કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૨૪. બોલીએ ના કંઈ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૪. બોલીએ ના કંઈ|}} <poem> બોલીએ ના કંઈ, આપણું હૃદય ખોલીએ ના કંઈ,...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
{{Right|(સંકલિત કવિતા, પૃ. ૨૧૪)}} | {{Right|(સંકલિત કવિતા, પૃ. ૨૧૪)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૩. ભાલ ઉપરની | |||
|next = ૨૫. ભૂલેશ્વરમાં એક રાત | |||
}} |
Latest revision as of 06:43, 15 December 2021
૨૪. બોલીએ ના કંઈ
બોલીએ ના કંઈ,
આપણું હૃદય ખોલીએ ના કંઈ, વૅણને ર્હેવું ચૂપ;
નૅણ ભરીને જોઈ લે, વીરા!
વ્હૅણનાં પાણી ઝીલનારું તે સાગર છે વા કૂપ!
વનવેરાને મારગ વિજન,
સીમ જ્યાં સૂની ગુંજતી કેવળ આપણું ગાયું ગાન;
ગામને આરે હોય બહુ જન,
લખનો મેળો મળીઓ રે ત્યાં કોણને કોની તાન?
માનમાં જવું એકલ, વીરા!
તારલિયો અંધાર કે ઓઢી રણનો દારુણ ધૂપ!
આપણી વ્યથા,
અવરને મન રસની કથા, ઇતર ના કંઈ તથા.
જીરવી એને જાણીએ વીરા!
પ્રાણમાં જલન હોય ને તોયે ધારીએ શીતલ રૂપ!
(સંકલિત કવિતા, પૃ. ૨૧૪)