કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૨૫. જાહ્નવી જગની ઘૂમે રે

From Ekatra Wiki
Revision as of 05:21, 20 June 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૫. જાહ્નવી જગની ઘૂમે રે

ન્હાનાલાલ


ઘૂમે ઘૂમે ને ઘેલી વહે,
          ને કાંઈ વ્હેતી અખંડ ને અનન્ત રે !
                   જાહ્નવી જગની ઘૂમે રે !

પાણી ભર્યાં છે પુણ્યનાં,
          ને મહીં ઝીલે સુહાગિયાં સન્ત રે !
                   જાહ્નવી જગની ઘૂમે રે !

સગરકુમારોને તારિયા,
          ને એમ તારશે માનવજાત રે !
                   જાહ્નવી જગની ઘૂમે રે !

બ્રહ્માંડે ભર્યાં બ્રહ્મનાં અમી,
          સાધો ! માણજો મહીં દિનરાત રે !
                   જાહ્નવી જગની ઘૂમે રે !

(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, પૃ. ૮૦)