કોડિયાં/નર્મદને એક પ્રશ્ન

નર્મદને એક પ્રશ્ન


શૌર્ય, નિડરતા, સચ્ચાઈની
          ગળથૂથી તેં તો પાઈ:
કેમ કરી ગુજરાતે આજે
          પ્રણય-રોદણી મંડાઈ?
          સંહિણમાતા તું સાચી, તો
          પયધારા નવ જિરવાઈ!