કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩૩. ફૉકલેન્ડ રોડ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૩. ફૉકલેન્ડ રોડ

નિરંજન ભગત

વાલકેશ્વરે જે કહ્યું સ્નેહલગ્ન
એનું અહીં માત્ર સ્વરૂપ નગ્ન;
ન દેવ કોઈ, નહીં કોઈ દાનવી,
આ લોકને તો સહુ માત્ર માનવી.

(બૃહદ છંદોલય, પૃ. ૨૦૮)