કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૨૫. જાહ્નવી જગની ઘૂમે રે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 22: Line 22:
{{Right|'''(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, પૃ. ૮૦)'''|}}
{{Right|'''(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, પૃ. ૮૦)'''|}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૨૪. ઊગે છે પ્રભાત
|next = ૨૬. શરદપૂનમ
}}

Revision as of 11:04, 13 June 2022

૨૫. જાહ્નવી જગની ઘૂમે રે


ઘૂમે ઘૂમે ને ઘેલી વહે,
          ને કાંઈ વ્હેતી અખંડ ને અનન્ત રે !
                   જાહ્નવી જગની ઘૂમે રે !

પાણી ભર્યાં છે પુણ્યનાં,
          ને મહીં ઝીલે સુહાગિયાં સન્ત રે !
                   જાહ્નવી જગની ઘૂમે રે !

સગરકુમારોને તારિયા,
          ને એમ તારશે માનવજાત રે !
                   જાહ્નવી જગની ઘૂમે રે !

બ્રહ્માંડે ભર્યાં બ્રહ્મનાં અમી,
          સાધો ! માણજો મહીં દિનરાત રે !
                   જાહ્નવી જગની ઘૂમે રે !

(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, પૃ. ૮૦)