ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ/ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 672: Line 672:
વૈશ્વિક માનવતાએ આજે આપણને સાદ દીધો છે.
વૈશ્વિક માનવતાએ આજે આપણને સાદ દીધો છે.
તેની પોતાની શૈલીમાં આપણા મનનો પ્રતિભાવ તેને આપીએ કારણ કે સાચી ચેતનાનું ચિન્હ જ છે પ્રતિભાવ.</Poem>
તેની પોતાની શૈલીમાં આપણા મનનો પ્રતિભાવ તેને આપીએ કારણ કે સાચી ચેતનાનું ચિન્હ જ છે પ્રતિભાવ.</Poem>
}}
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી:}}
}}
{{Story
|story = <Poem>તેમની જન્મજાત પ્રકૃતિ પ્રમાણે કવિ જીવે છે ભાવિમાં
અને આપણે પણ તેમ જ કરીએ તેમ ઈચ્છે છે.
આપણી નજર સમક્ષ તેમણે
સવારે આનંદનાં ગીત ગાતાં ગાતાં
આકાશમાં ઊડતાં પંખીઓનું સુંદર ચિત્ર મૂક્યું છે.
આ પંખીઓને તેમનું રોજીંદું ચણ મળેલું છે,
તેમની પાંખોને વિશ્રામ મળેલો છે,
તેમની પાંખોમાં આગલી રાતે નવા લોહીનો સંચાર થયેલો છે.
પણ મેં વ્યથિત નજરે જોયાં છે એવાં પંખી
જે શક્તિના અભાવે પાંખ પણ ફફડાવી શકતાં નથી.
ભારતીય આકાશ નીચે વસતાં માનવપંખી
સૂવાનો પ્રયત્ન કરતી વખતે હોય છે
તેનાથી વધારે અશક્ત જાગતી વખતે હોય છે.
કરોડોને માટે હોય છે સદાકાળ જાગરણ
કે પછી સદાકાળ તંદ્રા. …
કરોડોની ભૂખી પ્રજા માંગે છે માત્ર એક કાવ્ય –
પ્રાણપૂરક અન્ન.
અને તે તેમને આપોઆપ મળતું નથી
તેને માટે તેમણે કામ કરવું પડે છે, પરસેવો પાડવો પડે છે.
જો આપણે આપણો વર્તમાન સાચવી શકીશું
તો ઈશ્વર ભાવિની સંભાળ લેશે.</Poem>
}}
{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર}}
}}
{{Story
|story = <Poem>ખલેલ માટે ક્ષમા કરશો,
પણ આ તે રાજકીય વિવાદ છે કે કવિતાની સ્પર્ધા?
ચાલો પાછા અસહકારના વમળમાં!</Poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}}
}}
{{Story
|story = <Poem>અસહકારની ભાવના રાજકીય વિરક્તિ સૂચવે છે.
આપણા વિદ્યાર્થીઓ શાનું બલિદાન આપી રહ્યા છે?
તેઓ જઈ રહ્યા છે અ-શિક્ષણ તરફ,
સંપૂર્ણ શિક્ષણ તરફ નહીં!
એના હાર્દમાં છે સર્વનાશનો હિંસક આનંદ
જેનું શ્રેષ્ઠ સ્વરૂપ છે વિરક્તિ
અને નિમ્નતમ સ્વરૂપ છે ડરામણો વ્યભિચાર,
જેમાં માણસની પ્રકૃતિ જીવનની વાસ્તવિકતાને ભૂલીને અનુભવે છે એક અર્થહીન બરબાદીનો ઉદાસીન આનંદ,
જે આપણે તાજેતરના યુદ્ધમાં જોયો હતો.
એનું નિષ્ક્રિય સ્વરૂપ છે વિરક્તિ અને સક્રિય સ્વરૂપ, હિંસા!
હું વિદ્યાર્થીઓને શાળાઓનો ત્યાગ કરવાની સલાહ નથી આપતો કારણ કે હું શૂન્યતાની અરાજકતાથી લલચાતો નથી,
ભલે તે હંગામી ધોરણે હોય!
એક સાવ નકારાત્મક કાર્યક્રમની તેમને સલાહ આપવાની જવાબદારી લેવાનું જોખમ હું લેવા નથી માંગતો.
આ કાર્યક્રમથી તેમનું જીવન જડમૂળથી જમીનમાંથી ઊખડી જશે, પછી તે જમીન ભલે ગમે તેટલી પથરાળ કે વેરાન હોય!
આ તે કેવી વિધિની વક્રતા છે કે
સાગરની એક તરફ હું
પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના સમન્વયની વાતો કરું છું
અને બીજી તરફ અસહકારનું પ્રતિપાદન થઈ રહ્યું છે!
જેમ હું શરીરને માનવીનું પરમ સત્ય નથી માનતો
તેમ જ મને પશ્ચિમની ભૌતિક સંસ્કૃતિમાં પણ વિશ્વાસ નથી.
પણ તેથી હું શરીરનો નાશ કરવામાં નથી માનતો
કે જીવનની ભૌતિક જરૂરિયતોની અવજ્ઞા કરવામાં
પણ નથી માનતો.
જરૂર છે માનવીની આધ્યાત્મિક અને ભૌતિક પ્રકૃતિની વચ્ચે સમન્વય સાધવાની,
પાયા અને ઇમારત વચ્ચે સમતુલન જાળવવાની.
હું માનું છું પૂર્વ અને પશ્ચિમ વચ્ચે સાચા સમન્વયમાં.</Poem>
}}
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી:}}
}}
{{Story
|story = <Poem>હું પણ મુક્ત વાતાવરણનો કવિ જેટલો જ પ્રખર હિમાયતી છું.
મારું ઘર બંધિયાર હોય કે બારીઓ બંધ હોય
એવું મને પણ નથી ગમતું.
બધા જ દેશોની સંસ્કૃતિના પ્રવાહો
મારા ઘરમાં છૂટથી વહેતા રહે એવું હું ઇચ્છું.
પણ હું કોઈ પણ પ્રવાહમાં ઘસડાઈ જવા નથી માંગતો.
બીજાના ઘરમાં હું ઘુસણખોર, ભિક્ષુક કે ગુલામ થઈને
હરગિઝ નહીં રહું.
ભ્રામક અભિમાન કે બિનજરૂરી સામાજિક ફાયદાને ખાતર
હું મારા દેશવાસીઓ પર
અંગ્રેજી શીખવાનો બિનજરૂરી બોજો લાદવા નથી માંગતો.
કવિને મુખ્યત્વે વિદ્યાર્થીઓની ચિંતા છે.
તેઓ માને છે કે બીજી શાળાઓ ન હોય ત્યાં સુધી
તેમને સરકારી શાળાઓનો ત્યાગ કરવાનું ન કહેવું જોઈએ.
અહીં હું તેમની સાથે સંમત નથી.
હું શિક્ષણની પૂજા કરવામાં ક્યારેય માનતો આવ્યો નથી.
મેં મારા પોતાના અનુભવથી સાબિત કર્યું છે કે
માત્ર શિક્ષણથી નૈતિક ધોરણો જરા પણ સુધરતાં નથી
અને ચરિત્રના ઘડતરમાં શિક્ષણનું કાંઈ પણ પ્રદાન નથી હોતું.
હું દૃઢતાપૂર્વક માનું છું કે
સરકારી શાળાઓએ આપણને
સત્ત્વહીન અને પરાધીન બનાવ્યા છે અને ઈશ્વરથી દૂર કર્યા છે. ત્યાં જવાથી આપણને મળે છે અસંતોષ
અને અસંતોષનો કોઈ ઉપચાર ન હોવાથી
આપણે હતાશ થઈ જઈએ છીએ.
આ શાળાઓનો હેતુ હતો
આપણને કારકુન અને દુભાષિયા બનાવવાનો
અને તે હેતુ બરાબર સિદ્ધ થઈ રહ્યો છે.</Poem>
}}
{{Role
|role_name = {{Color|blue|રવીન્દ્રનાથ:}}
}}
{{Story
|story = <Poem>સ્વદેશી ચળવળને અનુસરતી આ ચળવળનો વ્યાપ વિશાળ છે
અને તેની અસર આખા દેશ પર જણાય છે.
પહેલાં આપણા રાજકીય નેતાઓનું દર્શન
અંગ્રેજી જાણનાર વર્ગ પૂરતું સીમિત હતું
કારણ કે તેઓે દેશનું અર્થઘટન
અંગ્રેજોના ઇતિહાસમાંથી મેળવતા હતા.
આવા સંજોગોમાં મહાત્મા ગાંધી આવ્યા
અને કરોડોની નિરાધાર જનતાની ઝૂંપડાના દ્વારે
તેમના જેવો જ વેશ પહેરીને
અને તેમની ભાષામાં વાતો કરતા ઊભા રહ્યા.
આખરે તેમને કોઈ પુસ્તકિયું અવતરણ નહીં,
પરમ સત્ય લાધ્યું.
તેથી જ તેમને અપાયેલો મહાત્માનો ખિતાબ
એ જ તેમની સાચી ઓળખાણ છે.
બીજા કોણે આટલા બધા ભારતવાસીઓને
પોતાના અંગત માન્યા છે?
સત્યના સ્પર્શથી
આજ સુધી પૂરાઈ રહેલી પ્રાણની શક્તિ મુક્ત થઈ છે.
ભારતના દ્વારે સાચા પ્રેમનું દર્શન થતાં જ એ દ્વાર ખુલી ગયાં;
બધી જ દ્વિધા અને સંકોચ અદૃશ્ય થઈ ગયાં.
સત્યથી સત્યનો દીપક પ્રગટ્યો.
ભારતનું હૃદય મહાત્માએ પ્રેમથી જીતી લીધું છે;
તે માટે આપણે તેમેની સર્વોપરિતા સ્વીકારીએ છીએ.
તેમણે આપણને સત્યની શક્તિનું દર્શન કરાવ્યું છે
અને તે માટે આપણે તેમના સદાકાળ ઋણી રહીશું.
પણ જો સત્યનું દર્શન કર્યા છતાં
તેનામાં આપણી શ્રદ્ધાનો પડઘો ન પડે તો તેનો અર્થ શું?
જેમ આપણું હૃદય પ્રેમના સત્યનો પ્રતિભાવ આપે છે
તેમ જ આપણા મગજમાં પણ
બૌદ્ધિક સત્યનો પ્રતિભાવ મળવો જોઈએ.
સત્યની શક્તિનું આટલું સ્પષ્ટ દર્શન કર્યા પછી
શું આપણે માત્ર સ્વરાજ મળવાની લાલચથી
તેમાં શ્રદ્ધા રાખવાનું છોડી દઈશું?
જાગૃતિ માટે જરૂરી સત્યને સિદ્ધિની ક્ષણોમાં ભૂલી જઈશું?
આજે દેશ ઉપર એક દમનગ્રસ્ત વાતાવરણનો બોજો છવાયેલો છે.
જાણે કોઈ બાહ્ય જબરદસ્તી
સૌની સાથે એક જ સૂરમાં વાત કરી રહી છે
અને એક જ યંત્ર પર કામ કરવા કહી રહી છે.
મારે જ્યારે ચર્ચા કરવી હતી, પ્રશ્નો પૂછવા હતા,
ત્યારે મારા હિતેચ્છુઓએ હોઠ પર હાથ મૂકીને કહ્યું, હમણાં નહીં!
આજે દેશના વાતાવરણમાં એક જુલમનો, સિતમનો માહોલ છે.
આ જુલમ કે સિતમ કોઈ શસ્ત્રસજ્જ શક્તિ નથી ફેલાવતી
પણ તેનાથી પણ વધુ ખતરનાક કોઈ અદૃશ્ય શક્તિ ફેલાવે છે.
મેં જોયું કે વર્તમાન પ્રવૃત્તિને જે શંકાની નજરે જોતાં હતાં
તેઓ જો તેમની શંકા અંગે
ગમે તેટલી સાવધાનીપૂર્વક કે ધીરેથી પણ વાત કરતાં
તો અંદરથી જ કોઈ તેમને ચેતવતું અને સખત જકડી રાખતું.
એક વર્તમાનપત્રે
એક દિવસ વસ્ત્રદહનની ટીકા કરવાની ધૃષ્ટતા કરી.
બીજા જ દિવસે તંત્રી વાચકોના ઉશ્કેરાટથી સમતુલન ગુમાવી બેઠો.
જે આગમાં કાપડ બળે છે
તે જ આગથી વર્તમાનપત્ર પણ રાખ જ થઈ જાયને?
હું જોઈ રહ્યો છું કે એક બાજુ લોકો અત્યંત વ્યસ્ત છે
તો બીજી બાજુ અત્યંત ભયભીત છે.
ચારે તરફથી હું સાંભળી રહ્યો છું કે
તર્ક તેમ જ સંસ્કૃતિને તિલાંજલિ આપો.
સવાલો પૂછ્યા વિના માત્ર આજ્ઞાપાલન જ આવશ્યક છે.
પણ કોની આજ્ઞાનું પાલન?
કોઈ મંત્રની કે પછી કોઈ વિવેકહીન સિદ્ધાંતની?</Poem>
}}
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી:}}
}}
{{Story
|story = <Poem>એક ઉત્તમ અને ઉમદા લેખમાં શાંતિનિકેતનના કવિએ
હાલની ચળવળનો હુબહુ ચીતાર શબ્દચિત્રો દ્વારા રજૂ કર્યો છે
જે તેમના સિવાય બીજું કોઈ કરી શકે તેમ નથી.
એક ક્ષણિક દીવાનગીના આંધળા સ્વીકારને
અધિકાર કે પછી ગુલામીનું માનસ કે
બીજું જે કોઈ નામ આપી શકાય,
તેની સામેનો વાગ્છટાથી સભર વિરોધ તેમાં પ્રસ્તુત છે.
કવિ કહે છે કે જે હૃદય કે મગજને સ્વીકાર્ય ન હોય
તેનો ત્વરિત અસ્વીકાર કરવામાં જ શાણપણ છે. …
આની સાથે સૌએ સંમત થવું જ જોઈએ તેમ જ
સત્ય અને તર્કનો પક્ષ લેવા માટે
બધા જ દેશવાસીઓએ તેમનો આભાર માનવો જોઈએ.
જો દેશવાસીઓ વિચાર્યા વગર, અંધશ્રદ્ધાથી
મને અનુસરે છે એમ મને લાગતું હોત
તો મને અત્યંત દિલગીરી થાત.
સિતમગારના ચાબખાને વશ થવા કરતાં
પ્રેમની આંધળી તાબેદારીમાં રહેલા જોખમોથી
હું સુમાહિતગાર છું.
પાશવી શક્તિના ગુલામને મુક્તિની આશા હોઈ શકે,
પ્રેમના ગુલામને નહીં!
પ્રેમ જો બળજબરીથી આજ્ઞાપાલન કરાવે
તો તે પણ સિતમગાર થઈ જાય છે.
દંભ, જડતા, નિષ્ક્રિયતા, અસહિષ્ણુતા, અજ્ઞાન
કે તેમના જેવા દુશ્મનો સામે આપણને ચેતવીને
કવિએ એક સંત્રીની ફરજ અદા કરી છે.
આંધળા આજ્ઞાપાલનના દૂષણોથી
ચેતતા રહેવાની કવિની સલાહ સાથે હું સંમત છું
પણ એનો અર્થ એમ નથી કે
હું માનું છું કે આજે દેશમાં આંધળું આજ્ઞાપાલન ફેલાયેલું છે.
મેં વારંવાર વિચાર કર્યો છે
અને જો આજે દેશમાં ચરખાનો સ્વીકાર
સમૃદ્ધિની સીડીના પહેલાં પગથિયાં તરીકે થયો હોય
તો તે ગંભીર ચર્ચા અને ઘણા વિવાદ પછી થયો છે. …
સપાટી પરની ધૂળને
નીચે રહેલો પદાર્થ માનવાની ભૂલ કવિએ ન કરવી જોઈએ. …
હું ઇચ્છું છું કે કવિ અને સંત
કાંતણને એક ધાર્મિક વિધિ તરીકે સ્વીકારીને કાંતે.
યુદ્ધના સમયે કવિએ તેની વીણા,
વકીલે તેના કાયદાના કાગળો, વિદ્યાર્થીએ તેનાં પુસ્તકો
બાજુ પર મૂકી દેવા જોઈએ.
યુદ્ધની સમાપ્તિ પછી કવિ સાચા સૂરમાં ગાઈ શકશે,
જ્યારે લોકોને એકબીજાની સાથે લડવાની તક મળશે
ત્યારે વકીલ તેના કાયદાના કાગળો જોઈ શકશે.</Poem>
}}
{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર}}
}}
{{Story
|story =




{{Playend}}
{{Playend}}

Revision as of 15:17, 28 January 2022


ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ
(રંગમંચ પર સંપૂર્ણ અંધકાર)
સૂત્રધાર

જાન્યુઆરી ત્રીસ, ઓગણીસસો અડતાલીસ.
ઢળતી સાંજે જીવલેણ અંતરેથી છૂટેલી ત્રણ ગોળી.

(ત્રણ ગોળીબારના અવાજ-મધ્યમાં સૂત્રધાર પર પ્રકાશ)</Poem>
સૂત્રધાર

દિલ્હીના બિરલા હાઉસના બાગમાં
ગોળી ઝીલનારના અંતિમ શબ્દો હતા હે રામ.
જેણે અંગ્રેજોની હકૂમતમાંથી ભારતને મુક્તિ અપાવવા માટે જીવન સમર્પણ કર્યું હતું
તે ભારતમાતાના સપૂતનો અંત આવો હતો.

બીજા ભારતમાતાના સપૂત
જેણે જગતના બૌદ્ધિક વર્તુળમાં
ભારતનું ગૌરવ પ્રસ્થાપિત કર્યું હતું
તેણે તેની ચેતનાની અંતિમ ક્ષણોમાં આ શબ્દો લખાવ્યા હતા

તારી સૃષ્ટિના પથ પર
તેં વિચિત્ર, છેતરામણી જાળ બિછાવી છે,
હે છલનામયી.
જે અનાયાસે છલના સહી લે છે,
તેને તારા જ હાથે મળે છે
અક્ષય શાંતિનો અધિકાર.

પોતાની અંતિમ ક્ષણોમાં એક યાદ કરે છે ઈશ્વરને
તો બીજો પોતાના ઈશ્વરને છલનામયી કહીને પણ
તેના પુરસ્કાર તરીકે અક્ષય શાંતિ ઉપર પોતાનો અધિકાર છે તેમ માને છે.

મિત્રો, આજે મારે તમારી સાથે વાત કરવી છે
ભારતમાતાના આ બે સન્માનીય સંતાનોની –
એક સંત અને બીજો કવિ,
એક ભારતની પશ્ચિમે આવેલા ગુજરાતનો
અને બીજો પૂર્વના બંગાળનો,
એક બીજાને ગુરુદેવ કહેતો અને બીજો પહેલાને મહાત્મા!
પરસ્પર વચ્ચેનો સ્નેહ અને સન્માન
મિત્રોમાં પણ ભાગ્યે જ જોવા મળે
અને તેમની વચ્ચેના મતભેદો
પ્રતિસ્પર્ધીઓ વચ્ચે પણ જવલ્લે જ જોવા મળે!

રવીન્દ્રનાથ ટાગોર ઇતિહાસને
એક વિચક્ષણ વિદ્વાનની દૃષ્ટિથી જોતા હતા.
તેમણે પોતાના જન્મના સમયને
બંગાળના જીવનમાં વહી રહેલા ત્રણ પ્રવાહોના
સંગમના સમય તરીકે બિરદાવ્યો છે.
આ ત્રણ પ્રવાહો
સાહિત્ય, ધર્મ અને રાજકારણના ક્ષેત્રમાં વહી રહ્યા હતા.
આ ત્રણે ક્ષેત્રોમાં
અંગ્રેજોને લીધે પાશ્ચાત્ય અસરનો અગત્યનો ફાળો હતો.
ટાગોર પરિવાર ભારતીય સંસ્કૃતિ અને વિચારધારામાં
તરબોળ હોવા છતાં
અજુગતી રૂઢિનું તર્કસંગત આધુનિક પાશ્ચાત્ય વિચારોથી મૂલ્યાંકન કરી શકે તેટલો સંસ્કાર સંપન્ન હતો.
આ ત્રણેય પ્રવાહોની અસર સમગ્ર સમાજ પર હોવા છતાં રવીન્દ્રનાથ કદાચ એકમાત્ર વ્યક્તિ હશે
જેમની આગવી અને ન ભૂંસાય તેવી છાપ
આ ત્રણેય ક્ષેત્રોમાં આજે પણ જોઈ શકાય છે.
આ છે રવીન્દ્રનાથની મહત્તા.

આ જ સમયના ગાંધીજીના ગુજરાતમાં જુદી જ પરિસ્થિતિ હતી.
અનેક રજવાડાના રાજ્યમાં સમાજ વાણિજ્યપ્રધાન હતો.
સામાજિક સુધારાના ક્ષેત્ર સિવાય પશ્ચિમના વિચારોએ
ગુજરાતમાં પગપેસારો કરવાનો હજી બાકી હતો.
ગાંધીજી એક રજવાડાના દીવાનના પરિવારમાં જન્મ્યા હતા.
તેમના બાળપણ અને કિશોરકાળમાં કાંઈ નોંધનીય ન હતું.
સાચું અને ખોટું, સદાચાર અને દુરાચાર, પાપ અને પુણ્યના રૂઢિગત ખ્યાલોથી તેમનાં નૈતિક મૂલ્યો ઘડાયાં હતાં.
તેમની મર્મગ્રાહી પ્રકૃતિને કારણે
તે આજીવન તેને વળગી રહ્યા હતા.
કાયદાના અભ્યાસ માટે રવીન્દ્રનાથની જેમ જ
તે પણ વિલાયત ગયા હતા
પણ તેઓ બૅરીસ્ટરની ઉપાધિ મેળવીને પાછા ફર્યા હતા.
સ્વદેશમાં ઉજળી તકનો અભાવ લાગવાથી
તેઓ દક્ષિણ આફ્રિકા ગયા હતા.
ત્યાંના વસવાટ દરમિયાન તેમને મળ્યું જીવનનું ધ્યેય
જેની સાધનામાં તેમણે સમગ્ર જીવન સમર્પિત કરી દીધું.
ત્યાંના દમનગ્રસ્ત અને શરમજનક વાતાવરણમાં
તેમના વ્યક્તિત્વમાં સૂષુપ્ત ખાસિયતો ખીલી ઊઠી.
સ્વરાજ-રાજકીય સ્વાતંત્ર્યને પોતાના જીવનનું ધ્યેય માન્યું.
પોતે માનેલા નૈતિક મૂલ્યોના આધારે મૂલ્યાંકન કર્યા પછી
તેમની સમગ્ર પ્રવૃત્તિનો પ્રવાહ આ જ દિશામાં વહેતો.
નૈતિકતા અને રાષ્ટ્રનું ઉત્થાન –
આ બંને તેમની બધી જ પ્રવૃત્તિના આધારસ્તંભ હતા.

કવિ રવીન્દ્રનાથનું વ્યક્તિત્વ
તેમના શૈશવના વાતાવરણમાં કેળવાયું અને પોષાયું
જ્યારે ગાંધીજીનું વ્યક્તિત્વ
પ્રતિકુળ અને દમનગ્રસ્ત સંજોગોમાંથી ઉપસ્યું.
આ એક નોંધનીય રસપ્રદ હકીકત છે.

પોતાનું અડધું આયુષ્ય વીતી ગયા પછી
તેઓ એકબીજાને મળ્યા હતા.
પ્રથમ મુલાકાતના સમયે બંને
આખાય જગતમાં સુવિખ્યાત હતા.

તેમના જીવનકાળ દરમિયાન
ભારતને પહેલીવાર પોતાનું આગવું વ્યક્તિત્વ પ્રાપ્ત થયું હતું.ભારતની કચડાયેલી સમષ્ટિ
સદીઓની મૃત:પ્રાય અવસ્થામાંથી જાગૃત થઈ હતી.
આ પ્રાણપૂરક જાગૃતિના સંચારક ગાંધીજી હતા
એ વાત નિર્વિવાદ છે.
પણ રવીન્દ્રનાથ તેમના મહાન સંત્રી હતા
એ હકીકત ખુદ ગાંધીજીએ જ નોંધેલી છે.
પ્રસંગોપાત રવીન્દ્રનાથે ગાંધીજીના વિચારો અને સિદ્ધાંતોનો સ્પષ્ટ અને સખત વિરોધ કરેલો છે એ પણ નોંધવું ઘટે.

તેમની વચ્ચેની ચર્ચા
વ્યક્તિ અને સમષ્ટિ, સાધક અને સિદ્ધ વચ્ચેની ચર્ચા હતી.
એક માનતા હતા કે કલ્યાણનું માધ્યમ વ્યક્તિ છે
તો બીજા માનતા કે સમષ્ટિ છે!
આ વાત છે સમયના પ્રવાહમાં ખોવાઈ ગયેલા
ઇતિહાસના આ અદ્ભુત પ્રકરણની.

ચાલો એમને જ પૂછીએ કે પ્રથમ મુલાકાતનું એમને સ્મરણ છે.
ગાંધીજી, આપને યાદ છે કે
આપ રવીન્દ્રનાથને પહેલી વાર ક્યારે અને ક્યાં મળ્યા હતા?

ગાંધીજી:

મને ચોક્કસ યાદ નથી આવતું પણ ૧૯૦૧માં હોઈ શકે.
તે સમયે હું દક્ષિણ આફ્રિકાથી
કૉંગ્રેસના અધિવેશન માટે કલકત્તા આવ્યો હતો.
ત્યાંના ભારતીય રહેવાસીઓની પરિસ્થિતિ
મારે રજૂ કરવી હતી.
ત્યારે હું ગુરુદેવના પિતા, મહર્ષિ દેવેન્દ્રનાથને મળવા ગયો હતો પણ તેમની તબિયત અસ્વસ્થ હોવાથી
તેમને મળી શક્યો ન હતો.
હવે મને કહેવામાં આવે છે કે તે વખતે
સરલાદેવી ચૌધરાણીએ એક સમૂહગાનનું સંચાલન કર્યું હતું. પણ તેમને પણ હું તે સમયે મળ્યો હોઉં એવું યાદ નથી.

રવીન્દ્રનાથ:
તે સમયે હું કૉંગ્રેસની સ્વાગત સમિતિનો સભ્ય હતો પણ મહાત્માજીને મળ્યાનું મને સ્મરણ નથી.
સૂત્રધાર

૧૯૦૧માં રવીન્દ્રનાથની વય હતી ૪૦ અને ગાંધીજીની ૩૨.
બંને પોતાની પ્રવૃત્તિના ક્ષેત્રની બહાર ખાસ જાણીતા ન હતા.
બંગાળના સાહિત્ય-વર્તુળની બહાર રવીન્દ્રનાથને
અને દક્ષિણ આફ્રિકાના ભારતીય રહેવાસીઓની બહાર ગાંધીજીને ઓળખનારા ઓછા જ હશે.
ડિસેમ્બર ૧૯૧૩માં રવીન્દ્રનાથના બે મિત્રો,
ચાર્લી એન્ડ્રુઝ અને વિલિ પિયરસન
ગાંધીજીને મદદરૂપ થવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા.
તેમની વિદાયના બે દિવસ પહેલાં
કોલકતાના ટાઉન હૉલમાં રવીન્દ્રનાથ અને બીજાઓએ
દક્ષિણ આફ્રિકાના ભારતીય રહેવાસીઓની પરિસ્થિતિનો
વિચાર કરવા માટે એક સભાનું આયોજન કર્યું હતું.
ઍન્ડ્રુઝ બંનેની વિચારશ્રેણીમાં રહેલું સામ્ય તરત જ જોઈ શક્યા.
તેમણે રવીન્દ્રનાથને જાન્યુઆરી ૧૯૧૪માં લખ્યું,

મને શ્રી ગાંધીનો દૃષ્ટિકોણ સમજવા અને સ્વીકારવામાં
કોઈ જ તકલીફ પડી નહીં
કારણ કે તેમનામાં અને તમારામાં ખાસ કોઈ તફાવત નથી.
બંને માનો છો,
સાચા સ્વાતંત્ર્યમાં, આધ્યાત્મિક શક્તિ પર આધાર રાખવામાં, દુન્યવી શક્તિ સામે નિર્ભય અભિગમમાં
અને સમષ્ટિ પ્રતિ સદ્ભાવ અને સહાનુભૂતિમાં.

આને બંને માહાનુભાવોનું સચોટ મૂલ્યાંકન કહી શકાય.

૧૯૧૪માં જ્યારે ગાંધીજીએ પોતાનો ફીનીક્સ આશ્રમ બંધ કરીને ભારત પાછા ફરવાનો નિર્ણય કર્યો
ત્યારે ચાર્લી ઍન્ડ્રુઝે સૂચન કર્યું કે
ભારતમાં કાયમી વ્યવસ્થા થાય ત્યાં સુધી
તેમના અંતેવાસીઓએ ગુરુદેવના શાંતિનિકેતનમાં રહેવું.
અને આમ નવેમ્બર ૧૯૧૪માં
ફીનીક્સના છોકરાઓ શાંતિનિકેતન પહોંચ્યા.

રવીન્દ્રનાથ:

મેં ચાર્લી ઍન્ડ્રુઝને લખ્યું,
ફીનીક્સના છોકરાઓમાં શિસ્ત છે જ્યારે હોવા જોઈએ આદર્શો.
તેઓ કેળવાયા છે આજ્ઞાંકિત થવા માટે
જે માણસ માટે ઉચિત નથી.
આજ્ઞાપાલનની મહત્તા તેમાં રહેલી બલિદાનની ભાવનામાં છે.
તે સિવાય આજ્ઞાપાલનમાં હું કોઈ બીજો ગુણ જોતો નથી.
આ છોકરાઓ આકાંક્ષા સેવવાનું ભૂલી જશે એમ મને લાગે છે અને આકાંક્ષા જ સિદ્ધિના મૂળમાં રહેલી છે.

થોડા દિવસ બાદ મેં મહાત્માજીને લખ્યું,

પ્રિય શ્રી ગાંધી,
તમારા છોકરાઓને અમારા છોકરાઓ બનવા દેવા માટે
તમારો આભાર માનવા હું આ પત્ર લખી રહ્યો છું.
આપણા બંનેના જીવનની સાધનાની તેઓ જીવંત કડી બનશે.
નિષ્ઠાપૂર્વક તમારો,

સૂત્રધાર:

સાચે જ આ જીવંત કડીથી
એક વિરલ અને આજીવન સંબંધનો પાયો નંખાયો.
બંને જણ પહેલી વાર માર્ચ ૧૯૧૫માં શાંતિનિકેતનમાં મળ્યા.
આ મુલાકાતના સંભારણા તરીકે આજે પણ માર્ચની ૧૦મી શાંતિનિકેતનમાં ગાંધી પુણ્ય દિવસ તરીકે ઉજવાય છે
અને તે દિવસે ગાંધીજીએ શરૂ કરેલો સ્વાશ્રયનો પ્રયોગ
આજે પણ યાદ કરવામાં આવે છે.
તે દિવસે રોપાયેલાં મૈત્રીનાં બીજ
અનેક મતભેદ અને વાદવિવાદના ઝંઝાવાત પાર કરીને
એક આદર અને સન્માનના ગઠબંધન સ્વરૂપે વિકસ્યાં.
આવી મૈત્રી સહકાર્યકર કે સહચર વચ્ચે જ સંભવિત છે.

બંને ભારતવર્ષ અને તેની સંસ્કૃતિને સન્માનની નજરે જોતા.
બંને ભારતમાં થતી અંગ્રેજ વર્તણૂંકથી વ્યથિત હતા.
બંનેને જોઈતું હતું સ્વરાજ.
પણ બંનેના માર્ગ જુદા જ હતા.
એકને માટે સ્વરાજ-રાજકીય સ્વાતંત્ર્ય ધ્યેય હતું, સાધ્ય હતું.
બીજાને માટે તે આત્મશક્તિ જાગૃત કરવાનું સાધન હતું.
વ્યાધિ અંગે એકમત અને ઔષધિ અંગે મતાંતર –
આ સંબંધની આ લાક્ષણિકતા હતી.

૧૯૧૮માં ગાંધીજીની ઇચ્છા હતી કે
હિન્દીનો રાષ્ટ્રભાષા તરીકે સ્વીકાર થાય.

ગાંધીજી:

પ્રિય ગુરુદેવ,
આંતરપ્રાન્તીય વહેવાર માટે તેમ જ રાષ્ટ્રીય કાર્યવાહી માટે
માત્ર હિન્દી જ રાષ્ટ્રભાષા થઈ શકે તેમ તમે નથી માનતા? કૉંગ્રેસના આવતા અધિવેશનમાં
મુખ્યત્વે હિન્દીનો જ ઉપયોગ થવો ન જોઈએ?
મને લાગે છે કે
જો આપણે બહુજન સમાજના સંસર્ગમાં આવવું હોય
અને રાષ્ટ્રસેવકો જો સમગ્ર ભારતમાં
બહુજન સમાજનો સંપર્ક સાધવા માંગતા હોય
તો આ પ્રશ્નને આપણે અગ્રસ્થાન આપવું જોઈએ.
નિષ્ઠાપૂર્વક તમારો,

રવીન્દ્રનાથ:

પ્રિય શ્રી ગાંધી,
ભારતમાં આંતરપ્રાન્તીય વહેવાર માટે
માત્ર હિન્દી જ રાષ્ટ્રભાષા હોઈ શકે એ વાત નિર્વિવાદ છે.
પણ મને લાગે છે કે કૉંગ્રેસમાં એનું આધિપત્ય સ્થાપવા માટે
ઘણો સમય જોઈશે.
મદ્રાસના લોકો માટે એ સાચે જ વિદેશી ભાષા છે.
મોટા ભાગના રાજકારણીઓને માટે
હિન્દીમાં સંતોષપૂર્ણ અભિવ્યક્તિ સંભવિત નથી.
જ્યાં સુધી રાજકારણીઓની એક નવી પેઢી તૈયાર ન થાય
જે આ સમસ્યા પ્રત્યે સજાગ હોય
અને સતત મહાવરાથી એનોે ઉપયોગ સર્વગ્રાહી બનાવે
ત્યાં સુધી રાષ્ટ્રીય કાર્યવાહીમાં હિન્દીનો ઉપયોગ
મરજિયાત રાખવો પડશે.
અત્યંત નિષ્ઠાપૂર્વક તમારો,

સૂત્રધાર:

આ હતો તેમની વચ્ચેના વાદવિવાદનો દોર.
૧૯૧૯ સુધીમાં ગાંધીજીએ
આખા દેશને અહિંસાની અગત્યતા અને અસર સમજાવી દીધી હતી.
રૉલેટ બિલના વિરોધમાં
તેઓ રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ઉપાડવાની તૈયારીમાં હતા.

ગાંધીજી:

મને બરાબર યાદ છે એ દિવસો.
એપ્રિલની છઠ્ઠી તારીખે હડતાળનું એલાન હતું.
પાંચમીએ મેં ગુરુદેવને લખ્યું,

મને તમારા તરફથી એક સંદેશાની અપેક્ષા છે –
જેઓ આ અગ્નિપરીક્ષામાંથી પસાર થવાના છે
તેમને માટે એક આશા અને પ્રેરણા સભર સંદેશો.
તમે જાણો છો તેમ મારે પ્રચંડ તાકાતનો સામનો કરવાનો છે.
મને તેનો ડર નથી કારણ કે
મારી દૃઢ માન્યતા છે કે તેઓ અસત્યનો સહારો લઈ રહ્યા છે અને જો આપણને સત્યમાં પૂરતી શ્રદ્ધા હોય
તો તેનાથી આપણે તેમને જીતી શકીશું.
દેશના રાજકારણના શુદ્ધિકરણના મારા આ પ્રયાસ અંગે
જ્યાં સુધી મને તમારો ન્યાયપૂર્ણ અભિપ્રાય નહીં મળે
ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. …
મિત્રોના પ્રતિકુળ અભિપ્રાયનું પણ મારે મન મોટું મહત્વ છે કારણ કે તેનાથી હું મારો માર્ગ ન પણ બદલું
તોય તે દીવાદાંડીની ગરજ સારે છે
જેથી હું જીવનના માર્ગમાં આવતા જોખમોથી
સાવધાન રહી શકું.

સૂત્રધાર:

એપ્રિલની ૧૨મી તારીખે
રવીન્દ્રનાથે એક જાહેર પત્રમાં જવાબ આપતાં લખ્યું,

રવીન્દ્રનાથ:

પ્રિય મહાત્માજી,
કોઈ પણ સ્વરૂપમાં તાકાત તર્ક સાથે સુસંગત નથી હોતી.
એ તો આંખે પાટા બાંધીને ગાડી ખેંચતા અશ્વ જેવી હોય છે…
નિષ્ક્રીય પ્રતિકારની શક્તિને નૈતિક ન કહી શકાય,
તેનો ઉપયોગ સત્યને માટે તેમ જ સામે પણ થઈ શકે છે.
જ્યારે સફળતા નજીકમાં જ હોય
ત્યારે બધી જ તાકાતમાં રહેલા જન્મજાત જોખમો વધુ ભયજનક થાય છે કારણ કે ત્યારે તેમાં લાલચ ભળે છે.
હું જાણું છું કે તમે દૂષણો સામે
ભૂષણોની સહાય લેવાનું શીખવો છો.
પણ આવી લડત વીર પુરૂષો માટે હોય છે
તેમાં ક્ષણિક આવેગથી દોરાઈ જતા માણસોનું કામ નથી.
દુષ્ટતાનો જવાબ સ્વાભાવિક રીતે દુષ્ટતામાં જ મળે છે,
અન્યાયનો જવાબ હિંસા અને અપમાનનો વૈમનસ્ય!
કમનસીબે આવી તાકાત છૂટી મૂકાઈ છે
અને ગભરાટ કે ગુસ્સાથી
આપણી સરકારે એના નહોર બતાવવા માંડ્યા છે. …
આ કટોકટીના સમયે તમે એક મહાન નાયક તરીકે
અમારી વચ્ચે ઊભા રહીને
તમારા આદર્શોનું પ્રતિપાદન કરી રહ્યા છો.
તમે જાણો છો કે એ આદર્શો ભારતના છે.
એ આદર્શ, જે છૂપી વેરવૃત્તિની કાયરતા
તેમ જ આતંકથી ગભરાયેલાની મૂક શરણાગતિનો વિરોધ કરે છે.

સૂત્રધાર:

આ સૂચક શબ્દોના ઉચ્ચારણના બીજા જ દિવસે
અમૃતસરના જલિયાનવાલા બાગમાં
જનરલ ડાયરે સરકારની પાશવી તાકાતના નહોરને
છૂટો દોર આપી દીધો.
ચળવળને તાત્કાલિક બંધ રાખવામાં આવી.
વર્ષો પછી તેમની આત્મકથામાં,

ગાંધીજી:

એક સત્યાગ્રહી સમાજના નિયમોને
બુદ્ધિપૂર્વક અને પોતાની ઇચ્છાથી પાળે છે
કારણ કે તે એમ માને છે કે
આમ કરવું તે તેની પવિત્ર ફરજ છે.
કોઈ વ્યક્તિ જ્યારે આ પ્રમાણે
સમાજના નિયમોનું ચીવટાઈથી પાલન કરે છે
ત્યારે જ તે કયા નિયમો સારા અને ન્યાયપૂર્ણ છે
અને કયા નથી તે સમજી શકે છે.
ત્યારે જ તેને અમુક નિયમોનો
ખાસ સંજોગો નીચે સવિનય અનાદર કરવાનો હક મળે છે.
આ મર્યાદા મારા ખ્યાલ બહાર રહી ગઈ તે મારી ભૂલ હતી.
મેં લોકોને સવિનય અનાદરનું એલાન આપ્યું
ત્યારે તેમનેે તેનો હક પ્રાપ્ત થયો ન હતો
અને મારી આ ભૂલનું પરિમાણ
હિમાલય જેવું વિશાળ હતું.

સૂત્રધાર:

રવીન્દ્રનાથે આના સંદર્ભમાં મેની ૩૦મી તારીખે વાઈસરોયને લખ્યું,

રવીન્દ્રનાથ:

મહાશય,
સ્થાનિક તોફાનોને દબાવી દેવા
પંજાબમાં સરકારે લીધેલા અમાનુષી પગલાંથી
અમને ઊંડા આઘાત સાથે ખ્યાલ આવ્યો કે
અંગ્રેજોના ભારતીય નાગરિક તરીકે
અમારી પરિસ્થિતિ કેટલી દયનીય છે.
અમને ખાતરી છે કે
કમનસીબ જનતાને જે શિક્ષા કરવામાં આવી છે
અને તેનો જે રીતે અમલ કરવામાં આવ્યો છે
તેની નિષ્ઠુરતાનો જોટો
સભ્ય અને સંસ્કારી જગતમાં ક્યાંય જોવા નહીં મળે.
એક સત્તા, જેની પાસે
માનવજાતિના વિનાશ માટે
અત્યંત ભયંકર અને કાર્યક્ષમ સંગઠન છે
તેણે એક નિશસ્ત્ર અને નિર્ધન પ્રજાની સાથે કરેલી
આવી વર્તણૂંક જોતાં
અમારે દૃઢતાપૂર્વક જણાવવું જોઈએ કે
આમાં કોઈ રાજકીય ઉપયોગિતા તો નથી જ
કે પછી નૈતિક સમર્થન પણ નથી.
પંજાબમાં વસતા અમારા ભાઈઓને
સહેવા પડેલા અપમાન અને પીડાના હેવાલો
ઠોકી બેસાડેલી સ્તબ્ધતામાંથી
ધીરે ધીરે ભારતના ખૂણે ખૂણે પહોંચતા જાય છે.
અમારી પ્રજાના હૃદયમાં ઉદ્ભવતી
સર્વસામાન્ય પુણ્યપ્રકોપની તીવ્ર વ્યથાની
અમારા શાસકોએ અવગણના કરી છે -
શક્ય છે કે તેઓ જેને બિરદાવવા યોગ્ય ગણતા હોય
તેવા બોધપાઠ પ્રજાને આપવા માટે
પોતાને ધન્યવાદ આપતા હશે.
મોટા ભાગના અંગ્રેજી છાપાંઓએ
આ લાગણીહીનતાને બિરદાવી છે
અને કેટલાક કિસ્સાઓમાં તો
અમારી પીડાની પાશવી મજાક ઊડાવી છે…
હું જાણું છું કે અમારી બધી જ વિનંતી વ્યર્થ છે.
જે સરકાર પોતાની શક્તિ અને લાક્ષણિક પરંપરા પ્રમાણે
ઉદાર થઈ શકે તેમ હોવા છતાં
વૈમનસ્યના આવેગથી મુત્સદ્દીપણાનું ઉદાત્ત દર્શન ઘડી રહી છે
તેની સામે આતંકથી સ્તબ્ધ થઈ ગયેલા
મારા કરોડો દેશવાસીઓના વિરોધને વાચા આપવાનું કામ
મારે કરવું જ રહ્યું.
તેના બધા જ પરિણામોની જવાબદારી સ્વીકારીને પણ
ઓછામાં ઓછું આટલું તો મારે કરવું જ રહ્યું.
આવા શરમજનક સંજોગોમાં સન્માનના ચાંદ શોભતા નથી.
મારી ઇચ્છા છે કે
બધી જ સન્માનીય પદવીઓથી વેગળો થઈને
હું મારા ક્ષુલ્લક ગણાતા દેશવાસીઓની સાથે
ખભા મેળવીને ઊભો રહું
કારણ કે તેમને સાથે થતી વર્તણૂંક અમાનુષી છે.
જેમના સહૃદયી અભિગમને
હું હજી પણ સન્માનની નજરે જોઉં છું,
તેવા આપના પુરોગામીના હાથે આપના રાજાધિરાજના વતી
મને અપાયેલો સરનો ખિતાબ
ઉપરોક્ત કારણસર પાછો લેવા દિલગીરી સાથે વિનંતી કરું છું.
આપનો વફાદાર,

સૂત્રધાર:

૧૯૨૦માં ગાંધીજીએ રવીન્દ્રનાથને અમદાવાદમાં મળી રહેલી
છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદમાં આવવા આમંત્રણ આપ્યું.

ગાંધીજી:

પ્રિય ગુરુદેવ,

અમારા આમંત્રણનો સ્વીકાર કરવા માટે
અમે સૌ આપના આભારી છીએ.
આપને કાર્યક્રમો કે તમાશાનો બોજો ન પડે
તે જોવા અમે સૌ પ્રયત્નશીલ છીએ.
જરૂર લાગે તો તારથી આપ મને જણાવશો કે
આપ ગુજરાત માટે કેટલો સમય ફાળવી શકશો?
આપ બીજા એક કે બે સ્થળે જઈ શકશો?
બીજો સવાલ છે આપના ઉતારા અંગે.
આપ આશ્રમમાં રહેશો?
આપ આશ્રમમાં રહેશો તો મને ખૂબ આનંદ થશે.
જેઓ આપના વિદ્યાર્થી રહી ચૂક્યા છે
તેવા આશ્રમમાં ઘણા છે
અને તેમને આપની ઉપસ્થિતિનો લાભ મળે
તે માટે હું ઉત્સુક છું.
ગુજરાતી છોકરાઓ અને છોકરીઓ
અને તમને યાદ હોય તો પેલો સિંધી છોકરો, ગિરધર, – એ બધાં સિવાય મણીન્દ્ર પણ હજી અહીં જ છે
અને સરલાદેવીનો દીકરો દીપક પણ આશ્રમમાં જ છે.
આશ્રમ અમદાવાદથી ચાર માઈલ દૂર
અને સાબરમતીના ઊંચા કિનારે આવેલો છે.
આપ આશ્રમમાં
કે પછી કોઈ ખાનગી બંગલામાં રહી શકો છો
જે બધી જ સગવડોથી સુસજ્જ હોય.
મારે કહેવાનું ન હોય કે અમારો મુખ્ય વિચાર
આપનું સ્વાસ્થ્ય અને સગવડો સાચવવાનો છે.
આપની ઇચ્છા મુજબ બધી જ સગવડ થઈ જશે.
આપને કોઈ ખાસ સગવડ કે જરૂરિયાત હોય
તો મને મહેરબાની કરી જણાવશો.
નિષ્ઠાપૂર્વક આપનો,

રવીન્દ્રનાથ:

હું ઉતર્યો હતો અંબાલાલ સારાભાઈના બંગલે
પણ આશ્રમમાં ગયો હતો
અને ત્યાં મારું કેવું ભવ્ય સ્વાગત થયું હતું!

ગાંધીજી:

ગુરુદેવ, તમને કલ્પના નથી કે
તમારે માટે બંધાવેલી કમાનો
અને તમને કરેલા તિલક માટે
મારા માનીતા અનુયાયીઓએ કેટલી ધમાલ કરી હતી.
વિનોબા ભાવે અને મગનલાલ,
જે મારો ભત્રીજો અને આશ્રમનો પ્રાણ હતો,
તે બંને ખૂબ અકળાયા હતા.
મારે તેમને સમજાવવા પડેલા કે
મેં તો માત્ર આશ્રમિકોની ઇચ્છાને માન આપ્યું હતું.
મારે કરવાનું હોત તો મેં કમાનો ન ઊભી કરી હોત. ગુરુદેવને સન્માનવાનો હું કોઈ બીજો ઉપાય કરત
જેમાં ઓછી શક્તિ ખરચ થાય.
પણ જે થયું તે માટે હું તટસ્થ છું.
હું માનું છું કે ગુરુદેવને યોગ્ય રીતે સન્માનવાની
આપણી ફરજ હતી
અને હું નથી માનતો કે
વિદ્યાર્થીઓએ આ કામમાં સમય આપીને
કાંઈ ગુમાવ્યું હોય.
આપણે ખ્યાલ રાખવો જોઈએ કે
ગુરુદેવ એક ખાસ વ્યક્તિ છે
જેમનામાં કવિતા, રાષ્ટ્રપ્રેમ અને ભલાઈનો સમન્વય થયો છે.
આ એક વિરલ વ્યક્તિત્વ છે. તે સન્માનીય છે.

રવીન્દ્રનાથ:

મહાત્માજી, તમને પડેલી તકલીફ માટે મને માફ કરજો.
મને પેલી સભા પણ યાદ આવે છે
જ્યાં શ્રોતાઓએ
મારા ભાષણના ગુજરાતી અનુવાદની માંગણી કરી હતી.
ત્યાં હાજર રહેલા ગુજરાતી સાહિત્યના માંધાતાઓએ
પોતાની અશક્તિ દર્શાવી હતી
અને તમે આવીને તરત જ ગુજરાતી અનુવાદ પ્રસ્તુત કર્યો હતો.

સૂત્રધાર

હવે ગાંધીજીના હાથમાં રાજકીય સૂત્રો હતા
અને રવીન્દ્રનાથ પ્રખર મેધાવી પુરૂષ તરીકે
સમગ્ર દેશમાં પ્રસિદ્ધ હતા.
ગાંધીજીએ અંગ્રેજી શાળાઓ અને કૉલેજોનો બહિષ્કાર કરવાનું એલાન આપ્યું હતું
અને સત્યાગ્રહ, ચરખો અને સ્વદેશીને
સ્વરાજની લડતમાં સ્થાન આપ્યું હતું.
રવીન્દ્રનાથે આ બધાંનો
સામયિકોમાં લેખ લખીને કે મિત્રોને પત્રો લખીને
વિરોધ કર્યો હતો.
ગાંધીજી એ જ માધ્યમ દ્વારા
પોતાના અભિગમનો દૃઢતાપૂર્વક બચાવ કરતા હતા.
ચર્ચા નો વિષય હતો રાજકારણ
પણ તેનું માધ્યમ હતું ફિલસૂફીના સ્તરે
અને ભાષા હતી ઉચ્ચ કોટિના સાહિત્યકારને શોભે તેવી!

રવીન્દ્રનાથ:

ભારતમાં બ્રહ્મવિદ્યાનો હેતુ છે મુક્તિ –
જ્યારે બૌદ્ધધર્મમાં છે નિર્વાણ.
એમ કહી શકાય કે બંને જુદા નામથી
એક જ વિભાવનાની વાત કરે છે.
પણ નામથી મનની પરિસ્થિતિનો ખ્યાલ આવે છે
અને તે સત્યના કોઈ ખાસ અંશ પર ભાર મૂકે છે.
મુક્તિ હકારાત્મક છે
જ્યારે નિર્વાણ સત્યનો નકારાત્મક અંશ છે.

ગાંધીજી:

મારા નમ્ર મત પ્રમાણે અસ્વીકાર
એ પણ સ્વીકાર જેટલો જ અર્થપૂર્ણ આદર્શ છે.
અસત્યનો અસ્વીકાર, સત્યના સ્વીકાર જેટલો જ જરૂરી છે. બધા જ ધર્મો શીખવે છે કે
બે પરસ્પર વિરોધી બળોનો પ્રભાવ
આપણા ઉપર પડતો હોય છે
અને માણસનો પ્રયાસ
શ્રેણીબદ્ધ સ્વીકાર અને અસ્વીકાર કરવાનો હોય છે.
દૂષણ સાથેનો અસહકાર ને ભૂષણ સાથે સહકાર,
બંને આપણી ફરજ છે.
હું હિંમતપૂર્વક સૂચન કરું છું કે
કવિએ નિર્વાણને નકારાત્મક જણાવીને
અજાણતાં બૌદ્ધધર્મને અન્યાય કર્યો છે.
હું દૃઢતાપૂર્વક માનું છું કે
મુક્તિમાં નિર્વાણ જેટલી જ નકારાત્મકતા છે.
શરીર સાથેના બંધનમાંથી મુક્તિ કે બંધનનું નિર્વાણ,
બંને આનંદ પ્રતિ દોરી જાય છે.
ઉપનિષદો-બ્રહ્મવિદ્યાનો અંતિમ શબ્દ છે નેતિ. ઉપનિષદોના કર્તા નેતિથી વધુ ઉચિત શબ્દ
બ્રહ્માના વર્ણન માટે શોધી શક્યા ન હતા.
આટલું કહીને હું મારી આ દલીલનો અંત લાવીશ.
જેમને લોર્ડ હાર્ડિંગ એશિયાના કવિ કહે છે,
તે ડૉ. ટાગોર, હવે વિશ્વકવિ કહેવાય છે.
વધુ ખ્યાતિની સાથે તેમની જવાબદારીઓ પણ વધે છે.
દેશની સેવા તરીકે તેમણે કરવું જોઈએ
જગત પ્રત્યેના ભારતના સંદેશાનું અર્થપૂર્ણ ઘટન.
માટે જ ભારતનો સંદેશો ભ્રામક અથવા
નબળો ન હોય તે માટે તે ઉત્સુક છે.
તે કહે છે કે તેમણે હાલની ચળવળ સાથે
સૂર સાધવાના અથાગ પ્રયત્ન કર્યા છે.
પણ અસહકારના કોલાહલમાં
તેમની વીણા માટે યોગ્ય તેમને કાંઈ જ સંભળાતું નથી.
તેઓ એવા તારણ પર પહોંચ્યા છે કે
એમના દર્શનના ભારતને માટે અસહકાર ગૌરવપૂર્ણ નથી કારણ કે તે
નકારાત્મક, નિરાશા અને સંકુચિતતાનો સિદ્ધાંત છે.
હું નમ્રતાપૂર્વક
કવિની શંકાનું નિવારણ કરવાનો પ્રયાસ કરીશ.
તેમની વાક્‌પટુતાથી અંજાયેલા વાચકને
હું કદાચ સમજાવી ન શકું
પણ મારે તેમને અને ભારતને ખાતરી આપવી છે કે અસહકારમાં તેમને ભય છે તેવું કોઈ પણ તત્વ નથી
અને અસહકારને અપનાવવા માટે
તેમણે તેમના દેશ માટે શરમિંદા થવાની
કાંઈ પણ જરૂર નથી. …
અસહકારનો સમય હજુ પાક્યો ન હોય એ સંભવિત છે. તો પછી ભારત અને જગતે તેની પ્રતીક્ષા કરવી જ રહી.
ભારત માટે હિંસા કે અસહકાર સિવાય
ત્રીજો કોઈ પર્યાય જ નથી.
દૂષણ સાથે ઇચ્છા કે બુદ્ધિ વિના સામેલ થવા સામે વિરોધ કરવો એ જ અસહકાર.
આપણો અસહકાર અંગ્રેજો કે પશ્ચિમ સામે નથી.
એ તો નબળાનું શોષણ કરતા અને લોભી
ભૌતિક સંસ્કૃતિ પર આધારિત અંગ્રેજ રાજ્યતંત્ર સામે છે.

રવીન્દ્રનાથ:

પશ્ચિમના હૃદયને સ્પર્શતા
સમયની ચેતનાના ચિન્હો હું જોઈ રહ્યો છું.
તેનું સાંપ્રત સ્વરૂપ અસ્વીકાર્ય હોઈને પણ
તેમાં સત્ય પ્રત્યે ઊર્ધ્વગતિ કરવાની આકાંક્ષા
દૃષ્ટિગોચર થાય છે.
આ આકાંક્ષાને આપણે વખોડવી ન જોઈએ.
જગતની જાગૃતિના આ પ્રભાતે
જો તેની સર્વસામાન્ય આકાંક્ષાને
આપણા રાષ્ટ્રીય પ્રયાસોમાં પ્રતિભાવ ન મળે
તો તે આપણી ચેતનાનું દારિદ્ર કહેવાશે.
ક્ષણમાત્ર માટે પણ હું એમ કહેવા નથી માંગતો કે
આપણે આપણા સળગતા પ્રશ્નોને અવગણવા જોઈએ.
પણ પંખી જ્યારે સવારે જાગે છે
ત્યારે તેની જાગૃતિ માત્ર અન્નની શોધમાં નથી સમાઈ જતી. તેની પાંખો થાક્યા વિના આકાશના સાદને પ્રતિભાવ આપે છે,
નૂતન પ્રકાશના આનંદથી તેના ગળામાં ગીતો જાગી ઊઠે છે.
વૈશ્વિક માનવતાએ આજે આપણને સાદ દીધો છે.
તેની પોતાની શૈલીમાં આપણા મનનો પ્રતિભાવ તેને આપીએ કારણ કે સાચી ચેતનાનું ચિન્હ જ છે પ્રતિભાવ.

ગાંધીજી:

તેમની જન્મજાત પ્રકૃતિ પ્રમાણે કવિ જીવે છે ભાવિમાં
અને આપણે પણ તેમ જ કરીએ તેમ ઈચ્છે છે.
આપણી નજર સમક્ષ તેમણે
સવારે આનંદનાં ગીત ગાતાં ગાતાં
આકાશમાં ઊડતાં પંખીઓનું સુંદર ચિત્ર મૂક્યું છે.
આ પંખીઓને તેમનું રોજીંદું ચણ મળેલું છે,
તેમની પાંખોને વિશ્રામ મળેલો છે,
તેમની પાંખોમાં આગલી રાતે નવા લોહીનો સંચાર થયેલો છે.
પણ મેં વ્યથિત નજરે જોયાં છે એવાં પંખી
જે શક્તિના અભાવે પાંખ પણ ફફડાવી શકતાં નથી.
ભારતીય આકાશ નીચે વસતાં માનવપંખી
સૂવાનો પ્રયત્ન કરતી વખતે હોય છે
તેનાથી વધારે અશક્ત જાગતી વખતે હોય છે.
કરોડોને માટે હોય છે સદાકાળ જાગરણ
કે પછી સદાકાળ તંદ્રા. …
કરોડોની ભૂખી પ્રજા માંગે છે માત્ર એક કાવ્ય –
પ્રાણપૂરક અન્ન.
અને તે તેમને આપોઆપ મળતું નથી
તેને માટે તેમણે કામ કરવું પડે છે, પરસેવો પાડવો પડે છે.
જો આપણે આપણો વર્તમાન સાચવી શકીશું
તો ઈશ્વર ભાવિની સંભાળ લેશે.

સૂત્રધાર

ખલેલ માટે ક્ષમા કરશો,
પણ આ તે રાજકીય વિવાદ છે કે કવિતાની સ્પર્ધા?
ચાલો પાછા અસહકારના વમળમાં!

રવીન્દ્રનાથ:

અસહકારની ભાવના રાજકીય વિરક્તિ સૂચવે છે.
આપણા વિદ્યાર્થીઓ શાનું બલિદાન આપી રહ્યા છે?
તેઓ જઈ રહ્યા છે અ-શિક્ષણ તરફ,
સંપૂર્ણ શિક્ષણ તરફ નહીં!
એના હાર્દમાં છે સર્વનાશનો હિંસક આનંદ
જેનું શ્રેષ્ઠ સ્વરૂપ છે વિરક્તિ
અને નિમ્નતમ સ્વરૂપ છે ડરામણો વ્યભિચાર,
જેમાં માણસની પ્રકૃતિ જીવનની વાસ્તવિકતાને ભૂલીને અનુભવે છે એક અર્થહીન બરબાદીનો ઉદાસીન આનંદ,
જે આપણે તાજેતરના યુદ્ધમાં જોયો હતો.
એનું નિષ્ક્રિય સ્વરૂપ છે વિરક્તિ અને સક્રિય સ્વરૂપ, હિંસા!
હું વિદ્યાર્થીઓને શાળાઓનો ત્યાગ કરવાની સલાહ નથી આપતો કારણ કે હું શૂન્યતાની અરાજકતાથી લલચાતો નથી,
ભલે તે હંગામી ધોરણે હોય!
એક સાવ નકારાત્મક કાર્યક્રમની તેમને સલાહ આપવાની જવાબદારી લેવાનું જોખમ હું લેવા નથી માંગતો.
આ કાર્યક્રમથી તેમનું જીવન જડમૂળથી જમીનમાંથી ઊખડી જશે, પછી તે જમીન ભલે ગમે તેટલી પથરાળ કે વેરાન હોય!
આ તે કેવી વિધિની વક્રતા છે કે
સાગરની એક તરફ હું
પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના સમન્વયની વાતો કરું છું
અને બીજી તરફ અસહકારનું પ્રતિપાદન થઈ રહ્યું છે!
જેમ હું શરીરને માનવીનું પરમ સત્ય નથી માનતો
તેમ જ મને પશ્ચિમની ભૌતિક સંસ્કૃતિમાં પણ વિશ્વાસ નથી.
પણ તેથી હું શરીરનો નાશ કરવામાં નથી માનતો
કે જીવનની ભૌતિક જરૂરિયતોની અવજ્ઞા કરવામાં
પણ નથી માનતો.
જરૂર છે માનવીની આધ્યાત્મિક અને ભૌતિક પ્રકૃતિની વચ્ચે સમન્વય સાધવાની,
પાયા અને ઇમારત વચ્ચે સમતુલન જાળવવાની.
હું માનું છું પૂર્વ અને પશ્ચિમ વચ્ચે સાચા સમન્વયમાં.

ગાંધીજી:

હું પણ મુક્ત વાતાવરણનો કવિ જેટલો જ પ્રખર હિમાયતી છું.
મારું ઘર બંધિયાર હોય કે બારીઓ બંધ હોય
એવું મને પણ નથી ગમતું.
બધા જ દેશોની સંસ્કૃતિના પ્રવાહો
મારા ઘરમાં છૂટથી વહેતા રહે એવું હું ઇચ્છું.
પણ હું કોઈ પણ પ્રવાહમાં ઘસડાઈ જવા નથી માંગતો.
બીજાના ઘરમાં હું ઘુસણખોર, ભિક્ષુક કે ગુલામ થઈને
હરગિઝ નહીં રહું.
ભ્રામક અભિમાન કે બિનજરૂરી સામાજિક ફાયદાને ખાતર
હું મારા દેશવાસીઓ પર
અંગ્રેજી શીખવાનો બિનજરૂરી બોજો લાદવા નથી માંગતો.
કવિને મુખ્યત્વે વિદ્યાર્થીઓની ચિંતા છે.
તેઓ માને છે કે બીજી શાળાઓ ન હોય ત્યાં સુધી
તેમને સરકારી શાળાઓનો ત્યાગ કરવાનું ન કહેવું જોઈએ.
અહીં હું તેમની સાથે સંમત નથી.
હું શિક્ષણની પૂજા કરવામાં ક્યારેય માનતો આવ્યો નથી.
મેં મારા પોતાના અનુભવથી સાબિત કર્યું છે કે
માત્ર શિક્ષણથી નૈતિક ધોરણો જરા પણ સુધરતાં નથી
અને ચરિત્રના ઘડતરમાં શિક્ષણનું કાંઈ પણ પ્રદાન નથી હોતું.
હું દૃઢતાપૂર્વક માનું છું કે
સરકારી શાળાઓએ આપણને
સત્ત્વહીન અને પરાધીન બનાવ્યા છે અને ઈશ્વરથી દૂર કર્યા છે. ત્યાં જવાથી આપણને મળે છે અસંતોષ
અને અસંતોષનો કોઈ ઉપચાર ન હોવાથી
આપણે હતાશ થઈ જઈએ છીએ.
આ શાળાઓનો હેતુ હતો
આપણને કારકુન અને દુભાષિયા બનાવવાનો
અને તે હેતુ બરાબર સિદ્ધ થઈ રહ્યો છે.

રવીન્દ્રનાથ:

સ્વદેશી ચળવળને અનુસરતી આ ચળવળનો વ્યાપ વિશાળ છે
અને તેની અસર આખા દેશ પર જણાય છે.
પહેલાં આપણા રાજકીય નેતાઓનું દર્શન
અંગ્રેજી જાણનાર વર્ગ પૂરતું સીમિત હતું
કારણ કે તેઓે દેશનું અર્થઘટન
અંગ્રેજોના ઇતિહાસમાંથી મેળવતા હતા.
આવા સંજોગોમાં મહાત્મા ગાંધી આવ્યા
અને કરોડોની નિરાધાર જનતાની ઝૂંપડાના દ્વારે
તેમના જેવો જ વેશ પહેરીને
અને તેમની ભાષામાં વાતો કરતા ઊભા રહ્યા.
આખરે તેમને કોઈ પુસ્તકિયું અવતરણ નહીં,
પરમ સત્ય લાધ્યું.
તેથી જ તેમને અપાયેલો મહાત્માનો ખિતાબ
એ જ તેમની સાચી ઓળખાણ છે.
બીજા કોણે આટલા બધા ભારતવાસીઓને
પોતાના અંગત માન્યા છે?
સત્યના સ્પર્શથી
આજ સુધી પૂરાઈ રહેલી પ્રાણની શક્તિ મુક્ત થઈ છે.
ભારતના દ્વારે સાચા પ્રેમનું દર્શન થતાં જ એ દ્વાર ખુલી ગયાં;
બધી જ દ્વિધા અને સંકોચ અદૃશ્ય થઈ ગયાં.
સત્યથી સત્યનો દીપક પ્રગટ્યો.
ભારતનું હૃદય મહાત્માએ પ્રેમથી જીતી લીધું છે;
તે માટે આપણે તેમેની સર્વોપરિતા સ્વીકારીએ છીએ.
તેમણે આપણને સત્યની શક્તિનું દર્શન કરાવ્યું છે
અને તે માટે આપણે તેમના સદાકાળ ઋણી રહીશું.
પણ જો સત્યનું દર્શન કર્યા છતાં
તેનામાં આપણી શ્રદ્ધાનો પડઘો ન પડે તો તેનો અર્થ શું?
જેમ આપણું હૃદય પ્રેમના સત્યનો પ્રતિભાવ આપે છે
તેમ જ આપણા મગજમાં પણ
બૌદ્ધિક સત્યનો પ્રતિભાવ મળવો જોઈએ.
સત્યની શક્તિનું આટલું સ્પષ્ટ દર્શન કર્યા પછી
શું આપણે માત્ર સ્વરાજ મળવાની લાલચથી
તેમાં શ્રદ્ધા રાખવાનું છોડી દઈશું?
જાગૃતિ માટે જરૂરી સત્યને સિદ્ધિની ક્ષણોમાં ભૂલી જઈશું?
આજે દેશ ઉપર એક દમનગ્રસ્ત વાતાવરણનો બોજો છવાયેલો છે.
જાણે કોઈ બાહ્ય જબરદસ્તી
સૌની સાથે એક જ સૂરમાં વાત કરી રહી છે
અને એક જ યંત્ર પર કામ કરવા કહી રહી છે.
મારે જ્યારે ચર્ચા કરવી હતી, પ્રશ્નો પૂછવા હતા,
ત્યારે મારા હિતેચ્છુઓએ હોઠ પર હાથ મૂકીને કહ્યું, હમણાં નહીં!
આજે દેશના વાતાવરણમાં એક જુલમનો, સિતમનો માહોલ છે.
આ જુલમ કે સિતમ કોઈ શસ્ત્રસજ્જ શક્તિ નથી ફેલાવતી
પણ તેનાથી પણ વધુ ખતરનાક કોઈ અદૃશ્ય શક્તિ ફેલાવે છે.
મેં જોયું કે વર્તમાન પ્રવૃત્તિને જે શંકાની નજરે જોતાં હતાં
તેઓ જો તેમની શંકા અંગે
ગમે તેટલી સાવધાનીપૂર્વક કે ધીરેથી પણ વાત કરતાં
તો અંદરથી જ કોઈ તેમને ચેતવતું અને સખત જકડી રાખતું.
એક વર્તમાનપત્રે
એક દિવસ વસ્ત્રદહનની ટીકા કરવાની ધૃષ્ટતા કરી.
બીજા જ દિવસે તંત્રી વાચકોના ઉશ્કેરાટથી સમતુલન ગુમાવી બેઠો.
જે આગમાં કાપડ બળે છે
તે જ આગથી વર્તમાનપત્ર પણ રાખ જ થઈ જાયને?
હું જોઈ રહ્યો છું કે એક બાજુ લોકો અત્યંત વ્યસ્ત છે
તો બીજી બાજુ અત્યંત ભયભીત છે.
ચારે તરફથી હું સાંભળી રહ્યો છું કે
તર્ક તેમ જ સંસ્કૃતિને તિલાંજલિ આપો.
સવાલો પૂછ્યા વિના માત્ર આજ્ઞાપાલન જ આવશ્યક છે.
પણ કોની આજ્ઞાનું પાલન?
કોઈ મંત્રની કે પછી કોઈ વિવેકહીન સિદ્ધાંતની?

ગાંધીજી:

એક ઉત્તમ અને ઉમદા લેખમાં શાંતિનિકેતનના કવિએ
હાલની ચળવળનો હુબહુ ચીતાર શબ્દચિત્રો દ્વારા રજૂ કર્યો છે
જે તેમના સિવાય બીજું કોઈ કરી શકે તેમ નથી.
એક ક્ષણિક દીવાનગીના આંધળા સ્વીકારને
અધિકાર કે પછી ગુલામીનું માનસ કે
બીજું જે કોઈ નામ આપી શકાય,
તેની સામેનો વાગ્છટાથી સભર વિરોધ તેમાં પ્રસ્તુત છે.
કવિ કહે છે કે જે હૃદય કે મગજને સ્વીકાર્ય ન હોય
તેનો ત્વરિત અસ્વીકાર કરવામાં જ શાણપણ છે. …
આની સાથે સૌએ સંમત થવું જ જોઈએ તેમ જ
સત્ય અને તર્કનો પક્ષ લેવા માટે
બધા જ દેશવાસીઓએ તેમનો આભાર માનવો જોઈએ.
જો દેશવાસીઓ વિચાર્યા વગર, અંધશ્રદ્ધાથી
મને અનુસરે છે એમ મને લાગતું હોત
તો મને અત્યંત દિલગીરી થાત.
સિતમગારના ચાબખાને વશ થવા કરતાં
પ્રેમની આંધળી તાબેદારીમાં રહેલા જોખમોથી
હું સુમાહિતગાર છું.
પાશવી શક્તિના ગુલામને મુક્તિની આશા હોઈ શકે,
પ્રેમના ગુલામને નહીં!
પ્રેમ જો બળજબરીથી આજ્ઞાપાલન કરાવે
તો તે પણ સિતમગાર થઈ જાય છે.
દંભ, જડતા, નિષ્ક્રિયતા, અસહિષ્ણુતા, અજ્ઞાન
કે તેમના જેવા દુશ્મનો સામે આપણને ચેતવીને
કવિએ એક સંત્રીની ફરજ અદા કરી છે.
આંધળા આજ્ઞાપાલનના દૂષણોથી
ચેતતા રહેવાની કવિની સલાહ સાથે હું સંમત છું
પણ એનો અર્થ એમ નથી કે
હું માનું છું કે આજે દેશમાં આંધળું આજ્ઞાપાલન ફેલાયેલું છે.
મેં વારંવાર વિચાર કર્યો છે
અને જો આજે દેશમાં ચરખાનો સ્વીકાર
સમૃદ્ધિની સીડીના પહેલાં પગથિયાં તરીકે થયો હોય
તો તે ગંભીર ચર્ચા અને ઘણા વિવાદ પછી થયો છે. …
સપાટી પરની ધૂળને
નીચે રહેલો પદાર્થ માનવાની ભૂલ કવિએ ન કરવી જોઈએ. …
હું ઇચ્છું છું કે કવિ અને સંત
કાંતણને એક ધાર્મિક વિધિ તરીકે સ્વીકારીને કાંતે.
યુદ્ધના સમયે કવિએ તેની વીણા,
વકીલે તેના કાયદાના કાગળો, વિદ્યાર્થીએ તેનાં પુસ્તકો
બાજુ પર મૂકી દેવા જોઈએ.
યુદ્ધની સમાપ્તિ પછી કવિ સાચા સૂરમાં ગાઈ શકશે,
જ્યારે લોકોને એકબીજાની સાથે લડવાની તક મળશે
ત્યારે વકીલ તેના કાયદાના કાગળો જોઈ શકશે.

સૂત્રધાર
{{Story |story =