કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૨. બે પાય ધરવા જેટલી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૨. બે પાય ધરવા જેટલી| નિરંજન ભગત}} <poem> બે પાય ધરવા જેટલી ::: મા...")
 
No edit summary
Line 14: Line 14:
તે હશે કોની મને પરવા નથી,
તે હશે કોની મને પરવા નથી,
ને એકસાથે બે જગા પર
ને એકસાથે બે જગા પર
પાય તો ધરવા નથી.
:::પાય તો ધરવા નથી.


૨૯-૩-૧૯૫૭
૨૯-૩-૧૯૫૭

Revision as of 06:57, 10 July 2021

૪૨. બે પાય ધરવા જેટલી

નિરંજન ભગત

બે પાય ધરવા જેટલી
મારે જગા બસ જોઈએ,
એથી વધારે તો હજી
ક્યારેય તે રોકી નથીને કોઈએ!
જ્યાં જ્યાં ફરું,
ટટ્ટાર હું જેની પરે ઊભો રહ્યો — બે પાય
તે જ્યાં જ્યાં ધરું
ને હેઠ પૃથ્વી જેટલી કંઈ માય
તે મારી!
અને બાકી રહી જે સૃષ્ટિ સારી
તે હશે કોની મને પરવા નથી,
ને એકસાથે બે જગા પર
પાય તો ધરવા નથી.

૨૯-૩-૧૯૫૭

(બૃહદ છંદોલય, પૃ. ૨૫૩)