કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૯. પહાડોની પેલેપાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૯. પહાડોની પેલેપાર|ઉશનસ્}} <poem> હવે મારું કોઈ નવું જૂનું રહ્...")
 
No edit summary
Line 21: Line 21:


</poem>
</poem>
::(સમસ્ત કવિતા, ‘અનહદની સરહદે’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૩૪૨-૩૪૩)}}
:::(સમસ્ત કવિતા, ‘અનહદની સરહદે’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૩૪૨-૩૪૩)}}

Revision as of 09:38, 14 July 2021

૨૯. પહાડોની પેલેપાર

ઉશનસ્

હવે મારું કોઈ નવું જૂનું રહ્યું નામ જ નથી,
અનામી કો આદિ વનનું બસ છું સત્ત્વ હું હવે;
મને કોઈ આઘે સમયમહીં મારા વતનથી
ગયું’તું — યાદા’વે — અપહરી પુરા કોઈક ભવે.

પુરા જ્યારે જ્યારે નીકળતી હતી વાત ઘરમાં
વને નિર્વાસેલા નૃપકુંવરની, ‘એ વન વિશે
ઊભા આડા પ્હાડો, નદી વહતી ઓ પાર...’ સુણતાં
ઊઠંતા પ્રાણો શેં તડપી મુજ તે આજ સમજું.

‘અહો પેલી પારે ગિરિતણી વહે કોઈક નદી,’
નર્યા ઉલ્લેખેયે સરી જતી કંઈ કેટલી સદીઃ
ચલી આવે યાત્રા-કથની દૂરથી સંસ્કૃતિતણી.

વને પ્હાડો-પ્હાડોતણીય વળી ઓ પાર નદી કો
વહે છે અંજાણી, તટ ઉપર ત્યાં શાપિત પરી
રહે કો એકાકી રટત મુજને રાજકુંવરી...

(સમસ્ત કવિતા, ‘અનહદની સરહદે’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૩૪૨-૩૪૩)}}