કોડિયાં/શ્રીધરાણીની કવિતા — ઉમાશંકર જોશી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 28: Line 28:


<Poem>
<Poem>
સંધ્યાની સોનેરી ભાત
{{Space}}સંધ્યાની સોનેરી ભાત
ઝાંખી થાતાં ઊગે રાત;
{{Space}}ઝાંખી થાતાં ઊગે રાત;
ઉઘડ્યાં એ હૈયાનાં દ્વાર,
{{Space}}ઉઘડ્યાં એ હૈયાનાં દ્વાર,
કવિતા શો થાતો ચમકાર.
{{Space}}કવિતા શો થાતો ચમકાર.
ચળકે શુક્ર.
{{Space}}ચળકે શુક્ર.


રાત્રિનો મોતીશગ થાળ,
 
હીરામોતી ઝાકમઝાળ;
{{Space}}રાત્રિનો મોતીશગ થાળ,
સુરસરિતાની રેતી ઘણી,
{{Space}}હીરામોતી ઝાકમઝાળ;
કોણ બધામાં પારસમણિ?
{{Space}}સુરસરિતાની રેતી ઘણી,
ઝળકે શુક્ર.
{{Space}}કોણ બધામાં પારસમણિ?
ઉષા તણી નથડીનું નંગ,
{{Space}}ઝળકે શુક્ર.
સ્નેહ સરીખડો તેનો રંગ.
{{Space}}ઉષા તણી નથડીનું નંગ,
મલકે શુક્ર. </poem>
{{Space}}સ્નેહ સરીખડો તેનો રંગ.
{{Space}}મલકે શુક્ર. </poem>

Revision as of 08:43, 21 August 2021

શ્રીધરાણીની કવિતા

— ઉમાશંકર જોશી

‘કોડિયાં’ની 1934ની આવૃત્તિનું આ પુનર્મુદ્રણ-માત્ર નથી. 1927થી 1934ની એ કૃતિઓમાંથી જૂજ રદ કરીને બાકીનીને નવા ક્રમમાં અહીં રજૂ કરેલી છે, એટલું જ નહિ, કર્તાના અમેરિકાનિવાસનાં બાર વરસો સમેત કુલ ચૌદ મૌન-વરસો પછીનાં 1948થી 1956 સુધીનાં નવીન કાવ્યોનો પણ આ નવી આવૃત્તિમાં સમાવેશ થયો છે. ઓગણીસસો ત્રીસીના ગાળાના અપૂર્વ ચેતન-સ્પન્દની સાથે ગુજરાતમાં અનેક કવિકંઠ ખીલ્યા, તેમાં સાચી કવિતાનો રણકો જેઓના અવાજમાં વરતાતો હતો તેઓમાંના એક હતા શ્રીધરાણી. સુભગ શબ્દવિન્યાસ, તાજગીભર્યો લયહિલ્લોલ, સુરેખ ચિત્ર ખડાં કરતાં ભાવપ્રતીકો — આદિ દ્વારા શ્રીધરાણીની રચનાઓમાં જે અનાયાસ કલાસૂઝ પ્રગટ થતી તે કદાચ અજોડ હતી. શ્રીધરાણીની નવકવિતાની મોહિની કેવી હતી તે તો એમની રચનાઓ જેમજેમ પહેલી વાર પ્રસિદ્ધ થતી આવતી તેમતેમ તેના આસ્વાદથી આનંદરોમાંચ અનુભવનારાઓને પૂછવું જોઈએ. 1927માં સોળ વરસનો નવયુવક ગાંધીજીને —

         દાહભરી આંખો માતાની
         તેનું તું આંસુ ટપક્યું.
— એ રીતે ઓળખાવે છે.
પછીના વરસમાં પરી અંગે એ તરંગ ઉઠાવે છે:
     પતંગિયું ને ચંબેલી
     એક થયાં ને બની પરી

તો, ‘વલભીપુર’ના તરુણ કવિના દર્શનમાં દર્દમય ગભીરતા ઊતરી છે:

         ધૂળધૂળ ઢગલા ખડકાયા,
          પ્રલયપૂરના વાયુ વાયા;
          ધોમ ધખ્યા ને ખાવા ધાયા,
         તુજ પર વલભીપુર!
         તારાઓએ આંસુ પાયાં,
         પીલુડીએ ઢોળ્યા છાંયા;
         કરુણ સ્વર પંખીએ ગાયા,
         તુજ પર વલભીપુર!

1928નું જ ‘શુક્ર’ આખુંય કેવું સંઘેડાઉતાર છે! —

         સંધ્યાની સોનેરી ભાત
         ઝાંખી થાતાં ઊગે રાત;
         ઉઘડ્યાં એ હૈયાનાં દ્વાર,
         કવિતા શો થાતો ચમકાર.
         ચળકે શુક્ર.


         રાત્રિનો મોતીશગ થાળ,
         હીરામોતી ઝાકમઝાળ;
         સુરસરિતાની રેતી ઘણી,
         કોણ બધામાં પારસમણિ?
         ઝળકે શુક્ર.
         ઉષા તણી નથડીનું નંગ,
         સ્નેહ સરીખડો તેનો રંગ.
         મલકે શુક્ર.