કિન્નરી ૧૯૫૦/કોણ રે ચાલી જાય?

From Ekatra Wiki
Revision as of 23:54, 23 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કોણ રે ચાલી જાય?

એવું કોણ રે ચાલી જાય?
ભર્યું ભર્યું મારું ભીતર ખાલી થાય!
સંધ્યાની સ્મિતસુરખી છાઈ,
નભ ન રહ્યું નીલું;
એ જ રે રંગીન તેજ ગાઈ
રહ્યું વિલયનો લય પીલુ;
અવ હું એકલ અંધાર અંતર ઝીલું!
મુજને મારો જ સંગ, તે સાલી જાય!
હળવું મારું હૈયું થાતાં
પોપચે એનો ભાર;
મનનું મારું માનવી જાતાં
સૂનાં સકલ દ્વાર;
ન્યાળીને મુજ અશ્રુની જલધાર,
નભનું તારકવૃન્દ રે મ્હાલી જાય!
એવું કોણ રે ચાલી જાય?

૧૯૪૭