કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૨૧. ખમ્મા વીરાને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૧. ખમ્મા વીરાને|<br>(ઢાળ : પ્રગટ્યા શ્રી કૃષ્ણ મ્હને ભાવતા રે...")
(No difference)

Revision as of 09:52, 13 June 2022

૨૧. ખમ્મા વીરાને


(ઢાળ : પ્રગટ્યા શ્રી કૃષ્ણ મ્હને ભાવતા રે લોલ)


ખમ્મા ! વીરાને જાઉં વારણે રે લોલ :
મોંઘામૂલો છે મ્હારો વીર જો !
          ખમ્મા ! વીરાને જાઉં વારણે રે લોલ.

એક તો સુહાગી ગગનચાંદલો રે લોલ :
બીજો સુહાગી મ્હારો વીર જો !
          ખમ્મા ! વીરાને જાઉં વારણે રે લોલ.

રાજ તો વિરાજે રાજમન્દિરે રે લોલ :
પારણે વિરાજે મ્હારો વીર જો !
          ખમ્મા ! વીરાને જાઉં વારણે રે લોલ.

ચંપો ખીલે છે ફૂલવાડીમાં રે લોલ :
ફૂલમાં ખીલે છે મ્હારો વીર જો !
          ખમ્મા ! વીરાને જાઉં વારણે રે લોલ.

આંગણે ઉજાસ મ્હારે સૂર્યનો રે લોલ :
બીજો આનન્દ મ્હારો વીર જો !
          ખમ્મા ! વીરાને જાઉં વારણે રે લોલ.

દેવે દીધી છે મ્હને માવડી રે લોલ :
માડીએ દીધો મ્હારો વીર જો !
          ખમ્મા ! વીરાને જાઉં વારણે રે લોલ.

(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, પૃ. ૩૩૧)