ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/ગયાં વર્ષો —: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ગયાં વર્ષો —| }} <poem> ગયાં વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયાં! ગયાં સ્વપ્નોલ્લાસે, મૃદુ કરુણહાસે વિરમિયાં! ગ્રહ્યો આયુર્માર્ગ સ્મિતમય, કદી તો ભયભર્યો; બધે જાણે નિદ્રા મહીં ડગ ભરું...")
 
No edit summary
 
Line 25: Line 25:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = ભલે શૃંગો ઊંચા
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = રહ્યાં વર્ષો તેમાં —
}}
}}

Latest revision as of 05:57, 2 January 2023


ગયાં વર્ષો —

ગયાં વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયાં!
ગયાં સ્વપ્નોલ્લાસે, મૃદુ કરુણહાસે વિરમિયાં!
ગ્રહ્યો આયુર્માર્ગ સ્મિતમય, કદી તો ભયભર્યો;
બધે જાણે નિદ્રા મહીં ડગ ભરું એમ જ સર્યો!
ઉરે ભારેલો જે પ્રણયભર, ના જંપ ક્ષણ દે,
સ્ફુર્યો કાર્યે કાવ્યે, જગમધુરપો પી પદપદે
રચી સૌહાર્દોનો મધુપુટ અવિશ્રાંત વિલસ્યો.
અહો હૈયું! જેણે જીવતર તણો પંથ જ રસ્યો.

ન કે ના’વ્યાં માર્ગે વિષ, વિષમ ઑથાર, અદયા
અસત્ સંયોગોની; પણ સહુય સંજીવન થયાં.
બન્યા કો સંકેતે કુસુમ સમ તે કંટક ઘણા,
તિરસ્કારોમાંયે કહીંથી પ્રગટી ગૂઢ કરુણા.
પડે દૃષ્ટે, ડૂબે કદીક શિવનાં શૃંગ અરુણાં:
રહ્યો ઝંખી, ને ના ખબર વરસો કેમ જ ગયાં!

૨૧-૭-૧૯૫૨/૫૩
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૫૭૫)