કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૩૨.કળી જેમ...: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૩૨.કળી જેમ...| }} | {{Heading|૩૨.કળી જેમ...|ચિનુ મોદી }} | ||
<poem> | <poem> |
Latest revision as of 11:37, 17 June 2022
૩૨.કળી જેમ...
ચિનુ મોદી
કળી જેમ ઊઘડી શકાતું નથી,
સમયસર નિખાલસ થવાતું નથી.
હશે આયનાની તરસ કેટલી ?
વિજન થાય ઘર એ ખમાતું નથી.
અલગ છે દરજ્જો, અલગ સ્થાન છે.
પવન જેમ ઘરઘર ફરાતું નથી.
નથી ઊર્ધ્વમાં કે ધરામાં નથી,
નથી ક્યાંય મૂળ ને ખસાતું નથી.
ન કાપો, ન છેદો, તપાવો મને,
બરફ છું છતાં પિગળાતું નથી.
દિશાહીન મનની દશા શી થઈ ?
હવે હોય એ પણ જણાતું નથી.
(અફવા, પૃ.૯૩)