કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૧૩. પરાયું કૈં લાગે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૩. પરાયું કૈં લાગે | }} <poem> (શિખરિણી) ચિતાઓના સ્કંધે અસહ ખડક્...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 26: | Line 26: | ||
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૫૬)}} | {{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૫૬)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૨. તડકાની આંગળીએ | |||
|next = ૧૪. મુ. શ્રી બચુભાઈઃ પંચોતેરમે | |||
}} |
Latest revision as of 07:51, 15 December 2021
૧૩. પરાયું કૈં લાગે
(શિખરિણી)
ચિતાઓના સ્કંધે અસહ ખડક્યા બોજ, લમણે
ભરી કંકાલોની કણસ, કિલકારીની ડમરી,
હજી આંખે ઊઠે ભડભડ થતા ભૂત-ભડકા.
જરી ચાલ્યો’તો એ વિજન પથ હું પ્હેરી તડકા.
લૂખી સુક્કી લૂનો ફળફળ થતો ફાળ ભરતો
મને ઘેરી લેતો અરવ સુસવાટો સસડતો,
ઘડી શીળું લાગે, જરીક અમથું આંખ મળતાં;
ફરી ખોલું ત્યાં તો કણ કણ નરી આગ ઝરતા.
વળી ચાલું થોડું; પરણ પણ લીલાં નજરનાં
ખરી જાતાં એવાં ખરખર થતાં ને ખખડતાં.
અને રોમે રોમે બળબળ થતો દાહ ઝરતો –
શમા’વાને સારુ અવશ; ઉપચારો હું કરતો!
વળ્યો પાછો જોકે સ્વજન તણી શીળી હૂંફ મહીં,
પરાયું કૈં લાગે – અવ અહીં ઘડી કેટલી રહી?!
મે ૧૯૬૮
(જળમાં લખવાં નામ, પૃ. ૫૬)