કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૬. મણિમય સેંથી

From Ekatra Wiki
Revision as of 09:04, 13 June 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૬. મણિમય સેંથી|}} <poem> {{Space}}{{Space}}૧ ::જગ ! ગજવજે ઘોર ગીતડાં, ::ઘડી નચવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૬. મણિમય સેંથી


                  ૧
જગ ! ગજવજે ઘોર ગીતડાં,
ઘડી નચવજે કાન્ત ચિતડાં;
નમેરી છાયાનો વિકટ તુજ ઘેરો ઘટ થશે,
તથાપિ જ્યોત્સ્નાનો મણિમય પ્રીતિપન્થ દીપશે.

                  ૨
ભલે પ્રિયે ! તો અનિલો ઘૂમે, અને
ઘેરી સખી ! વાદળિયો વીંટે ત્હને;
કઠોર ના માનવ દૃષ્ટિ નાંખશે,
સૌન્દર્યરેખા પ્રણયાર્દ્ર ઝાંખશે.

                  ૩
ચુમ્બે પેલા શ્યામ સિન્ધુતરંગો,
આછા જેવા પાતળ મેઘરંગો;
બ્રહ્માંડો એ સન્ધિકામાં રમે છે;
વ્હાલી ! એવી તુજ રસદ્યુતિ પ્રેમમાં આથમે છે.

                  ૪
ભલે પ્રિયે ! તો ઘડી સૌમ્ય ઝાંખશું,
રસેન્દુનું અન્તર સ્થાન રાખશું;
બતાવજે ઉજ્જ્વળ પાટ પાથરી,
પ્રાણેશ્વરી ! સેંથી તું દિવ્યતાભરી.

                  ૫
આચા પેલા શ્યામ અબ્ધિતરંગે,
વ્હાલી ! ત્હારી મૂર્તિ જો ! મેઘ રંગે;
વિશ્વાન્તર્માં ગીત શાં ઘોર ગાજે !
વ્હાલી ! ત્ય્હાંયે પ્રણયરસીલી આત્મજ્યોતિ વિરાજે.

                  ૬
જગત ! ગીત ત્હારાં ગજવજે,
કદી વિમલ આત્મા લજવજે;
ઊંડાં અન્ધારાંનો વિકટ ઘટ ઘેરોય મટશે,
ચળાતી જ્યોત્સ્નાનો મણિમય પ્રીતિપન્થ દીપશે.
(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ ઃ ૧, ખંડ-૧, ઊર્મિકાવ્યો, પૃ. ૬૭-૬૮)