કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૧. પ્રાણેશ્વરી (અર્પણ કાવ્ય): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 30: Line 30:
'''(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, ઊર્મિકાવ્યો, સં. ઉષા ઉપાધ્યાય, પૃ. ૩)'''
'''(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, ઊર્મિકાવ્યો, સં. ઉષા ઉપાધ્યાય, પૃ. ૩)'''
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = આ શ્રેણીના સંપાદકો
|next = ૨. લગ્નતિથિ
}}

Revision as of 10:48, 13 June 2022


૧. પ્રાણેશ્વરી (અર્પણકાવ્ય)

પ્રાણેશ્વરી ! વ્રતિનિ જીવનસાથની હો !
કીધું પ્રયાણ મુજ સંગ ભવાટવીમાં :
ત્હેં પોષી આત્મકલી પાંખડીઓ ઉઘાડી,
ખીલી કંઈક, કંઈ ધૂળ વિશે ખરી તે.

ખીલી પ્રકાશ ચૂમતાં પ્રભુની પ્રભાના,
કે હા ! ખરી જડ વિશે જડભાવ પીતાં,
ગેબી સુગન્ધ સઉ પાંદડીએ ઉડાવ્યો,
ત્હેનો રચી રસિક ! હાર વધાવું ઉર.

આજે સુદિન તુજ નામિની પૂર્ણિમાનો :
જો ! ફોડ્યું મેઘપટ કોકિલની કલાએ;
કીકી સમું ધરી શશાંક, ભ્રકુટી પાડી,
ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચન્દ્રરાજ.

પૂજ્યો શશી, પૂજું ત્હને રસની સુગન્ધે,
પૂજી પ્રકાશું મુજ અન્તર કેરી વાંછા :

આ ચન્દ્રિકા સમ મનોહર ને વિશાળ,
કલ્યાણકારી, ઊંડી આશિષથી ભરેલું,
તે પુણ્યશુદ્ધ, મૃદુ, ઉજ્જ્વલ, વ્હાલરંગી,
તું હાસજે તુજ અલૌકિક એક હાસ્ય.

માણેકઠારી પૂર્ણિમા, સં. ૧૯૫૮
(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, ઊર્મિકાવ્યો, સં. ઉષા ઉપાધ્યાય, પૃ. ૩)