કિન્નરી ૧૯૫૦/વસંતવેણુ

From Ekatra Wiki
Revision as of 00:31, 24 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
વસંતવેણુ

આજ વસંતવેણુ વાઈ રહી,
મારે ઉર ઉદાસી છાઈ રહી!

પલાશપિયુના નવપરિચયમાં,
મલયલહર શી મંજુલ લયમાં
લલિત રાગિણી ગાઈ રહી;
મારે ઉર ઉદાસી છાઈ રહી!

ગુનગુન ધૂનમાં અલિદલ ગુંજે,
કલિકલિ એને કાનનકુંજે
અમ્રિત રસ જ્યાં પાઈ રહી;
મારે ઉર ઉદાસી છાઈ રહી!

૧૯૪૩