કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૧૬. અધૂરપ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૬. અધૂરપ|}} <poem> નભનિલવટે લાખો આંખો સ્ફુલિંગ સમી તગે, તિમિર...")
 
No edit summary
 
Line 11: Line 11:
પવન ખિડકી ખોલી નાખે, ઘડી પછી વાસતો,
પવન ખિડકી ખોલી નાખે, ઘડી પછી વાસતો,
તુજ સ્મરણ રે એવાં, જંપે ન આવનજાવને.
તુજ સ્મરણ રે એવાં, જંપે ન આવનજાવને.
વિરહ ન ગમે કે સાન્નિધ્યે અરે ન ગમે, અને
વિરહ ન ગમે કે સાન્નિધ્યે અરે ન ગમે, અને
કટુ નિમિષની બાળે પેલી પરસ્પર વેદના.
કટુ નિમિષની બાળે પેલી પરસ્પર વેદના.
Line 17: Line 18:
ઉભય ધખીએ હૈયે હૈયે ચિરંતન લેટવા,
ઉભય ધખીએ હૈયે હૈયે ચિરંતન લેટવા,
પણ અણખ કો’ જાગે પાછી અને જનમે ઘૃણા.
પણ અણખ કો’ જાગે પાછી અને જનમે ઘૃણા.
મુજ પ્રણયને ઊંડે ઊંડે હશે છલના જ શું?
મુજ પ્રણયને ઊંડે ઊંડે હશે છલના જ શું?
સ્વજન! નહિ તો આવું શાને? હશે ઋતવંચના?
સ્વજન! નહિ તો આવું શાને? હશે ઋતવંચના?

Latest revision as of 09:45, 19 July 2022

૧૬. અધૂરપ


નભનિલવટે લાખો આંખો સ્ફુલિંગ સમી તગે,
તિમિર છલકે ઘેરાં ઘેરાં ઉરે મધરાતને;
મુજ કુટિરનાં દ્વારો જૂનાં, અને અધઊઘડી
વિકલ દિલની આશા જેવી અવાવરુ બારીઓ.
પવન ખિડકી ખોલી નાખે, ઘડી પછી વાસતો,
તુજ સ્મરણ રે એવાં, જંપે ન આવનજાવને.

વિરહ ન ગમે કે સાન્નિધ્યે અરે ન ગમે, અને
કટુ નિમિષની બાળે પેલી પરસ્પર વેદના.
કલહજનમ્યાં આંસુ તારાં ચહું સહુ પી જવા,
મુજ હૃદયની ખારાશે એ ભલે ભળી ઊછળે.
ઉભય ધખીએ હૈયે હૈયે ચિરંતન લેટવા,
પણ અણખ કો’ જાગે પાછી અને જનમે ઘૃણા.

મુજ પ્રણયને ઊંડે ઊંડે હશે છલના જ શું?
સ્વજન! નહિ તો આવું શાને? હશે ઋતવંચના?
(દીપ્તિ, ૧૯૫૬, પૃ. ૨૧)