ગુજરાતી ગઝલસંપદા/ અઝીઝ ટંકારવી

Revision as of 12:16, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| અઝીઝ ટંકારવી |}} <poem> બારણે દસ્તક થયા વરસો પછી, ને સ્મરણ કૈં સળવળ્યાં વરસો પછી.<br> એમને ભૂલા પડ્યા ના કહી શકો, જે બધા પાછા ફર્યા વરસો પછી.<br> જેમને શોધ્યા કર્યા વરસો સુધી, એ જ ઉંબર પર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અઝીઝ ટંકારવી

બારણે દસ્તક થયા વરસો પછી,
ને સ્મરણ કૈં સળવળ્યાં વરસો પછી.

એમને ભૂલા પડ્યા ના કહી શકો,
જે બધા પાછા ફર્યા વરસો પછી.

જેમને શોધ્યા કર્યા વરસો સુધી,
એ જ ઉંબર પર મળ્યાં વરસો પછી.

આમ તો પથ્થર હતાં ને તે છતાં,
મીણ થઈને પીગળ્યાં વરસો પછી.

બે’ક ખેતરવા જ તો છેટુ હતું,
તે છતાં આજે મળ્યાં વરસો પછી.

લે ‘અઝીઝ’ સુધરી ગયું તારું મરણ,
દુશ્મનો ટોળે વળ્યા વરસો પછી.