કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૧૩. પરાયું કૈં લાગે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૩. પરાયું કૈં લાગે | }} <poem> (શિખરિણી) ચિતાઓના સ્કંધે અસહ ખડક્...")
 
No edit summary
 
Line 26: Line 26:
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૫૬)}}
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૫૬)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૧૨. તડકાની આંગળીએ
|next = ૧૪. મુ. શ્રી બચુભાઈઃ પંચોતેરમે
}}

Latest revision as of 07:51, 15 December 2021


૧૩. પરાયું કૈં લાગે

(શિખરિણી)
ચિતાઓના સ્કંધે અસહ ખડક્યા બોજ, લમણે
ભરી કંકાલોની કણસ, કિલકારીની ડમરી,
હજી આંખે ઊઠે ભડભડ થતા ભૂત-ભડકા.
જરી ચાલ્યો’તો એ વિજન પથ હું પ્હેરી તડકા.

લૂખી સુક્કી લૂનો ફળફળ થતો ફાળ ભરતો
મને ઘેરી લેતો અરવ સુસવાટો સસડતો,
ઘડી શીળું લાગે, જરીક અમથું આંખ મળતાં;
ફરી ખોલું ત્યાં તો કણ કણ નરી આગ ઝરતા.

વળી ચાલું થોડું; પરણ પણ લીલાં નજરનાં
ખરી જાતાં એવાં ખરખર થતાં ને ખખડતાં.
અને રોમે રોમે બળબળ થતો દાહ ઝરતો –
શમા’વાને સારુ અવશ; ઉપચારો હું કરતો!

વળ્યો પાછો જોકે સ્વજન તણી શીળી હૂંફ મહીં,
પરાયું કૈં લાગે – અવ અહીં ઘડી કેટલી રહી?!

મે ૧૯૬૮
(જળમાં લખવાં નામ, પૃ. ૫૬)