા જીવનના સરવૈયારૂપ સૉનેટરચનાઓ છેઃ{{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
'''‘રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું''' | '''‘રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું''' | ||
Line 114: | Line 125: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગાંધીજીના મૃત્યુ નિમિત્તે દર્શન રજૂ કરતી ‘રડો ન મુજ મૃત્યુને –’ ‘દર્શન’ જેવી રચનાઓ ઉપરાંત આ સંગ્રહમાં કેટલાંક ચિરંજીવ મુક્તકો પણ મળે છે. જેમ કે —{{Poem2Close}} | ગાંધીજીના મૃત્યુ નિમિત્તે દર્શન રજૂ કરતી ‘રડો ન મુજ મૃત્યુને –’ ‘દર્શન’ જેવી રચનાઓ ઉપરાંત આ સંગ્રહમાં કેટલાંક ચિરંજીવ મુક્તકો પણ મળે છે. જેમ કે —{{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
'''‘મોટાઓની અલ્પતા જોઈ થાક્યો, | '''‘મોટાઓની અલ્પતા જોઈ થાક્યો, | ||
'''નાનાની મોટાઈ જોઈ જીવું છું.’''' | '''નાનાની મોટાઈ જોઈ જીવું છું.’''' | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘નિશીથ’માં નાદતત્ત્વના પ્રયોગો હતા તો ‘અભિજ્ઞા’થી મુક્તપદ્યના અને પદ્યમુક્તિના પ્રયોગો શરૂ થાય છે. ઉમાશંકરે નોંધ્યું છેઃ{{Poem2Close}} | ‘નિશીથ’માં નાદતત્ત્વના પ્રયોગો હતા તો ‘અભિજ્ઞા’થી મુક્તપદ્યના અને પદ્યમુક્તિના પ્રયોગો શરૂ થાય છે. ઉમાશંકરે નોંધ્યું છેઃ{{Poem2Close}} | ||
Line 137: | Line 150: | ||
'''મૌનનો દેહ મૂર્ત, આસવ અસ્તિત્વનો;''' | '''મૌનનો દેહ મૂર્ત, આસવ અસ્તિત્વનો;''' | ||
'''સ્વપ્નની ચિર છવિ. ક્યાં છે કવિતા?’'''</poem> | '''સ્વપ્નની ચિર છવિ. ક્યાં છે કવિતા?’'''</poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘છિન્નભિન્ન છું’ તથા ‘શોધ’ બંને રચનાઓને ‘સપ્તપદી’માં સમાવી હોઈ પછીથી ‘અભિજ્ઞા’માંથી કાઢી લીધેલી. | ‘છિન્નભિન્ન છું’ તથા ‘શોધ’ બંને રચનાઓને ‘સપ્તપદી’માં સમાવી હોઈ પછીથી ‘અભિજ્ઞા’માંથી કાઢી લીધેલી. | ||
આ કવિની ભીતરનો સૂર સમષ્ટિના સૂર સાથે મળતો આવે છે. તેમની વૈશ્વિક સંવેદના સતત ધબકતી રહી છે. આથી જ તો આ કવિમાં ‘વિશ્વ’, ‘બ્રહ્માંડ’-વ્યાપી સંવેદનો તાનપુરાની જેમ બજ્યા કરે છે. આ કવિ તેનાં ત્રણ વામન ડગલાંમાં સમગ્ર વિશ્વને, બ્રહ્માંડને બાથમાં લે છે. આથી જ તો ‘માઈલોના માઈલો મારી અંદર’ જેવાં કાવ્યો પ્રગટે છે. | આ કવિની ભીતરનો સૂર સમષ્ટિના સૂર સાથે મળતો આવે છે. તેમની વૈશ્વિક સંવેદના સતત ધબકતી રહી છે. આથી જ તો આ કવિમાં ‘વિશ્વ’, ‘બ્રહ્માંડ’-વ્યાપી સંવેદનો તાનપુરાની જેમ બજ્યા કરે છે. આ કવિ તેનાં ત્રણ વામન ડગલાંમાં સમગ્ર વિશ્વને, બ્રહ્માંડને બાથમાં લે છે. આથી જ તો ‘માઈલોના માઈલો મારી અંદર’ જેવાં કાવ્યો પ્રગટે છે. | ||
‘માઈલોના માઈલો મારી અંદર’માં થોડી પંક્તિઓમાં સુંદર લૉંગ શૉટ ઝડપી, પછી ધીરે ધીરે zoom કરીને પછી કન્યાના ઝભલા પરના પતંગિયાને કવિએ કેવું બતાવ્યું છે! — {{Poem2Close}} | ‘માઈલોના માઈલો મારી અંદર’માં થોડી પંક્તિઓમાં સુંદર લૉંગ શૉટ ઝડપી, પછી ધીરે ધીરે zoom કરીને પછી કન્યાના ઝભલા પરના પતંગિયાને કવિએ કેવું બતાવ્યું છે! — {{Poem2Close}} | ||
<Poem> | <Poem> | ||
'''‘લહેરાતાં''' | '''‘લહેરાતાં''' | ||
Line 151: | Line 166: | ||
'''માઈલોના માઈલો મારી આરપાર પસાર થયાં કરે.’''' | '''માઈલોના માઈલો મારી આરપાર પસાર થયાં કરે.’''' | ||
</Poem> | </Poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘ધારાવસ્ત્ર’ કાવ્યમાં કવિએ ભવ્ય કલ્પન દ્વારા, પકડી ન શકાય તેવા અધ્યાત્મ-રહસ્યને ઘૂંટ્યું છે. ‘ધારાવસ્ત્ર’ સંગ્રહમાં ‘મૂળિયાં’, ‘એક પંખીને કંઈક—’, ‘ગોકળગાય’, ‘સીમ અને ઘર’, ‘અલ્વિદા દિલ્હી’, ‘ચંદ્રવદન એક...’ જેવાં કાવ્યો મળે છે. અગિયાર બાળકાવ્યો પણ આ સંગ્રહમાં સાંપડે છે. | ‘ધારાવસ્ત્ર’ કાવ્યમાં કવિએ ભવ્ય કલ્પન દ્વારા, પકડી ન શકાય તેવા અધ્યાત્મ-રહસ્યને ઘૂંટ્યું છે. ‘ધારાવસ્ત્ર’ સંગ્રહમાં ‘મૂળિયાં’, ‘એક પંખીને કંઈક—’, ‘ગોકળગાય’, ‘સીમ અને ઘર’, ‘અલ્વિદા દિલ્હી’, ‘ચંદ્રવદન એક...’ જેવાં કાવ્યો મળે છે. અગિયાર બાળકાવ્યો પણ આ સંગ્રહમાં સાંપડે છે. | ||
Line 172: | Line 188: | ||
'''વેઇટ-ઍ-બિટ્!...''' | '''વેઇટ-ઍ-બિટ્!...''' | ||
'''છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે.’''' </Poem> | '''છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે.’''' </Poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જેમણે ‘વિશ્વશાંતિ’ ને ‘વિશ્વપ્રેમ’નો મંત્ર જગાવ્યો, વિશ્વચેતનાના સંદર્ભમાં પૂર્ણતા તરફની જેમના જીવનની ગતિ રહી છે તેવા વિશ્વમાનવી, સર્જક-મનીષી ઉમાશંકરને શત શત વંદન. | જેમણે ‘વિશ્વશાંતિ’ ને ‘વિશ્વપ્રેમ’નો મંત્ર જગાવ્યો, વિશ્વચેતનાના સંદર્ભમાં પૂર્ણતા તરફની જેમના જીવનની ગતિ રહી છે તેવા વિશ્વમાનવી, સર્જક-મનીષી ઉમાશંકરને શત શત વંદન. |
edits