કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૩૮. અઘરું નચિકેત થવાનું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૮. અઘરું નચિકેત થવાનું|જયન્ત પાઠક}} <poem> આમ ઉંબર સુધી આવીને પ...")
 
No edit summary
Line 12: Line 12:
કોઈ બોલ્યું નહિ વિદાયવચનો — આશીર્વાદ;
કોઈ બોલ્યું નહિ વિદાયવચનો — આશીર્વાદ;
અરે તિરસ્કારનો એક બોલ
અરે તિરસ્કારનો એક બોલ
:: એક હડસેલોય પૂરતો થાત.
: એક હડસેલોય પૂરતો થાત.
હવે
હવે
આમ ઉંબર સુધી આવીને પાછા ફરવાનું!
આમ ઉંબર સુધી આવીને પાછા ફરવાનું!

Revision as of 12:36, 10 July 2021

૩૮. અઘરું નચિકેત થવાનું

જયન્ત પાઠક

આમ
ઉંબર સુધી આવીને પાછા ફરવાનું!
ગમતું તો નથી; પણ શું થાય?
સજ્જડ ઝાલ્યો મને
આ વેલીએ, આ હરણાએ
આ તરણાએ, આ ઝરણાએ
જીવનાશ્રમની સકલ વ્હાલપે, કરુણાએ
ખેંચી રાખ્યો સખત મને પાછળથી.
કોઈ બોલ્યું નહિ વિદાયવચનો — આશીર્વાદ;
અરે તિરસ્કારનો એક બોલ
એક હડસેલોય પૂરતો થાત.
હવે
આમ ઉંબર સુધી આવીને પાછા ફરવાનું!
ખરેખર, કેટલું અઘરું છે નચિકેતા થવાનું!
૨-૨-૧૯૮૫

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૩૫૭-૩૫૮)