કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૨. મને થતું :: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨. મને થતું :| – જયન્ત પાઠક}} <poem> ન રૂપ, નહિ રંગ, ઢંગ પણ શા અનાકર્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૨. મને થતું :| | {{Heading|૨. મને થતું :|જયન્ત પાઠક}} | ||
<poem> | <poem> | ||
ન રૂપ, નહિ રંગ, ઢંગ પણ શા અનાકર્ષક! | ન રૂપ, નહિ રંગ, ઢંગ પણ શા અનાકર્ષક! |
Revision as of 11:52, 10 July 2021
૨. મને થતું :
જયન્ત પાઠક
ન રૂપ, નહિ રંગ, ઢંગ પણ શા અનાકર્ષક!
નહીં નયન વીજની ચમક, ના છટા ચાલમાં,
ગુલાબ નહીં ગાલમાં; નીરખી રોજ રોજે થતું :
કલા વિરૂપ સર્જને શીદ રહ્યો વિધિ વેડફી!
અને નીરખું રોજ મોહક સુરેખ નારીકૃતિ :
પડ્યે નયનવીજ જેની ઉરઅદ્રિ ચૂરેચૂરા
ઢળે થઈ, અને વિરૂપ જડ નારીનો હું પતિ
અતુષ્ટ, દઈ દોષ ભાગ્યબલને વહંતો ધુરા.
વહ્યા દિન, અને બની જનની એ શિશુ એકની
ઉમંગથી ઉછેરતી લઘુક પ્રાણના પિણ્ડને,
અને લઘુક પિણ્ડ — જીવનથી ઊભરાતું શિશુ
થતું ઘૂંટણભેર, છાતી મહીં આવી છુપાય ને
હસે નયન માતને નીરખી નેહની છાલક :
તને અગર ચાહવા બની શકાય જો બાલક!
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૪૪-૪૫)