26,604
edits
(Created page with "{{Play}} {{Role |role_name = ગુરુદેવ }} {{Story |story = You have followed a link to a page that does not exist yet. To create the page, start typing in the box...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(36 intermediate revisions by 3 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ|}} | |||
<Center>(રંગમંચ પર સંપૂર્ણ અંધકાર)</Center> | |||
{{Play}} | {{Play}} | ||
{{Role | {{Role | ||
|role_name = | |role_name = {{Color|Red|સૂત્રધાર}} | ||
}} | |||
{{Story | |||
|story = <Poem>જાન્યુઆરી ત્રીસ, ઓગણીસસો અડતાલીસ. | |||
ઢળતી સાંજે જીવલેણ અંતરેથી છૂટેલી ત્રણ ગોળી.</Poem> | |||
(ત્રણ ગોળીબારના અવાજ-મધ્યમાં સૂત્રધાર પર પ્રકાશ)</Poem> | |||
}} | }} | ||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | {{Story | ||
|story = | |||
|story = <Poem>દિલ્હીના બિરલા હાઉસના બાગમાં | |||
ગોળી ઝીલનારના અંતિમ શબ્દો હતા હે રામ. | |||
જેણે અંગ્રેજોની હકૂમતમાંથી ભારતને મુક્તિ અપાવવા માટે જીવન સમર્પણ કર્યું હતું | |||
તે ભારતમાતાના સપૂતનો અંત આવો હતો. | |||
બીજા ભારતમાતાના સપૂત | |||
જેણે જગતના બૌદ્ધિક વર્તુળમાં | |||
ભારતનું ગૌરવ પ્રસ્થાપિત કર્યું હતું | |||
તેણે તેની ચેતનાની અંતિમ ક્ષણોમાં આ શબ્દો લખાવ્યા હતા | |||
તારી સૃષ્ટિના પથ પર | |||
તેં વિચિત્ર, છેતરામણી જાળ બિછાવી છે, | |||
હે છલનામયી. | |||
જે અનાયાસે છલના સહી લે છે, | |||
તેને તારા જ હાથે મળે છે | |||
અક્ષય શાંતિનો અધિકાર. | |||
પોતાની અંતિમ ક્ષણોમાં એક યાદ કરે છે ઈશ્વરને | |||
તો બીજો પોતાના ઈશ્વરને છલનામયી કહીને પણ | |||
તેના પુરસ્કાર તરીકે અક્ષય શાંતિ ઉપર પોતાનો અધિકાર છે તેમ માને છે. | |||
મિત્રો, આજે મારે તમારી સાથે વાત કરવી છે | |||
ભારતમાતાના આ બે સન્માનીય સંતાનોની – | |||
એક સંત અને બીજો કવિ, | |||
એક ભારતની પશ્ચિમે આવેલા ગુજરાતનો | |||
અને બીજો પૂર્વના બંગાળનો, | |||
એક બીજાને ગુરુદેવ કહેતો અને બીજો પહેલાને મહાત્મા! | |||
પરસ્પર વચ્ચેનો સ્નેહ અને સન્માન | |||
મિત્રોમાં પણ ભાગ્યે જ જોવા મળે | |||
અને તેમની વચ્ચેના મતભેદો | |||
પ્રતિસ્પર્ધીઓ વચ્ચે પણ જવલ્લે જ જોવા મળે! | |||
રવીન્દ્રનાથ ટાગોર ઇતિહાસને | |||
એક વિચક્ષણ વિદ્વાનની દૃષ્ટિથી જોતા હતા. | |||
તેમણે પોતાના જન્મના સમયને | |||
બંગાળના જીવનમાં વહી રહેલા ત્રણ પ્રવાહોના | |||
સંગમના સમય તરીકે બિરદાવ્યો છે. | |||
આ ત્રણ પ્રવાહો | |||
સાહિત્ય, ધર્મ અને રાજકારણના ક્ષેત્રમાં વહી રહ્યા હતા. | |||
આ ત્રણે ક્ષેત્રોમાં | |||
અંગ્રેજોને લીધે પાશ્ચાત્ય અસરનો અગત્યનો ફાળો હતો. | |||
ટાગોર પરિવાર ભારતીય સંસ્કૃતિ અને વિચારધારામાં | |||
તરબોળ હોવા છતાં | |||
અજુગતી રૂઢિનું તર્કસંગત આધુનિક પાશ્ચાત્ય વિચારોથી મૂલ્યાંકન કરી શકે તેટલો સંસ્કાર સંપન્ન હતો. | |||
આ ત્રણેય પ્રવાહોની અસર સમગ્ર સમાજ પર હોવા છતાં રવીન્દ્રનાથ કદાચ એકમાત્ર વ્યક્તિ હશે | |||
જેમની આગવી અને ન ભૂંસાય તેવી છાપ | |||
આ ત્રણેય ક્ષેત્રોમાં આજે પણ જોઈ શકાય છે. | |||
આ છે રવીન્દ્રનાથની મહત્તા. | |||
આ જ સમયના ગાંધીજીના ગુજરાતમાં જુદી જ પરિસ્થિતિ હતી. | |||
અનેક રજવાડાના રાજ્યમાં સમાજ વાણિજ્યપ્રધાન હતો. | |||
સામાજિક સુધારાના ક્ષેત્ર સિવાય પશ્ચિમના વિચારોએ | |||
ગુજરાતમાં પગપેસારો કરવાનો હજી બાકી હતો. | |||
ગાંધીજી એક રજવાડાના દીવાનના પરિવારમાં જન્મ્યા હતા. | |||
તેમના બાળપણ અને કિશોરકાળમાં કાંઈ નોંધનીય ન હતું. | |||
સાચું અને ખોટું, સદાચાર અને દુરાચાર, પાપ અને પુણ્યના રૂઢિગત ખ્યાલોથી તેમનાં નૈતિક મૂલ્યો ઘડાયાં હતાં. | |||
તેમની મર્મગ્રાહી પ્રકૃતિને કારણે | |||
તે આજીવન તેને વળગી રહ્યા હતા. | |||
કાયદાના અભ્યાસ માટે રવીન્દ્રનાથની જેમ જ | |||
તે પણ વિલાયત ગયા હતા | |||
પણ તેઓ બૅરીસ્ટરની ઉપાધિ મેળવીને પાછા ફર્યા હતા. | |||
સ્વદેશમાં ઉજળી તકનો અભાવ લાગવાથી | |||
તેઓ દક્ષિણ આફ્રિકા ગયા હતા. | |||
ત્યાંના વસવાટ દરમિયાન તેમને મળ્યું જીવનનું ધ્યેય | |||
જેની સાધનામાં તેમણે સમગ્ર જીવન સમર્પિત કરી દીધું. | |||
ત્યાંના દમનગ્રસ્ત અને શરમજનક વાતાવરણમાં | |||
તેમના વ્યક્તિત્વમાં સૂષુપ્ત ખાસિયતો ખીલી ઊઠી. | |||
સ્વરાજ-રાજકીય સ્વાતંત્ર્યને પોતાના જીવનનું ધ્યેય માન્યું. | |||
પોતે માનેલા નૈતિક મૂલ્યોના આધારે મૂલ્યાંકન કર્યા પછી | |||
તેમની સમગ્ર પ્રવૃત્તિનો પ્રવાહ આ જ દિશામાં વહેતો. | |||
નૈતિકતા અને રાષ્ટ્રનું ઉત્થાન – | |||
આ બંને તેમની બધી જ પ્રવૃત્તિના આધારસ્તંભ હતા. | |||
કવિ રવીન્દ્રનાથનું વ્યક્તિત્વ | |||
તેમના શૈશવના વાતાવરણમાં કેળવાયું અને પોષાયું | |||
જ્યારે ગાંધીજીનું વ્યક્તિત્વ | |||
પ્રતિકુળ અને દમનગ્રસ્ત સંજોગોમાંથી ઉપસ્યું. | |||
આ એક નોંધનીય રસપ્રદ હકીકત છે. | |||
પોતાનું અડધું આયુષ્ય વીતી ગયા પછી | |||
તેઓ એકબીજાને મળ્યા હતા. | |||
પ્રથમ મુલાકાતના સમયે બંને | |||
આખાય જગતમાં સુવિખ્યાત હતા. | |||
તેમના જીવનકાળ દરમિયાન | |||
ભારતને પહેલીવાર પોતાનું આગવું વ્યક્તિત્વ પ્રાપ્ત થયું હતું.ભારતની કચડાયેલી સમષ્ટિ | |||
સદીઓની મૃત:પ્રાય અવસ્થામાંથી જાગૃત થઈ હતી. | |||
આ પ્રાણપૂરક જાગૃતિના સંચારક ગાંધીજી હતા | |||
એ વાત નિર્વિવાદ છે. | |||
પણ રવીન્દ્રનાથ તેમના મહાન સંત્રી હતા | |||
એ હકીકત ખુદ ગાંધીજીએ જ નોંધેલી છે. | |||
પ્રસંગોપાત રવીન્દ્રનાથે ગાંધીજીના વિચારો અને સિદ્ધાંતોનો સ્પષ્ટ અને સખત વિરોધ કરેલો છે એ પણ નોંધવું ઘટે. | |||
તેમની વચ્ચેની ચર્ચા | |||
વ્યક્તિ અને સમષ્ટિ, સાધક અને સિદ્ધ વચ્ચેની ચર્ચા હતી. | |||
એક માનતા હતા કે કલ્યાણનું માધ્યમ વ્યક્તિ છે | |||
તો બીજા માનતા કે સમષ્ટિ છે! | |||
આ વાત છે સમયના પ્રવાહમાં ખોવાઈ ગયેલા | |||
ઇતિહાસના આ અદ્ભુત પ્રકરણની. | |||
ચાલો એમને જ પૂછીએ કે પ્રથમ મુલાકાતનું એમને સ્મરણ છે. | |||
ગાંધીજી, આપને યાદ છે કે | |||
આપ રવીન્દ્રનાથને પહેલી વાર ક્યારે અને ક્યાં મળ્યા હતા?</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી: }} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>મને ચોક્કસ યાદ નથી આવતું પણ ૧૯૦૧માં હોઈ શકે. | |||
તે સમયે હું દક્ષિણ આફ્રિકાથી | |||
કૉંગ્રેસના અધિવેશન માટે કલકત્તા આવ્યો હતો. | |||
ત્યાંના ભારતીય રહેવાસીઓની પરિસ્થિતિ | |||
મારે રજૂ કરવી હતી. | |||
ત્યારે હું ગુરુદેવના પિતા, મહર્ષિ દેવેન્દ્રનાથને મળવા ગયો હતો પણ તેમની તબિયત અસ્વસ્થ હોવાથી | |||
તેમને મળી શક્યો ન હતો. | |||
હવે મને કહેવામાં આવે છે કે તે વખતે | |||
સરલાદેવી ચૌધરાણીએ એક સમૂહગાનનું સંચાલન કર્યું હતું. પણ તેમને પણ હું તે સમયે મળ્યો હોઉં એવું યાદ નથી.</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story = {{Poem2Open}}તે સમયે હું કૉંગ્રેસની સ્વાગત સમિતિનો સભ્ય હતો | |||
પણ મહાત્માજીને મળ્યાનું મને સ્મરણ નથી.{{Poem2Close}} | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story =<poem>૧૯૦૧માં રવીન્દ્રનાથની વય હતી ૪૦ અને ગાંધીજીની ૩૨. | |||
બંને પોતાની પ્રવૃત્તિના ક્ષેત્રની બહાર ખાસ જાણીતા ન હતા. | |||
બંગાળના સાહિત્ય-વર્તુળની બહાર રવીન્દ્રનાથને | |||
અને દક્ષિણ આફ્રિકાના ભારતીય રહેવાસીઓની બહાર ગાંધીજીને ઓળખનારા ઓછા જ હશે. | |||
ડિસેમ્બર ૧૯૧૩માં રવીન્દ્રનાથના બે મિત્રો, | |||
ચાર્લી એન્ડ્રુઝ અને વિલિ પિયરસન | |||
ગાંધીજીને મદદરૂપ થવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા. | |||
તેમની વિદાયના બે દિવસ પહેલાં | |||
કોલકતાના ટાઉન હૉલમાં રવીન્દ્રનાથ અને બીજાઓએ | |||
દક્ષિણ આફ્રિકાના ભારતીય રહેવાસીઓની પરિસ્થિતિનો | |||
વિચાર કરવા માટે એક સભાનું આયોજન કર્યું હતું. | |||
ઍન્ડ્રુઝ બંનેની વિચારશ્રેણીમાં રહેલું સામ્ય તરત જ જોઈ શક્યા. | |||
તેમણે રવીન્દ્રનાથને જાન્યુઆરી ૧૯૧૪માં લખ્યું, | |||
મને શ્રી ગાંધીનો દૃષ્ટિકોણ સમજવા અને સ્વીકારવામાં | |||
કોઈ જ તકલીફ પડી નહીં | |||
કારણ કે તેમનામાં અને તમારામાં ખાસ કોઈ તફાવત નથી. | |||
બંને માનો છો, | |||
સાચા સ્વાતંત્ર્યમાં, આધ્યાત્મિક શક્તિ પર આધાર રાખવામાં, દુન્યવી શક્તિ સામે નિર્ભય અભિગમમાં | |||
અને સમષ્ટિ પ્રતિ સદ્ભાવ અને સહાનુભૂતિમાં. | |||
આને બંને માહાનુભાવોનું સચોટ મૂલ્યાંકન કહી શકાય. | |||
૧૯૧૪માં જ્યારે ગાંધીજીએ પોતાનો ફીનીક્સ આશ્રમ બંધ કરીને ભારત પાછા ફરવાનો નિર્ણય કર્યો | |||
ત્યારે ચાર્લી ઍન્ડ્રુઝે સૂચન કર્યું કે | |||
ભારતમાં કાયમી વ્યવસ્થા થાય ત્યાં સુધી | |||
તેમના અંતેવાસીઓએ ગુરુદેવના શાંતિનિકેતનમાં રહેવું. | |||
અને આમ નવેમ્બર ૧૯૧૪માં | |||
ફીનીક્સના છોકરાઓ શાંતિનિકેતન પહોંચ્યા.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story =<Poem>મેં ચાર્લી ઍન્ડ્રુઝને લખ્યું, | |||
ફીનીક્સના છોકરાઓમાં શિસ્ત છે જ્યારે હોવા જોઈએ આદર્શો. | |||
તેઓ કેળવાયા છે આજ્ઞાંકિત થવા માટે | |||
જે માણસ માટે ઉચિત નથી. | |||
આજ્ઞાપાલનની મહત્તા તેમાં રહેલી બલિદાનની ભાવનામાં છે. | |||
તે સિવાય આજ્ઞાપાલનમાં હું કોઈ બીજો ગુણ જોતો નથી. | |||
આ છોકરાઓ આકાંક્ષા સેવવાનું ભૂલી જશે એમ મને લાગે છે અને આકાંક્ષા જ સિદ્ધિના મૂળમાં રહેલી છે. | |||
થોડા દિવસ બાદ મેં મહાત્માજીને લખ્યું, | |||
પ્રિય શ્રી ગાંધી, | |||
તમારા છોકરાઓને અમારા છોકરાઓ બનવા દેવા માટે | |||
તમારો આભાર માનવા હું આ પત્ર લખી રહ્યો છું. | |||
આપણા બંનેના જીવનની સાધનાની તેઓ જીવંત કડી બનશે. | |||
નિષ્ઠાપૂર્વક તમારો,</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર:}} | |||
}} | |||
{{Story | |||
|story=<Poem>સાચે જ આ જીવંત કડીથી | |||
એક વિરલ અને આજીવન સંબંધનો પાયો નંખાયો. | |||
બંને જણ પહેલી વાર માર્ચ ૧૯૧૫માં શાંતિનિકેતનમાં મળ્યા. | |||
આ મુલાકાતના સંભારણા તરીકે આજે પણ માર્ચની ૧૦મી શાંતિનિકેતનમાં ગાંધી પુણ્ય દિવસ તરીકે ઉજવાય છે | |||
અને તે દિવસે ગાંધીજીએ શરૂ કરેલો સ્વાશ્રયનો પ્રયોગ | |||
આજે પણ યાદ કરવામાં આવે છે. | |||
તે દિવસે રોપાયેલાં મૈત્રીનાં બીજ | |||
અનેક મતભેદ અને વાદવિવાદના ઝંઝાવાત પાર કરીને | |||
એક આદર અને સન્માનના ગઠબંધન સ્વરૂપે વિકસ્યાં. | |||
આવી મૈત્રી સહકાર્યકર કે સહચર વચ્ચે જ સંભવિત છે. | |||
બંને ભારતવર્ષ અને તેની સંસ્કૃતિને સન્માનની નજરે જોતા. | |||
બંને ભારતમાં થતી અંગ્રેજ વર્તણૂંકથી વ્યથિત હતા. | |||
બંનેને જોઈતું હતું સ્વરાજ. | |||
પણ બંનેના માર્ગ જુદા જ હતા. | |||
એકને માટે સ્વરાજ-રાજકીય સ્વાતંત્ર્ય ધ્યેય હતું, સાધ્ય હતું. | |||
બીજાને માટે તે આત્મશક્તિ જાગૃત કરવાનું સાધન હતું. | |||
વ્યાધિ અંગે એકમત અને ઔષધિ અંગે મતાંતર – | |||
આ સંબંધની આ લાક્ષણિકતા હતી. | |||
૧૯૧૮માં ગાંધીજીની ઇચ્છા હતી કે | |||
હિન્દીનો રાષ્ટ્રભાષા તરીકે સ્વીકાર થાય.</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | }} | ||
{{Story | |||
|story =<Poem>પ્રિય ગુરુદેવ, | |||
આંતરપ્રાન્તીય વહેવાર માટે તેમ જ રાષ્ટ્રીય કાર્યવાહી માટે | |||
માત્ર હિન્દી જ રાષ્ટ્રભાષા થઈ શકે તેમ તમે નથી માનતા? કૉંગ્રેસના આવતા અધિવેશનમાં | |||
મુખ્યત્વે હિન્દીનો જ ઉપયોગ થવો ન જોઈએ? | |||
મને લાગે છે કે | |||
જો આપણે બહુજન સમાજના સંસર્ગમાં આવવું હોય | |||
અને રાષ્ટ્રસેવકો જો સમગ્ર ભારતમાં | |||
બહુજન સમાજનો સંપર્ક સાધવા માંગતા હોય | |||
તો આ પ્રશ્નને આપણે અગ્રસ્થાન આપવું જોઈએ. | |||
નિષ્ઠાપૂર્વક તમારો,</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story =<poem>પ્રિય શ્રી ગાંધી, | |||
ભારતમાં આંતરપ્રાન્તીય વહેવાર માટે | |||
માત્ર હિન્દી જ રાષ્ટ્રભાષા હોઈ શકે એ વાત નિર્વિવાદ છે. | |||
પણ મને લાગે છે કે કૉંગ્રેસમાં એનું આધિપત્ય સ્થાપવા માટે | |||
ઘણો સમય જોઈશે. | |||
મદ્રાસના લોકો માટે એ સાચે જ વિદેશી ભાષા છે. | |||
મોટા ભાગના રાજકારણીઓને માટે | |||
હિન્દીમાં સંતોષપૂર્ણ અભિવ્યક્તિ સંભવિત નથી. | |||
જ્યાં સુધી રાજકારણીઓની એક નવી પેઢી તૈયાર ન થાય | |||
જે આ સમસ્યા પ્રત્યે સજાગ હોય | |||
અને સતત મહાવરાથી એનોે ઉપયોગ સર્વગ્રાહી બનાવે | |||
ત્યાં સુધી રાષ્ટ્રીય કાર્યવાહીમાં હિન્દીનો ઉપયોગ | |||
મરજિયાત રાખવો પડશે. | |||
અત્યંત નિષ્ઠાપૂર્વક તમારો,</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર:}} | |||
}} | |||
{{Story | |||
|story=<poem>આ હતો તેમની વચ્ચેના વાદવિવાદનો દોર. | |||
૧૯૧૯ સુધીમાં ગાંધીજીએ | |||
આખા દેશને અહિંસાની અગત્યતા અને અસર સમજાવી દીધી હતી. | |||
રૉલેટ બિલના વિરોધમાં | |||
તેઓ રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ઉપાડવાની તૈયારીમાં હતા.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story=<Poem>મને બરાબર યાદ છે એ દિવસો. | |||
એપ્રિલની છઠ્ઠી તારીખે હડતાળનું એલાન હતું. | |||
પાંચમીએ મેં ગુરુદેવને લખ્યું, | |||
મને તમારા તરફથી એક સંદેશાની અપેક્ષા છે – | |||
જેઓ આ અગ્નિપરીક્ષામાંથી પસાર થવાના છે | |||
તેમને માટે એક આશા અને પ્રેરણા સભર સંદેશો. | |||
તમે જાણો છો તેમ મારે પ્રચંડ તાકાતનો સામનો કરવાનો છે. | |||
મને તેનો ડર નથી કારણ કે | |||
મારી દૃઢ માન્યતા છે કે તેઓ અસત્યનો સહારો લઈ રહ્યા છે અને જો આપણને સત્યમાં પૂરતી શ્રદ્ધા હોય | |||
તો તેનાથી આપણે તેમને જીતી શકીશું. | |||
દેશના રાજકારણના શુદ્ધિકરણના મારા આ પ્રયાસ અંગે | |||
જ્યાં સુધી મને તમારો ન્યાયપૂર્ણ અભિપ્રાય નહીં મળે | |||
ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. … | |||
મિત્રોના પ્રતિકુળ અભિપ્રાયનું પણ મારે મન મોટું મહત્વ છે કારણ કે તેનાથી હું મારો માર્ગ ન પણ બદલું | |||
તોય તે દીવાદાંડીની ગરજ સારે છે | |||
જેથી હું જીવનના માર્ગમાં આવતા જોખમોથી | |||
સાવધાન રહી શકું.</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર: }} | |||
}} | |||
{{Story | |||
|story=<Poem>એપ્રિલની ૧૨મી તારીખે | |||
રવીન્દ્રનાથે એક જાહેર પત્રમાં જવાબ આપતાં લખ્યું,</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story=<Poem>પ્રિય મહાત્માજી, | |||
કોઈ પણ સ્વરૂપમાં તાકાત તર્ક સાથે સુસંગત નથી હોતી. | |||
એ તો આંખે પાટા બાંધીને ગાડી ખેંચતા અશ્વ જેવી હોય છે… | |||
નિષ્ક્રીય પ્રતિકારની શક્તિને નૈતિક ન કહી શકાય, | |||
તેનો ઉપયોગ સત્યને માટે તેમ જ સામે પણ થઈ શકે છે. | |||
જ્યારે સફળતા નજીકમાં જ હોય | |||
ત્યારે બધી જ તાકાતમાં રહેલા જન્મજાત જોખમો વધુ ભયજનક થાય છે કારણ કે ત્યારે તેમાં લાલચ ભળે છે. | |||
હું જાણું છું કે તમે દૂષણો સામે | |||
ભૂષણોની સહાય લેવાનું શીખવો છો. | |||
પણ આવી લડત વીર પુરૂષો માટે હોય છે | |||
તેમાં ક્ષણિક આવેગથી દોરાઈ જતા માણસોનું કામ નથી. | |||
દુષ્ટતાનો જવાબ સ્વાભાવિક રીતે દુષ્ટતામાં જ મળે છે, | |||
અન્યાયનો જવાબ હિંસા અને અપમાનનો વૈમનસ્ય! | |||
કમનસીબે આવી તાકાત છૂટી મૂકાઈ છે | |||
અને ગભરાટ કે ગુસ્સાથી | |||
આપણી સરકારે એના નહોર બતાવવા માંડ્યા છે. … | |||
આ કટોકટીના સમયે તમે એક મહાન નાયક તરીકે | |||
અમારી વચ્ચે ઊભા રહીને | |||
તમારા આદર્શોનું પ્રતિપાદન કરી રહ્યા છો. | |||
તમે જાણો છો કે એ આદર્શો ભારતના છે. | |||
એ આદર્શ, જે છૂપી વેરવૃત્તિની કાયરતા | |||
તેમ જ આતંકથી ગભરાયેલાની મૂક શરણાગતિનો વિરોધ કરે છે.</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર:}} | |||
}} | |||
{{Story | |||
|story=<Poem>આ સૂચક શબ્દોના ઉચ્ચારણના બીજા જ દિવસે | |||
અમૃતસરના જલિયાનવાલા બાગમાં | |||
જનરલ ડાયરે સરકારની પાશવી તાકાતના નહોરને | |||
છૂટો દોર આપી દીધો. | |||
ચળવળને તાત્કાલિક બંધ રાખવામાં આવી. | |||
વર્ષો પછી તેમની આત્મકથામાં,</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story=<Poem>એક સત્યાગ્રહી સમાજના નિયમોને | |||
બુદ્ધિપૂર્વક અને પોતાની ઇચ્છાથી પાળે છે | |||
કારણ કે તે એમ માને છે કે | |||
આમ કરવું તે તેની પવિત્ર ફરજ છે. | |||
કોઈ વ્યક્તિ જ્યારે આ પ્રમાણે | |||
સમાજના નિયમોનું ચીવટાઈથી પાલન કરે છે | |||
ત્યારે જ તે કયા નિયમો સારા અને ન્યાયપૂર્ણ છે | |||
અને કયા નથી તે સમજી શકે છે. | |||
ત્યારે જ તેને અમુક નિયમોનો | |||
ખાસ સંજોગો નીચે સવિનય અનાદર કરવાનો હક મળે છે. | |||
આ મર્યાદા મારા ખ્યાલ બહાર રહી ગઈ તે મારી ભૂલ હતી. | |||
મેં લોકોને સવિનય અનાદરનું એલાન આપ્યું | |||
ત્યારે તેમનેે તેનો હક પ્રાપ્ત થયો ન હતો | |||
અને મારી આ ભૂલનું પરિમાણ | |||
હિમાલય જેવું વિશાળ હતું.</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર: }} | |||
}} | |||
{{Story | |||
|story=<Poem>રવીન્દ્રનાથે આના સંદર્ભમાં મેની ૩૦મી તારીખે વાઈસરોયને લખ્યું,</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story=<Poem>મહાશય, | |||
સ્થાનિક તોફાનોને દબાવી દેવા | |||
પંજાબમાં સરકારે લીધેલા અમાનુષી પગલાંથી | |||
અમને ઊંડા આઘાત સાથે ખ્યાલ આવ્યો કે | |||
અંગ્રેજોના ભારતીય નાગરિક તરીકે | |||
અમારી પરિસ્થિતિ કેટલી દયનીય છે. | |||
અમને ખાતરી છે કે | |||
કમનસીબ જનતાને જે શિક્ષા કરવામાં આવી છે | |||
અને તેનો જે રીતે અમલ કરવામાં આવ્યો છે | |||
તેની નિષ્ઠુરતાનો જોટો | |||
સભ્ય અને સંસ્કારી જગતમાં ક્યાંય જોવા નહીં મળે. | |||
એક સત્તા, જેની પાસે | |||
માનવજાતિના વિનાશ માટે | |||
અત્યંત ભયંકર અને કાર્યક્ષમ સંગઠન છે | |||
તેણે એક નિશસ્ત્ર અને નિર્ધન પ્રજાની સાથે કરેલી | |||
આવી વર્તણૂંક જોતાં | |||
અમારે દૃઢતાપૂર્વક જણાવવું જોઈએ કે | |||
આમાં કોઈ રાજકીય ઉપયોગિતા તો નથી જ | |||
કે પછી નૈતિક સમર્થન પણ નથી. | |||
પંજાબમાં વસતા અમારા ભાઈઓને | |||
સહેવા પડેલા અપમાન અને પીડાના હેવાલો | |||
ઠોકી બેસાડેલી સ્તબ્ધતામાંથી | |||
ધીરે ધીરે ભારતના ખૂણે ખૂણે પહોંચતા જાય છે. | |||
અમારી પ્રજાના હૃદયમાં ઉદ્ભવતી | |||
સર્વસામાન્ય પુણ્યપ્રકોપની તીવ્ર વ્યથાની | |||
અમારા શાસકોએ અવગણના કરી છે - | |||
શક્ય છે કે તેઓ જેને બિરદાવવા યોગ્ય ગણતા હોય | |||
તેવા બોધપાઠ પ્રજાને આપવા માટે | |||
પોતાને ધન્યવાદ આપતા હશે. | |||
મોટા ભાગના અંગ્રેજી છાપાંઓએ | |||
આ લાગણીહીનતાને બિરદાવી છે | |||
અને કેટલાક કિસ્સાઓમાં તો | |||
અમારી પીડાની પાશવી મજાક ઊડાવી છે… | |||
હું જાણું છું કે અમારી બધી જ વિનંતી વ્યર્થ છે. | |||
જે સરકાર પોતાની શક્તિ અને લાક્ષણિક પરંપરા પ્રમાણે | |||
ઉદાર થઈ શકે તેમ હોવા છતાં | |||
વૈમનસ્યના આવેગથી મુત્સદ્દીપણાનું ઉદાત્ત દર્શન ઘડી રહી છે | |||
તેની સામે આતંકથી સ્તબ્ધ થઈ ગયેલા | |||
મારા કરોડો દેશવાસીઓના વિરોધને વાચા આપવાનું કામ | |||
મારે કરવું જ રહ્યું. | |||
તેના બધા જ પરિણામોની જવાબદારી સ્વીકારીને પણ | |||
ઓછામાં ઓછું આટલું તો મારે કરવું જ રહ્યું. | |||
આવા શરમજનક સંજોગોમાં સન્માનના ચાંદ શોભતા નથી. | |||
મારી ઇચ્છા છે કે | |||
બધી જ સન્માનીય પદવીઓથી વેગળો થઈને | |||
હું મારા ક્ષુલ્લક ગણાતા દેશવાસીઓની સાથે | |||
ખભા મેળવીને ઊભો રહું | |||
કારણ કે તેમને સાથે થતી વર્તણૂંક અમાનુષી છે. | |||
જેમના સહૃદયી અભિગમને | |||
હું હજી પણ સન્માનની નજરે જોઉં છું, | |||
તેવા આપના પુરોગામીના હાથે આપના રાજાધિરાજના વતી | |||
મને અપાયેલો સરનો ખિતાબ | |||
ઉપરોક્ત કારણસર પાછો લેવા દિલગીરી સાથે વિનંતી કરું છું. | |||
આપનો વફાદાર,</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર:}} | |||
}} | |||
{{Story | |||
|story=<Poem>૧૯૨૦માં ગાંધીજીએ રવીન્દ્રનાથને અમદાવાદમાં મળી રહેલી | |||
છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદમાં આવવા આમંત્રણ આપ્યું.</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story=<Poem>પ્રિય ગુરુદેવ, | |||
::: અમારા આમંત્રણનો સ્વીકાર કરવા માટે | |||
અમે સૌ આપના આભારી છીએ. | |||
આપને કાર્યક્રમો કે તમાશાનો બોજો ન પડે | |||
તે જોવા અમે સૌ પ્રયત્નશીલ છીએ. | |||
જરૂર લાગે તો તારથી આપ મને જણાવશો કે | |||
આપ ગુજરાત માટે કેટલો સમય ફાળવી શકશો? | |||
આપ બીજા એક કે બે સ્થળે જઈ શકશો? | |||
બીજો સવાલ છે આપના ઉતારા અંગે. | |||
આપ આશ્રમમાં રહેશો? | |||
આપ આશ્રમમાં રહેશો તો મને ખૂબ આનંદ થશે. | |||
જેઓ આપના વિદ્યાર્થી રહી ચૂક્યા છે | |||
તેવા આશ્રમમાં ઘણા છે | |||
અને તેમને આપની ઉપસ્થિતિનો લાભ મળે | |||
તે માટે હું ઉત્સુક છું. | |||
ગુજરાતી છોકરાઓ અને છોકરીઓ | |||
અને તમને યાદ હોય તો પેલો સિંધી છોકરો, ગિરધર, – એ બધાં સિવાય મણીન્દ્ર પણ હજી અહીં જ છે | |||
અને સરલાદેવીનો દીકરો દીપક પણ આશ્રમમાં જ છે. | |||
આશ્રમ અમદાવાદથી ચાર માઈલ દૂર | |||
અને સાબરમતીના ઊંચા કિનારે આવેલો છે. | |||
આપ આશ્રમમાં | |||
કે પછી કોઈ ખાનગી બંગલામાં રહી શકો છો | |||
જે બધી જ સગવડોથી સુસજ્જ હોય. | |||
મારે કહેવાનું ન હોય કે અમારો મુખ્ય વિચાર | |||
આપનું સ્વાસ્થ્ય અને સગવડો સાચવવાનો છે. | |||
આપની ઇચ્છા મુજબ બધી જ સગવડ થઈ જશે. | |||
આપને કોઈ ખાસ સગવડ કે જરૂરિયાત હોય | |||
તો મને મહેરબાની કરી જણાવશો. | |||
નિષ્ઠાપૂર્વક આપનો,</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>હું ઉતર્યો હતો અંબાલાલ સારાભાઈના બંગલે | |||
પણ આશ્રમમાં ગયો હતો | |||
અને ત્યાં મારું કેવું ભવ્ય સ્વાગત થયું હતું!</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>ગુરુદેવ, તમને કલ્પના નથી કે | |||
તમારે માટે બંધાવેલી કમાનો | |||
અને તમને કરેલા તિલક માટે | |||
મારા માનીતા અનુયાયીઓએ કેટલી ધમાલ કરી હતી. | |||
વિનોબા ભાવે અને મગનલાલ, | |||
જે મારો ભત્રીજો અને આશ્રમનો પ્રાણ હતો, | |||
તે બંને ખૂબ અકળાયા હતા. | |||
મારે તેમને સમજાવવા પડેલા કે | |||
મેં તો માત્ર આશ્રમિકોની ઇચ્છાને માન આપ્યું હતું. | |||
મારે કરવાનું હોત તો મેં કમાનો ન ઊભી કરી હોત. ગુરુદેવને સન્માનવાનો હું કોઈ બીજો ઉપાય કરત | |||
જેમાં ઓછી શક્તિ ખરચ થાય. | |||
પણ જે થયું તે માટે હું તટસ્થ છું. | |||
હું માનું છું કે ગુરુદેવને યોગ્ય રીતે સન્માનવાની | |||
આપણી ફરજ હતી | |||
અને હું નથી માનતો કે | |||
વિદ્યાર્થીઓએ આ કામમાં સમય આપીને | |||
કાંઈ ગુમાવ્યું હોય. | |||
આપણે ખ્યાલ રાખવો જોઈએ કે | |||
ગુરુદેવ એક ખાસ વ્યક્તિ છે | |||
જેમનામાં કવિતા, રાષ્ટ્રપ્રેમ અને ભલાઈનો સમન્વય થયો છે. | |||
આ એક વિરલ વ્યક્તિત્વ છે. તે સન્માનીય છે.</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>મહાત્માજી, તમને પડેલી તકલીફ માટે મને માફ કરજો. | |||
મને પેલી સભા પણ યાદ આવે છે | |||
જ્યાં શ્રોતાઓએ | |||
મારા ભાષણના ગુજરાતી અનુવાદની માંગણી કરી હતી. | |||
ત્યાં હાજર રહેલા ગુજરાતી સાહિત્યના માંધાતાઓએ | |||
પોતાની અશક્તિ દર્શાવી હતી | |||
અને તમે આવીને તરત જ ગુજરાતી અનુવાદ પ્રસ્તુત કર્યો હતો.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>હવે ગાંધીજીના હાથમાં રાજકીય સૂત્રો હતા | |||
અને રવીન્દ્રનાથ પ્રખર મેધાવી પુરૂષ તરીકે | |||
સમગ્ર દેશમાં પ્રસિદ્ધ હતા. | |||
ગાંધીજીએ અંગ્રેજી શાળાઓ અને કૉલેજોનો બહિષ્કાર કરવાનું એલાન આપ્યું હતું | |||
અને સત્યાગ્રહ, ચરખો અને સ્વદેશીને | |||
સ્વરાજની લડતમાં સ્થાન આપ્યું હતું. | |||
રવીન્દ્રનાથે આ બધાંનો | |||
સામયિકોમાં લેખ લખીને કે મિત્રોને પત્રો લખીને | |||
વિરોધ કર્યો હતો. | |||
ગાંધીજી એ જ માધ્યમ દ્વારા | |||
પોતાના અભિગમનો દૃઢતાપૂર્વક બચાવ કરતા હતા. | |||
ચર્ચા નો વિષય હતો રાજકારણ | |||
પણ તેનું માધ્યમ હતું ફિલસૂફીના સ્તરે | |||
અને ભાષા હતી ઉચ્ચ કોટિના સાહિત્યકારને શોભે તેવી!</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>ભારતમાં બ્રહ્મવિદ્યાનો હેતુ છે મુક્તિ – | |||
જ્યારે બૌદ્ધધર્મમાં છે નિર્વાણ. | |||
એમ કહી શકાય કે બંને જુદા નામથી | |||
એક જ વિભાવનાની વાત કરે છે. | |||
પણ નામથી મનની પરિસ્થિતિનો ખ્યાલ આવે છે | |||
અને તે સત્યના કોઈ ખાસ અંશ પર ભાર મૂકે છે. | |||
મુક્તિ હકારાત્મક છે | |||
જ્યારે નિર્વાણ સત્યનો નકારાત્મક અંશ છે.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>મારા નમ્ર મત પ્રમાણે અસ્વીકાર | |||
એ પણ સ્વીકાર જેટલો જ અર્થપૂર્ણ આદર્શ છે. | |||
અસત્યનો અસ્વીકાર, સત્યના સ્વીકાર જેટલો જ જરૂરી છે. બધા જ ધર્મો શીખવે છે કે | |||
બે પરસ્પર વિરોધી બળોનો પ્રભાવ | |||
આપણા ઉપર પડતો હોય છે | |||
અને માણસનો પ્રયાસ | |||
શ્રેણીબદ્ધ સ્વીકાર અને અસ્વીકાર કરવાનો હોય છે. | |||
દૂષણ સાથેનો અસહકાર ને ભૂષણ સાથે સહકાર, | |||
બંને આપણી ફરજ છે. | |||
હું હિંમતપૂર્વક સૂચન કરું છું કે | |||
કવિએ નિર્વાણને નકારાત્મક જણાવીને | |||
અજાણતાં બૌદ્ધધર્મને અન્યાય કર્યો છે. | |||
હું દૃઢતાપૂર્વક માનું છું કે | |||
મુક્તિમાં નિર્વાણ જેટલી જ નકારાત્મકતા છે. | |||
શરીર સાથેના બંધનમાંથી મુક્તિ કે બંધનનું નિર્વાણ, | |||
બંને આનંદ પ્રતિ દોરી જાય છે. | |||
ઉપનિષદો-બ્રહ્મવિદ્યાનો અંતિમ શબ્દ છે નેતિ. ઉપનિષદોના કર્તા નેતિથી વધુ ઉચિત શબ્દ | |||
બ્રહ્માના વર્ણન માટે શોધી શક્યા ન હતા. | |||
આટલું કહીને હું મારી આ દલીલનો અંત લાવીશ. | |||
જેમને લોર્ડ હાર્ડિંગ એશિયાના કવિ કહે છે, | |||
તે ડૉ. ટાગોર, હવે વિશ્વકવિ કહેવાય છે. | |||
વધુ ખ્યાતિની સાથે તેમની જવાબદારીઓ પણ વધે છે. | |||
દેશની સેવા તરીકે તેમણે કરવું જોઈએ | |||
જગત પ્રત્યેના ભારતના સંદેશાનું અર્થપૂર્ણ ઘટન. | |||
માટે જ ભારતનો સંદેશો ભ્રામક અથવા | |||
નબળો ન હોય તે માટે તે ઉત્સુક છે. | |||
તે કહે છે કે તેમણે હાલની ચળવળ સાથે | |||
સૂર સાધવાના અથાગ પ્રયત્ન કર્યા છે. | |||
પણ અસહકારના કોલાહલમાં | |||
તેમની વીણા માટે યોગ્ય તેમને કાંઈ જ સંભળાતું નથી. | |||
તેઓ એવા તારણ પર પહોંચ્યા છે કે | |||
એમના દર્શનના ભારતને માટે અસહકાર ગૌરવપૂર્ણ નથી કારણ કે તે | |||
નકારાત્મક, નિરાશા અને સંકુચિતતાનો સિદ્ધાંત છે. | |||
હું નમ્રતાપૂર્વક | |||
કવિની શંકાનું નિવારણ કરવાનો પ્રયાસ કરીશ. | |||
તેમની વાક્પટુતાથી અંજાયેલા વાચકને | |||
હું કદાચ સમજાવી ન શકું | |||
પણ મારે તેમને અને ભારતને ખાતરી આપવી છે કે અસહકારમાં તેમને ભય છે તેવું કોઈ પણ તત્વ નથી | |||
અને અસહકારને અપનાવવા માટે | |||
તેમણે તેમના દેશ માટે શરમિંદા થવાની | |||
કાંઈ પણ જરૂર નથી. … | |||
અસહકારનો સમય હજુ પાક્યો ન હોય એ સંભવિત છે. તો પછી ભારત અને જગતે તેની પ્રતીક્ષા કરવી જ રહી. | |||
ભારત માટે હિંસા કે અસહકાર સિવાય | |||
ત્રીજો કોઈ પર્યાય જ નથી. | |||
દૂષણ સાથે ઇચ્છા કે બુદ્ધિ વિના સામેલ થવા સામે વિરોધ કરવો એ જ અસહકાર. | |||
આપણો અસહકાર અંગ્રેજો કે પશ્ચિમ સામે નથી. | |||
એ તો નબળાનું શોષણ કરતા અને લોભી | |||
ભૌતિક સંસ્કૃતિ પર આધારિત અંગ્રેજ રાજ્યતંત્ર સામે છે.</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>પશ્ચિમના હૃદયને સ્પર્શતા | |||
સમયની ચેતનાના ચિન્હો હું જોઈ રહ્યો છું. | |||
તેનું સાંપ્રત સ્વરૂપ અસ્વીકાર્ય હોઈને પણ | |||
તેમાં સત્ય પ્રત્યે ઊર્ધ્વગતિ કરવાની આકાંક્ષા | |||
દૃષ્ટિગોચર થાય છે. | |||
આ આકાંક્ષાને આપણે વખોડવી ન જોઈએ. | |||
જગતની જાગૃતિના આ પ્રભાતે | |||
જો તેની સર્વસામાન્ય આકાંક્ષાને | |||
આપણા રાષ્ટ્રીય પ્રયાસોમાં પ્રતિભાવ ન મળે | |||
તો તે આપણી ચેતનાનું દારિદ્ર કહેવાશે. | |||
ક્ષણમાત્ર માટે પણ હું એમ કહેવા નથી માંગતો કે | |||
આપણે આપણા સળગતા પ્રશ્નોને અવગણવા જોઈએ. | |||
પણ પંખી જ્યારે સવારે જાગે છે | |||
ત્યારે તેની જાગૃતિ માત્ર અન્નની શોધમાં નથી સમાઈ જતી. તેની પાંખો થાક્યા વિના આકાશના સાદને પ્રતિભાવ આપે છે, | |||
નૂતન પ્રકાશના આનંદથી તેના ગળામાં ગીતો જાગી ઊઠે છે. | |||
વૈશ્વિક માનવતાએ આજે આપણને સાદ દીધો છે. | |||
તેની પોતાની શૈલીમાં આપણા મનનો પ્રતિભાવ તેને આપીએ કારણ કે સાચી ચેતનાનું ચિન્હ જ છે પ્રતિભાવ.</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>તેમની જન્મજાત પ્રકૃતિ પ્રમાણે કવિ જીવે છે ભાવિમાં | |||
અને આપણે પણ તેમ જ કરીએ તેમ ઈચ્છે છે. | |||
આપણી નજર સમક્ષ તેમણે | |||
સવારે આનંદનાં ગીત ગાતાં ગાતાં | |||
આકાશમાં ઊડતાં પંખીઓનું સુંદર ચિત્ર મૂક્યું છે. | |||
આ પંખીઓને તેમનું રોજીંદું ચણ મળેલું છે, | |||
તેમની પાંખોને વિશ્રામ મળેલો છે, | |||
તેમની પાંખોમાં આગલી રાતે નવા લોહીનો સંચાર થયેલો છે. | |||
પણ મેં વ્યથિત નજરે જોયાં છે એવાં પંખી | |||
જે શક્તિના અભાવે પાંખ પણ ફફડાવી શકતાં નથી. | |||
ભારતીય આકાશ નીચે વસતાં માનવપંખી | |||
સૂવાનો પ્રયત્ન કરતી વખતે હોય છે | |||
તેનાથી વધારે અશક્ત જાગતી વખતે હોય છે. | |||
કરોડોને માટે હોય છે સદાકાળ જાગરણ | |||
કે પછી સદાકાળ તંદ્રા. … | |||
કરોડોની ભૂખી પ્રજા માંગે છે માત્ર એક કાવ્ય – | |||
પ્રાણપૂરક અન્ન. | |||
અને તે તેમને આપોઆપ મળતું નથી | |||
તેને માટે તેમણે કામ કરવું પડે છે, પરસેવો પાડવો પડે છે. | |||
જો આપણે આપણો વર્તમાન સાચવી શકીશું | |||
તો ઈશ્વર ભાવિની સંભાળ લેશે.</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>ખલેલ માટે ક્ષમા કરશો, | |||
પણ આ તે રાજકીય વિવાદ છે કે કવિતાની સ્પર્ધા? | |||
ચાલો પાછા અસહકારના વમળમાં!</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>અસહકારની ભાવના રાજકીય વિરક્તિ સૂચવે છે. | |||
આપણા વિદ્યાર્થીઓ શાનું બલિદાન આપી રહ્યા છે? | |||
તેઓ જઈ રહ્યા છે અ-શિક્ષણ તરફ, | |||
સંપૂર્ણ શિક્ષણ તરફ નહીં! | |||
એના હાર્દમાં છે સર્વનાશનો હિંસક આનંદ | |||
જેનું શ્રેષ્ઠ સ્વરૂપ છે વિરક્તિ | |||
અને નિમ્નતમ સ્વરૂપ છે ડરામણો વ્યભિચાર, | |||
જેમાં માણસની પ્રકૃતિ જીવનની વાસ્તવિકતાને ભૂલીને અનુભવે છે એક અર્થહીન બરબાદીનો ઉદાસીન આનંદ, | |||
જે આપણે તાજેતરના યુદ્ધમાં જોયો હતો. | |||
એનું નિષ્ક્રિય સ્વરૂપ છે વિરક્તિ અને સક્રિય સ્વરૂપ, હિંસા! | |||
હું વિદ્યાર્થીઓને શાળાઓનો ત્યાગ કરવાની સલાહ નથી આપતો કારણ કે હું શૂન્યતાની અરાજકતાથી લલચાતો નથી, | |||
ભલે તે હંગામી ધોરણે હોય! | |||
એક સાવ નકારાત્મક કાર્યક્રમની તેમને સલાહ આપવાની જવાબદારી લેવાનું જોખમ હું લેવા નથી માંગતો. | |||
આ કાર્યક્રમથી તેમનું જીવન જડમૂળથી જમીનમાંથી ઊખડી જશે, પછી તે જમીન ભલે ગમે તેટલી પથરાળ કે વેરાન હોય! | |||
આ તે કેવી વિધિની વક્રતા છે કે | |||
સાગરની એક તરફ હું | |||
પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના સમન્વયની વાતો કરું છું | |||
અને બીજી તરફ અસહકારનું પ્રતિપાદન થઈ રહ્યું છે! | |||
જેમ હું શરીરને માનવીનું પરમ સત્ય નથી માનતો | |||
તેમ જ મને પશ્ચિમની ભૌતિક સંસ્કૃતિમાં પણ વિશ્વાસ નથી. | |||
પણ તેથી હું શરીરનો નાશ કરવામાં નથી માનતો | |||
કે જીવનની ભૌતિક જરૂરિયતોની અવજ્ઞા કરવામાં | |||
પણ નથી માનતો. | |||
જરૂર છે માનવીની આધ્યાત્મિક અને ભૌતિક પ્રકૃતિની વચ્ચે સમન્વય સાધવાની, | |||
પાયા અને ઇમારત વચ્ચે સમતુલન જાળવવાની. | |||
હું માનું છું પૂર્વ અને પશ્ચિમ વચ્ચે સાચા સમન્વયમાં.</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>હું પણ મુક્ત વાતાવરણનો કવિ જેટલો જ પ્રખર હિમાયતી છું. | |||
મારું ઘર બંધિયાર હોય કે બારીઓ બંધ હોય | |||
એવું મને પણ નથી ગમતું. | |||
બધા જ દેશોની સંસ્કૃતિના પ્રવાહો | |||
મારા ઘરમાં છૂટથી વહેતા રહે એવું હું ઇચ્છું. | |||
પણ હું કોઈ પણ પ્રવાહમાં ઘસડાઈ જવા નથી માંગતો. | |||
બીજાના ઘરમાં હું ઘુસણખોર, ભિક્ષુક કે ગુલામ થઈને | |||
હરગિઝ નહીં રહું. | |||
ભ્રામક અભિમાન કે બિનજરૂરી સામાજિક ફાયદાને ખાતર | |||
હું મારા દેશવાસીઓ પર | |||
અંગ્રેજી શીખવાનો બિનજરૂરી બોજો લાદવા નથી માંગતો. | |||
કવિને મુખ્યત્વે વિદ્યાર્થીઓની ચિંતા છે. | |||
તેઓ માને છે કે બીજી શાળાઓ ન હોય ત્યાં સુધી | |||
તેમને સરકારી શાળાઓનો ત્યાગ કરવાનું ન કહેવું જોઈએ. | |||
અહીં હું તેમની સાથે સંમત નથી. | |||
હું શિક્ષણની પૂજા કરવામાં ક્યારેય માનતો આવ્યો નથી. | |||
મેં મારા પોતાના અનુભવથી સાબિત કર્યું છે કે | |||
માત્ર શિક્ષણથી નૈતિક ધોરણો જરા પણ સુધરતાં નથી | |||
અને ચરિત્રના ઘડતરમાં શિક્ષણનું કાંઈ પણ પ્રદાન નથી હોતું. | |||
હું દૃઢતાપૂર્વક માનું છું કે | |||
સરકારી શાળાઓએ આપણને | |||
સત્ત્વહીન અને પરાધીન બનાવ્યા છે અને ઈશ્વરથી દૂર કર્યા છે. ત્યાં જવાથી આપણને મળે છે અસંતોષ | |||
અને અસંતોષનો કોઈ ઉપચાર ન હોવાથી | |||
આપણે હતાશ થઈ જઈએ છીએ. | |||
આ શાળાઓનો હેતુ હતો | |||
આપણને કારકુન અને દુભાષિયા બનાવવાનો | |||
અને તે હેતુ બરાબર સિદ્ધ થઈ રહ્યો છે.</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>સ્વદેશી ચળવળને અનુસરતી આ ચળવળનો વ્યાપ વિશાળ છે | |||
અને તેની અસર આખા દેશ પર જણાય છે. | |||
પહેલાં આપણા રાજકીય નેતાઓનું દર્શન | |||
અંગ્રેજી જાણનાર વર્ગ પૂરતું સીમિત હતું | |||
કારણ કે તેઓે દેશનું અર્થઘટન | |||
અંગ્રેજોના ઇતિહાસમાંથી મેળવતા હતા. | |||
આવા સંજોગોમાં મહાત્મા ગાંધી આવ્યા | |||
અને કરોડોની નિરાધાર જનતાની ઝૂંપડાના દ્વારે | |||
તેમના જેવો જ વેશ પહેરીને | |||
અને તેમની ભાષામાં વાતો કરતા ઊભા રહ્યા. | |||
આખરે તેમને કોઈ પુસ્તકિયું અવતરણ નહીં, | |||
પરમ સત્ય લાધ્યું. | |||
તેથી જ તેમને અપાયેલો મહાત્માનો ખિતાબ | |||
એ જ તેમની સાચી ઓળખાણ છે. | |||
બીજા કોણે આટલા બધા ભારતવાસીઓને | |||
પોતાના અંગત માન્યા છે? | |||
સત્યના સ્પર્શથી | |||
આજ સુધી પૂરાઈ રહેલી પ્રાણની શક્તિ મુક્ત થઈ છે. | |||
ભારતના દ્વારે સાચા પ્રેમનું દર્શન થતાં જ એ દ્વાર ખુલી ગયાં; | |||
બધી જ દ્વિધા અને સંકોચ અદૃશ્ય થઈ ગયાં. | |||
સત્યથી સત્યનો દીપક પ્રગટ્યો. | |||
ભારતનું હૃદય મહાત્માએ પ્રેમથી જીતી લીધું છે; | |||
તે માટે આપણે તેમેની સર્વોપરિતા સ્વીકારીએ છીએ. | |||
તેમણે આપણને સત્યની શક્તિનું દર્શન કરાવ્યું છે | |||
અને તે માટે આપણે તેમના સદાકાળ ઋણી રહીશું. | |||
પણ જો સત્યનું દર્શન કર્યા છતાં | |||
તેનામાં આપણી શ્રદ્ધાનો પડઘો ન પડે તો તેનો અર્થ શું? | |||
જેમ આપણું હૃદય પ્રેમના સત્યનો પ્રતિભાવ આપે છે | |||
તેમ જ આપણા મગજમાં પણ | |||
બૌદ્ધિક સત્યનો પ્રતિભાવ મળવો જોઈએ. | |||
સત્યની શક્તિનું આટલું સ્પષ્ટ દર્શન કર્યા પછી | |||
શું આપણે માત્ર સ્વરાજ મળવાની લાલચથી | |||
તેમાં શ્રદ્ધા રાખવાનું છોડી દઈશું? | |||
જાગૃતિ માટે જરૂરી સત્યને સિદ્ધિની ક્ષણોમાં ભૂલી જઈશું? | |||
આજે દેશ ઉપર એક દમનગ્રસ્ત વાતાવરણનો બોજો છવાયેલો છે. | |||
જાણે કોઈ બાહ્ય જબરદસ્તી | |||
સૌની સાથે એક જ સૂરમાં વાત કરી રહી છે | |||
અને એક જ યંત્ર પર કામ કરવા કહી રહી છે. | |||
મારે જ્યારે ચર્ચા કરવી હતી, પ્રશ્નો પૂછવા હતા, | |||
ત્યારે મારા હિતેચ્છુઓએ હોઠ પર હાથ મૂકીને કહ્યું, હમણાં નહીં! | |||
આજે દેશના વાતાવરણમાં એક જુલમનો, સિતમનો માહોલ છે. | |||
આ જુલમ કે સિતમ કોઈ શસ્ત્રસજ્જ શક્તિ નથી ફેલાવતી | |||
પણ તેનાથી પણ વધુ ખતરનાક કોઈ અદૃશ્ય શક્તિ ફેલાવે છે. | |||
મેં જોયું કે વર્તમાન પ્રવૃત્તિને જે શંકાની નજરે જોતાં હતાં | |||
તેઓ જો તેમની શંકા અંગે | |||
ગમે તેટલી સાવધાનીપૂર્વક કે ધીરેથી પણ વાત કરતાં | |||
તો અંદરથી જ કોઈ તેમને ચેતવતું અને સખત જકડી રાખતું. | |||
એક વર્તમાનપત્રે | |||
એક દિવસ વસ્ત્રદહનની ટીકા કરવાની ધૃષ્ટતા કરી. | |||
બીજા જ દિવસે તંત્રી વાચકોના ઉશ્કેરાટથી સમતુલન ગુમાવી બેઠો. | |||
જે આગમાં કાપડ બળે છે | |||
તે જ આગથી વર્તમાનપત્ર પણ રાખ જ થઈ જાયને? | |||
હું જોઈ રહ્યો છું કે એક બાજુ લોકો અત્યંત વ્યસ્ત છે | |||
તો બીજી બાજુ અત્યંત ભયભીત છે. | |||
ચારે તરફથી હું સાંભળી રહ્યો છું કે | |||
તર્ક તેમ જ સંસ્કૃતિને તિલાંજલિ આપો. | |||
સવાલો પૂછ્યા વિના માત્ર આજ્ઞાપાલન જ આવશ્યક છે. | |||
પણ કોની આજ્ઞાનું પાલન? | |||
કોઈ મંત્રની કે પછી કોઈ વિવેકહીન સિદ્ધાંતની?</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>એક ઉત્તમ અને ઉમદા લેખમાં શાંતિનિકેતનના કવિએ | |||
હાલની ચળવળનો હુબહુ ચીતાર શબ્દચિત્રો દ્વારા રજૂ કર્યો છે | |||
જે તેમના સિવાય બીજું કોઈ કરી શકે તેમ નથી. | |||
એક ક્ષણિક દીવાનગીના આંધળા સ્વીકારને | |||
અધિકાર કે પછી ગુલામીનું માનસ કે | |||
બીજું જે કોઈ નામ આપી શકાય, | |||
તેની સામેનો વાગ્છટાથી સભર વિરોધ તેમાં પ્રસ્તુત છે. | |||
કવિ કહે છે કે જે હૃદય કે મગજને સ્વીકાર્ય ન હોય | |||
તેનો ત્વરિત અસ્વીકાર કરવામાં જ શાણપણ છે. … | |||
આની સાથે સૌએ સંમત થવું જ જોઈએ તેમ જ | |||
સત્ય અને તર્કનો પક્ષ લેવા માટે | |||
બધા જ દેશવાસીઓએ તેમનો આભાર માનવો જોઈએ. | |||
જો દેશવાસીઓ વિચાર્યા વગર, અંધશ્રદ્ધાથી | |||
મને અનુસરે છે એમ મને લાગતું હોત | |||
તો મને અત્યંત દિલગીરી થાત. | |||
સિતમગારના ચાબખાને વશ થવા કરતાં | |||
પ્રેમની આંધળી તાબેદારીમાં રહેલા જોખમોથી | |||
હું સુમાહિતગાર છું. | |||
પાશવી શક્તિના ગુલામને મુક્તિની આશા હોઈ શકે, | |||
પ્રેમના ગુલામને નહીં! | |||
પ્રેમ જો બળજબરીથી આજ્ઞાપાલન કરાવે | |||
તો તે પણ સિતમગાર થઈ જાય છે. | |||
દંભ, જડતા, નિષ્ક્રિયતા, અસહિષ્ણુતા, અજ્ઞાન | |||
કે તેમના જેવા દુશ્મનો સામે આપણને ચેતવીને | |||
કવિએ એક સંત્રીની ફરજ અદા કરી છે. | |||
આંધળા આજ્ઞાપાલનના દૂષણોથી | |||
ચેતતા રહેવાની કવિની સલાહ સાથે હું સંમત છું | |||
પણ એનો અર્થ એમ નથી કે | |||
હું માનું છું કે આજે દેશમાં આંધળું આજ્ઞાપાલન ફેલાયેલું છે. | |||
મેં વારંવાર વિચાર કર્યો છે | |||
અને જો આજે દેશમાં ચરખાનો સ્વીકાર | |||
સમૃદ્ધિની સીડીના પહેલાં પગથિયાં તરીકે થયો હોય | |||
તો તે ગંભીર ચર્ચા અને ઘણા વિવાદ પછી થયો છે. … | |||
સપાટી પરની ધૂળને | |||
નીચે રહેલો પદાર્થ માનવાની ભૂલ કવિએ ન કરવી જોઈએ. … | |||
હું ઇચ્છું છું કે કવિ અને સંત | |||
કાંતણને એક ધાર્મિક વિધિ તરીકે સ્વીકારીને કાંતે. | |||
યુદ્ધના સમયે કવિએ તેની વીણા, | |||
વકીલે તેના કાયદાના કાગળો, વિદ્યાર્થીએ તેનાં પુસ્તકો | |||
બાજુ પર મૂકી દેવા જોઈએ. | |||
યુદ્ધની સમાપ્તિ પછી કવિ સાચા સૂરમાં ગાઈ શકશે, | |||
જ્યારે લોકોને એકબીજાની સાથે લડવાની તક મળશે | |||
ત્યારે વકીલ તેના કાયદાના કાગળો જોઈ શકશે.</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>આપણા ગુરુ સમાન મહાત્મા પાસેથી | |||
આપણે પ્રેમના પવિત્ર સત્યનું શિક્ષણ લેવું જોઈએ. | |||
પણ સ્વરાજની કળા અને વિજ્ઞાનનું ફલક વિશાળ છે. | |||
આ કામને માટે ભાવના અને આકાંક્ષાથી પણ વધારે જરૂર | |||
વિચાર અને અભ્યાસની છે. | |||
આને માટે અર્થશાસ્ત્રીઓએ વિચારવું પડશે, | |||
કારીગરે મહેનત કરવી પડશે, કેળવણીકારે શિક્ષણ આપવું પડશે અને મુત્સદ્દીઓએ યોજના કરવી પડશે. | |||
ટૂંકમાં આખા દેશમાં સૌએ બધી જ દિશામાં ક્રિયાશીલ રહેવું પડશે. | |||
તદુપરાંત, આખા દેશમાં | |||
ઝીણવટભરી પ્રશ્નોત્તરીનો દોર અખંડ અને મુક્ત રાખવો પડશે. | |||
ખુલ્લી કે ખાનગી બળજબરીથી દેશનું મગજ ડરપોક કે નિષ્ક્રિય ન થઈ જાય તેનું ધ્યાન રાખવું પડશે. | |||
જે આપણને કર્મના માર્ગે દોરી રહ્યા છે | |||
તે વર્તમાન ગુરુ એક હાકલ કેમ નથી પાડતા? | |||
તેઓ કેમ કહેતા નથી, | |||
આવો, આવો, સૌ ચારે દિશામાંથી આવો, તમારું સ્વાગત છે. | |||
દેશની બધી જ શક્તિને કર્મમાં જોડી દો – તો જ દેશ જાગૃત થશે. | |||
સંપૂર્ણ જાગૃતિ એ જ સ્વાતંત્ર્ય, એ જ સંપૂર્ણ અભિવ્યક્તિ. | |||
મહાત્મા પાસે ઈશ્વરદત્ત અવાજ છે જે હાકલ પાડી શકે છે | |||
કારણ કે તેમનામાં સત્ય છે. | |||
આ જ આપણી તક છે | |||
જેની આપણે લાંબા સમયથી પ્રતીક્ષા કરતા હતા. | |||
પણ એમની હાકલ એક સંકુચિત ક્ષેત્ર પૂરતી જ સીમિત રહી. | |||
સર્વેને તે કહે છે, કાંતો અને વણો, કાંતો અનેે વણો. | |||
નૂતન સમયનો નૂતન સર્જન માટે આ સાદ? | |||
કુદરતે જ્યારે મધમાખીને | |||
મધપૂડાની સીમિત જીંદગીનો આદેશ આપ્યો | |||
ત્યારે લાખો મધમાખીઓએ તેને | |||
માત્ર કાર્યક્ષમતા માટે માથે ચડાવ્યો. | |||
પરિણામે તેમણે પ્રજનનનો હક ગુમાવ્યો. | |||
કોઈ લાલચ કે આદેશને આધીન થવા માટે | |||
જે દેશની પ્રજા નપુંસક થવાનું સ્વીકારે | |||
તેનું કારાગાર તેની સાથે જ હોય છે. | |||
કાંતવું સહેલું છે માટે જ દરેક માણસને તેની શિક્ષા કરવી | |||
એ વ્યાજબી નથી. … | |||
માનવીની પરાકાષ્ટા જ્યારે આંબવામાં આવે | |||
ત્યારે જ તેનું શ્રેષ્ઠતમ ખીલી ઊઠે. … | |||
પોતાના યોગ્ય સ્થાને ચરખો નુકસાન નથી કરતો | |||
એટલું જ નહીં, તે લાભકર્તા પણ છે. | |||
પરંતુ, જ્યારે માણસની પ્રકૃતિમાં રહેલા ભેદને જાણીજોઈને અવગણીને તેને અયોગ્ય સ્થાન મૂકવામાં આવે | |||
ત્યારે કંતાયેલા સૂતરમાં મગજનું મહાન બલિદાન આપાયું હોય છે. | |||
માણસનું મગજ સૂતરથી ઓછું મૂલ્યવાન નથી. … | |||
આપણી આંખો સામે ધ્રૂજતી અને નગ્ન માતૃભૂમિના સંદર્ભમાં વસ્ત્રદહનનો વિચાર કરી જુઓ. | |||
આવી હાકલનો શું અર્થ છે? | |||
કયા ઉત્પાદકનું કાપડ વાપરવું અને કોનું નહીં | |||
એ અર્થશાસ્ત્રીનો વિષય છે. | |||
આપણા દેશમાં આ અંગે થતી ચર્ચા | |||
અર્થશાસ્ત્રના દૃષ્ટિકોણથી થવી જોઈએ. | |||
જો આપણને એવી ટેવ પડી ગઈ હોય | |||
જેમાં ચોક્કસ કે ઝીણવટભરી વિચારશ્રેણી અશક્ય હોય | |||
તો બીજું બધું જ બાજુ પર મૂકીને | |||
આપણી પ્રથમ લડત આ મરણતોલ કુટેવ સામે હોવી જોઈએ. | |||
આવી ટેવ આદિ પાપ જેવી કહેવાય | |||
જેમાંથી બીજા બધાં જ દૂષણોનો ઉદ્ભવ થાય છે. | |||
પણ આપણે તો કોઈ જાદુઈ સૂત્રથી | |||
વિદેશી કાપડને અશુદ્ધ કે અપવિત્ર માનીને | |||
આવી ટેવનો સ્વીકાર કરીએ છીએ. | |||
અર્થશાસ્ત્રનું પોટલું બાંધી, તેને બહાર ફેંકી દઈને | |||
તેને સ્થાને કૃત્રિમ નૈતિક ધોરણોને ઘસડી લાવીએ છીએ.</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>મારે સ્વીકારવું જોઈએ કે | |||
હું અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર વચ્ચે | |||
ખાસ કે પછી કોઈ પણ ભેદરેખા નથી દોરતો. | |||
વ્યક્તિ કે રાષ્ટ્રની નૈતિક તંદુરસ્તીને હાનિકારક અર્થશાસ્ત્રને | |||
હું અનૈતિક જ કહું. | |||
આમ જોતાં જે અર્થશાસ્ત્ર | |||
એક દેશને બીજા દેશનું શોષણ કરવા દે | |||
તે અનૈતિક જ કહેવાય. | |||
જ્યારે હું જાણતો હોઉં કે | |||
પડોશના વણકરોએ વણેલું કાપડ પહેરવાથી | |||
મને કપડાં અને તેમને રોજગારી અને અન્ન મળે છે | |||
ત્યારે રીજન્ટ સ્ટ્રીટનાં સુંદર કપડાં પહેરવાં પાપ જ કહેવાય. | |||
આવું પાપ જ્યારે મારી નજર સમક્ષ ઊછળતું હોય | |||
ત્યારે મારે તે વિદેશી કપડાંની હોળી કરીને | |||
મારા આત્માની શુદ્ધિ કરવી જ રહી. | |||
ત્યાર પછી મારે મારા પડોશીએ બનાવેલી | |||
ખરબચડી ખાદી પહેરીને જ સંતોષ માનવો જોઈએ. | |||
જો મારા પડોશી બીજું કામ મૂકીને કાંતતા ન હોય | |||
તો મારે કાંતવાનું શરૂ કરીને તેનો પ્રચાર કરવો જોઈએ | |||
અને તેને લોકપ્રિય બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>બંનેના મિત્ર, ચાર્લી ઍન્ડ્રુઝને ફિકર થતી હતી કે | |||
આવા મતભેદથી બે ઉદાત્ત આત્માઓ વચ્ચે તિરાડ તો નહીં પડેને! | |||
સાવચેતીના પગલા તરીકે | |||
રવીન્દ્રનાથના કોલકતાના પારિવારિક રહેઠાણ, જોરાસાંકોમાં | |||
તેમણે બંને વચ્ચે એક મુલાકાત યોજી. | |||
તે મુલાકાતમાં તેમના ત્રણ સિવાય ચોથું કોઈ જ ઉપસ્થિત ન હતું. | |||
મુલાકાત પછી ગાંધીજી કે રવીન્દ્રનાથે | |||
પ્રેસને કોઈ પણ નિવેદન આપ્યું ન હતું. | |||
ઘણાં વર્ષો પછી | |||
રવીન્દ્રનાથે આ પ્રસંગ વિશે એલ્મહર્સ્ટને વાત કરી હતી.</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>ગાંધીજી મને કલકત્તામાં મારા ઘરે મળવા આવ્યા હતા. | |||
તેમને તેમના રાજકીય કાર્યક્રમોના વિવિધ પાસા માટે | |||
મારો ટેકો જોઈતો હતો.</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>ગુરુદેવ, વીસેક વર્ષ પહેલાં | |||
તમે જ સ્વદેશી ચળવળના પ્રણેતા અને નેતા હતા. | |||
તમે હંમેશા ઇચ્છતા હતા કે | |||
ભારતીયો પોતાના પગ ઉપર ઊભા રહે | |||
અને અંગ્રેજોનું આંધળું અનુકરણ ન કરે. | |||
મારું સ્વરાજનું આંદોલન | |||
તમારા સ્વદેશીના કાર્યક્રમનું કુદરતી સંતાન છે. | |||
એમાં જોડાઈને એને શક્તિશાળી બનાવો.</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>ગાંધીજી, આખું જગત | |||
સ્વાર્થી અને દીર્ઘદૃષ્ટિહીન રાષ્ટ્રવાદથી પીડાય છે. | |||
ભારતે હંમેશા બધાં જ દેશો તેમ જ સિદ્ધાંતોને આતિથ્ય ધર્યું છે. | |||
હું માનું છું કે ભારતમાં | |||
આપણે પશ્ચિમ અને તેના વિજ્ઞાન પાસેથી ઘણું મેળવવાનું છે | |||
અને આપણે આપણી વચ્ચે સમન્વય સાધતાં પણ શીખવાનું છે.</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>પણ ગુરુદેવ, મેં હિંદુ-મુસ્લિમ એકતા તો સાધી છે.</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>હું નથી માનતો. | |||
તમે તો માત્ર રાજકીય મંચની વાત કરો છો | |||
જ્યાં હિંદુ અને મુસ્લિમ આનંદપૂર્વક ભેગા થઈને | |||
અંગ્રેજો પર પ્રહાર કરી રહ્યા છે. | |||
મને અંગ્રેજ બાબુશાહી પ્રત્યે ક્યારેય આદર થયો નથી | |||
પણ તમે સાચે જ કહી શકો કે | |||
હિંદુઓના હૃદયમાં મુસ્લિમો માટે પ્રેમભાવ છે? | |||
જ્યારે અંગ્રેજો ચાલી જશે કે ભગાડી મૂકવામાં આવશે | |||
ત્યારે શું થશે?</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>ગુરુદેવ, | |||
મારું સમગ્ર આંદોલન અહિંસાના સિદ્ધાંત પર અવલંબે છે અને તેથી જ શાંતિમાં માનનારા એક કવિ તરીકે | |||
તમારે મારા આંદોલનમાં જોડાઈને તેને માટે કામ કરવું જોઈએ.</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>ગાંધીજી, આવો અને મારા વરંડામાંથી જુઓ. | |||
નીચે જોઈને મને કહો, | |||
તમારા અહિંસક અનુયાયીઓ શું કરી રહ્યા છે? | |||
તેમણે ચિતપુર રોડની દુકાનમાંથી કપડું ચોર્યું છે | |||
અને મારા આંગણામાં તેની હોળી સળગાવીને | |||
તેની આસપાસ ફરતા દીવાના દરવેશોની જેમ બૂમો પાડી રહ્યા છે. | |||
આ અહિંસા છે? | |||
ગાંધીજી તમે જાણો છો તેમ આપણી પ્રજા આવેગશીલ છે. | |||
તમારા અહિંસક સિદ્ધાંતોથી | |||
તમે આ આવેગને સંયમમાં રાખી શકશો? | |||
તમે જાણો છો કે એ શક્ય નથી. | |||
હિંદુ અને મુસ્લિમ વચ્ચે પ્રવર્તતી હિંસક ભાવના પર સંયમ લાદવા | |||
તેમના બાળકોને બે કે ત્રણ પેઢી સુધી સાથે શિક્ષણ આપવું પડશે.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>ગુરુદેવ, તમે કહો છો કે | |||
તમે ભારતીયોના ભારતીયો દ્વારા શિક્ષણમાં માનો છો. | |||
તો તમે મારા રાષ્ટ્રીય શિક્ષણના આંદોલનને | |||
સમર્થન આપી શકો. | |||
હજારો યુવાન શિક્ષકો અને વિદ્યાર્થીઓ | |||
સરકારી અને મિશનરી શાળાઓ છોડીને | |||
રોજ આ નવી શાળાઓમાં ભરતી થવા આવે છે.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>અને તમે તેમાંથી જે શ્રેષ્ઠ હોય | |||
તેમને તમારા રાજકીય કાર્યક્રમમાં જોડી દો છો | |||
અને બાકી રહેલા મૂર્ખ લોકોને એવી શાળામાં મૂકો છો | |||
જ્યાં સંપૂર્ણ નહીં પણ વિકૃત શિક્ષણ અપાય છે. | |||
મને તમારા રાષ્ટ્રીય કેળવણીના કાર્યક્રમમાં વિશ્વાસ નથી. | |||
આપણે આખા જગતમાંથી શિક્ષકો અને અધ્યાપકોને | |||
આમંત્રણ આપીને ભારતમાં શિક્ષણ આપવા બોલાવવા જોઈએ | |||
જેથી તેઓ પણ આપણા સાંસ્કૃતિક વારસામાંથી શીખી શકે. | |||
અત્યારે હું શાંતિનિકેતનમાં આવો જ પ્રયત્ન કરી રહ્યો છું.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>ગુરુદેવ, | |||
તમે મારે માટે બીજું કાંઈ પણ ન કરી શકો તો કાંઈ નહીં | |||
પણ આ તમારા કલકત્તાના મોટી, મોટી ઉપાધિઓવાળા અવહેવારુ ભદ્રલોકને શરમમાં નાંખીને | |||
કાંતવા તો બેસાડી શકોને? | |||
અરે, તમે જાતે કાંતીને આખા દેશને ઉદાહરણ પૂરું પાડી શકો.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>હું કવિતા લખી શકું, ગીત ગાઈ શકું, | |||
પણ ગાંધીજી, તમારા કિંમતી કપાસનો હું કેવો બગાડ કરું | |||
તેની તમે કલ્પના નહીં કરી શકો.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>ઍન્ડ્રુઝે એક ટૂંકું અને મુત્સદ્દીપૂર્ણ નિવેદન પ્રેસમાં આપ્યું હતું, | |||
બંને વચ્ચે સ્વભાવગત મતભેદો એટલા તીવ્ર હતા કે | |||
બૌદ્ધિક સમજુતી સાધવી અત્યંત મુશ્કેલ હતી | |||
પણ મૈત્રીનું નૈતિક બંધન અકબંધ રહ્યું છે. | |||
રવીન્દ્રનાથના કાવ્યમય અને ભવિષ્યવાણી જેવા વિરોધ છતાં સમષ્ટિ ઉપર ગાંધીજીની પકડ વ્યાપક અને અભૂતપૂર્વ હતી. | |||
આખા દેશમાં | |||
ગાંધીજીને શ્રીકૃષ્ણના સ્વરૂપમાં દર્શાવતા ચિત્રો વેચાતાં હતાં. અસહકારનું આંદોલન આખા દેશમાં સ્વીકૃતિ મેળવી રહ્યું હતું. નવેમ્બર ૧૯૨૧માં મુંબઈમાં | |||
રવીન્દ્રનાથના ભયને પહેલી વાર સમર્થન મળ્યું. | |||
પ્રિન્સ ઑફ વેલ્સની મુલાકાતના બહિષ્કાર દરમિયાન | |||
હિંસક તોફાનો થયા. | |||
ગાંધીજી મુંબઈમાં જ હોવા છતાં | |||
ત્રણ દિવસ સુધી તોફાનોનો દોર ચાલુ રહ્યો. | |||
ડિસેમ્બર ૧૯૨૧માં કૉંગ્રેસે સામુદાયિક સવિનય ભંગની ચળવળ આરંભ કરવાનો નિર્ણય લીધો | |||
અને તેનું નેતૃત્વ ગાંધીજીને સોંપ્યું. | |||
પહેલી ફેબ્રુઆરીના દિવસે રવીન્દ્રનાથે સુવિખ્યાત ગુજરાતી કવિ, ન્હાનાલાલને લખ્યું,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>બધા જ દેશોમાં રાજકીય શક્તિ જેના ઉપર આધાર રાખે છે | |||
તેવા લશ્કરી બળને પરાજિત કરવાની શક્તિ અહિંસામાં છે | |||
તેમ હું માનું છું. | |||
પણ બીજા બધા જ નૈતિક સિદ્ધાંતોની જેમ જ | |||
અહિંસા પણ હૃદયના ઊંડાણમાંથી પ્રગટ થવી જોઈએ | |||
અને કોઈ તાકીદના કારણસર બહારથી લાદેલી હોવી ન જોઈએ. જગતની મહાન વિભૂતિઓએ મુખ્યત્વે આધ્યાત્મિક પ્રગતિ માટે | |||
પ્રેમ, ક્ષમા અને અહિંસાનો બોધ આપ્યો છે | |||
નહીં કે રાજકારણ કે તેના જેવા ક્ષેત્રમાં સફળતા મેળવવા. | |||
જેમણે પહેલાં સ્વાર્થનો માર્ગ જ અપનાવ્યો હોય | |||
તેવા માણસોનો વિશાળ સમુદાય | |||
અચાનક જ અહિંસાનો માર્ગ અપનાવે તો | |||
તેમનું ધ્યેય નિશ્ચિત સમયમાં હાંસલ કરવામાં | |||
પડતી મુશ્કેલીઓથી એ વિભૂતિઓ માહિતગાર હતી. | |||
કોઈ બાહ્ય પરિણામની તીવ્ર ઇચ્છાનું દબાણ હોય | |||
તો માણસો તેમની સ્વભાવગત ટેવોને મર્યાદિત સમય માટે | |||
કાબૂમાં રાખી શકેે તે વાત નિર્વિવાદ છે. | |||
પણ એક વિશાળ સમુદાય | |||
જેની પરંપરા અને સંસ્કૃતિની ભૂમિકા વૈવિધ્યપૂર્ણ હોય અને | |||
જે હેતુને માટે લાંબા સમયને માટે જટિલ લડત આપવાની હોય ત્યાં આવો કાબૂ રાખવાની શક્યતા હું જોતો નથી. | |||
દક્ષિણ આફ્રિકાની વાત જુદી જ હતી. | |||
મારી શક્તિઓની સીમા જાણતો હોઈ હું મારી જાતને મારા વ્યવસાયમાં જ વ્યસ્ત રહેવા દઉં છું | |||
જે અંધ શક્તિઓને હું કાબૂમાં ન રાખી શકું | |||
તેને છેડવાનું સાહસ કરવામાં હું માનતો નથી.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>: પાંચમી ફેબ્રુઆરીએ ચોરી ચોરામાં | |||
એક ઝનૂની ટોળાએ બાવીસ પોલિસોને જીવતા બાળી નાંખ્યા.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>ચોરી ચોરાના દુ:ખદ બનાવો | |||
આવનારા દિવસો પ્રતિ અંગુલિનિર્દેશ કરે છે. | |||
જો સાવચેતીનાં સખત પગલાં નહીં લેવામાં આવે | |||
તો ભારત સહેલાઈથી આ જ માર્ગે પ્રયાણ કરશે. | |||
આપણે સ્વાતંત્ર્યના સામ્રાજ્યમાં પ્રવેશ કરવો હોય | |||
તો સત્ય અને અહિંસાને અંતરમાં ઊતારવા પડશે. | |||
વધુ પ્રગતિ કે પછી વધુ અધોગતિને અટકાવવા માટે સામુદાયિક સવિનય ભંગની ચળવળને મુલત્વી રાખવાનું | |||
અને આવેગ અને ઉશ્કેરાટનું શમન અનિવાર્ય છે. | |||
હું આશા રાખું છું કે | |||
મારા આ પગલાથી કોઈ પણ કૉંગ્રેસી નિરાશ નહીં થાય પણ અવાસ્તવિકતા અને રાષ્ટ્રીય પાપના બોજામાંથી મુક્તિ અનુભવશે.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>માર્ચની દસમીએ ગાંધીજીની ધરપકડ કરવામાં આવી | |||
અને તેમના પર મુકદ્દમો ચલાવીને | |||
તેમને છ વર્ષની જેલ ફરમાવવામાં આવી. | |||
ગાંધીજી જ્યારે જેલમાં હતા | |||
ત્યારે લગભગ બે વર્ષ માટે | |||
રાષ્ટ્રીય આંદોલનો સ્થગિત થઈ ગયાં | |||
અને સ્વાભાવિક રીતે જ આ ચર્ચામાં પણ વિક્ષેપ પડ્યો. ફેબ્રુઆરી ૧૯૨૪માં ગાંધીજી જેલમાંથી છૂટ્યા અને…</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>(તારથી) અમને સૌને ખૂબ આનંદ થયો. | |||
(કાગળ) પ્રિય મહાત્માજી, | |||
તમને જેલમાંથી મળેલી મુક્તિની વધામણી આપવામાં મારે સમય નથી બગાડવો | |||
પણ જ્યારે તમારા સ્વાસ્થ્ય અને શાંતિમાં ખલેલ પહોંચાડવાની બીજાઓને મળતી અબાધિત સ્વતંત્રતાના ચિન્હો દેખાય | |||
ત્યારે હું શાંત કે નિષ્ક્રિય ન બેસી શકું. | |||
આ કટોકટીના સમયે | |||
હું ચાર્લીને તમારી પાસે મોકલી આપું છું. | |||
તે તેની આગવી રીતે તમને સાથ આપશે અને મદદ કરશે.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>આ થઈ અંગત વાત. | |||
માર્ચથી જુલાઈ ૧૯૨૪માં રવીન્દ્રનાથ | |||
ચીન અને જાપાન ગયા હતા. | |||
નવેમ્બરમાં આર્જેન્ટીના પહોંચતા જ | |||
એક અખબારી મુલાકાતમાં તેમણે કહ્યું,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>ગાંધી સાથે ત્રણ વર્ષ પહેલાં થયેલી | |||
એક વેદનાપૂર્ણ ચર્ચા પછી | |||
અમારા બંનેના રસ્તા જુદા થઈ ગયા છે | |||
અને અમારા કાર્યક્રમો ભિન્ન દિશામાં ચાલી રહ્યા છે. | |||
ગાંધી માત્ર હિંસા જ છે. … | |||
મારી યુરોપની યાત્રા દરમિયાન | |||
હું બધે જ ગાંધીને ભારતના એક વિચક્ષણ પ્રતિનિધિ તરીકે સન્માનતો હતો. | |||
પણ આ ગૌરવ સભર યાત્રા પછી સ્વદેશ પાછા ફરીને મેં જોયું કે મારી આશા પર પાણી ફરી વળ્યું હતું. | |||
મારા જીવનનો આ અત્યંત પીડાદાયી અનુભવ હતો. | |||
મેં જોયું કે ગાંધીના શબ્દોથી ઉશ્કેરાયેલી સમષ્ટિને | |||
જે કાંઈ પણ યુરોપિયન હોય તે ખપતું ન હતું. | |||
તેનાથી હિંસામાં પ્રાણ પૂરાતો હતો. | |||
અમે બંને મળ્યા અને ચર્ચા કરી. | |||
મેં તેમને પૂછ્યું કે | |||
આપણે પાશવી શક્તિનું પ્રતિનિધિત્વ કરીએ છીએ કે મગજનું? | |||
ગાંધીએ મને જણાવ્યું કે જે કાંઈ યુરોપિયન હોય, | |||
વિજ્ઞાન, વર્તણૂંક ઇત્યાદિ જે કાંઈ યુરપનું હોય, | |||
તે બધાંનો વિનાશ કરવો જ પડશે. | |||
તે ચર્ચા લાંબી ચાલી અને વેદનાપૂર્ણ હતી. | |||
અંતે મેં કહ્યું કે તમારા કાર્યક્રમો રાજકીય છે | |||
અને હું રાજકારણી નથી પણ કવિ અને કેળવણીકાર છું. | |||
આ સંવાદ પછી મેં એક સભાને સંબોધી | |||
જેમાં મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો કે | |||
હું શા માટે ગાંધીના કાર્યક્રમો સાથે સંમત નથી થતો. | |||
આ સભામાં વિશાળ મેદની હતી. | |||
મેં પ્રેમથી અને લાગણીપૂર્વક | |||
લંબાણથી હિંસામાં રહેલી વિસંગતિ સમજાવી | |||
અને માર્ગ બદલવાનું સૂચન કર્યું. | |||
મારા શબ્દોનું મૃત:પ્રાય મૌનથી સ્વાગત થયું. | |||
એ વિશાળ મેદનીમાંથી મારા શબ્દોનેે | |||
એક પણ તાળીએ વધાવ્યા નહીં. | |||
ફરી એક વાર મને લાગ્યું કે | |||
મારા પોતાના દેશમાં હું એકલો પડી ગયો છું.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>ફેબ્રુઆરી ૧૯૨૫માં રવીન્દ્રનાથ ભારત પાછા ફર્યા. | |||
ફરીથી જાહેરમાં ચર્ચાનો આરંભ થાય તે પહેલાં, | |||
મે ૧૯૨૫માં ગાંધીજીએ શાંતિનિકેતનની મુલાકાત લીધી. | |||
રવીન્દ્રનાથે તેમનું હાર્દિક અને કલામય સ્વાગત કર્યું.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>મારા રૂમમાં આ સોહાગ રાતના શણગાર કમ ક ે ર્યા છ?ે | |||
ક્યાં છ ને વવધૂ?</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>અમારા હૃદયની સદાબહાર રાણી, શાંતિનિકેતન | |||
આપનું સ્વાગત કરે છે.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>પણ તે મારા જેવા બોખા ભિક્ષુકની સામે | |||
નજર પણ નાંખશે?</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>અમારી રાણી તો સત્યને ચાહે છે | |||
અને ઘણાં વર્ષોથી તેની સાચા મનથી પૂજા કરતી આવી છે.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>થોડા જ સમય પછી ચર્ચાનો આરંભ થયો.</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>: ચરખાની ચળવળથી | |||
મારા મગજના ઊંડાણમાં કોઈ જ અસર થઈ નથી | |||
એમ કહેતાં હું જરા પણ ક્ષોભ અનુભવતો નથી. | |||
હું જોઈ રહ્યો છું કે | |||
જ્યારે ત્રાક ચલાવવા મટે હાથ રાજી નથી હોતા | |||
ત્યારે મોઢેથી તેના વખાણ કરવામાં આવી રહ્યા હોય છે. | |||
હું દૃઢતાપૂર્વક માનું છું કે સમુદાયના માનસ ઉપર અજમાવવામાં આવતું સમજુતીનું તીવ્ર દબાણ | |||
તેને માટે સુપથ્ય નથી. … | |||
આનો પ્રત્યાઘાત તો આવશે જ | |||
અને તેના પરિણામે ભ્રમ દૂર થતાં | |||
રહી જશે શિથિલ ચરિત્રમાંથી ઉદ્ભવતી હતાશા. | |||
હિંદુ-મુસ્લિમ એકતાની તક ઉજળી છે | |||
એવો આભાસ થતાં જે જબરદસ્ત ભાવોન્માદ પ્રગટ્યો હતો તેનો અનુભવ તાજો જ છે. | |||
કોઈ વિશ્વસનીય વ્યક્તિના ચીંધેલા | |||
આડરસ્તાના પ્રલોભનોમાંથી બચવાનું | |||
આપણી પ્રજા માટે શક્ય નથી | |||
તેથી જ ચરખામાં મૂકાતી સામુદાયિક અંધશ્રદ્ધાનો | |||
મને ભય છે. | |||
કોઈ વળી એમ પણ કહે છે કે | |||
બીજું બધું જ બાજુએ મૂકીને | |||
માત્ર કાંતવાનું જ અમે નથી કહેતાં. | |||
પણ તેઓ બીજા કોઈ પણ અગત્યના કામની વાત પણ નથી કરતા. સ્વરાજ મેળવવાના એકમાત્ર સાધનની વાત ચાલે છે | |||
તે સિવાય સૌ મૌન ધારણ કરીને બેઠા છે. | |||
આવું મૌન બોલાયેલા શબ્દો કરતાં પણ વધુ શક્તિશાળી નથી? | |||
આવા મૌનની ભૂમિકામાં | |||
ચરખાના અવાજને અનુચિત પ્રાધાન્ય નથી મળતું? | |||
શું ચરખો ખરેખર એટલો મહાન છે? | |||
કરોડો ભારતીયોના | |||
પ્રકૃતિ અને ક્ષમતાના વૈવિધ્યને અવગણીને | |||
તેમની એકનિષ્ઠ ભક્તિ | |||
ચરખા પ્રતિ દોરી જવાનું ઉચિત કહેવાય | |||
એવું દિવ્ય તત્વ ચરખામાં છે? | |||
દરેક ભક્તની અંજલિ | |||
સ્વરાજના મંદિરમાં પ્રસ્થાપિત ચરખા દેવીને જ સમર્પિત થશે એવી આશા રાખી શકાય? | |||
આપણો દેશ તો રૂઢિ અને કર્મકાંડની ભૂમિ છે | |||
તેથી જ આપણને ઈશ્વર કરતાં | |||
તેની પૂજા કરતા પૂજારીના ચરણકમલમાં વધુ શ્રદ્ધા હોય છે. | |||
આવા જ દેશમાં પ્રજા ચરખાને મુક્તિનું પ્રતીક માની શકે | |||
અને કોઈ ભ્રામક લાલચથી અંજાઈને આજ્ઞાપાલન કરતા લોકો એક ખૂણામાં એકલા બેસીને કાંત્યા કરી શકે | |||
અને સ્વપ્ન જોયા કરે કે | |||
સ્વરાજનો રથ આપમેળે તેમના ચરખાના ભ્રમણ સાથે | |||
પોતાની વિજયયાત્રાના પથ પર આગળ વધશે. | |||
ભારતમાં બધાંની વચ્ચે ધર્મની બાબતમાં ઐક્ય સાધવું શક્ય નથી. | |||
રાજકીય મંચ ઉપર ઐક્ય સાધવાનો પ્રયત્ન હજી તાજો કહેવાય અને તેને સમષ્ટિ સુધી પહોંચતા હજી સમય લાગશે. | |||
તેથી અર્થશાસ્ત્રના ધર્મમાં | |||
આપણે ઐક્ય સાધવાનો પ્રયત્ન કરવો જોઈએ. | |||
આનાથી વિશાળ બીજું કોઈ પણ ક્ષેત્ર આપણી પાસે નથી; | |||
અહીં ઊંચ-નીચ, જ્ઞાની અને અજ્ઞાની, બધાંને તક મળી શકે તેમ છે. | |||
અહીં લડાઈ ઝગડા ટાળીને | |||
જો આપણે સાબિત કરી શકીએ કે | |||
સ્પર્ધા નહીં પણ સહકારમાં જ સત્ય સમાયું છે | |||
તો આપણે શેતાન પાસેથી | |||
શાંતિ અને સદ્ભાવનાનું એક વિશાળ સામ્રાજ્ય | |||
પ્રાપ્ત કરી શકીશું. | |||
ઘરે કાંતેલા સૂતર અને કાપડના ઉત્પાદનથી | |||
ગરીબી દૂર કરી શકાય | |||
એવી માન્યતાને સ્વીકારીને અત્યાર સુધી ચર્ચા કરવામાં આવી છે. | |||
પણ જેમનો આ વિષય છે તેમને આ માન્યતા જ સ્વીકાર્ય નથી. | |||
મારા જેવા અજ્ઞાનીએ આ વિવાદમાં પડવું જ ન જોઈએ. | |||
મારી ફરિયાદ તો માત્ર એટલી જ છે કે | |||
આ ચરખા અને સ્વરાજ વચ્ચેના ગૂંચવાડાને કારણે | |||
દેશનું ધ્યાન સ્વરાજને બદલે બીજી જ દિશામાં જતું રહે છે. | |||
આપણા દેશના કલ્યાણ માટેની આ લડતમાં | |||
ચરખાને અગ્રસ્થાન આપવાથી | |||
આપણી અપમાનિત બુદ્ધિ હત:પ્રાય નિષ્ક્રિયતામાં સરી પડશે. | |||
દેશના કલ્યાણનું સ્પષ્ટ અને મહાન ચિત્ર | |||
જો પ્રસ્તુત કરવામાં આવે | |||
તો દરેક દેશવાસી પોતાનું શ્રેષ્ઠતમ આપીને | |||
એવા રસ્તા પર પ્રયાણ કરે | |||
જેમાં તેમની સમગ્ર પ્રવૃત્તિ એ જ ધ્યેય પ્રતિ આગળ વધતી હોય. | |||
સૂતર અને કાપડના મોટા ઢગલા | |||
એ કાંઈ કલ્યાણના ચિત્ર માટે સુયોગ્ય વિષય નથી. | |||
એ તો એક ગણતરીબાજનું દર્શન છે; | |||
તેનાથી એવી અગણિત શક્તિને ઉત્તેજના ન મળે | |||
જે પરમ જ્ઞાન માટે વેદના અને મૃત્યુ પણ સ્વીકારે | |||
અને ટીકા કે નિષ્ફળતા પણ ધ્યાનમાં ન લે. | |||
હું માનું છું કે મુખ્ય જરૂરિયાત છે | |||
દેશભરમાં નાના કેન્દ્રો ઊભા કરવાની, | |||
જ્યાં સ્વરાજપ્રાપ્તિ દેશની પોતાની જવાબદારી છે | |||
એવી ભાવનાને અભિવ્યક્તિ મળે. | |||
બીજા શબ્દોમાં કહીએ તો | |||
પોતાના સમગ્ર કલ્યાણ માટે, માત્ર ઘરે કાંતેલા સૂતર માટે નહીં! | |||
સ્વાસ્થ્ય, પ્રવૃત્તિ, તર્ક, શાણપણ, આનંદ | |||
બધી જ સામગ્રીનો ઉપયોગ સંપૂર્ણ કલ્યાણ માટે થવો જોઈએ. | |||
તેથી દેશના વિવિધ ભાગોમાં એવા કેન્દ્રો ઊભા કરવા જોઈએ | |||
જે સ્વાસ્થ્ય, શાણપણ અને સમૃદ્ધિથી સભર જીવનનું | |||
ઉદાહરણ પૂરું પાડી શકે. | |||
બાકી કાંતવાથી કે ખાદી વણવાથી કે ચર્ચા કરવાથી | |||
આપણે સ્વરાજનો સાચો અર્થ નહીં સમજાવી શકીએ. | |||
આપણે જે ભારતભરમાં મેળવવું છે | |||
તે પહેલાં તેના કોઈ એક નાના ખૂણામાં મેળવવું જોઈએ. | |||
જ્યારે સામૂહિક આત્મનિર્ધારના પરિચય, આચરણ અને ગૌરવનો દેશમાં વ્યાપક પ્રચાર થશે | |||
ત્યારે જ આવા વિશાળ અને કાયમી પાયા ઉપર | |||
સાચા સ્વરાજનું પ્રસ્થાપન થશે. | |||
જે ગામડાંના લોકો સાથે હળીમળીને | |||
પોતાના અન્ન, સ્વાસ્થ્ય અને કેળવણીના પ્રશ્નો હલ કરશે | |||
અને તેમાંથી આનંદ મેળવશે | |||
તેઓ સ્વરાજના પથ પર એક દીપક પ્રગટાવશે. | |||
ત્યાર બાદ એક પછી એક બીજા દીવા પ્રગટાવતા | |||
સ્વરાજના પથ પર આગળ વધવું સહેલું થઈ જશે. | |||
આ બધું અંતર્ગત પ્રક્રિયાના જીવંત વિકાસથી સાધી શકાય, ચરખાના યાંત્રિક પરિભ્રમણથી નહીં! | |||
કોઈ પણ સિદ્ધાંત કે પદ્ધતિની બાબતે | |||
મહાત્મા ગાંધીથી જુદો મત ધરાવવો | |||
મારે માટે અત્યંત દુ:ખદાયક છે. | |||
જેમને માટે આટલો પ્રેમ, આદર અને સન્માન હોય | |||
તેમની સાથે મળીને કામ કરવાથી વધારે આનંદ શામાં હોઈ શકે? | |||
મારે માટે મહાત્માજીના નૈતિક વ્યક્તિત્વથી | |||
વધુ આશ્ચર્યકારક કાંઈ જ નથી. | |||
દિવ્ય કૃપાથી તેમની પાસે વજ્રસમી ઝળહળતી શક્તિ છે. | |||
આ શક્તિથી તે ભારતને સામર્થ્ય પ્રદાન કરે, ગૂંગળાવે નહીં | |||
એવી મારી પ્રાર્થના છે. | |||
અમારામાં રહેલી પ્રકૃતિગત ભિન્નતાને કારણે | |||
તેમના કાર્યક્ષેત્રને મારો અંતરાત્મા પોતાનું ગણીને | |||
સ્વીકારી શકતો નથી. | |||
કેટલીય વાર મારી અંગત આદરપૂર્ણ ભાવનાઓએ | |||
મને આગ્રહ કર્યો છે કે | |||
હું ગાંધીજીના ચરખા સંપ્રદાયનેે અનુસરું, | |||
પણ મારો અંતરાત્મા અને બુદ્ધિ હંમેશા આડે આવ્યાં છે. | |||
જો ચરખાને તેને મળવું જોઈએ | |||
તેનાથી વધુ ઊંચું સ્થાન આપવામાં આવશે | |||
તો સર્વવ્યાપી પુનરૂત્થાનના કાર્યક્રમમાં | |||
વધુ અગત્યના પરિબળોને બદલે બીજી તરફ ધ્યાન ખેંચાશે | |||
અને હું તેની જવાબદારી લેવા માંગતો નથી. </poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>સર રવીન્દ્રનાથનો ચરખાની ટીકા કરતો લેખ | |||
થોડા સમય પહેલાં છપાયો | |||
ત્યારે મિત્રોએ મને તેનો જવાબ આપવા જણાવ્યું હતું. | |||
તેમની ટીકાથી હું જરા પણ નારાજ નથી થયો. | |||
માત્ર મતભેદથી શા માટે નારાજ થવું જોઈએ? | |||
મને તો સ્પષ્ટ ચર્ચાથી આનંદ થાય છે. | |||
મતભેદથી તો મૈત્રી વધુ મજબૂત બને છે. | |||
મતભેદમાં તીખાશ કે કડવાશ ન હોવી જોઈએ. | |||
અને મારે સાભાર કહેવું જોઈએ કે | |||
કવિની ટીકામાં આનો અંશમાત્ર નથી. | |||
મારે આ પ્રાસ્તાવિક ટિપ્પણી કરવી પડે છે કારણ કે | |||
એવી અફવા છે કે ઈર્ષા આ બધી ટીકાના મૂળમાં છે. | |||
આવી પાયા વિનાની શંકા | |||
અશક્તિ અને અસહિષ્ણુતા તરફ આંગળી ચીંધે છે. | |||
ભલા, કવિને મારી ઈર્ષા કરવાનું શું કારણ? | |||
જ્યાં સ્પર્ધાની શક્યતા હોય ત્યાં ઈર્ષાને સ્થાન હોઈ શકે. | |||
હું તો જીવનમાં ક્યારેય એક પણ પ્રાસ મેળવી શક્યો નથી! | |||
મારામાં કવિત્વનો છાંટોય નથી. | |||
હું વળી ક્યાંથી તેમની મહાનતાની આકાંક્ષા સેવી શકું? | |||
તે તો કાવ્યશાસ્ત્રના પંડિત છે તેમાં કોઈ શંકા નથી. | |||
આખાય જગતમાં તેમના જેવો કવિ શોધ્યો મળે તેમ નથી. | |||
બધાંએ તેમને આપેલી કવિની પદવી સામે | |||
મારી મહાત્માગીરીનું કોઈ જ મહત્વ નથી. | |||
અમારા કાર્યક્ષેત્રો સાવ જુદા જ છે | |||
અને તેમાં ક્યાંય એકબીજાની સીમા ઓળંગાતી નથી. | |||
હું તો કોઈના બનાવેલા ચરખાનો ગુલામ છું. | |||
કવિ તો તેમની વાંસળીના સૂર પર ગોપીઓને નચાવે છે. | |||
મારે તો સીતા સમાન મારા ચરખાને | |||
જાપાન, માન્ચેસ્ટર અને પેરિસ જેવા | |||
દસ માથાવાળા દાનવ પાસેથી છોડાવવાનો છે. | |||
કવિ તો સર્જક છે – તે સર્જે, વિનાશ કરે અને ફરીથી સર્જે. | |||
હું તો શોધક છું અને એક વાર જે મળે | |||
તેને પકડીને મારે તો બેસી રહેવું પડે. | |||
અમારા બે વચ્ચે સ્પર્ધાનો કોઈ સવાલ જ નથી આવતો. | |||
પણ હું નમ્રતાથી કહી શકું કે | |||
અમારા બેની પ્રવૃત્તિ એકબીજાની પૂરક છે. | |||
કવિ યંગ ઇન્ડિયા વાંચતા નથી | |||
અને એમને એની જરૂર પણ નથી. | |||
તે જે કાંઈ અમારા કાર્યક્રમ વિશે જાણે છે | |||
તે તેમણે સાંભળેલું છે. | |||
તેથી તેમણે પોતે કલ્પેલા ચરખાના અતિરેકની ટીકા કરી છે. | |||
આળસ ખંખેરીને જે લોકો સહકારનું મહત્વ સમજ્યા છે, | |||
તેવા લોકોની વચ્ચે અને ચરખાની આસપાસ | |||
રાષ્ટ્રીય સેવકો મેલેરિયા વિરોધ, સ્વચ્છતા સુધારણા, | |||
ગામના વિવાદોનું નિવારણ, ઢોરોનું પ્રજનન અને સ્વાસ્થ્ય અને બીજા અનેક સર્જનાત્મક કાર્યક્રમો હાથ પર લઈ શકે. | |||
જયાં જ્યાં ચરખાનું કામ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે | |||
ત્યાં બધે જ આવી સુધારક પ્રવૃત્તિ | |||
ગામના લોકોની અને સેવકોની ક્ષમતા મુજબ ચાલી રહી છે. મારો હેતુ કવિની બધી જ દલીલો અંગે | |||
વિગતવાર ચર્ચા કરવાનો નથી. | |||
જે મુદ્દે અમારી વચ્ચે પાયાના મતભેદ નથી | |||
તે બધાંમાં હું કવિની દલીલોનું સમર્થન કરતો હોવા છતાં ચરખાની બાબતમાં મારા દૃષ્ટિકોણને વળગી રહું છું. | |||
ચરખા અંગે તેમણે એવા મુદ્દાઓની ઠેકડી ઊડાવી છે | |||
જેનું પ્રતિપાદન મેં કર્યું જ નથી. | |||
મેં વર્ણવેલા ચરખાના ગુણોને કવિના આક્ષેપોથી | |||
કાંઈ જ હાનિ થતી નથી. | |||
અમારી વચ્ચેના મતભેદો છતાં, | |||
તેઓ જાણે છે તેમ, | |||
હું તેમને આદર અને સન્માનના ભાવથી જોઉં છું.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>આ ચર્ચાનો દોર ચાલતો હતો ત્યારે | |||
ગાંધીજીએ રવીન્દ્રનાથને સર તરીકે સંબોધન કર્યું હતું | |||
તે અંગે જાતજાતની વાતો થવા માંડી હતી કારણ કે જલિયાનવાલા બાગની ઘટના પછી | |||
રવીન્દ્રનાથે વાઇસરોયને એ ખિતાબ પાછો લઈ લેવા | |||
વિનંતી કરી હતી એ વાત સૌને સુવિદિત હતી. | |||
ઘણાંને એમ લાગતું હતું કે | |||
આવો કટાક્ષ મહાત્માને ન શોભે.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>મેં વિશ્વ ભારતીના અગ્રગણ્ય અધ્યાપક, | |||
શ્રી વિદુશેખર શાસ્ત્રીને પત્ર લખ્યો, | |||
ડિસેમ્બર ૨૧, ૧૯૨૫ | |||
પ્રિય શાસ્ત્રી મહાશય, | |||
મારે પત્ર કોને લખવો તે હું નક્કી કરી શકતો ન હતો. | |||
આપને લખું, કે પછી સીધો જ ગુરુદેવને પત્ર લખું | |||
કે રામાનંદબાબુને? | |||
આખરે મેં આપને લખવાનું નક્કી કર્યું છે | |||
અને આ પત્ર ગુરુદેવને અને રામાનંદબાબુને બતાવવો કે નહીં તેનો નિર્ણય આપના પર છોડું છું. | |||
રા.બાબુનો મૉડર્ન રિવ્યુમાં આવેલો લેખ | |||
મને વાંચી સંભળાવવામાં આવ્યો હતો. | |||
મારે કહેવું જ જોઈએ કે મને વાંચીને અત્યંત દુ:ખ થયું હતું. | |||
હું જાણું છું કે તે જાણીને | |||
કોઈને માટે ગેરસમજણ ઊભી કરે તેવા નથી. | |||
મારું કમનસીબ છે કે | |||
સાવ શુદ્ધ ભાવનાથી લખાયેલા મારા લખાણમાં | |||
તેમના જેવા માણસને પણ કાંઈક અયોગ્ય લાગ્યું. | |||
જો ગુરુદેવને પણ એમ જ લાગ્યું હોય | |||
તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. | |||
હવે તો હું માત્ર મારી કેફિયત રજુ કરીને | |||
શાંતિનિકેતનના દરેક મિત્રને તેનો સ્વીકાર કરવાની વિનંતી કરી શકું. | |||
ગુરુદેવનો ખિતાબ અજ્ઞાનથી | |||
કે અજાણતાં વાપર્યો ન હતો. | |||
હું જાણતો હતો કે તેમણે તેનો ત્યાગ કર્યો ન હતો | |||
પણ તેમણે તે પાછો ખેંચી લેવા માટે કહ્યું હતું. | |||
પણ તે ખિતાબ પાછો ખેંચી લેવાયો ન હતો. | |||
મેં અને ઍન્ડ્રુઝે આ બાબતની ચર્ચા પણ કરી હતી | |||
અને અમે એવા નિર્ણય ઉપર આવ્યા હતા કે | |||
જે ખિતાબ પાછો નથી લેવાઈ ગયો | |||
તેને માટે આપણે, એટલે કે ગુરુદેવના મિત્રોએ, | |||
ખોટી ધાંધલ ન કરવી જોઈએ. | |||
અમને એમ પણ લાગ્યું કે | |||
યોગ્ય સમયે તેનો ઉપયોગ કરવો વિવેકપૂર્ણ કહેવાય. | |||
આવા ખિતાબોના બહિષ્કારથી કેવું ઝેર રેડાયું છે | |||
તે હું જાણતો હોવાથી | |||
મેં જાણીને ખિતાબ ધરાવનાર વ્યક્તિઓને | |||
ખિતાબ સાથે સંબોધન કર્યું છે | |||
જેથી એમ ન લાગે કે ખિતાબોનો ઉપયોગ કરવો કોઈ ગુનો છે. | |||
આમ ગુરુદેવને માટેના આદરને ધ્યાનમાં રાખીને | |||
મેં ખિતાબનો ઉપયોગ કર્યો હતો. | |||
એનો ઉપયોગ એટલો સહજ રીતે થયો હતો કે | |||
રામચન્દ્રન્નો પત્ર આવ્યો અને મહાદેવે મારું ધ્યાન ખેંચ્યું | |||
ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે મેં એનો ઉપયોગ કર્યો છે! | |||
ઈર્ષાની વાત અંગે રામાનંદબાબુ અને બીજા મિત્રોને જણાવજો કે એકથી વધારે બંગાળી મિત્રો | |||
તેમ જ કેટલાક ગુજરાતી મિત્રો અને બીજાઓએ પણ | |||
આ વાતનો ઉલ્લેખ એ જ સંદર્ભમાં કર્યો હતો. | |||
મારે ઉમેરવું જોઈએ કે | |||
મેં તેમની સાથે પણ ચોખવટ કરી હતી. | |||
મને જ્યારે ખબર પડી કે | |||
કેટલાંક વર્તુળોમાં આ માન્યતાનો | |||
બહોળો પ્રચાર થયેલો છે ત્યારે મને થયું કે | |||
મારે યંગ ઈન્ડિયાનો આશરો લેવો જોઈએ. | |||
રા.બાબુને કવિના અન્ય ગુણોનો ઉલ્લેખ કરતાં જોઈ | |||
મને આશ્ચર્ય થયું. | |||
આપની સંમતિથી મને કહેવા દો કે | |||
તે કવિની અનુપમ કવિતાની તોલે આવી શકે તેમ નથી. | |||
એક સુધારક તરીકે હું તેમની સાથે વિવાદમાં ઊતરી શકું. | |||
પણ એક કવિ તરીકે તેમનું સ્થાન અદ્વિતીય છે. | |||
આજે જગતમાં અનેક સુધારકો છે | |||
પણ કોઈ પણ પ્રજામાં તેમના જેવા કવિ મળવા અસંભવ છે. | |||
તે એક મહાન કેળવણીકાર છે | |||
પણ તેમણે જ મને કહ્યું હતું કે | |||
આ બોધપાઠની વાતો એ તો તેમની લીલા છે. | |||
તેમના બીજા ગુણો ઘણા ઉમદા હોઈને પણ | |||
તેમની તુલના તેમની કવિતા સાથે કરવી | |||
એ તેમની કવિતાની સર્વોપરિતાને અવગણવા બરાબર છે. | |||
હું તો આમ માનું છું. | |||
અંતે મારી નમ્ર વિનંતી છે કે મેં જ્યારે લેખ લખ્યો | |||
ત્યારે મારા મનમાં કોઈ પણ જાતની દ્વેષયુક્ત લાગણી ન હતી. | |||
મેં તો માત્ર ટીકાકારોનું મોં બંધ કરવા માટે | |||
અને અમારી વચ્ચેના મતભેદને કારણે | |||
મારો તેમને માટેનો આદર અને સન્માન ઓછા નથી થયા | |||
એનો પુરાવો આપવા માટે જ લખ્યું હતું. | |||
માટે તમને સૌને ફરી એકવાર વિનવું છું કે | |||
મને તમારામાંનો જ એક ગણજો | |||
અને કવિ કે તેમના કર્તવ્ય અંગે મારા મનમાં ક્યારેય ગેરસમજુતી થઈ શકે જ નહીં એમ માનજો. | |||
મને ન તરછોડવા તેમ જ | |||
મારે અંગે કોઈ પણ જાતની ગેરસમજુતી ન રાખવા વિનંતી. | |||
રા.બાબુની પાસે | |||
તેમને મારો ખુલાસો સ્વીકાર્ય છે તેવી સ્પષ્ટતા કરાવશો. | |||
અને કવિની પાસેથી ખાતરી મેળવી શકશો કે | |||
તેમના મનમાં મારે અંગે કોઈ ગેરસમજુતી નથી રહી? | |||
તમને યોગ્ય લાગે તે સર્વેને આ પત્ર બતાવશો. | |||
સપ્રેમ તમારો,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>પ્રિય મહાત્માજી, | |||
અમારા શાસ્ત્રી મહાશયને લખેલો તમારો પત્ર મેં જોયો છે. | |||
તમારી ઉમદા ચેતના તેમાં છલકે છે. | |||
હું તમને ખાતરી આપું છું કે | |||
તમે જેને સત્ય માનતા હો | |||
તેને માટે મારા પર સખત પ્રહાર પણ કરશો | |||
તો પણ આપણા પરસ્પર સન્માન ધરાવતા સંબંધોને આંચ નહીં આવે. | |||
નમસ્કાર સાથે,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>અંગત સ્તરે છવાયેલી શાંતિ છતાં | |||
તર્ક અને રાજકીય અનુકૂળતા વચ્ચેના આંતરિક વિગ્રહનો પ્રક્ષુબ્ધ કોલાહલ યથાવત જ હતો. | |||
સુવિખ્યાત ફ્રેન્ચ તત્વચિંતક અને જૂના અંગત મિત્ર, | |||
રોમાં રોલાંને રવીન્દ્રનાથે લખ્યું,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>મારા અત્યંત પ્રિય મિત્ર, | |||
…મારો ભારતવાસ મારા મન પર મહાન બોજો લાદી રહ્યો છે. | |||
નૈતિક એકલતાના સતત અને અદૃશ્ય દબાણનું દમન | |||
હું અનુભવી રહ્યો છું. | |||
મહાત્મા ગાંધી સાથે હાથ મેળવીને | |||
પ્રવર્તમાન પ્રચલિત પ્રવાહને તાબે થઈને | |||
હું વહેતો રહી શકતો હોત તો કેવું સારું થાત! | |||
સત્યની સમજ અને શોધના અમારા માર્ગ | |||
ધરમૂળથી જુદા છે એ હકીકતનો સ્વીકાર | |||
હવે મારે કરવો જ રહ્યો. | |||
આજે મહાત્મા સાથે અસંમત થઈને | |||
ભારતમાં શાંતિથી રહેવું અસંભવ થઈ ગયું છે. | |||
તેથી હું આવતા માર્ચમાં અપેક્ષિત છૂટકારાની | |||
અધીરાઈથી પ્રતીક્ષા કરી રહ્યો છું. | |||
હું જાણું છું મારા યરોપના મિત્રો મારા સાચા સમભાવી છે અને તેમની સહાનુભૂતિ મારી વર્તમાન શ્રાંત પરિસ્થિતિમાં આરોગ્યવર્ધક ઔષધિનું કામ કરશે. | |||
સપ્રેમ, સદા તમારો,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>ગાંધીજીના અનુયાયી, મીરાબહેને | |||
શાંતિનિકેતનની મુલાકાત પછી | |||
૧૯૨૯ના જાન્યુઆરીની બારમી તારીખે રવીન્દ્રનાથને લખ્યું, | |||
…હવે મને સમજાય છે કે શાંતિનિકેતન અને સાબરમતી એક જ માતૃભૂમિની બે દીકરીઓ છે. | |||
બંનેને પોતાનું આગવું સૌંદર્ય છે – | |||
ભલે તે દેખાવમાં જુદી હોય | |||
પણ તેમનામાં રહેલું મૂળભૂત સામ્ય | |||
એક જ માબાપનાં સંતાનોમાં હોય તેવું છે.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>માનવીના જીવનના બે સ્વરૂપ હોય છે. | |||
એક છે સત્યનું શિસ્ત અને બીજું અભિવ્યક્તિની પૂર્ણતા. | |||
સાબરમતીમાં સત્યનું શિસ્ત છે | |||
કારણ કે મહાત્માજી જન્મ્યા છે સત્યના વિશુદ્ધ અગ્નિમાંથી | |||
– | |||
તેમની પ્રકૃતિએ તેની સાથે તાદાત્મ્ય સાધ્યું છે. | |||
કવિ હોવાથી મારું કર્તવ્ય છે | |||
જીવનની પૂર્ણતાની અભિવ્યક્તિ કરવાનું | |||
અને મને આશા છે કે | |||
શાંતિનિકેતનની દરેક પ્રવૃત્તિમાં આ આદર્શ પ્રગટ થાય છે. | |||
ઉપનિષદના મત મુજબ તપસ્યા અને આનંદ વચ્ચેના વિરોધાભાસનું સમાધાન સર્જનના મૂળમાં રહેલું છે. | |||
મહાત્માજી તપસ્યાના પયગંબર છે અને હું આનંદનો કવિ છું.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>જાન્યુઆરી ૧૯૩૦માં બંને સાબરમતી આશ્રમમાં મળ્યા | |||
અને વિવિધ વિષયો ઉપર તેમણેે ચેતનાપૂર્ણ ચર્ચા કરી હતી. | |||
રવીન્દ્રનાથને શરદી થઈ હતી | |||
અને થાક અને વધતી વયનાં ચિન્હો | |||
તેમના પ્રભાવશાળી ચહેરા પર દેખાતાં હતાં.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>મહાત્માજી, મને હવે સિત્તેર થયાં, | |||
તમારા કરતાં મારી વય ઘણી વધારે છે.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>પણ સાઠ વર્ષનો ડોસો નાચી નથી શકતો | |||
જ્યારે સિત્તેરનો યુવાન કવિ નાચે છે!</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>એ વાત સાચી. | |||
સાંભળ્યું છે કે | |||
તમે ફરી ધરપકડથી આરામ મેળવવાની તૈયારી કરી રહ્યા છો. | |||
ક્યારેક મને પણ આવી તક મળે તો સારું.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>પણ તમારી વર્તણૂંક એવી હોવી જોઈએને.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>મહાત્માજી, દેશને માટે તમારો શું કાર્યક્રમ છે? | |||
તમે એક વખત સંપૂર્ણ સ્વરાજ મેળવવાની ઘોષણા કરો | |||
અને પછી કોઈ કાર્યક્રમ ન હોય તો | |||
તેનાથી આપણી વિશ્વસનીયતાનો વિનાશ નહીં થઈ જાય?</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>હું દિવસરાત એનો જ વિચાર કરી રહ્યો છું | |||
પણ મને આસપાસના અંધકારમાંથી | |||
પ્રકાશનું કિરણ આવતું નથી દેખાતું. | |||
આપણને અસરકારક પ્રતિકારનો કાર્યક્રમ ન પણ સૂઝે | |||
તોય આપણે જાહેર તો કરવું જ રહ્યું કે | |||
આપણું ધ્યેય સ્વરાજ છે | |||
કારણ કે સાંસ્થાનિક સ્વરાજનો અર્થ | |||
આપણે સમજતા હતા તેનાથી જુદો જ કરવામાં આવે છે.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>આપણને એમ લાગવું જોઈએ કે | |||
આપણે આપણો દેશ ગુમાવી બેઠા નથી. | |||
હાલમાં તો આપણા દેશને આપણો માનવો | |||
એ પણ એક ભ્રમણા સમાન છે. | |||
એ વિશ્વાસ અને આપણા દેશનુું આધિપત્ય આપણો હક છે | |||
એવી દૃઢ માન્યતા સાથે શરૂઆત કરવી જોઈએ. | |||
હું અમેરિકાથી નીકળ્યો ત્યારે મને આશા હતી કે | |||
તમે સમગ્ર દેશ માટે | |||
એક સંપૂર્ણ સેવાભાવી સંગઠનનું માળખું તૈયાર કરશો | |||
જેમાં દરેક પોતપોતાની શક્તિ પ્રમાણે સેવા આપી શકે. | |||
તમે જો મને કેળવણીનું કામ સોંપો | |||
તો હું મારી સેવા આપવા તૈયાર છું. | |||
દેશમાં સુષુપ્ત પડેલી શક્તિઓને શોધીને | |||
તેમનો ઉપયોગ કરવો જોઈએ. | |||
એક સમય એવો હતો જ્યારે આ બધું શક્ય હતું. | |||
હવે તેને માટે થોડું મોડું થઈ ગયું છે. | |||
દુનિયાની કોઈ પણ સત્તા | |||
દેશને સેવાઓ, સ્વચ્છતા અને શિક્ષણ મળતું અટકાવી શકે નહીં. | |||
તમારા સિવાય બીજું કોઈ | |||
આવું સેવાભાવી સંગઠન ઊભું કરી શકે | |||
એમ મને નથી લાગતું. | |||
સુભાષ સમાંતર સરકારની વાતો કરે છે. | |||
કદાચ તેણે એ વિચાર મારા ભાષણમાંથી લીધો હશે. | |||
મને લાગતું હતું કે હું અમેરિકાથી પાછો ફરીશ | |||
ત્યારે તમે મને બોલાવશો. | |||
જનતાનો વિશ્વાસ ધરાવતી વ્યક્તિની | |||
આપણે જરૂર છે અને તમે તે ધરાવો છો. | |||
મને લાગે છે કે સ્વતંત્રતા માટે એ જ સાચો કાર્યક્રમ છે. | |||
પહેલાં ઘોષણા કરવી કે અમે સ્વતંત્ર છીએ, | |||
અમે અમારો વહીવટ જાતે જ કરીશું | |||
અને અમે અમારા દેશની સેવા કરવાનો પ્રયત્ન કરીશું.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>સમય તે વખતે પણ પાક્યો ન હતો અને હજી પણ નથી. | |||
વાતાવરણમાં પરિણામ આવે તેવાં એંધાણ નથી દેખાતાં. | |||
પ્રજાની જરૂરિયાતોને અનુરૂપ સંગઠન ઊભું કરવા માટે | |||
હું વિચારી રહ્યો છું. | |||
મને ક્ષણમાત્ર માટે પણ નથી લાગતું કે | |||
મેં મારી પકડ ગુમાવી છે. | |||
કદાચ આજે મારી પકડ વધુ મજબૂત હશે. | |||
આપણી પાસે શૈક્ષણિક સંસ્થાનો ચલાવવા માટે | |||
જોઈએ તેટલાં સંપત્તિ અને સાધનો નથી. | |||
અનેક સામાજિક દૂષણો છે. | |||
તમને આકર્ષી શકે તેવું મારી પાસે કાંઈ જ નથી | |||
અને મારે તમારા નામનો દુરુપયોગ નથી કરવો. </poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>મને આશા છે કે સમગ્ર દેશને સ્વીકાર્ય કાર્યક્રમ તમને સૂઝશે.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>એક વખત એ સૂઝી જાય | |||
પછી ઇંગ્લૅન્ડને પણ લાગશે કે હવે સત્તા હાથમાંથી ગઈ. | |||
એક વખત મને કાર્યક્રમ સૂઝે | |||
પછી હું પરિણામની પરવા કર્યા વિના | |||
વિશ્વાસપૂર્વક આગળ વધીશ. | |||
હજારોનો સંહાર થશે. | |||
આજે મારી પાસે નથી | |||
પણ થોડા જ સમયમાં મને સૂઝશે. | |||
એને અમલમાં મૂકવાનું આજે સ્વપ્ન જોવા જેવું લાગશે | |||
પણ મને આવી બાબતનોે અનુભવ છે. | |||
આનું સમાધાન આપોઆપ થશે | |||
અને સ્વતંત્રતાના થર્મોમીટરનું ઉષ્ણતામાન વધતું જ જશે.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>મને તો જેમજેમ વિચારો આવે છે તેમ હું બોલ્યે જાઉં છું. | |||
હું જ્યારે તમારી અસહકારની વાત સાથે સંમત થતો ન હતો | |||
ત્યારે મેં કહ્યું હતું કે જેમની સાથે સહકાર શક્ય હોય | |||
તે બધાંની સાથે સહકાર સાધવો જોઈએ. | |||
દરેકને કહો કે | |||
પોતપોતાની આગવી શક્તિ પ્રમાણે દેશની સેવા કરે. | |||
આપણે ભૂલી જવું જોઈએ કે આપણે વિદેશી શાસન હેઠળ છીએ. | |||
આપણા દેશ પર આપણો હક છે | |||
એમ સમજીને દેશની સેવા કરવી જોઈએ. | |||
એક બીજ રોપાશે | |||
અને પછી થોડા જ સમયમાં સારું કામ અનુસરશે. | |||
આમાં સ્વાર્થનું બલિદાન જોઈશે | |||
અને પછી આપણે ભીખ માંગવી નહીં પડે.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>આવા આશાવાદ સાથે બંને છૂટા પડ્યા. | |||
પછી થોડા જ સમયમાં | |||
ગાંધીજીને મીઠાના કાયદાનો ભંગ કરવાનો કાર્યક્રમ સૂઝ્યો. | |||
માર્ચ ૧૯૩૦માં તેમણે દાંડીકૂચ આદરી. | |||
રવીન્દ્રનાથ તે સમયે યુરોપમાં હતા. | |||
ત્યાર બાદ ગાંધીજી ક્યારેય આશ્રમમાં પાછા ન આવ્યા | |||
અને રવીન્દ્રનાથ ફરી ક્યારેય અમદાવાદ ન આવ્યા. | |||
રવીન્દ્રનાથે જર્મનીમાં | |||
ઈશુ ખ્રિસ્તના અંતિમ દિવસો પર આધારિત એક નાટક જોયું. | |||
થોડા જ સમયમાં તેમણે સીધું જ અંગ્રેજીમાં એક કાવ્ય લખ્યું. | |||
તેનું શીર્ષક છે શિશુ. | |||
તેના થોડાક અંશનું પઠન કરવાનું આકર્ષણ હું રોકી નથી શકતો. | |||
તેમણે પૂછ્યું, કેટલી થઈ રાત? | |||
કાંઈ જ ન મળ્યો જવાબ. | |||
કારણ કે પોતાના રસ્તા કે હેતુથી અજ્ઞાત, | |||
આંધળો સમય ખોવાતો ભુલભુલામણીમાં. | |||
એક મહાકાયની મૃત આંખોના બાકોરા જેવો અંધકાર ખીણમાં. | |||
દુઃસ્વપ્ન જેવા વાદળદળનું દમન આકાશમાં | |||
અને રાત્રિના વિચ્છિન્ન અંગોપાંગ જેવા | |||
વિશાળ પડછાયા પથરાતા અવકાશમાં. | |||
એક બીભત્સ જ્વાળા ભભૂકતી ક્ષિતિજે – | |||
આ તે કોઈ અમાનુષી નક્ષત્રની અંતિમ ધમકી, | |||
કે પછી કોઈ અનાદિ ક્ષુધાની જીહ્વા ચાટતી આકાશને? | |||
બધું જ છિન્નભિન્ન, અસ્તવ્યસ્ત, વેરણછેરણ છે. | |||
આ કોલાહલનું વ્યાકરણ છે વેદનાનો આક્રોશ | |||
અને શબ્દો થઈ ગયા છે બેહૂદા ને બેડોળ. | |||
આ તો છે એંઠવાડ, હડધૂત, તિરસ્કૃત, જીવનની નિષ્ફળતા, | |||
ઉછાંછળા ગર્વના વિચ્છિન્ન અવશેષ, | |||
લુપ્ત નિર્ઝરના અવકાશ પરના સેતુના ટુકડા, | |||
મૂર્તિવિહીન મંદિર જેમાં રહેતા સરિસૃપ, | |||
અવકાશે દોરી જતા સંગેમરમરના સોપાન. | |||
એકાએક જાગી ઊઠતો કોલાહલ આકાશે ને ઝઝૂમતો | |||
અને સહસા એક ધ્રૂજારી પ્રસરતી નિદ્રાહીન સમયમાં. | |||
અથડાતું કોઈ તુમુલ પૂર ગુફાની દીવાલોને | |||
કે પછી ચકરાવો લેતો ઝંઝાવાત ગજર્તો તાંત્રિક મંત્રો? | |||
કોની છે આ ચીસ? | |||
પ્રાચીન વનનો સંચિત અગ્નિ આત્મહત્યાના પ્રયાસમાં પ્રગટવાની | |||
કે પછી અંધ-બધિર પાગલોથી | |||
સટાસટ ફટકારાતી ચેતનાહીન મેદનીની? | |||
ભયાનક કોલાહલની નીચે | |||
ગુપચુપ પ્રગટતો ઉકળતા લાવારસ જેવો ગણગણાટ- | |||
બીભત્સ ઘુસપુસ, અફવા, બદનક્ષી અને વ્યંગમય પરિહાસ. | |||
તે માણસો, જાણે મહાકાવ્યના છૂટા પડેલાં પાનાં, | |||
વેરાયેલાં અહીંતહીં. | |||
ફંફોળતાં એકબીજાને એકલા કે સમૂહમાં. | |||
તેમની મશાલના પ્રકાશમાં દોરાતી | |||
તેમના ચહેરા પર ભયભીત આકૃતિ. | |||
એકાએક કોઈ પાગલ વહેમાઈને તેના સાથીને મારે છે | |||
અને આખા ટોળામાં મારામારી ફાટી નીકળે છે | |||
અને ચારે બાજુના પર્વતો ગાજી ઊઠે છે. | |||
સ્ત્રીઓ રડે અને કૂટે છે, કહે છે કે તેમના બાળકો ખોવાયા છે, | |||
અંતે ગુંચવાતા વિરોધાભાસી રસ્તાના વેરાનમાં. | |||
બીજા બીભત્સ મજાક કરતાં ને કર્કશ હાસ્યથી થનગનતા, | |||
તેમના કામાતુર અંગોનું પ્રદર્શન કરતા, | |||
કારણ તેમને નથી કોઈની પરવા. | |||
ત્યાં, પર્વતના શિખર પર ઊભો છે એક આસ્તિક, | |||
શ્વેત, બર્ફીલા મૌનની વચ્ચે, | |||
આકાશમાં પ્રકાશનો અણસાર શોધતો. | |||
જ્યારે વાદળ પર વાદળ ખડકાતા | |||
અને નિશાચર પંખી ચીસ પાડતાં ઊડતાં, | |||
ત્યારે તે કહેતો, | |||
‘ભાઈઓ, નિરાશ ન થશો, માનવ તો મહાન છે’ | |||
પણ તેનું કોઈ જ સાંભળતું નહીં. | |||
કારણ, બધાં એમ જ માનતાં કે હેવાનિયતનું મૂળ શાશ્વત છે | |||
અને તેના ઊંડાણમાં છુપાયેલી માનવતા છેતરામણી છે. | |||
જ્યારે તેઓ ઇજાગ્રસ્ત અને પરાજિત હોય છે ત્યારે પૂછે છે, | |||
‘ભાઈ, તું ક્યાં છે? | |||
જવાબ મળે છે, ‘હું તમારી સાથે જ છું. | |||
પણ અંધારામાં કાંઈ જ દેખાતું નથી | |||
અને તેઓ માને છે કે આ તો તેમની ઉત્કટ કામનાનો અવાજ છે | |||
અને માનવને તો શ્રાપ છે | |||
પરસ્પરના દૂષણોના અંતહીન રણમાં | |||
ભૂતાવળો સાથે લડતા રહેવાનો. | |||
વાદળ વીખરાતા પૂર્વમાં પ્રભાત તારક દેખાતો, | |||
ધરતીના હાર્દમાંથી નિરાંતનો શ્વાસ નીકળતો. | |||
વનના માર્ગે સંભળાતી પાંદડાના સળવળાટની લહેર | |||
અને પંખીનાં ગીત. | |||
આસ્તિક કહેતો, ‘સમય થઈ ગયો છે. | |||
‘શેનો સમય?’ | |||
‘યાત્રા માટે નીકળવાનો.’ | |||
તેઓ બેસીને વિચારતા, અર્થ જાણ્યા વિના. | |||
ને તો યે પોતપોતાના સ્વાર્થ પ્રમાણે | |||
જાણે સમજતા હોય એમ લાગે છે. | |||
પ્રભાતનો સ્પર્શ માટીમાં ઊંડે સુધી ઊતરે છે | |||
અને સર્વસ્વના મૂળમાં જીવનનો ધબકાર છે. | |||
એક નાનો અવાજ ઊઠે છે, ‘પૂર્ણતાની યાત્રા. | |||
કોઈ જાણતું નથી કે આ અવાજ આવ્યો ક્યાંથી! | |||
જનમેદનીમાં ઝિલાતા તે અર્થપૂર્ણ બને છે. | |||
પુરુષો માથું ઊંચું કરી જુએ છે | |||
ને સ્ત્રીઓ ભક્તિથી હાથ જોડે છે. | |||
બાળકો હસીને તાળી પાડે છે. | |||
સૂર્યના સોનેરી હાર જેવા સવારના પ્રકાશમાં | |||
આસ્તિકનું કપાળ ચમકે છે અને સૌ બોલી ઊઠે છે, | |||
‘ભાઈ, અમારા પ્રણામ. | |||
ચારે બાજુથી ભેગા થવા માંડ્યાં માણસો. | |||
દરિયાપારથી, પર્વત પરથી ને પથહીન વેરાનમાંથી, | |||
આવતા તે નાઈલની ખીણમાંથી | |||
ને ગંગાને કિનારેથી, હિમાચ્છાદિત તિસરૂટના મેદાનોમાંથી, | |||
ઝગમગતા મિનારા ને ઊંચી દીવાલોવાળા નગરોમાંથી, | |||
ગીચ, અંધારા, જંગલી, ઉજ્જડ પ્રદેશોમાંથી. | |||
કોઈ ચાલતા તો કોઈ હાથી, ઘોડા, ઊંટ પર બેસીને, | |||
કોઈ સવારના વાદળને ચૂમતી પતાકાવાળા રથમાં બેસીને. | |||
બધા ધર્મના સંતો ધૂપ બાળતા ને ચાલતા, ચાલતા મંત્ર બોલતા. | |||
રાજા મોખરે રહેતો તેની સેનાની, | |||
દુંદુભિનાદ ને તડકામાં તલવારો ચમકતી. | |||
ચીંથરેહાલ ભિખારી ને વરણગિયા દરબારી, | |||
ચપળ, યુવાન વિદ્યાર્થી ને જ્ઞાનથી લદાયેલા વિદ્યાવ્યાસંગી, | |||
એકબીજાની સાથે જનમેદનીમાં કદમ મિલાવતા. | |||
માતા, કુમારિકા ને નવોઢા | |||
સર્વ નારી હસતી, હસતી વાતો કરતી. | |||
ફૂલ, ફળ, ચંદન ને પવિત્ર જળનો પ્રસાદ ધરતી. | |||
તેમની સાથે હાથ મિલાવતી | |||
ગણિકા, સજ્જ ભડક પોશાકમાં ને તીણા અવાજે બોલતી. | |||
અફવાનું વિષ માનવતાના સ્રોતમાં રેડાતું. | |||
ટોળામાં અંધ, બધિરને મળતાં અપંગ ને વિકલાંગ, | |||
જે પ્રભુને વેચવાનો વેપાર કરતા, | |||
તેવા ચોર અપ્રમાણિક ને બેઇમાનદાર. | |||
સંતના ચાળા પાડતા ને બોલતા, ‘પૂર્ણતા. | |||
એ જાહેરમાં નથી બોલતા પણ મનમાં લોભ મમળાવતા | |||
ને સ્વપ્ન જોતાં અસીમ સત્તાના ને સજા વિનાની લૂંટફાટનાં | |||
ને તેમના મલિન, ખાઉધરા શરીર માટેની શાશ્વત મિજબાનીના. | |||
આસ્તિક વિચરતો વિકટ પથ પર, | |||
બળતી રેતીવાળા પથરાળ, આકરા ઢાળવાળા પર્વતીય પથ પર. | |||
તેને અનુસરતા બળવાન અને કમજોર, આબાલવૃદ્ધ, | |||
સામ્રાજ્યોના સમ્રાટ, ધરતીના ખેડનાર. | |||
કોઈ થાકતા, કોઈ ગુસ્સે થતા, કોઈ શંકા કરતા, | |||
ડગલે ને પગલે પૂછતા, ‘હજી કેટલે દૂર?’ | |||
જવાબમાં આસ્તિક ગીતના સૂર છેડતો. | |||
મોં ચઢાવી મુઠ્ઠી ઉગામતા, પણ ન તેનો શબ્દ ઉથામતા. | |||
ટોળાની ભીંસથી ને અમર આશાથી આગળ તે વધતા. | |||
નિદ્રા ને વિશ્રામ ટૂંકાવીને, મોડા પડવાના ભયથી, | |||
આગળ રહેતા એકબીજાથી. | |||
એક પછી એક, દિવસો પસાર થતા, | |||
તેમને અદૃશ્યના આકર્ષણે આછી ક્ષિતિજ લલચાવતી. | |||
તેમની મુખરેખા કંટાળીને સખત થતી | |||
ને તેમના વેદનાના નિઃસાસા ઘેરા થતા. | |||
રાત પડી. | |||
પથારી પાથરી, મુસાફરો વડના ઝાડ નીચે સૂતા. | |||
પવનના એક સપાટે દીવો હોલવાયો. | |||
બેહોશીમાં સરતી નિદ્રાની જેમ અંધારપટ ઘેરો થયો. | |||
એકાએક કોઈ ટોળામાંથી ઊભું થયું, | |||
ને દયાહીન આંગળી ચીંધીં, મોટેથી બોલી રહ્યું, | |||
‘જૂઠા મસીહા, તેં અમને છેતર્યા છે.’ | |||
એક પછી એક, એ બોલ સૌ ઝીલતા ગયા, | |||
સ્ત્રીઓ નફરત થૂંકતી ને પુરુષો ગજર્તા. | |||
આખરે, બધાંથી બહાદુર એક વીરે તેના પર વાર કર્યો, | |||
તેનું મોં જોયા વિના સૌ તૂટી પડ્યા – વિનાશક પારાવાર. | |||
અંતે, તેનું નિશ્ચેતન શરીર ધરતી પર પટકાતું. | |||
સ્તબ્ધ રાત્રિમાં દૂરના જળરાશિનો અવાજ ઢબુરાતો | |||
ને હવામાં જૂઈની આછી સુવાસ પથરાતી.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>એક મિનિટ, ગુરુદેવ, | |||
વર્ષોનાં આ પડળની પાર, | |||
વર્તમાન અને ભૂતનાં અજાણ્યાં થરને વીંધીને, | |||
તમારા સુંદર કાવ્યપ્રવાહમાં વિક્ષેપ પાડીને પણ | |||
મારે એક સવાલ પૂછવો જ પડશે. | |||
મારો અંત આ જ આવશે એવું તમે કેવી રીતે જાણ્યું?</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>આનો જવાબ હું એક બીજી કવિતાથી જ આપીશ. | |||
થોડાં વર્ષો પહેલાં એક અંગ્રેજ કવિ, વિલિયમ રૅડિચિ, | |||
મને આવા જ સવાલો પૂછતો હતો. | |||
તમને વાંધો ન હોય તો | |||
તેની કવિતા હું તમને અંગ્રેજીમાં જ સંભળાવું, | |||
What would you now regard as best? | |||
The world you wanted in one nest | |||
On red earth and khoyai, | |||
Or all of us mixing willy-nilly | |||
In Rome, Times Square or Piccadilly, | |||
L.A., Tianmen, Mumbai? | |||
What best for your sweet Bangla tongue? | |||
To be just spoken, read and sung | |||
Jol-pothe, sthole, ghate, | |||
Or part of the babble we now hear | |||
In cities if we cock our ear, | |||
Sipping our Coke or latte? | |||
Would you, Rabi, fear and grieve | |||
That bhodrolok should now believe | |||
Their children’s future safer | |||
If in their sandwiches they stick | |||
Maths, science and English layered thick | |||
With Bangla just a wafer? | |||
Or would you thrill at seeing how | |||
Translators labour now to plough | |||
A field where each short story | |||
Or poem of yours can grow and bloom | |||
In speech you too tried to assume | |||
But not with lasting glory? | |||
You didn’t have a means to beam | |||
The light of your Rabindric dream | |||
To each and every corner. | |||
Would you now, at the global way | |||
English can give your sun new day, | |||
Be gladder or forlorner? | |||
Would you be sure your songs would thrive | |||
As once you hoped they would – survive | |||
Which world can better – yours or ours – | |||
Remove the national gates and bars | |||
You wanted to dispel? | |||
આના જવાબમાં મેં કહ્યું હતું, | |||
Your fears and flops | |||
Are yours to fix, not mine. | |||
I gave you questions, not replies, | |||
No more than at its first sunrise | |||
My Rabi gave a sign – | |||
Or at its last descent, to where | |||
I too now rest in quieter air | |||
And even darker night | |||
Than is the dark outside your room, | |||
Where you, like I, must in the gloom | |||
Search for your own light. | |||
Keep on, keep trying, I did no more, | |||
I merely made, to love and adore, | |||
Images of my seeking | |||
Poems of beauty, songs of joy, | |||
Rhymes for the learning girl or boy, | |||
Questions, never replies. | |||
Don’t worry if you don’t know me yet: | |||
When all solutions have been met, | |||
That day my spirit dies.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>કવિતા અને કલ્પનાના સામ્રાજ્યમાંથી | |||
ચાલો પાછા વાસ્તવિકતામાં. | |||
૧૯૩૦ના અંતમાં પ્રથમ ગોળમેજી પરિષદમાં જવા માટે ગાંધીજીને નિમંત્રણ મળ્યું હતું | |||
જેનો તેમણે અસ્વીકાર કર્યો હતો | |||
કારણ કે તેમણે મૂકેલી શરતો મંજૂર થઈ ન હતી.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>જેને કોઈ પણ જાતના ભય વિના | |||
બોલતી બંધ કરી દેવામાં આવી હોય | |||
અને જેની ચેતનાને કચડીને નાંખવામાં | |||
કોઈ જ ક્ષોભ અનુભવાયો ન હોય | |||
એવી પ્રજાના પ્રતિનિધિને | |||
ગોળમેજી પરિષદમાં આમંત્રણ મળે | |||
એવી પરિસ્થિતિની કલ્પના કરવી પણ | |||
અડધી સદી પહેલાં શક્ય ન હતું. | |||
એના દેખીતા હેતુની સફળતા વિશે ગાંધીજીને શંકા હોઈ શકે પણ એમણે સ્વીકારવું જ રહ્યું કે | |||
એમાં રહેલા મૂળભૂત નૈતિક સિદ્ધાંતનું પ્રતિપાદન | |||
તેઓ જ તેમના દેશવાસીઓ વતી | |||
સ્વરાજના પ્રયાસોમાં કરતા આવ્યા છે. | |||
આ પરિષદ દ્વારા | |||
અંગ્રેજ રાજકારણીઓ સાથે સહકાર સાધવાની તક | |||
પ્રાપ્ત થઈ શકે છે તે વાત સાચી હોવા છતાં | |||
તેમાં તેની સાચી મહત્તા નથી. | |||
તેની મહત્તા જગતની આત્મશક્તિમાં છે. | |||
આપણે સમજવું જોઈએ કે | |||
આ પરિષદની બેઠક જગતના ન્યાયપંચ સમક્ષ મળશે | |||
અને તેની સંમતિની આતુરતાપૂર્વક અપેક્ષા રખાશે. | |||
આજે જ્યારે આ કિનારે પોલીસની લાઠીઓ | |||
આપણા પ્રતિકારવિહીન માથાં તોડવામાં વ્યસ્ત છે | |||
અને સત્તાધારીઓ | |||
આ કરૂણ દૃશ્યથી દમામપૂર્વક અળગા રહી શકે છે | |||
ત્યારે બીજા કિનારેથી | |||
કેળવણીથી અનાવૃત્ત અને નિ:શસ્ત્ર ભારતીય પ્રજાને | |||
આ પરિષદના આમંત્રણ દ્વારા એક ઈશારો કરવામાં આવ્યો છે. | |||
હું નથી જાણતો કે | |||
આ ઈશારો નાનો કે બિનઅસરકારક છે કે કેમ | |||
પણ તે એક નૈતિક ઈશારો છે | |||
જેની જરૂરિયાત રાજકીય કારણોસર ઊભી થઈ નથી | |||
પણ આંતરરાષ્ટ્રીય સંમતિની અપેક્ષાથી ઊભી થઈ છે. | |||
હું માનું છું કે તેમને મળેલું આમંત્રણ | |||
તેમણે કોઈ પણ જાતની દ્વિધા અનુભવ્યા વિના | |||
સ્વીકારવું જોઈતું હતું – | |||
ભલે તેમને બધી જ પ્રસ્તુત શરતો મંજૂર ન હોય! | |||
સદીઓથી આત્મવિશ્વાસ અને આત્મશક્તિના અભાવને કારણે જેણે પાશવી અને કપટી જુલમ સહન કર્યો છે | |||
તેવી ભારતની મૂક સમષ્ટિમાં આ હિંમતનો સંચાર | |||
મહાત્મા ગાંધીના મહાન વ્યક્તિત્વને કારણે જ થયો છે. | |||
કેળવણીના દીર્ઘ દુકાળથી સૂકાઈ ગયેલા મગજમાં | |||
અચાનક થયેલા ચેતનાના સંચરની શક્યતા અંગે | |||
હું પણ શંકા સેવતો હતો. | |||
પણ મહાત્માની અંગત અણનમ પ્રાણશક્તિ | |||
અને તેમના માનવીની પ્રકૃતિમાં રાખેલા વિશ્વાસના જાદુઈ સ્પર્શ દ્વારા એક ચમત્કાર થયો છે. | |||
આ અનુભવ પછી | |||
તેમના શાણપણ અંગે શંકા સેવવાનું કારણ નથી. | |||
મારે મારી શંકાઓ બાજુ પર મૂકીને | |||
તેમના અડગ વલણમાં વિશ્વાસ રાખવો જોઈએ.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>સપ્ટેમ્બર ૧૯૩૨માં ગાંધીજી પૂનામાં કારાગારમાં હતા. | |||
અંગ્રેજ સરકારે હરિજનો માટે | |||
અલાયદું મતદારમંડળ કરવાનું વિચાર્યું હતું. | |||
ગાંધીજીને તે અસ્વીકાર્ય હતું | |||
અને તેમણે આમરણાંત ઉપવાસ પર જવાનું નક્કી કર્યું હતું.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>(તારથી) ભારતની એકતા અને ઈમાનદારી માટે | |||
મૂલ્યવાન જીવનનું બલિદાન આપવું યોગ્ય તો કહેવાય. પૂર્ણવિરામ. આપણા શાસકો ઉપર તેની શું અસર પડશે | |||
તે કહેવું મુશ્કેલ છે કારણ કે તેઓ | |||
આપણી પ્રજા માટે તેની અગત્યતા કેટલી છે તે સમજતા નથી પણ આવા આત્મસમર્પણની અપીલ | |||
આપણા દેશવાસીઓના અંતરાત્મા પર જરૂર પડશે. પૂર્ણવિરામ. મારી તીવ્ર આશા છે કે આપણે નિષ્ક્રિયતાથી | |||
આવી રાષ્ટ્રીય કરૂણાંતિકાને | |||
તેના અંત સુધી પહોંચવા નહીં દઈએ. પૂર્ણવિરામ. | |||
અમારાં ખેદપૂર્ણ હૃદયો | |||
તમારી ઉદાત્ત તપસ્યાને સન્માન અને પ્રેમ સહિત અનુસરશે.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>આ તાર ગાંધીજીને પહોંચે તે પહેલાં તેમણે લખ્યું હતું,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>પ્રિય ગુરુદેવ, | |||
અત્યારે મંગળવારની સવારના ત્રણ વાગ્યા છે. | |||
હું મધ્યાહ્ને અગ્નિદ્વારમાં પ્રવેશ કરીશ. | |||
તમે જો મારા પ્રયાસને આશીર્વાદ આપતા હો | |||
તો મને તેની જરૂર છે. | |||
તમે તમારા વિચારો મુક્ત મને વ્યક્ત કરો છો | |||
અને તેથી મારા સાચા અને સ્પષ્ટવક્તા મિત્ર છો. | |||
મેં તમારા દૃઢ અભિપ્રાયની અપેક્ષા રાખી હતી, | |||
પછી ભલે તે મારી તરફેણમાં હોય કે નહીં. | |||
પણ તમે ટીકા કરવાનું ઉચિત નથી માન્યું. | |||
હવે તો તે મારા ઉપવાસ દરમિયાન જ થઈ શકે | |||
પણ જો તમારું મન મારા પગલાંને ભૂલભરેલું માનતું હોય તો તમારી ટીકા મારો પુરસ્કાર બની રહેશે. | |||
જો મને મારી ભૂલ લાગશે તો | |||
મારી ભૂલનો ખુલ્લો એકરાર ન કરવા જેટલો | |||
હું અભિમાની નથી, | |||
પછી ભલે તે એકરારની | |||
ગમે તેટલી મોટી કિંમત મારે ચૂકવવી પડે. | |||
જો તમને મારું પગલું વ્યાજબી લાગતું હોય | |||
તો મારે તમારા આશીર્વાદ જોઈએ છેે. | |||
તે મારા વિશ્વાસને ટકાવી રાખવામાં મદદગાર થઈ પડશે. | |||
આશા રાખું છું કે | |||
હું મારા વિચારોને સ્પષ્ટપણે વ્યક્ત કરી શક્યો છું. | |||
સપ્રેમ, | |||
સુપરીન્ટેન્ડન્ટને આ પત્ર આપતો જ હતો | |||
ત્યાં મને તમારો પ્રેમપૂર્ણ અને ઉમદા તાર મળ્યો. | |||
જે ઝંઝાવાતમાં હું પ્રવેશ કરવાની તૈયારીમાં છું | |||
તેમાં મને મોટો ટેકો મળશે.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>બીજા જ દિવસે,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>ગ્રહણગ્રસ્ત સૂર્યથી પડતા પડછાયા જેવો વિશાળ પડછાયો | |||
આજે ભારતના આકાશને ઘેરું બનાવી રહ્યો છે. | |||
નિષ્ઠા અને સેવામય જીવનથી | |||
જેમણે ભારતને પોતાના સત્ય તરીકે સ્વીકાર્યું છે | |||
તેવા મહાત્માજીએ આજે | |||
પોતાના આત્મસમર્પણની પ્રતિજ્ઞાના પાલનનો આરંભ કર્યો છે. | |||
મહાત્માજીની તપસ્યા માત્ર ક્રિયાકાંડનો અંશ નથી, | |||
તેમાં તો ભારત અને જગત માટે એક સંદેશ છે. | |||
તેમના સંદેશના અર્થને સમજવાનો પ્રયત્ન કરીએ. | |||
માનવ ઇતિહાસના આરંભથી જ | |||
સમાજના વિવિધ વર્ગો વચ્ચેની ખાઈનું અસ્તિત્વ | |||
દેખાતું આવ્યું છે. | |||
જેઓ સંજોગોના કૃપાપાત્ર છે | |||
તેઓ બીજાની નબળાઈનું શોષણ કરતા આવ્યા છે | |||
અને તેમને હલકા પાડીને | |||
પોતે શ્રેષ્ઠતમ છે એવા અહંકારનું પોષણ કરતા આવ્યા છે. | |||
આ પ્રથા લાંબા સમયથી ચાલી આવતી હોવા છતાં | |||
તે માનવતાના સિદ્ધાંતની વિરૂદ્ધ છે. | |||
ભારતમાં આપણે પોતાના અનેક સહોદરોને | |||
આપણી વચ્ચેથી તડીપાર કરીને | |||
અપમાનના સંકુચિત વાડામાં પૂરી દીધા છે | |||
અને તેમને કાયમી લાંછનના ડામ દીધા છે. | |||
બંદીખાનું માત્ર ઈંટ અને સિમેન્ટનું જ નથી હોતું. | |||
માણસના આત્મસન્માનને સંકુચિત સીમાઓમાં પૂરી દેવાથી | |||
ઊભું થતું નૈતિક કારાગાર | |||
ભોગવનાર માટે ભૌતિક કારાગાર કરતાં પણ વધુ ક્રૂર હોય છે. તેને નિષ્ક્રિયતાપૂર્વક કે પછી કર્તવ્યનિષ્ઠ ઉત્સાહથી | |||
ઉત્તેજન આપનારા માટે ચરિત્રહીનતાનો માર્ગ બની રહે છે. | |||
વ્યક્તિ અને પ્રજાની વચ્ચેની અસમાનતાને | |||
અવગણાય તો નહીં જ | |||
પણ તેનો સંપૂર્ણ સ્વીકાર કરીને | |||
લોકોને તેમના માનવીય હકોથી અને બિરાદરીથી વંચિત રાખવા એ તો એક ઘૃણાસ્પદ સામાજિક અપરાધ છે. | |||
આપણા દેશમાં થયેલા | |||
માનવતાના અપમાન સમા આ વિભાજન પ્રતિ | |||
મહાત્માજીએ વારંવાર આપણું ધ્યાન ખેંચ્યું છે | |||
પરંતુ તેમાંથી છૂટકારો મેળવવાની અગત્યતાને | |||
ખાદી જેટલું મહત્વ અપાયું નથી. | |||
હવે આપણા સમાજમાં જડ નાંખી બેઠેલી આ બદી સામે મહાત્માજીએ આખરીનામું જાહેર કર્યું છે. | |||
આ રણભૂમિમાં આપણે તેમને ગુમાવી બેસીએ એવી શક્યતા છે. | |||
તે સંજોગોમાં આ લડત | |||
આપણે સૌએ ઉપાડી લઈને તેના અંત સુધી લઈ જવી પડશે. | |||
આ લડતનો ઉપહાર તે આપણને ધરી રહ્યા છે, | |||
જો આપણે તેને | |||
નમ્રતા અને ગૌરવપૂર્ણ નિર્ધારથી સ્વીકારીએ નહીં | |||
કે પછી રૂઢિગત ક્રિયાકાંડપૂર્વક વિખેરી નાંખીએ | |||
અને આ ઉદાત્ત જીવનના બલિદાનને એળે જવા દઈએ | |||
તો તેમના સંદેશનો અર્થ ન રહે. | |||
પછી આપણી પ્રજા નિષ્ક્રિયતાથી અધોગતિના માર્ગે | |||
નરી વ્યર્થતાના અવકાશ પ્રતિ પ્રયાણ કરશે. | |||
વાણી અને કર્મ દ્વારા વારંવાર વ્યક્ત થયેલા અહિંસાના સંદેશની એક મહાન ભાષામાં આ અંતિમ અભિવ્યક્તિ છે | |||
જેને સમજવી અત્યંત સહેલી છે.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>થોડા જ દિવસોમાં ગાંધીજીનું સ્વાસ્થ્ય બગડતું ચાલ્યું. | |||
ચિંતાગ્રસ્ત કવિ શાંતિનિકેતનથી પૂના જવા નીકળ્યા.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>આશાભર્યા અમે નીકળ્યા પૂના તરફ | |||
જો કે વાતાવરણ અપશુકનિયાળ હોવાનાં બધાં જ એંધાણ હતા. | |||
દરેક મોટા સ્ટેશને મારા સાથીદારો છાપું લઈ આવતા – | |||
સમાચાર આનંદના ન હતા. | |||
ડૉક્ટરોના મત મુજબ મહાત્માજી માટે | |||
હવેનો સમય જોખમકારક હતો. | |||
માત્ર દૃઢ સંકલ્પથી શારીરિક વ્યથા અને માનસિક દબાવને કાબૂમાં રાખીને મહાત્માજીનો વિજય થયો હતો. | |||
આશા અને ભય વચ્ચે ઝોલા ખાતાં | |||
અમે ૨૬મી સપ્ટેમ્બરે કલ્યાણ પહોંચ્યા. | |||
જરાય સમય બગાડ્યા વિના અમારા યજમાને મોકલેલી ગાડીમાં અમે પુના પ્રતિ પ્રયાણ કર્યું. | |||
પુનામાં પ્રવેશતાં જ શસ્ત્રસજ્જ ગાડીઓ | |||
અને મશીનગનો મિલિટરીના મેદાનમાં ફરતી દેખાઈ. | |||
શહેરના રસ્તાઓ પર સૈનિકો ફરી રહ્યા હતા. | |||
ઉતારે પહોંચતાં જ વાતાવરણમાં વ્યાકુળતા લાગી. | |||
ઉચાટની છાયા દરેક ચહેરા પર દેખાતી હતી. | |||
પૂછતાં ખબર પડી કે મહાત્માજીની પરિસ્થિતિ જોખમકારક છે. | |||
એ મહાત્માજીના મૌનનો દિવસ હતો. | |||
તેમણે ઇચ્છા પ્રગટ કરી હતી કે તેઓ એક વાગ્યે મૌન છોડે | |||
તે સમયે મારે તેમની પાસેે હાજર રહેવું. | |||
યરવડા જેલના રસ્તે, દરવાજાથી થોેડે દૂર | |||
અમારી ગાડીને રોકવામાં આવી. | |||
બીજો હુકમ ન મળે ત્યાં સુધી | |||
કોઈ પણ ગાડીને ન જવા દેવાનો સંત્રીને આદેશ હતો. | |||
હું તો માનતો હતો કે | |||
આજકાલ ભારતમાં જેલમાં જતો રસ્તો ખુલ્લો જ રહેતો હતો! | |||
અમારામાંથી એક ભાઈ | |||
જેલના ઉપરી પાસેથી રજા મેળવવા જઈ રહ્યા હતા | |||
ત્યાં શ્રીયુત દેવદાસ જેલની પરવાનગી લઈને | |||
ગાડીમાં આવી પહોંચ્યા. | |||
મને પછીથી ખબર પડી કે મહાત્માજીને લાગ્યું હતું કે | |||
અમારી ગાડીને રસ્તામાં કોઈએ રોકી રાખી છે | |||
તેથી તેમણે તેમના દીકરાને અમને લેવા મોકલ્યા હતા. | |||
એક પછી એક વિશાળ લોખંડી દરવાજા | |||
ખુલીને અમારી પાછળ બંધ થતા હતા. | |||
અમારી સામે હતી ઊંચી ઉદ્ધત દીવાલો અને કેદ થયેલું આકાશ, | |||
પથરાયો હતો સીધો ડામરનો રસ્તો અને થોડાં વૃક્ષો. | |||
બે મહાન અનુભવો મારા જીવનમાં મોડેથી મને થયા છે. | |||
હમણાં જ મેં યુનિવર્સિટીનો ઊંબરો પાર કર્યો હતો | |||
અને થોડાક અવરોધ પછી | |||
આ હું આવીને ઊભો એક સામાન્ય કારાગારની અંદર!</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>આ ગંભીર પરિસ્થિતિમાં પણ સંભળાય છે ને | |||
એક વિચક્ષણ કથાકારનો અવાજ અને ગૌરવપૂર્ણ વિનોદવૃત્તિ?</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>આંગણાની વચ્ચે એક આંબાની નીચે | |||
મહાત્માજી તેમના ખાટલામાં સૂતા હતા. | |||
મને તેમની નજીક ખેંચીને તે બોલ્યા,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>તમને જોઈને કેટલો આનંદ થયો.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>સારા સમાચારની પાછળ આવવા માટે | |||
હું મારી જાતને નસીબદાર માનું છું. | |||
લગભગ દોઢ વાગવા આવ્યો હતો. | |||
મેં સાંભળ્યું હતું કે | |||
પુનામાં દસેક વાગ્યે સત્તાવાર સમાચાર આવ્યા હતા. | |||
આવા ક્રૂર વિલંબથી આશ્ચર્ય થતું હતું. | |||
જેમનો પ્રાણ દરેક કલાકે ક્ષીણ થઈ રહ્યો હતો | |||
તેમને બચાવવાની કોઈને ઉતાવળ હોય તેમ લાગતું ન હતું. | |||
ચારે તરફ મિત્રો હતા. | |||
તેમાં હું મહાદેવ, વલ્લભભાઈ, રાજગોપાલાચારી, રાજેન્દ્રપ્રસાદ, શ્રીમતી કસ્તુરીબાઈ, સરોજિની, | |||
અને જવાહરલાલની પત્ની કમલાને ઓળખી શક્યો. | |||
મહાત્માજીનું પાતળું શરીર કૃશ થઈ ગયું હતું. | |||
એમનો અવાજ માંડ સાંભળી શકાતો હતો. | |||
તેમના તબીબોની જવાબદારી ગંભીર હતી. | |||
છતાં તેમનો આંતરિક ઉત્સાહ ઘટ્યો ન હતો, | |||
મગજ જાગૃત અને સાબદું હતું, | |||
તેમનું તેજસ્વી વ્યક્તિત્વ સદાના જેવું જ તાજગીભર્યું હતું. | |||
બધાં જાણે છે તેમ ઉપવાસ દરમિયાન | |||
વિવિધ પક્ષોના અધિકાર અને કોલાહલમાંથી | |||
તે બચી શકે તેમ ન હતું. | |||
છતાં માનસિક થાકનાં કોઈ ચિન્હો દેખાતાં ન હતાં, | |||
તેમની સ્પષ્ટ વિચારશ્રેણીને અવરોધતી | |||
કોઈ પણ છાયાનો અણસાર પણ આવતો ન હતો. | |||
તેમની શારીરિક વ્યથાને અતિક્રમીને | |||
તેમના અજેય આત્માનું સાચું સ્વરૂપ દેખાઈ રહ્યું હતું | |||
જેને સન્માન ધરવા આપણે તત્પર છીએ. | |||
હું જો તેમની પાસે આ સમયે ન આવ્યો હોત | |||
તો આ અશક્ત માણસની મહાન શક્તિનો | |||
મને ખ્યાલ જ ન આવત. | |||
આજે ભારતના કરોડો હૃદયોમાં | |||
મોતની વેદીના છાયામાં આરામ કરતી | |||
આ અમર ચેતનાનો સંદેશ પહોંચ્યો છે. | |||
સદીઓ પુરાણી નિષ્ક્રિયતાનો અવરોધ આજે ધૂળભેગો થઈ ગયો છે. | |||
બપોરનો તડકો | |||
ઊંચી, વેરાન દીવાલો ઉપર થઈને આવતો હતો. | |||
સફેદ ખાદીમાં સજ્જ સ્ત્રી પુરૂષો શાંતિથી ચર્ચા કરી રહ્યાં હતાં. | |||
જેલની અંદર ભેગી થયેલી આ મેદનીનું શિસ્ત ઉદાહરણીય હતું. | |||
ચરિત્રની આ શક્તિ વિશ્વસનીય બની રહે છે. | |||
તેમનામાં સહજ આત્મસન્માનનું ગૌરવ દેખાય છે; | |||
સત્યની એકનિષ્ઠ સેવા પર અવલંબિત સ્વરાજ માટે | |||
તેમનામાં મૂકેલી જવાબદારી તેઓ બરાબર નીભાવશે | |||
એવો વિશ્વાસ સહજ રીતે પેદા થાય છે. | |||
આખરે સરકારના લાલ સીલવાળું પરબીડિયું લઈને | |||
જેલના ઈન્સ્પેક્ટર જનરલ આવી પહોંચ્યા. | |||
તેઓ વાંચી રહ્યા એટલે | |||
મહાત્માજીએ તેમના મિત્રોને ચર્ચા માટે બોલાવ્યા. | |||
એમ લાગતું હતું કે મહાત્માજીની ઇચ્છાને માન અપાયું હતું. | |||
ઉપવાસની મહાન તપસ્યાનો અંત આવ્યો હતો. | |||
શ્રીમતી કમલા નહેરૂએ લીંબુનો રસ કાઢ્યો. | |||
જેલના ઈન્સ્પેક્ટર જનરલની વિનંતી હતી કે | |||
શ્રીમતી કસ્તુરીબાઈ તે મહાત્માજીને આપેે. | |||
મહાદેવે મને જણાવ્યું કે ગીતાંજલિનું કરૂણા ધારાએ એશો, મહાત્માજીને અત્યંત પ્રિય છે. | |||
તેના સૂર મને યાદ ન હતા. | |||
જે સૂઝ્યા તે નવા જ સૂરમાં મેં તે ગીત ગાયું. | |||
પંડિત શ્યામ શાસ્ત્રીએ વેદિક પાઠ કર્યા. | |||
શ્રીમતી કસ્તુરીબાઈએ ફળના રસનો ગ્લાસ | |||
મહાત્માજીને આપ્યો અને તેમણે ધીરેથી તે પીધો. | |||
સાબરમતી આશ્રમના અંતેવાસીઓ | |||
અને બીજાઓએ વૈષ્ણવજન તો ગાયું. | |||
માનવીના ઇતિહાસમાં આવો પ્રસંગ બન્યો નથી. | |||
જેલની અંદર એક યજ્ઞનું પ્રતિષ્ઠાન થયું હતું | |||
અને ત્યાં જ એની સંપૂર્ણતામાં પૂર્ણાહૂતિ થઈ. | |||
એક વિશાળ ફલક પર | |||
તેમનું મહાન જીવન ઝળહળી રહ્યું છે. | |||
માનવતામાં થતા મહામાનવના દર્શનનો સંદેશ | |||
તેણે આપણા સુધી પહોંચાડ્યો છે. | |||
આશા રાખું કે આ સંદેશ પરિપૂર્ણ થાય. | |||
માનવીના ઐક્યમાં જ સાચા પથનું સ્વરૂપ દૃષ્ટિગોચર થાય છે. | |||
આપણી પ્રજામાં વિભાજન કરતાં સંપ્રદાયો અને વાડાઓ આપણી રાજકીય પરતંત્રતાને પોષણ આપે છે. | |||
યુગોનાં બંધન તોડીને, માનવ સંસ્કૃતિએ | |||
શ્રદ્ધા અને પ્રેમ પર અવલંબિત સમજુતી પ્રતિ | |||
પ્રયાણ કરવાનો સમય આવી</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>ગુરુદેવ, | |||
તમે જાણો છો કે તમે એ દિવસે ગાયેલા ભજનથી | |||
એ ભજન ગવાતું.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>મહાત્માજી, આ થોડા દિવસોમાં | |||
અશક્યને શક્ય થતું જોઈને | |||
આપણી પ્રજા આશ્ચર્યચકિત થઈ ગઈ છે. | |||
તમારા પ્રાણની રક્ષાથી | |||
એક મોટી નિરાંતની લાગણી સર્વત્ર ફેલાયેલી છે. | |||
તમારા તરફથી આદેશની આ એક સવેળાની તક છે. | |||
હિંદુ સમાજને મુસલમાનોને પોતાના પક્ષમાં લેવા માટે | |||
અથાગ પ્રયત્ન કરવાનું કહો | |||
જેથી આપણા સહિયારા ઉદ્દેશમાં મદદ થાય. | |||
તમારી અસ્પૃશ્યતાની લડત કરતાં | |||
આ લડત જીતવી વધારે મુશ્કેલ છે | |||
કારણ કે આપણી પ્રજાના મનમાં | |||
મુસ્લિમો પ્રત્યે તીવ્ર અણગમો ઊંડી જડ ઘાલીને બેઠો છે | |||
અને તેમને પણ આપણા માટે ખાસ પ્રેમભાવ નથી. | |||
પણ તમને દુરાગ્રહી અને જિદ્દી હૃદયોને જીતી લેતાં આવડે છે અને તમારો ધૈર્યપૂર્ણ પ્રેમ | |||
સદીઓથી એકત્ર થયેલા દ્વેશને મહાત કરી શકશે. | |||
તમને સલાહ આપવાનું કામ મારું નથી | |||
અને શું માર્ગ લેવો તે અંગેના તમારા નિર્ણય ઉપર | |||
મને સંપૂર્ણ વિશ્વાસ છે. | |||
સન્માનીય પ્રેમ સાથે, સદા તમારો,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>પ્રિય ગુરુદેવ, | |||
તમારો સુંદર પત્ર મળ્યો છે. | |||
હું રોજ પ્રકાશને ખોળી રહ્યો છું. | |||
હિંદુ મુસ્લિમ એકતા એ પણ મારા જીવનનું ધ્યેય છે. | |||
પણ મને પણ અવરોધો નડે છે. | |||
હું જાણું છું કે જ્યારે મને પ્રકાશ મળશે | |||
ત્યારે તે અવરોધોને વીંધીને આવશે. | |||
ત્યાં સુધી હું પ્રાર્થના કરું છું, હજી ઉપવાસ પર ઊતર્યો નથી. | |||
સપ્રેમ, તમારો, | |||
કવિના પ્રેમની વર્ષાથી | |||
હું એટલો આનંદવિભોર થઈ ગયો હતો કે | |||
મેં ચાર્લીને લખ્યું, | |||
ગુરુદેવ તો હજીય તેમ જ છે. | |||
આ નાનકડા ઉપવાસથી મને ઘણા ખજાના મળ્યા છે | |||
પણ તેમાં ગુરુદેવ સર્વશ્રેષ્ઠ રત્ન છે. | |||
કોઈએ કહ્યું હોત કે ગુરુદેવને મેળવવા ઉપવાસ કરો | |||
તો મેં વગર વિચારે તેમ કર્યું હોત. | |||
તેમના હૃદયમાં સ્થાન મેળવવા હું અત્યંત ઉત્સુક હતો. | |||
ઈશ્વરનો આભાર કે ઉપવાસ દ્વારા હું તે મેળવી શક્યો.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>૧૯૩૩માં ગાંધીજીએ ફરીથી ઉપવાસ આદરવાનું નક્કી કર્યું. | |||
એકવીસ દિવસના આ ઉપવાસ આત્મશુદ્ધિ માટે હતા.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>પ્રિય ગુરુદેવ, | |||
અત્યારે રાત્રે પોણા બે વાગ્યા છે | |||
અને મને તમે અને બીજા મિત્રો યાદ આવે છે. | |||
જો તમે મારા ઉપવાસ સાથે સંમત થતા હો | |||
તો મારે ફરીથી તમારા આશીર્વાદ જોઈએ છે. | |||
પ્રેમ અને સન્માન સહિત, તમારો,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story =<poem>શારીરિક કે નૈતિક રીતે મૃત્યુ જો અનિવાર્ય જ હોય | |||
તો તેને સહન કરવું જ રહ્યું. | |||
પણ આપણને તેની સાથે સંવનન કરવાની છૂટ નથી, | |||
સિવાય કે જીવનના પરમ હેતુની અભિવ્યક્તિ | |||
તેના દ્વારા થતી હોય. | |||
તમારી હાલની પ્રતિજ્ઞાની અનિવાર્ય જરૂરિયાત અંગે | |||
તમારી ભૂલ થતી હોવાની સંભાવના નકારી શકાય નહીં. | |||
તેના જીવલેણ અંતના ગંભીર જોખમનો વિચાર આવતાં | |||
અમે ધ્રૂજી ઊઠીએ છીએ | |||
કારણ કે આ ભયાનક ભૂલને સુધારવાની તક મળવાની નથી. | |||
ઈશ્વરને તેમણે રચેલા સંસાર માટે | |||
આવું ઈન્દ્રીયદમનનું આખરીનામું ન આપવા | |||
હું તમને આજીજી કરું છું. | |||
આમ કરીને માનવતાનું સમર્થન કરતા | |||
પૂર્ણતાના આદર્શને આખરી ક્ષણ સુધી જાળવી રાખતા જીવનના મહાન ઉપહારની તમે અવગણના કરી રહ્યા છો. | |||
છતાં મારે કબૂલ કરવું જ રહ્યું કે | |||
તમારી સમક્ષ જે દર્શન છે તે મારી સમક્ષ નથી | |||
અને જે અવાજ માત્ર તમને જ સંભળાયો છે | |||
તેનો સંપૂર્ણ અર્થ હું પામી શક્યો નથી. | |||
તેથી કોઈ પણ સંજોગોમાં હું માનવાનો પ્રયત્ન કરીશ | |||
કે તમે તમારા નિર્ધારમાં સાચા છો | |||
અને મારી શંકા મારી કાયરતા કે મારા અજ્ઞાનનું પરિણામ છે. | |||
પ્રેમ અને સન્માન સહ, તમારો, | |||
બે દિવસ બાદ મેં ફરીથી લખ્યું, | |||
તમારા ઉદાહરણને જો તર્કસંગત દૃષ્ટિથી અનુસરવામાં આવે તો આખા જગતમાંથી બધા જ ઉમદા આત્માઓનો નાશ થાય અને બાકી રહે નૈતિક નબળાઈ ધરાવતી કચડાયેલી સમષ્ટિ | |||
જે અજ્ઞાન અને અન્યાયના અતલ ઊંડાણમાં ડૂબી જશે. | |||
તપસ્યાની આ પદ્ધતિ | |||
માત્ર તમારા અંગત પ્રયાસ દ્વારા જ ફળદાયી થશે | |||
અને બીજા માટે તેનો કોઈ જ અર્થ નથી | |||
એમ કહેવાનો તમને કોઈ જ હક નથી. | |||
એ જો સાચું હોય તો તમારે આ તપસ્યા | |||
જે માત્ર તમારું જ બલિદાન માંગે છે | |||
તેને ખાસ રહસ્યમય ક્રિયા તરીકે | |||
એકદમ ગુપ્તતા રાખીને કરવી જોઈએ. | |||
તમે બીજાઓને ક્રિયાશીલ રહીને | |||
રાષ્ટ્રીય જીવનને ગૂંગળાવતા શેતાનને હઠાવવા કહો છો | |||
અને પોતે આવો નિષ્ક્રિય બલિદાનનોે માર્ગ અપનાવો છો. | |||
આને કારણે તમારાથી નાના માણસોને માટે | |||
ફરજનો એક સહેલો અને વ્યર્થ પથ ખુલી જશે | |||
જે તેમને ઈન્દ્રીયદમનની ઊંડી ખીણમાં ઝંપલાવવા માટે લલચાવશે. | |||
તમારી આ આગવી શુદ્ધિની પદ્ધતિને | |||
જો તેઓ દેશ માટે અપનાવશે તો તેમને દોષ નહીં દેવાય | |||
કારણ કે જો કોઈ સંદેશ સર્વસામાન્ય ન હોય | |||
તો તેનું પ્રતિપાદન થવું જ ન જોઈએ. | |||
તમારી પ્રતિજ્ઞાથી મને થયેલા દુ:ખને કારણે | |||
મને આમ લખવાની ફરજ પડે છે | |||
કારણ કે એક ઉદાત્ત કારકિર્દીને | |||
અનુચિત અંત પ્રતિ પ્રયાણ કરતી હું જોઈ નથી શકતો. | |||
તમારા વ્યક્તિત્વમાં મૂર્તિમંત થતા | |||
આપણા દેશના ગૌરવને ખાતર | |||
અને તમારા જીવંત સ્પર્શ અને સહાયની જેમને જરૂર છે | |||
તેવા આપણા કરોડો દેશવાસીઓને ખાતર | |||
હું ફરી એકવાર વિનંતી કરું છું કે | |||
એવું કોઈ પણ કામ કરતાં અટકી જાઓ | |||
જે તમને માત્ર તમારે માટે યોગ્ય લાગતું હોય | |||
પણ બાકીની પ્રજાને માટે નહીં. | |||
અત્યંત દુ:ખ અને પ્રેમ સહિત,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર:}} | |||
}} | |||
{{Story | |||
|story =<poem>થોડા સમય પછી રવીન્દ્રનાથને લાગ્યું | |||
કે પૂનામાં થયેલા કરારમાં બંગાળને અન્યાય થયો છે.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>મારે પ્રેસમાં નિવેદન આપવું પડ્યું. | |||
મને યાદ છે કે મેં વડાપ્રધાનને તાર કર્યો હતો કે | |||
શ્રી ગાંધીએ તેમને મોકલેલી કોમી એવૉર્ડની દરખાસ્ત સ્વીકારવામાં વિલંબ ન કરવો જોઈએ. | |||
તે સમયે અત્યંત વેદનાદાયક પરિસ્થિતિ હોઈ | |||
શાંત ચિત્તે પૂના કરારનાં પરિણામો વિશે | |||
વિચારવાનો અવકાશ રહ્યો ન હતો. | |||
તદુપરાંત તે પરિષદમાં | |||
બંગાળના કોઈ જવાબદાર પ્રતિનિધિએ પણ | |||
ભાગ લીધો ન હતો. | |||
આ પ્રશ્નના નિરાકરણ ઉપર | |||
શ્રી ગાંધીના જીવનનો આધાર હતો | |||
અને આવી કટોકટીથી ઊભી થતી અસહ્ય વ્યાકુળતાને કારણે એવો નિર્ણય લેવાઈ ગયો | |||
જેે વધુ વિચારતાં | |||
આપણા દેશના લાંબા ગાળાના લાભમાં નથી લાગતો. | |||
શ્રી ગાંધી માટેના અગાધ પ્રેમ | |||
અને તેમની ભારતીય રાજકારણની સમજમાં | |||
સંપૂર્ણ શ્રદ્ધા હોવાથી | |||
તેમ જ મારા રાજકારણના બિનઅનુભવને કારણે | |||
હું વધુ વિચાર કરવા બેઠો નહીં | |||
અને હવે મને લાગે છે કે | |||
કમનસીબે બંગાળને ભાગે ન્યાયનો ભોગ આવ્યોે છે. | |||
શ્વેતપત્રમાંની બીજી બધી દરખાસ્તો પર | |||
ફેરવિચારણા થઈ રહી છે | |||
જ્યારે અંગ્રેજ સરકાર અમારે માટે અગત્યના વિષય પર ફરીથી વિચાર કરવાનું ઉચિત નથી માનતી | |||
તેનાથી મને આશ્ચર્ય કે દુ:ખ નથી થતું | |||
પણ પરિષદના અન્ય પ્રાંતના ભારતીય સભ્યો | |||
બંગાળના બદ્નસીબ પ્રત્યે માત્ર ઉદાસીન જ નથી | |||
પણ તેને સક્રિય સમર્થન આપે છે | |||
જે આપણા ભાવિ માટે અમંગળ એંધાણ આપે છે.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poe,>પ્રિય ગુરુદેવ, | |||
બંગાળને સ્પર્શતા યરવડા કરાર અંગેનું | |||
તમારું પ્રેસમાં આપેલું નિવેદન મારા ધ્યાનમાં આવ્યું છે. | |||
બંગાળને અન્યાય કરતા કરારને સંમતિ આપવામાં | |||
તમે તમારા મારા પ્રત્યેના પ્રેમ અને વિશ્વાસને કારણે ભૂલ કરી બેઠા તે જાણીને મને અત્યંત દુ:ખ થયું છે. | |||
પણ હું દૃઢતાપૂર્વક માનું છું કે કાંઈ પણ ભૂલ થઈ નથી. | |||
મેં પોતે વિચાર કર્યો અને | |||
માહિતગાર મિત્રો સાથે પણ ચર્ચા કરી. | |||
ત્યાર પછી પણ મને લાગતું નથી કે | |||
બંગાળને અન્યાય થયો છે. | |||
જો મને લાગે કે ભૂલભર્યો નિર્ણય લેવાયો છે | |||
તો તે ભૂલ સુધારવા માટે | |||
હું મારાથી બનતું બધું જ કરી છૂટતે. | |||
નિષ્ઠાપૂર્વક તમારો,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>પ્રિય મહાત્માજી, | |||
મને ખાતરી છે કે | |||
જો પુના કરારને ફેરવિચારણા વિના સ્વીકારવામાં આવશે | |||
તો તેનાથી અમારા પ્રાંતમાં કોમી ઇર્ષ્યાનાં મૂળ નંખાશે | |||
અને અંતે શાંતિમાં સતત ખલેલ પડશે | |||
તેમ જ પરસ્પર સહકારના વાતાવરણમાં | |||
જીવલેણ અવરોધ ઊભો થશે. | |||
સન્માન અને પ્રેમ સહિત, | |||
થોડા દિવસ પછી એક આખરી પત્ર, | |||
પ્રિય મહાત્માજી, | |||
આ બેચેનીની ક્ષણોમાં તમને સંપૂર્ણ આરામની જરૂર છે | |||
તે હું સમજું છું | |||
અને શારીરિક તેમ જ માનસિક શ્રમના દિવસો પછી | |||
મારે તમને પુના કરારની વિગતવાર ચર્ચા કરીને | |||
ખલેલ નથી પહોંચાડવી. | |||
તમને સંતોષ છે કે બંગાળને અન્યાય નથી થયો. | |||
જો આ કરારમાં સુધારો કરવામાં નહીં આવે | |||
તો બંગાળના સામાજિક અને રાજકીય જીવનને | |||
ગંભીર હાનિ પહોંચશે એમાં કોઈ શંકાને સ્થાન નથી | |||
એ જાણ્યા પછી | |||
મારે માટે તમારું મંતવ્ય ચુપચાપ સ્વીકારી લેવાનું શક્ય નથી. | |||
સત્યનું એક અગત્યનું સ્વરૂપ છે ન્યાય. | |||
તાત્કાલિક શાંતિ કે ઉતાવળમાં | |||
કોઈ રાજકીય ગૂંચ ઉકેલવા માટે જો તેને અવગણવામાં આવે તો લાંબા ગાળે જેમને તેનાથી લાભ થયો હોય | |||
તેમણે તેનો પ્રત્યાઘાત ભોગવવો જ પડશે | |||
અને સહેલાઈથી મળેલા લાભની | |||
ભારે કિંમત ચૂકવવાની રહેશે. | |||
હું રાજદ્વારી માણસ નથી | |||
અને આ બાબતને માનવતાના દૃષ્ટિબિંદુથી જોઉં છું. | |||
જ્યારે ન્યાયની બાબતમાં માનવતાને અવગણવામાં આવે છે ત્યારે તેને ક્રૂર હાનિ થાય છે. | |||
ગંભીર વિચારણા પછી જે અભિપ્રાય પર હું આવ્યો છું | |||
તે આ પત્રમાં મેં પ્રસ્તુત કર્યો છે. | |||
તેના જવાબની હું કોઈ જ જરૂરિયાત જોતો નથી. | |||
પ્રેમ અને સન્માન સહિત,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>૧૯૩૪માં બિહારમાં ધરતીકંપ થયો હતો.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>પ્રેસના હેવાલ મુજબ | |||
તમે તાજેતરમાં બિહારના ધરતીકંપ અંગે | |||
એક ભાષણમાં નીચે મુજબ કહ્યું હતું, | |||
હરિજનો સામેના આપણા પાપની સજા | |||
કુદરતે ધરતીકંપથી આપી છે | |||
એમ માનવા જેટલા વહેમી મારી જેમ થશો | |||
એવી હું આશા રાખું છું. | |||
હું આ માની નથી શકતો. | |||
પણ જો તમે સાચે જ આમ માનતા હો | |||
તો મારે તેનો વિરોધ કરવો જ રહ્યો. | |||
આ સાથે મારો પ્રત્યુત્તર મોકલું છું. | |||
જો પ્રેસનો હેવાલ સાચો હોય તો | |||
તમે આને પણ પ્રેસમાં મોકલશો? | |||
મહાત્માજીએ ઉદારતાથી મારો પ્રત્યુત્તર હરિજનમાં છપાવ્યો. | |||
જેઓ વગર વિચારે પોતાની સામાજિક રૂઢિ પ્રમાણે અસ્પૃશ્યતાની પ્રણાલી જાળવી રાખે છે | |||
તેમના પર મહાત્માજીનો આક્ષેપ છે કે | |||
ઈશ્વરે તેમના પર વેર લેવા બિહારના કેટલાક ભાગ પર પોતાની નારાજગી પ્રદર્શિત કરતી પાયમાલી વરસાવી છે. | |||
આવો વિજ્ઞાનથી વિપરીત દૃષ્ટિકોણ | |||
મોટા ભાગના આપણા દેશવાસીઓ સ્વીકારી લે છે | |||
તે વધારે કમનસીબીની વાત છે. | |||
ભૌતિક આપત્તિઓનું મૂળ અનિવાર્યપણે | |||
ભૌતિક સત્યોના એકત્રિત જૂથમાં રહેલું છે | |||
એ સત્ય ઉચ્ચારતાં મહાત્માજીના વિધાનમાં રહેલી | |||
તાર્કિક વિસંગતતા વધુ ઉપસી આવે છે. | |||
ઈશ્વર પણ જેમાં દખલગીરી નથી કરતો | |||
એવા કુદરતના નિષ્ઠુર નિયમોમાં | |||
આપણે જો ન માનતા હોઈએ | |||
તો આવી ભીષણ આપત્તિના સમયે | |||
ઈશ્વરની કામ કરવાની રીતનેે વ્યાજબી ઠરાવવી અસંભવ છે. | |||
જો આપણે નૈતિક સિદ્ધાંતોને | |||
વૈશ્વિક ઘટના સાથે સાંકળી લઈએ | |||
તો આપણે સ્વીકારવું પડે કે | |||
માણસની પ્રકૃતિ નૈતિક દૃષ્ટિએ | |||
ઈશ્વર કરતાં ચડિયાતી છે | |||
કારણ ઈશ્વર સારી વર્તણૂંકનો બોધપાઠ | |||
નિમ્નતમ વર્તણૂંકના વ્યભિચાર દ્વારા આપે છે. | |||
આપણે ક્યારેય | |||
કોઈ એવા સંસ્કૃત શાસકની કલ્પના કરી શકીએ | |||
જે દૂર વસતા અને કઠોર શિક્ષાને પાત્ર લોકો પર | |||
દાખલો બેસાડવા માટે | |||
નાના બાળકો અને અસ્પૃશ્યોને શિકાર બનાવે? | |||
દુ:ખદ વાત તો એ છે કે | |||
આવી વૈશ્વિક દુર્ઘટનાનો ગેરલાભ લેતી દલીલ | |||
મહાત્માજી કરતાં એમના વિરોધીઓના માનસને | |||
વધુ શોભે તેવી છે. | |||
તેઓ જો મહાત્માજી અને એમના અનુયાયીઓને | |||
આ દિવ્ય પ્રકોપ માટે જવાબદાર ગણતા હોત | |||
તો મને જરાય આશ્ચર્ય ન થાત. | |||
અમને તો સંપૂર્ણ વિશ્વાસ છે કે | |||
અમારા પાપ અને ક્ષતિઓ ગમે તેટલાં મહાકાય હોય, તેમનામાં સૃષ્ટિના સર્જનને | |||
વિલયના માર્ગે દોરી જવાની શક્તિ નથી. | |||
દેશવાસીઓના મગજમાં | |||
નિર્ભયતા અને આશ્ચર્યપૂર્ણ પ્રેરણાનું સિંચન કરવા માટે | |||
મહાત્માજીનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. | |||
પણ જ્યારે તેમના જ શબ્દો | |||
એ જ મગજમાં તર્કથી વિસંગત વિચારોનું નિરૂપણ કરે છે ત્યારે અમેે અત્યંત ખેદપૂર્ણ લાગણી અનુભવીએ છીએ. | |||
મુક્તિ અને આત્મસન્માનનો વિરોધ કરતા | |||
બધા જ અંધ પરિબળોના સ્રોતનું મૂળ છે તર્કથી વિસંગતતા.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>તેમના મહાન સંસ્થાનના રહેવાસીઓની જેમ જ | |||
શાંતિનિકેતનના મહાકવિ મારે માટે પણ ગુરુદેવ જ છે. | |||
અમારા બેની વચ્ચેના મતભેદોની જાણ | |||
અમને ઘણા સમય પહેલાં થયેલી છે. | |||
બિહારની આપત્તિને મેં | |||
અસ્પૃશ્યતાના પાપ સાથે સાંકળી લીધી | |||
તેની સામેના તેમના તાજેતરનાં વક્તવ્યથી | |||
તેમાં કોઈ વધારો થતો નથી. | |||
તેમને જ્યારે પણ મારી ભૂલ દેખાય | |||
ત્યારે મારો વિરોધ કરવાનો તેમને સંપૂર્ણ અધિકાર છે. | |||
તેમના પ્રત્યેના મારા પ્રગાઢ આદરને કારણે | |||
હું બીજા કોઈપણ ટીકાકાર કરતાં તેમને | |||
વધુ ધ્યાનપૂર્વક સાંભળીશ. | |||
તેમનું નિવેદન ત્રણ વાર વાંચ્યા પછી પણ | |||
આ કટારમાં વ્યક્ત થયેલા મારા મતને હું વળગી રહું છું. | |||
હું હંમેશા માનતો આવ્યો છું કે ભૌતિક ઘટનાઓના ભૌતિક તેમ જ આધ્યાત્મિક પરિણામો હોય છે. | |||
તેનાથી વિરૂદ્ધ પણ એટલું જ સાચું છે એમ હું માનું છું. | |||
મારે માટે ધરતીકંપ ઈશ્વરની સ્વચ્છંદી પ્રકૃતિનું ઉદાહરણ કે અંધ પરિબળોનું પરિણામ નથી. | |||
ઈશ્વરના બધાજ નિયમો | |||
કે તેના નિયમન વિશે આપણે જાણતા નથી. | |||
દુકાળ, પૂર, ધરતીકંપ ઇત્યાદિ | |||
કુદરતી આફતોનું મૂળ ભૌતિક લાગતું હોવા છતાં | |||
મારે માટે કોઈ અગમ્ય કારણસર | |||
તે માણસની નૈતિકતા સાથે સંબંધ ધરાવે છે. | |||
તેથી મને સહજભાવે જ લાગ્યું કે | |||
ધરતીકંપ અસ્પૃશ્યતાના પાપની કુદરતે કરેલી સજા છે. | |||
સનાતનીઓ જરૂર કહી શકે છે કે | |||
તે મારી અસ્પૃશ્યતા વિરોધી ઝુંબેશના ગુનાની સજા છે. જેમ ઈશ્વરના અસ્તિત્વની સાબિતી | |||
ન માનનારને આપવી અસંભવ હોવા છતાં | |||
મારે માટે ઈશ્વરમાં ન માનવું અશક્ય છે, | |||
તેમ જ અસ્પૃશ્યતાના પાપ | |||
અને બિહારની કુદરતી આફત વચ્ચેનો સંબંધ | |||
હું સાબિત ન કરી શકતો હોવા છતાં | |||
તેને હું સહજપણે અનુભવું છું. | |||
અમારા પાપ અને ક્ષતિઓ ગમે તેટલાં મહાકાય હોય, | |||
તેમનામાં સૃષ્ટિના સર્જનને | |||
વિલયના માર્ગે દોરી જવાની શક્તિ નથી, | |||
આવો ગુરુદેવ જેવો વિશ્વાસ મને નથી. | |||
હું તો એમ માનું છું કે કોઈ પણ ભૌતિક ઘટના કરતાં સર્જનનો વિનાશ કરવાની વધુ શક્તિ આપણા પાપમાં છે. | |||
પદાર્થ અને ચેતના વચ્ચે એક અતૂટ બંધન છે. | |||
આપણા અજ્ઞાનને કારણે | |||
આ બંધનનાં પરિણામો રહસ્યમય છે | |||
અને આપણામાં આદરપૂર્ણ ભય પ્રેરે છે | |||
પણ આપણે બંધનને છોડી શકતા નથી. | |||
મારે માટે | |||
વૈશ્વિક ઘટના અને માનવીના આચરણ વચ્ચેની કડી | |||
એક જીવંત શ્રદ્ધા છે જે મને નમ્ર બનાવે છે, | |||
ઈશ્વરની વધુ નજીક લઈ જાય છે | |||
અને તેની સમક્ષ આવવા તૈયાર કરે છે. | |||
જો હું અજ્ઞાનતાપૂર્વક આવી માન્યતાનો ઉપયોગ | |||
મારા વિરોધીઓનો ઉધડો લેવા માટે કરું | |||
તો તેને નિમ્નતમ વહેમ જ કહેવો પડે. </poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>એક વર્ષ પછી.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>પ્રિય મહાત્માજી, | |||
ત્રીસથી વધારે વર્ષોથી મેં મારું સર્વસ્વ | |||
મારા જીવનના લક્ષ્યને અર્પણ કર્યું છે. | |||
બધી જ મુશ્કેલીઓનો પ્રતિકાર મેં એકલે હાથે કર્યો છે. | |||
મારી અથાગ જહેમત દ્વારા | |||
સંસ્થાનો વિવિધ સ્વરૂપમાં વિકાસ થયો છે. | |||
હવે જ્યારે હું પંચોતેરનો થયો છું | |||
ત્યારે મને મારી જવાબદારીઓનો બોજો | |||
મારે માટે અત્યંત ભારે લાગે છે. | |||
ઝોળી ફેલાવીને થતા અવિરત પ્રવાસો | |||
અને તેના હાસ્યાસ્પદ અને ક્ષુલ્લક પરિણામોએ | |||
મારી રોજિંદી ચિંતામાં વધારો કર્યો છે | |||
અને હવે હું થાકની પરાકાષ્ટા પર પહોંચી ગયો છું. | |||
હું બીજા કોઈને જાણતો નથી | |||
જે મને મારા જીવન અને સ્વાસ્થ્યની ઢળતી સાંજે | |||
આ સદાકાળની ચિંતામાંથી મુક્તિ અપાવી શકે. | |||
ઊંડા પ્રેમ સહિત,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>પ્રિય ગુરુદેવ, | |||
જોઈતા પૈસા મેળવવા માટે હું બધો જ પ્રયત્ન કરીશ | |||
તે માટે તમે બેફિકર રહેજો. | |||
હું રસ્તો શોધી રહ્યો છું. | |||
મારી શોધનાં પરિણામ તમને જણાવવામાં | |||
થોડો સમય લાગશે. | |||
તમારી વયે | |||
તમારે ઝોળી ફેલાવીને પ્રવાસ કરવો પડે | |||
તેનો વિચાર માત્ર અસ્વીકાર્ય છે. | |||
તમારા શાંતિનિકેતનની બહાર નીકળ્યા વિના | |||
જરૂરી ભંડોળ તમારી પાસે પહોંચી જ જવું જોઈએ. | |||
સન્માનીય પ્રેમ સહિત, તમારો, | |||
થોડાક માસ પછી | |||
ગુરુદેવ જ્યારે તેમના શાંતિનિકેતનની નાટકમંડળી સાથે દિલ્હીમાં હતા ત્યારે મેં લખ્યું, | |||
પ્રિય ગુરુદેવ, | |||
મારા નબળા પ્રયાસને ઈશ્વરના આશીર્વાદ મળ્યા છે. | |||
આ સાથે પૈસા મોકલાવું છું. | |||
ઈશ્વર તમને લાંબા સમય સુધી સલામત રાખે, | |||
સપ્રેમ તમારો,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>સાથે એક પત્ર હતો, તેમાં લખ્યું હતું, | |||
આ સાથે રૂ. ૬૦,૦૦૦/-નો ડ્રાફ્ટ બીડ્યો છે | |||
જે શાંતિનિકેતનના ખર્ચમાં ખૂટતી રકમ છે | |||
અને તે ભેગી કરવા | |||
આપ આપની કલાનું પ્રદર્શન વિવિધ સ્થળે કરો છો. | |||
આ સાંભળતા અમે શરમિંદા થઈ ગયા હતા. | |||
અમે માનીએ છીએ કે આપની વયે | |||
અને આપના કથળતા સ્વાસ્થ્ય સાથે | |||
આપને આવા શ્રમદાયક પ્રવાસો ન કરવા જોઈએ. | |||
આપ માત્ર ભારતના જ શ્રેષ્ઠ કવિ નથી, | |||
આપ તો માનવતાના કવિ છો. | |||
આપનાં કાવ્યો વાંચતાં પ્રાચીન ઋષિઓની ઋચા યાદ આવે છે. અમને લાગે છે કે | |||
ઈશ્વરે જેમને સમૃદ્ધિના આશીર્વાદ આપ્યા છે | |||
તેમણે તમને તમારી સંસ્થા માટે જરૂરી ભંડોળ | |||
ભેગું કરવાની જવાબદારીમાંથી મુક્ત કરવા જોઈએ. | |||
એ દિશામાં આ અમારું નમ્ર પ્રદાન છે. | |||
અમે અમારું નામ જાહેર કરવા માંગતા નથી | |||
તેમ જ તેના કારણો આપવાની જરૂર જોતા નથી. | |||
અમે આશા રાખીએ છીએ કે | |||
હવે આપ ઉપર જણાવેલ રકમ ઉઘરાવવા માટે | |||
ગોઠવેલાં બધાં જ રોકાણો રદ કરશો. | |||
આપણા દેશની સેવામાં સમર્પિત | |||
આપના દીર્ઘ જીવન માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. | |||
અમે છીએ, આપના નમ્ર દેશવાસીઓ, | |||
૧૯૩૭ના આરંભમાં,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>મારા પ્રિય મહાત્માજી, | |||
મેં તમને આપણી વિશ્વ ભારતીના આજીવન ટ્રસ્ટી તરીકે નિમવાની ધૃષ્ટતા કરી છે. | |||
જે સંસ્થાને મેં મારા જીવનનું સર્વશ્રેષ્ઠ અર્પણ કર્યું છે | |||
તેના એક વાલી તરીકે તમે છો એ જાણીને | |||
મારા અંતિમ વર્ષોમાં મને સાંત્વન મળશે. | |||
જુદા પરબીડિયામાં મોકલાઈ રહેલી | |||
કાયદા અને નિયમોની પત્રિકામાંથી તમે જોઈ શકશો કે અવારનવાર સલાહ આપવા સિવાય | |||
તેમ જ સંસ્થાની નાણાંકીય સલામતી અંગે | |||
નિર્ણય લેવા સિવાય | |||
બીજા કોઈ કામનો બોજો તમારે માથે નહીં આવી પડે. | |||
મારી જવાબદારી તમારી સાથે વહેંચવામાં | |||
મને કાંઈ અનુચિત નથી લાગતું. | |||
હું જાણું છું કે | |||
આપણી પ્રવૃત્તિના ક્ષેત્રમાં રહેલા મતભેદોને કારણે | |||
આપણી વચ્ચેના | |||
પરસ્પર પ્રેમ અને સમાન આકાંક્ષાનું બંધન ઢીલું નહીં થાય. | |||
હું આશા રાખું છું કે | |||
તમે મને આ વિશિષ્ટ અધિકાર આપશો. | |||
સસ્નેહ તમારો,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>પ્રિય ગુરુદેવ, | |||
તમારો ૧૦મીનો પત્ર મને પાંચ દિવસ પહેલાં મળ્યો હતો. | |||
મારા પ્રત્યેનો તમારો પ્રેમ અને વિશ્વાસ | |||
તેની દરેક પંક્તિમાં દેખાઈ આવે છે | |||
પણ મારી પોતાની મર્યાદાઓનું શું? | |||
મારા પર તમે લાદવા ધારેલો બોજો વહન કરવો | |||
મારા ગજા બહારની વાત છે. | |||
તમારા પ્રત્યેનો આદર મને એક દિશામાં ખેંચી જાય છે અને મારી મર્યાદાઓનો વિચાર સામેની દિશામાં. | |||
આવા મુદ્દામાં લાગણીને તાબે થવું | |||
મારે માટે મૂર્ખામી કહેવાય. | |||
હું સમજું છું કે જો હું જવાબદારી સ્વીકારું | |||
તો મારે વહીવટી વિગતોમાં ઉતરવાની જરૂર નહીં પડે પણ તેમાં સંસ્થાને જરૂરી નાણાંકીય સાધનો ઊભા કરવાની જવાબદારીનો પરોક્ષ સ્વીકાર થાય છે. | |||
બે દિવસ પહેલાં મેં જે સાંભળ્યું | |||
તેનાથી મારી અનિચ્છામાં ઉમેરો થયો છે. | |||
મને કહેવામાં આવ્યું છે કે | |||
મને દિલ્હીમાં આપેલા વચનનો અનાદર કરીને | |||
તમે ફરી એકવાર ઝોળી ફેલાવવા અમદાવાદ જવાના છો. | |||
મને સાંભળીને દુ:ખ થયું અને હું પગે પડીને | |||
તમને વિનંતી કરું છું કે તમારો પ્રવાસ રદ કરો. | |||
અને મારી ટ્રસ્ટી તરીકેની નિમણૂંક | |||
તો પાછી ખેંચી જ લેશો. | |||
પ્રેમ અને સન્માન સહિત,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>પ્રિય મહાત્માજી, | |||
તમે મને સમજવામાં ગંભીર ભૂલ કરી છે, | |||
માત્ર એક શંકાને કારણે! | |||
તમારા ઉદાત્ત અને ઉદાર સ્વભાવથી આ કેટલું જુદું છે! | |||
હું વેદનાપૂર્ણ આશ્ચર્યથી હેબતાઈ ગયો છું. | |||
શરમજનક છે કે મારે કહેવું પડે કે | |||
તમને વિશ્વ ભારતીના ટ્રસ્ટી બનાવીને | |||
તમારા નામનો દુરુપયોગ કરીને | |||
નાણાંકીય સહાય મેળવવાનો મારો ઈરાદો ન હતો. | |||
મને લાગે છે કે કોઈ પણ કારણસર | |||
જો એ મારી ભૂલ હોય તો | |||
હું મારી વિનંતી પાછી ખેંચું છું અને તમારી ક્ષમા માંગું છું. | |||
તમારા પત્રમાં તમે મારા ઉપર | |||
દિલ્હીમાં આપેલા વચનનો ભંગ કરીને | |||
ભંડોળ ભેગું કરવા અમદાવાદ જવાનો | |||
વિચિત્ર આક્ષેપ મૂક્યો છે. | |||
તમને ખરી હકીકતની જાણ ન હતી | |||
અને તેથી મારા પર આવો આક્ષેપ મૂકવાનું | |||
બિલકુલ ઉચિત ન કહેવાય. | |||
જવાબમાં મને સ્પષ્ટતા પૂર્વક કહેવા દો કે | |||
જેને હું મારું કર્તવ્ય માનું છું | |||
તેનું ગૌરવ સમજવામાં તમને તમારો સ્વભાવ આડે આવે છે. | |||
મારું કર્તવ્ય માત્ર ભારતના આર્થિક પ્રશ્નો કે | |||
તેના સાંપ્રદાયિક ધર્મો પૂરતું સીમિત નથી | |||
પરંતુ માનવીના મગજની સંસ્કૃતિને | |||
તેના વ્યાપક અર્થમાં સમજવાનો પ્રયત્ન કરે છે. | |||
જેમાં સૌંદર્યના શાશ્વત મૂલ્યો સમાયાં છે | |||
તેવાં મારા કાવ્યમય સર્જનોને જનતા સમક્ષ મૂકવાની | |||
મારી ઇચ્છા થાય ત્યારે તેના બદલામાં | |||
પ્રતિભાવ આપવા જેટલા સંવેદનશીલ માણસો પાસેથી | |||
હું દાન કે કૃપાની નહીં | |||
પણ મારી કલાને કૃતજ્ઞ અંજલિની અપેક્ષા રાખું છું. | |||
અને જો મારે પ્રેક્ષકો પાસેથી પ્રવેશ ફી તરીકે | |||
કોઈ પ્રદાન મેળવવું પડે | |||
તો તેમની સમક્ષ પ્રસ્તુત થતા વિરલ લાભના બદલામાં | |||
તે મને મળવું જોઈએ તેના કરતાં ઘણું ઓછું છે. | |||
તેથી તમારો ઝોળી ફેલાવવાનો શબ્દપ્રયોગ | |||
જે તમારી કલમની સ્પષ્ટ કે ચોક્કસ અભિવ્યક્તિ નથી | |||
અને તેને શોભતી પણ નથી | |||
તેનો હું ધરાર અસ્વીકાર કરું છું. | |||
અસ્તિત્વના આનંદમાં ઉમેરો કરવામાં | |||
સર્જકને સહયોગ આપવાનું તેનું કર્તવ્ય સમજવું | |||
અને પોતાના કર્તવ્યમાં ગંભીર શ્રદ્ધા રાખવી | |||
એ કવિના ધર્મનો એક અંશ છે. | |||
જ્યારે મેં કેળવેલા કલાકારો | |||
મારા સૌંદર્યના સ્વપ્નની અભિવ્યક્તિ | |||
તેમની તાલબદ્ધ અંગભંગી અને અવાજથી આપી રહ્યા હોય ત્યારે તેમની બાજુમાં બેસીને | |||
તેમને કહેવું કે તેઓ સુંદર કામ કરી રહ્યા છે | |||
તેનાથી વધારે મને કાંઈ જ ગમતું નથી | |||
એ મારે સ્વીકારવું જ જોઈએ. | |||
નિષ્ઠાપૂર્વક તમારો,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>પ્રિય ગુરુદેવ, | |||
તમારા પત્રથી મને અત્યંત માનસિક પીડા થઈ છે. | |||
પ્રેમ અને સન્માનપૂર્વક લખાયેલો એક પત્ર | |||
આટલી બધી ગેરસમજુતી ઊભી કરી શકે | |||
તે એક આશ્ચર્યજનક ઘટના છે. | |||
શંકાનો કોઈ પ્રશ્ન જ ન હતો | |||
અને માટે તમને સમજવામાં ભૂલ કરવાનો પણ | |||
પ્રશ્ન ન જ ઊભો થાય. | |||
ટ્રસ્ટી તરીકે રહેવામાં રહેલી જવાબદારીઓ | |||
હું જે રીતે સમજ્યો છું તે તમારી સમક્ષ રજુ કરું છું. | |||
હું બીજી સંસ્થાઓમાં ટ્રસ્ટી રહી ચૂકેલો છું | |||
અને તેમની નાણાંકીય જરૂરિયાતો યોગ્ય રીતે સચવાય | |||
તે જોવામાં મેં મારી જાતને ઘસી નાંખી છે. | |||
જો હું વિશ્વ ભારતીનો બોજો સ્વીકારું | |||
તો મારે ઓછામાં ઓછો | |||
તેનો નાણાંકીય ભાર તો વહેવો જ પડે. | |||
વચનભંગની વાતમાં તો હું એમ માનું છું કે | |||
આપણે એકબીજાની એટલા નજીક છીએ કે | |||
ગંમતમાં હું તમારા પર વચનભંગનો આક્ષેપ મૂકી શકું. | |||
મારો હેતુ સાવ સીધોસાદો હતો. | |||
યેન કેન પ્રકારેણ | |||
મારે તમારા ઝોળી ફેલાવવાના પ્રવાસો ટાળવા હતા. | |||
આ શબ્દપ્રયોગ તો આપણે દિલ્હીમાં | |||
એકથી વધારે વાર વાપરેલો છે. | |||
તમે આપી શકો તેટલું આપો, તે અમને ગમશે | |||
પણ તમારી જનતા સમક્ષની અભિવ્યક્તિમાં | |||
ક્યારેય વિશ્વભારતી માટે ભંડોળ ભેગું કરવાનો | |||
ભાર ન હોવો જોઈએ. | |||
આશા રાખું છું કે આ પત્રથી | |||
મારા આગળના પત્રથી થયેલું દુ:ખ ઓછું થશે. | |||
પ્રેમ અને સન્માન સહિત, તમારો,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>: સપ્ટેમ્બર ૧૦, ૧૯૩૭. અચાનક કવિ માંદા પડ્યા. | |||
તે કલકત્તામાં હતા અને શાંતિનિકેતન પાછા ફર્યા | |||
તે જ રાત્રે તે બેભાન થઈ ગયા. | |||
તાર ઑફિસ બંધ હોવાથી રેલ્વેમાંથી રાત્રે એક વાગ્યે | |||
કલકત્તા સંદેશો પહોંચાડવામાં આવ્યો કે | |||
સવારની ટ્રેનની રાહ જોયા વિના | |||
ડૉક્ટરોને તરત જ શાંતિનિકેતન મોકલવામાં આવે. | |||
રાત્રે બે વાગ્યે | |||
ડૉ. નીલરતન સરકાર ગાડીમાં શાંતિનિકેતન આવવા નીકળ્યા અને સવારે ત્યાં પહોંચી ગયા. | |||
ત્યારે કવિ બેભાન હતા | |||
અને સ્થાનિક ડૉક્ટરો માનતા હતા કે | |||
તેમને પક્ષઘાતનો હુમલો થયો છે. | |||
કલકત્તાના ડોક્ટરોએ કહ્યું કે | |||
તે તો એરીસિપેલાનો ગંભીર હુમલો હતો | |||
અને તે મૂત્રાશયની સમસ્યાથી વધુ ગૂંચવાડો ઊભો થયો હતો. | |||
કોઈ જ આશા રહી ન હતી | |||
અને તે બાસઠ કલાક બેભાન રહ્યા હતા. | |||
પણ એક વાર ભાન આવ્યું પછી તે જલદી સાજા થઈ ગયા. બોલવા માંડતા તરત જ તેમને કાવ્ય લખવું હતું | |||
કે ચિત્ર દોરવું હતું. | |||
કાવ્ય લખવામાં વધુ શ્રમ પડે માટે | |||
તેમણે રંગ અને પીંછી મંગાવ્યાં. | |||
થોડાક જ કલાકમાં એમણે એક ખાસું મોટું ચિત્ર દોર્યું. | |||
આગળના ભાગમાં | |||
ઘેરા રંગમાં અસ્પષ્ટ વનની ઝાંખી થાય છે | |||
અને વચ્ચે સોનેરી પ્રકાશનું ઉષ્માભર્યું પૂર ધસી આવે છે | |||
અને પાછળનું દૃશ્ય દેખાય છે. | |||
તેમની ખબર પૂછતો ગાંધીજીનો સંદેશ જોતાં જ | |||
૧૯મી તારીખે તેમણે જવાબ આપ્યો,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>પ્રિય મહાત્માજી, | |||
બેભાન અવસ્થામાંથી જીવંત જગતમાં પાછાં ફરતાં | |||
મારું પ્રથમ સ્વાગત કર્યું | |||
સ્નેહસભર વ્યાકુળતાથી છલકાતા તમારા પત્રે. | |||
મને લાગ્યું કે દીર્ઘકાળ સુધી | |||
સતત થયેલી વેદના અને વ્યથાનું મૂલ્ય ચૂકવાઈ ગયું હતું. | |||
કૃતજ્ઞ પ્રેમ સહિત,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>પ્રિય ગુરુદેવ, | |||
તમારો કિંમતી પત્ર મારી સામે છે. | |||
તમે મારી અપેક્ષા રાખી હતી. | |||
સર નીલરતનનો હિંમત આપતો તાર આવ્યા પછી | |||
મારે તરત જ લખવું હતું. | |||
પણ મારા જમણા હાથને આરામની જરૂર છે | |||
અને મારે લખાવવું ન હતું. ડાબો હાથ ધીરે કામ કરે છે. અમારામાંના કેટલાકને તમારા માટે કેટલો પ્રેમ છે | |||
તેનું આ દૃષ્ટાંત છે. | |||
હું ચોક્કસ માનું છું કે | |||
તમારા પ્રશંસકોની હાર્દિક પ્રાર્થના સંભળાતાં | |||
તમે આજે અમારી સાથે છો. | |||
તમે માત્ર જગતના ગાયક નથી. | |||
તમારો જીવંત શબ્દ હજારોને માટે | |||
પથદર્શક અને પ્રેરણાદાયક છે. | |||
આશા રાખું કે તમે બીજા ઘણા વર્ષો સુધી | |||
અમારી સાથે રહો. | |||
અત્યંત પ્રેમ સહિત,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>બે માસ પછી બિરલા બ્રધર્સે | |||
ઈન્ડોલોજી અને કલા વિભાગ | |||
જ્યાં સુધી સંતોષકારક કામ કરતાં રહે | |||
ત્યાં સુધી તેમને મહિને રૂ. ૧૦૦૦/- આપવાનું વચન આપ્યું.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>: પ્રિય મહાત્માજી, | |||
મારે માટેનો તમારો પ્રેમ મારી અપેક્ષાને આંબી જાય છે. | |||
તમે મને આપેલો ઉપહાર એ અગાધ શાંતિનો | |||
અને મારી શક્તિનો ધ્વંસ કરતી | |||
રોજિંદી ચિંતામાંથી મુક્તિનો ઉપહાર છે. | |||
લગભગ ચાળીસ વર્ષ સુધી મેં એકલા હાથે | |||
એક એવા સિદ્ધાંત માટે જહેમત ઊઠાવી છે | |||
જેને આસપાસના ઈર્ષાળુ વિરોધના વાતાવરણમાંથી | |||
સહાય નથી મળી. | |||
હવે જ્યારે હું મારી મુસાફરીના અંતની પાસે છું | |||
ત્યારે અચાનક મને મળેલા | |||
ઉદારતાથી ભરપૂર સહાનુભૂતિના આશીર્વાદથી | |||
મારું તૃષાર્ત હૃદય આનંદથી ઊભરાઈ જાય છે. | |||
મારી પાસે બીજા શબ્દો નથી. | |||
ઈશ્વર તમને સુખી રાખે. | |||
સપ્રેમ,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>પ્રિય ગુરુદેવ, | |||
તમારો માણસ તમારો કિંમતી પત્ર અને રસીદ આપી ગયો છે. મેં કાંઈ જ કર્યું નથી. આ તો ઈશ્વરપ્રેરિત છે. | |||
તમારી જહેમત અને તમારી પ્રાર્થના સફળ થયાં છે. | |||
નાણાંકીય મુશ્કેલીઓની ચિંતામાંથી | |||
તમને સંપૂર્ણ મુક્તિ મળે એવી શુભેચ્છા. | |||
પ્રેમ,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>૧૯૩૮/૩૯માં રવીન્દ્રનાથે ગાંધીજીની ભવ્ય પ્રશંસા કરી.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>પોતે એક સંયમી તપસ્વી હોઈને પણ | |||
તેઓ બીજાના આનંદમાં દોષ નથી જોતા | |||
એટલું જ નહીં પણ | |||
તેમના અસ્તિત્વમાં પ્રાણ પૂરવા દિવસ રાત કામ કરે છે. પોતાના જીવનમાં દારિદ્રને મહત્તા આપે છે | |||
પણ ભારતની પ્રજાના ભૌતિક કલ્યાણ માટે | |||
કોઈએ તેમનાથી વધુ જહેમત ઊઠાવી નથી. | |||
તેઓ એક ક્રાંતિકારીને શોભે તેવા ઉત્સાહી સુધારક છે | |||
અને જે આવેશને પોતે જાગ્રત કરે છે | |||
તેના પર સખત સંયમ પણ લાદે છે. | |||
તેઓ મૂર્તિપૂજક પણ છે અને મૂર્તિભંજક પણ છે. | |||
પુરાતન ભગવાનોને તેમના ધૂળિયા ગોખલામાં રહેવા દઈને તેઓ જૂની પ્રાર્થનાનો ઉપયોગ | |||
વધુ સારા માનવતાવાદી હેતુ માટે કરે છે. | |||
તેઓ વર્ણ પ્રથાને વળગી રહીને | |||
તેના સૌથી વધુ શક્તિશાળી સંત્રી જ્યાં છે | |||
ત્યાં જ તેના પર પ્રહાર કરે છે | |||
અને છતાંય તેમનેે તેમનાથી ઊતરતા લોકોએ વહોરેલી લોકપ્રિય નારાજગી નથી વરી. | |||
તેઓ પોતાના અનુયાયીઓને સલાહ આપે છે કે | |||
દૂષણમાં દોષ જુઓ, દોષીમાં નહીં. | |||
આ એક અશક્ય આદેશ લાગે છે | |||
પણ તેમણે પોતાના જીવનમાં | |||
તેને શક્ય હોય તેટલો અપનાવ્યો છે. | |||
તે મહાન છે એક રાજદ્વારી પુરુષ તરીકે, | |||
એક વ્યવસ્થાપક તરીકે, એક નેતા તરીકે, | |||
એક નૈતિક સુધારક તરીકે પણ આ બધાંથી વધુ, | |||
તે મહાન છે એક માનવી તરીકે. | |||
કારણ કે આ બધાં જ સ્વરૂપો કે પ્રવૃત્તિઓ | |||
તેમની માનવતાને સીમિત નથી બનાવતાં. | |||
એક દૃઢ આદર્શવાદી હોઈને પણ | |||
તેઓ દરેક આચારશ્રેણીને | |||
પોતાના આગવા નુસખાથી ચકાસે છે. | |||
ખાસ કરીને તે ચાહે છે માનવીને અને નહીં કે વિભાવનાને. | |||
તે જો સમાજને માટે કોઈ અખતરાનું સૂચન કરે | |||
તો પહેલાં જાતે તેની કસોટીમાંથી પસાર થશે. | |||
તે જો કોઈ બલિદાનની હાકલ પાડે | |||
તો પહેલાં પોતે તેની કિંમત ચૂકવશે. | |||
તેના સદ્ગુણો મહાન હોઈને પણ | |||
આ માણસ તેના સદ્ગુણોથી પણ મહાન હોય તેમ લાગે છે. | |||
તેમણે પ્રસ્તુત કરેલા કોઈ પણ સુધારાની વિભાવના | |||
તેમની પોતાની ન હોઈને પણ | |||
એ સ્વીકારવું જ પડશે કે | |||
આ કોઈ પણ સુધારામાં એવી શક્તિ ન હતી | |||
કે જે તેમના આવ્યા પછી દેખાઈ રહી છે. | |||
કારણ કે હવે | |||
તેમનામાં એક સંપૂર્ણ માનવીની ચેતનાએ પ્રાણ રેડ્યો છે | |||
જે પોતાની વિભાવના સાથે એકરૂપ છે, | |||
જેનું દર્શન પોતાના સમગ્ર વ્યક્તિત્વ સાથે | |||
સંપૂર્ણપણે ભળી ગયું છે. | |||
તે ભાર મૂકે છે સત્ય અને સાધનશુદ્ધિ ઉપર | |||
જેમાંથી ઉદ્ભવ્યો છે તેમનો અહિંસાનો સિદ્ધાંત | |||
જે તેમની ઊંડી માનવતાનું બીજું પાસું છે. | |||
તેઓ યાદ રહેશે એક એવા માણસ તરીકે | |||
જેનું જીવન જ આવનારી પેઢીઓ માટે | |||
એક ઉદાહરણ બની રહેશે. | |||
ક્યારેક રાજકારણના પ્રાંગણમાં આવી ચડે છે | |||
ઇતિહાસના સર્જકો, | |||
જેમની માનસિક ઊંચાઈ માનવતાના સામાન્ય સ્તર કરતાં | |||
વધુ હોય છે. | |||
તેમના હાથમાં હોય છે શક્તિનું એક એવું સાધન | |||
જેનું બળ ભૌતિક સાધનો જેવું જ નિર્દય હોય છે. | |||
તે ઉપયોગ કરે છે માનવ સ્વભાવની ક્ષતિઓનો– | |||
લોભ, ભય, અહંકાર ઈત્યાદિ. | |||
મહાત્મા ગાંધીએ આવીને | |||
જ્યારે ભારતના સ્વરાજના પથનું ઉદ્ઘાટન કર્યું, | |||
ત્યારે તેમના હાથમાં શક્તિનું કોઈ સાધન ન હતું | |||
કે કોઈ જુલમી સત્તા ન હતી. | |||
તેમના વ્યક્તિત્વમાંથી ઉદ્ભવતી અસર | |||
સંગીત અને સૌંદર્યની જેમ અવર્ણનીય હતી. | |||
તે બીજા ઉપર અધિકાર જમાવતા | |||
પોતાના અંતરમાંથી પ્રગટ થતી આત્મસમર્પણની ભાવનાથી. | |||
આ જ કારણે આપણી પ્રજાએ | |||
તેમણે સ્વભાવગત ચતુરાઈથી કરેલા જટિલ હકીકતોના ઉપયોગને જરાય મહત્વ નથી આપ્યું. | |||
તેમણે તો જોયું છે | |||
તેમના ચરિત્રની સ્પષ્ટ સાદગીમાં ઝળહળતું સત્ય. | |||
તેથી જ તેમની પ્રવૃત્તિઓનું સામ્રાજ્ય | |||
વ્યવહારિક રાજકારણમાં વિસ્તર્યુુંં હોવા છતાં | |||
જનતાના મનમાં તેમનું પ્રસ્થાપન મહાન ગુરુ તરીકે થયેલું છે. | |||
તેમની આધ્યાત્મિક આકાંક્ષાઓ | |||
માનવતાના સમગ્ર સ્વરૂપને સમજીને અતિક્રમે છે | |||
અને જ્ઞાનના શાશ્વત સ્રોતમાંથી આવતા પ્રકાશમાં દુનિયાદારીના ચહેરાને જુએ છે. | |||
મારે સ્વીકારવું જોઈએ કે | |||
હું હંમેશા મહાત્માજી સાથે સંમત નથી થતો | |||
એટલે કે જો મારામાં એમના ચરિત્રની શક્તિ હોત | |||
તો મારી કામ કરવાની રીત તેમનાથી જુદી હોત. | |||
મારી પાસે કલ્પનાશક્તિ છે પરંતુ કાર્યશક્તિ નથી. | |||
જગતમાં જૂજ માણસો પાસે તે શક્તિ હોય છે. | |||
આવા માણસે સદ્ભાગ્યે આપણા દેશમાં જન્મ લીધો છે | |||
અને તેમની પ્રગતિનો માર્ગ ખુલ્લો રાખવો જોઈએ. | |||
હું ચોક્કસ તેમાં અવરોધ ઊભો કરવાનું ન વિચારું. </poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>૧૯૪૦માં ગાંધીજીએ શાંતિનિકેતનની મુલાકાત લીધી. | |||
તેમના આગમનની બપોરે આમ્રકુંજમાં | |||
એક નાના સ્વાગતસમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. | |||
કવિને ગમતા ઉપનિષદના શ્લોકથી સમારંભનો આરંભ થયો, | |||
જે તેને જાણે છે તે અમરત્વ પામે </poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>અમારા આશ્રમમાં આપનું સ્વાગત કરતાં | |||
હું આશા રાખું છું કે | |||
આપણી અભિવ્યક્તિ વાણીવિલાસમાં ખેંચાઈ ન જઈને | |||
પ્રેમ અને સન્માનના હાર્દિક શબ્દોમાં સીમિત રહે. | |||
મહાન વ્યક્તિઓનો સત્કાર | |||
સાદગીની ભાષાના સ્વરૂપમાંજ શોભે | |||
અને અમે આપને થોડા જ શબ્દોમાં જણાવવા ચાહીએ છીએ કે | |||
અમે આપને અમારામાંના એક તરીકે સ્વીકારીએ છીએ | |||
અને સમગ્ર માનવતાના પ્રતિનિધિ માનીએ છીએ. | |||
આપણે જાણીએ છીએ તેમ | |||
આ ક્ષણે આપણી નિયતિ પર સમસ્યાની ઘેરી છાયા ફરી વળી છે. આપના પથ પર તેનો અવરોધ છવાયો છે | |||
અને અમે પણ તેના હુમલામાંથી બાકાત નથી. | |||
થોડા સમય માટે આપણે આ કોલાહલની સીમા પાર કરીને આપણા મિલનને હાર્દિક મિલન થવા દઈએ | |||
જે આ દિશાહીન રાજકારણની | |||
નૈતિક અંધાધૂધીની અસર ઓછી થતાં | |||
આપણા સત્યના પ્રયાસોના | |||
શાશ્વત મૂલ્યો પ્રગટ થયા પછી પણ યાદ રહે.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>હું મારી શાંતિનિકેતનની આ મુલાકાતને | |||
એક યાત્રા માનું છું. | |||
આ વખતે શાંતિનિકેતન સાચે જ મારે માટે | |||
શાંતિનો આવાસ છે. | |||
રાજકારણની બધી જ જંજાળ હું પાછળ મૂકીનેે | |||
અહીં આવ્યો છું ગુરુદેવના દર્શન કરવા | |||
અને તેમના આશીર્વાદ મેળવવા. | |||
મેં મારી જાતને ઘણી વાર | |||
કુશળ ભિક્ષુક તરીકે વર્ણવી છે. | |||
પણ મારી ઝોળીમાં | |||
ગુરુદેવના આજના આશીર્વાદથી વધુ મૂલ્યવાન ભેટ | |||
ક્યારેય નથી પડી. | |||
હું જાણું છું કે તેમના આશીર્વાદ | |||
સદાય મારી સાથે જ હોય છે. | |||
પણ આજે તે પ્રત્યક્ષ મેળવીને હું ધન્ય થયો છું.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>ગાંધીજી વિદાય લેતા હતા | |||
ત્યારે રવીન્દ્રનાથે તેમના હાથમાં એક પત્ર મૂક્યો.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>: પ્રિય મહાત્માજી, | |||
અમારા વિશ્વ ભારતીની પ્રવૃત્તિઓનું | |||
તમે હમણાં જ વિહંગાવલોકન કર્યું. | |||
હું નથી જાણતો કે તમે તેની ગુણવત્તા અંગે | |||
શું અભિપ્રાય બાંધ્યો. | |||
તમે જાણો છો કે આ સંસ્થા રાષ્ટ્રીય હોવા છતાં | |||
તેનો આત્મા આંતરરાષ્ટ્રીય છે. | |||
અહીં અમારા સાધનોથી પર્યાપ્ત ભારતીય સંસ્કૃતિ | |||
અમે જગતને ધરીએ છીએ. | |||
તેની કટોકટીના સમયે તમે તેને બચાવી લીધી હતી. | |||
તમારી એ મૈત્રીપૂર્ણ ચેષ્ટા માટે | |||
અમે તમારા સદા ઋણી રહીશું. | |||
હવે તમે શાંતિનિકેતનની વિદાય લો તે પહેલાં | |||
હું તમને આજીજી કરું છું કે | |||
જો તમે તેને રાષ્ટ્રીય થાપણ માનતા હો | |||
તો આ સંસ્થાને તમે તમારું સંરક્ષણ આપીને | |||
તેને સ્થાયી સ્વરૂપ આપો. | |||
વિશ્વ ભારતીમાં મારા જીવનની શ્રેષ્ઠ સમૃદ્ધિનો સંચય થયો છે અને તેની સુરક્ષા માટે | |||
મારા દેશવાસીઓ તેની ખાસ સંભાળ લેવા તૈયાર થશે | |||
તેવી મને આશા છે. </poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>પ્રિય ગુરુદેવ, | |||
આપણે છૂટા પડ્યા ત્યારે તમે મારા હાથમાં મૂકેલો હૃદયસ્પર્શી પત્ર સીધો મારા હાર્દમાં સ્થાન પામ્યો છે. | |||
વિશ્વ ભારતી રાષ્ટ્રીય સંસ્થા છે એ નિ:શંક છે. | |||
તે ચોક્કસ આંતરરાષ્ટ્રીય પણ છે. | |||
તેને સ્થાયી સ્વરૂપ આપવા માટે | |||
હું બધું જ બનતું કરી છૂટીશ | |||
તેને માટે તમે નિશ્ચિંત રહેજો. | |||
રોજ દિવસમાં એક કલાક આરામ કરવાનું રાખશો | |||
એ વચનનું પાલન કરશો. | |||
મેં શાંતિનિકેતનને હંમેશા મારું બીજું ઘર જ માન્યું છે છતાં આ મુલાકાતમાં હું તેની વધારે નજીક આવ્યો છું. | |||
સન્માન અને પ્રેમ સહિત,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>તેમના અંતિમ દિવસોમાં બંને અત્યંત એકાકી અને શ્રાંત હતા. | |||
રવીન્દ્રનાથે વર્ષો પહેલાં ગાયેલું ગીત, | |||
તારી હાક સુણી જો કોઈ ના આવે, તો તું એકલો જાને રે | |||
ગાંધીજી પોતાના અંતિમ દિવસોમાં વારંવાર સાંભળતા. | |||
૧૯૪૧ના એપ્રિલની ૧૩મીએ રવીન્દ્રનાથને ૮૦ વર્ષ પૂરા થયા. | |||
ગાંધીજીએ તાર કર્યો.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>ચાર વીસુ ઓછા છે પાંચ પૂરા કરવા શુભેચ્છા.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>સંદેશા માટે આભાર ચાર વીસુ અવિનય પાંચ અસહ્ય.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>તેમના અંતિમ જન્મદિને રવીન્દ્રનાથે અંતિમ સંદેશ આપ્યો – સભ્યતાનું સંકટ. | |||
અત્યંત અશક્ત અવસ્થામાં | |||
તે પોતાનું વક્તવ્ય વાંચી પણ ન શક્યા. | |||
ક્ષિતિમોહન સેને વાંચ્યું,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>: પશ્ચિમના માનસમાં સુષૂપ્ત પડેલ | |||
હિંસાની ચિનગારી આખરે ભડકી ઊઠી છે | |||
અને માનવીની ચેતનાને અભડાવે છે. | |||
મેં એક વખત આશા રાખી હતી કે | |||
સંસ્કૃતિનો સ્રોત યરોપના હાર્દમાંથી ઉદ્ભવશે. | |||
પણ આજે હું જ્યારે જગતમાંથી વિદાય લેવાની તૈયારીમાં છું ત્યારે એ શ્રદ્ધા એળે ગઈ હોય તેમ લાગે છે. | |||
ચારે તરફ હું જોઈ રહ્યો છું | |||
વ્યર્થ ઢગલાની જેમ પડેલા | |||
એક ગૌરવશાળી સંસ્કૃતિના ખંડેર સમા અવશેષ. | |||
અને છતાં માનવીમાંથી શ્રદ્ધા અને વિશ્વાસ ગુમાવવાનું | |||
ઘોર પાપ હું નહીં આચરું. | |||
કદાચ પરોઢ આ દિશામાંથી આવશે, | |||
પૂર્વમાંથી, જ્યાંથી સૂર્ય ઊગે છે. | |||
એક દિવસ એવો આવશે | |||
જ્યારે અપરાજિત માનવી | |||
પોતાના વિજયપથ પર ફરી વિચરશે | |||
બધા જ અવરોધોને અવગણીને, અતિક્રમીને, | |||
હારેલો માનવતાનો વારસો ફરીથી જીતવા.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>ગુરુદેવ, આ બધામાં તો હું તમારી સાથે સંમત છું. | |||
ચાલો આપણે સાથે વાંચીએ.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>મહાત્માજી, માત્ર વાંચીએ જ નહીં, સાથે પ્રચાર કરીએ.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ}} અને {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>'''ઘમંડી અને ઉદ્ધત સત્તાના ભયસ્થાનોના આજે આપણે સાક્ષી છીએ;''' | |||
'''ઋષિઓ જે કહી ગયા છે તેનું સત્ય એક દિવસ''' </poem> | |||
}} | |||
{{Playend}} | {{Playend}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = પ્રાસ્તાવિક | |||
|next = પરિશિષ્ટ૧ | |||
}} |
edits