ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઘનશ્યામ દેસાઈ/ગોકળજીનો વેલો: Difference between revisions

પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{Center|'''ગોકળજીનો વેલો'''}}
{{SetTitle}}
----
{{Heading|ગોકળજીનો વેલો | ઘનશ્યામ દેસાઈ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મારા દાદાના દાદા ગોકળજી બહુ રંગીલા, મનમોજી, ઠીંગણી કાઠીના અને ગૌર વર્ણના હતા, એમ મારા દાદા જાદવજી મને અવારનવાર કહેતા. એમને એટલે કે, ગોકળજીને અમસ્તાં અમસ્તાં આખો દહાડો ઊંડા નિસાસા નાખી, ‘હે હરિ, તું કરે તે ખરી!’ એમ બોલવાની આદત હતી. ગામના તે નગરશેઠ, દરબારમાં રાજા વજેસંગજી પછી બીજી ખુરશી એમની પડતી. આસામીમાં ધીરધારનો ધંધો એટલો સારો કે ફાગણમાં ફસલ તૈયાર થઈ જાય; ત્યારે કોળી, ભીલ, રાઠવા અને ધારાળા જે ગાડાં ભરીભરીને અનાજ લઈને આવે તે બે માઈલ લાંબી એની લેન લાગતી. ગોકળજી ઉદાર પણ એટલા જ.
મારા દાદાના દાદા ગોકળજી બહુ રંગીલા, મનમોજી, ઠીંગણી કાઠીના અને ગૌર વર્ણના હતા, એમ મારા દાદા જાદવજી મને અવારનવાર કહેતા. એમને એટલે કે, ગોકળજીને અમસ્તાં અમસ્તાં આખો દહાડો ઊંડા નિસાસા નાખી, ‘હે હરિ, તું કરે તે ખરી!’ એમ બોલવાની આદત હતી. ગામના તે નગરશેઠ, દરબારમાં રાજા વજેસંગજી પછી બીજી ખુરશી એમની પડતી. આસામીમાં ધીરધારનો ધંધો એટલો સારો કે ફાગણમાં ફસલ તૈયાર થઈ જાય; ત્યારે કોળી, ભીલ, રાઠવા અને ધારાળા જે ગાડાં ભરીભરીને અનાજ લઈને આવે તે બે માઈલ લાંબી એની લેન લાગતી. ગોકળજી ઉદાર પણ એટલા જ.
Line 16: Line 16:
આ વેલાની બધી વ્યક્તિઓની પૂરી કડીબદ્ધ હકીકતો મળતી નથી. કોઈક આધુનિક ચિત્રકારે માત્ર પીંછીના આડાઊભા લસરકાથી દોર્યું હોય એવું ચિત્ર મળી આવે છે.
આ વેલાની બધી વ્યક્તિઓની પૂરી કડીબદ્ધ હકીકતો મળતી નથી. કોઈક આધુનિક ચિત્રકારે માત્ર પીંછીના આડાઊભા લસરકાથી દોર્યું હોય એવું ચિત્ર મળી આવે છે.


મારા દાદાએ દાટી રાખેલું ધન કાઢવા કોઢમાં વાછરડાના ખીલા નીચે ખોદ્યું, ત્યારે ખાલી ત્રાંબાના ચરુઓ નીકળેલા જોઈ ‘કરમ જ ફૂટેલું છે, ત્યાં કોઈ શું કરે?’ કહીને નસીબનું નાહી નાખીને બેઠેલા મારા બાપા, કે ત્રીજી વાર બોરડી સાથે લગ્ન કરી, ચોથી વારની વહુ સુવાવડમાં મરી ગઈ ત્યારે બહારગામથી પૈસા આપીને પરણી લાવેલા તે સ્ત્રી જાતની વાઘરણ નીકળી અને ઘરેણાંગાંઠા લઈને ભાગી ગયેલી, એટલે રડીને રહેલા મહા-સુખકાકા કે, પાછલી જિંદગીમાં એક ડાકણ કહેવાતી કોળણ પાસેથી કાળી વિદ્યા શીખીને ઘડીકમાં કૂતરી, તો ઘડીકમાં ઉંદરડી, તો ઘડીકમાં વાઘેણ બનતાં મારાબાપાનાં સંતુફોઈબા વગેરે ગોકળજીના વેલાના આવા લસરકાઓ છે, છતાંય આ દોઢસો વર્ષ દરમિયાન ફૂલેલાફાલેલા આ વેલા પાછળ એક રસિક ઇતિહાસ છે, જે મારા દાદાએ મને કહેલો. જોકે એમણે તો એક હકીકત રૂપે જ મને એ વાત કહી હતી.
મારા દાદાએ દાટી રાખેલું ધન કાઢવા કોઢમાં વાછરડાના ખીલા નીચે ખોદ્યું, ત્યારે ખાલી ત્રાંબાના ચરુઓ નીકળેલા જોઈ ‘કરમ જ ફૂટેલું છે, ત્યાં કોઈ શું કરે?’ કહીને નસીબનું નાહી નાખીને બેઠેલા મારા બાપા, કે ત્રીજી વાર બોરડી સાથે લગ્ન કરી, ચોથી વારની વહુ સુવાવડમાં મરી ગઈ ત્યારે બહારગામથી પૈસા આપીને પરણી લાવેલા તે સ્ત્રી જાતની વાઘરણ નીકળી અને ઘરેણાંગાંઠા લઈને ભાગી ગયેલી, એટલે રડીને રહેલા મહા-સુખકાકા કે, પાછલી જિંદગીમાં એક ડાકણ કહેવાતી કોળણ પાસેથી કાળી વિદ્યા શીખીને ઘડીકમાં કૂતરી, તો ઘડીકમાં ઉંદરડી, તો ઘડીકમાં વાઘેણ બનતાં મારા બાપાનાં સંતુ ફોઈબા વગેરે ગોકળજીના વેલાના આવા લસરકાઓ છે, છતાંય આ દોઢસો વર્ષ દરમિયાન ફૂલેલાફાલેલા આ વેલા પાછળ એક રસિક ઇતિહાસ છે, જે મારા દાદાએ મને કહેલો. જોકે એમણે તો એક હકીકત રૂપે જ મને એ વાત કહી હતી.


એક વાર કોગળિયામાં ગોકળજીનાં વહુ ઝડપાઈ ગયાં. સ્મશાનમાંથી જ પાધરો તેમનો વિવાહ કરી સૌ ઘેર આવ્યાં. છોકરી ગોકળજીના ઘરથી પાંચમે ઘેર ઉપરવાસે રહે.
એક વાર કોગળિયામાં ગોકળજીનાં વહુ ઝડપાઈ ગયાં. સ્મશાનમાંથી જ પાધરો તેમનો વિવાહ કરી સૌ ઘેર આવ્યાં. છોકરી ગોકળજીના ઘરથી પાંચમે ઘેર ઉપરવાસે રહે.
Line 34: Line 34:
‘ભલા’દમી ઉઠાવી લે ને પથરો!’
‘ભલા’દમી ઉઠાવી લે ને પથરો!’
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રાવજી પટેલ/સૈનિકનાં બાળકો|સૈનિકનાં બાળકો]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઘનશ્યામ દેસાઈ/કાગડો|કાગડો]]
}}