કિન્નરી ૧૯૫૦/તવ નામ

Revision as of 00:15, 24 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
તવ નામ

નિરંતર અંતરમાં તવ નામ,
જાઉં નહીં અવ સ્વર્ગધામ ને ગાઉં નહીં અવ સામ!
એને તાલ તરંગિત ડોલે સ્વર્ગગંગાનાં પાણી,
એને સ્વર પડઘાતી બોલે વેદઋચાની વાણી;
અવર હવે એકે અક્ષરનું મારે તે નહીં કામ!
દૂર થકી તું દૂર હશે વા પાસ થકીયે પાસે,
પણ એનું બસ રટણ થશે મુજ અંતિમ શ્વાસોચ્છ્વાસે;
એ અમૃત પર મૃત્યુ મ્હોશે, રાધાશું ઘનશ્યામ!

૧૯૪૭