કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/૪૨. ‘બાર ઉન્મેષિકાઓ’માંથી

Revision as of 12:23, 29 July 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૨. ‘બાર ઉન્મેષિકાઓ’માંથી| ચંદ્રકાન્ત શેઠ}} <poem> '''૧''' આકાશનાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૪૨. ‘બાર ઉન્મેષિકાઓ’માંથી

ચંદ્રકાન્ત શેઠ

<poem> આકાશનાં મોતી તો

મળી ગયેલાં માટીમાં;

પાછાં બંધાઈને આવ્યાં બહાર,

ઝબક્યાં ડૂંડે ડૂંડે.

શું તારો જ ખર્યો છે? જોનારનું તો આકાશ પણ ખરી ગયું,

આંખમાંથી!

નાવ ભાંગી ખડક પર, ને મોજું ભાંગ્યું કાંઠે, ને એ જોતાં જ ભાંગ્યું આકાશ

મારી અંદર દરિયે!

અંદર હચમચી ગયાં છે મૂળિયાં, પાન, ફૂલ, ફળના નહીં;

ખાલીપાના ભારે!<poem>

(જળ વાદળ ને વીજ, ૨૦૦૫, પૃ. ૭૯)