કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૨. બે પાય ધરવા જેટલી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
</poem> | </poem> | ||
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૫૩)}} | {{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૫૩)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૧. માઘની પૂર્ણિમા | ૪૧. માઘની પૂર્ણિમા ]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૩. પૂંઠે પૂંઠે | ૪૩. પૂંઠે પૂંઠે]] | |||
}} |
Latest revision as of 12:34, 4 September 2021
૪૨. બે પાય ધરવા જેટલી
નિરંજન ભગત
બે પાય ધરવા જેટલી
મારે જગા બસ જોઈએ,
એથી વધારે તો હજી
ક્યારેય તે રોકી નથીને કોઈએ!
જ્યાં જ્યાં ફરું,
ટટ્ટાર હું જેની પરે ઊભો રહ્યો — બે પાય
તે જ્યાં જ્યાં ધરું
ને હેઠ પૃથ્વી જેટલી કંઈ માય
તે મારી!
અને બાકી રહી જે સૃષ્ટિ સારી
તે હશે કોની મને પરવા નથી,
ને એકસાથે બે જગા પર
પાય તો ધરવા નથી.
૨૯-૩-૧૯૫૭
(બૃહદ છંદોલય, પૃ. ૨૫૩)