કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૩૧. અલબેલો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 23: Line 23:
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૮૫-૮૬)}}
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૮૫-૮૬)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ૩૦. છેલછબીલે
|next = ૩૨. કેળનાં પાન
}}

Latest revision as of 08:29, 21 September 2021


૩૧. અલબેલો

પ્રિયકાન્ત મણિયાર

અલબેલો અડકે મને આંખથી રે
એનો કરવો તે કેમ રે ઉપાય?
ઝાઝેરો તાણું મારો ઘૂમટો તો રે
નાનેરો જીવ આ મૂંઝાય!

બળતે બપોરનાં પાણીડાં સીંચતાં ઓચિંતા થંભ્યા શું શ્વાસ,
કેટલે તે વેગળેથી વેણુના નાદ મને ઘેરીને ઊભા ચોપાસ;

આઘેરા બજવો જી, નિજની નિકુંજમાં
બેઠાને કેમ રે કહેવાય!
અલબેલોo

રૂપેરી રૂપેરી ચડતે પૂનમપૂર આસોનું ઝૂમતું અંકાશ,
ગોપી ને ગોપના ઘૂમરાતા ઘેરમાં જામ્યા છે રંગતમાં રાસ;
મારે તે જોડમાં આવ્યો અલબેલ એ જ
તાલી એની કેમ રે ઠેલાય?
અલબેલોo

(આ નભ ઝૂક્યું, પૃ. ૮૫-૮૬)