કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૨૫. જાહ્નવી જગની ઘૂમે રે: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
{{Right|'''(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, પૃ. ૮૦)'''|}} | {{Right|'''(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, પૃ. ૮૦)'''|}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૪. ઊગે છે પ્રભાત | |||
|next = ૨૬. શરદપૂનમ | |||
}} |
Revision as of 11:04, 13 June 2022
૨૫. જાહ્નવી જગની ઘૂમે રે
ઘૂમે ઘૂમે ને ઘેલી વહે,
ને કાંઈ વ્હેતી અખંડ ને અનન્ત રે !
જાહ્નવી જગની ઘૂમે રે !
પાણી ભર્યાં છે પુણ્યનાં,
ને મહીં ઝીલે સુહાગિયાં સન્ત રે !
જાહ્નવી જગની ઘૂમે રે !
સગરકુમારોને તારિયા,
ને એમ તારશે માનવજાત રે !
જાહ્નવી જગની ઘૂમે રે !
બ્રહ્માંડે ભર્યાં બ્રહ્મનાં અમી,
સાધો ! માણજો મહીં દિનરાત રે !
જાહ્નવી જગની ઘૂમે રે !
(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, પૃ. ૮૦)