કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૨૭. તાજમહેલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૭. તાજમહેલ|}} <poem> આ એ જ શું મંડપ નિત્યલગ્નનો ? કે ભસ્મરાશિ પિ...")
 
No edit summary
Line 85: Line 85:


{{Right|(ચિત્રદર્શનો, ૧૯૯૬, પૃ. ૪૯-૫૨)|}}
{{Right|(ચિત્રદર્શનો, ૧૯૯૬, પૃ. ૪૯-૫૨)|}}
</poem>


</poem>
<br>
{{HeaderNav2
|previous = ૨૬. શરદપૂનમ
|next = ૨૮. કુલયોગિની
}}

Revision as of 11:05, 13 June 2022

૨૭. તાજમહેલ


આ એ જ શું મંડપ નિત્યલગ્નનો ?
કે ભસ્મરાશિ પિયુ પ્રેમલગ્નનો ?
આ તાજ શું એ મુમતાજનો, સખે ?
કે સ્નેહના પંખીની વાસયષ્ટિ એ ?

પ્રેમનાં સ્મરણો બોલે માનવીમાનવીઉરે;
તે સૌને પડઘો ઝીલી સુણો ! શાહે જ્ય્હાં ઝૂરે.

શ્રી કૃષ્ણની બંસી શું નાચ નાચતી
વૃંદાવનેથી યમુના પધારતી;
રસેન્દ્રના એ રસવારિને તટે
સૌંદર્યનું પુષ્પ ખીલ્યું શું આ, સખે ?

રસીલાં રસયમુનામાં વહન્તાં કંઈ આવતાં;
એમને દાખતો પંથ ઊભો છે એ સુહાગમાં.

અંધારું થાયે નભ માંહી પાતળું;
ઝીણું ઝીણું પૂર પ્રભા તણું ભળ્યું;
જગત તણી જીવનછોળ શું છલી ?
જો ! પ્રેમની ઊગી પ્રભાતતારલી.

રાધિકાનાં ગીત ગાતી ઊભીને નદીને તટ
ભણે છે એહ પાષાણો પ્રેમમંત્રો સનાતન.

અહો ! મહાકાલની વાસુકિફણા !
હા ! સર્વભક્ષી યમ કેરી યંત્રણા !
તથાપિ મૃત્યુ રસનાં નથી – નથી :
સૌંદર્ય ને સ્નેહ અજિત મૃત્યુથી.

સુધા ને વિષ ઘોળેલા સખે ! સંસારસાગરે
પ્રેમને મૃત્યુના મ્હેલ-તાજ સૌને વસે ઉરે.

મધ્યાહ્નની ઝાળ ભરી જગત્ ઊભી,
દાઝી-દઝાડી ય દુનિયા સદા દૂભી,
શું પાદશાહી ય દિલે ચિતા ? અરે !
જ્વાલામુખી જો ! સળગે સુધાકરે.

ધૂળની આંધી જામી, કે મેઘાડંબર સ્હોયલો ?
એવા આ અસ્થિરે વિશ્વે ઊગ્યો શું પ્રેમતારલો ?

અનેક વેળા ઊગી આથમે રવિ,
અનેક ઊર્મિ યમુનાની યે જવી,
શીળો, મીઠો, અમૃતજ્યોત તાજ શો,
અખંડ સૌને ઉર પ્રેમદીવડો.

શું છે, ક્ હો, વિશ્વના મ્હેલે, પ્રેમનો ચંદ્ર કે ચિતા ?
એ જ આ યમુનાતીરે પ્રેમના પ્રેમની ગીતા.

અહો ! મહાભાવ ગયા અકબ્બર;
નથી રહ્યા બાબર એ કલન્દર;
નૂરેજહાં આથમિયાં દિગંતમાં :
ઊભા છ આ કીરતથંભ પ્રેમના.

પ્રેમની કવિતા કેરો ? કે એ જાહોજલાલીનો ?
સૌંદર્યનો ? કલાનો ? કે તાજ આ મુગલાઈનો ?

અંગાંગમાં માર્દવ છે કુમારીનો,
સોહાગ પાનેતરની પ્રભા તણો;
શૃંગારલીલા મુમતાજ શું હસે !
કેવી ય તો નૂરજહાં, કહો, હશે ?

પ્રેમની ભસ્મ ધારી, ને દિગંતે માંડી આંખડી,
પ્રેમની જોગણ કો આ જુએ વ્હાલાની વાટડી.

ઊંચા મિનારા સમ ઊર્ધ્વ હસ્તથી
ચંદ્રાનની ઘુમ્મટશીર્ષ ટેકતી,
ઢાળી છૂટા પાલવ વાડીચોક શા,
રસીલી કો નાચતી નિત્યરાસ આ !

‘વણમાગ્યા રસો વાધી પ્રેમરાશિ બને, સખી !’
એ મહાસત્યની જો ! આ પ્રતીતિ પ્રેમીએ લખી.

કાળે વિછોડી ચકવાની જોડી શા
બંને તટે બેલડ મ્હેલ માંડી, ત્ય્હાં
અદ્વૈત એ દ્વૈતનું સ્થાપવું હતું :
અદ્વૈતનાથે નહિ દ્વૈત સાંખિયું !

પૂર્ણિમા કેરી જ્યોત્સ્નામાં જ્યોત્સ્નાના પુંજશી સખે !
દંપતીપ્રેમની નિત્યે પૂર્ણિમા તપજો જ તે.

(ચિત્રદર્શનો, ૧૯૯૬, પૃ. ૪૯-૫૨)