ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પન્નાલાલ પટેલ/વાત્રકને કાંઠે: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 8: Line 8:
‘શું તાકી રહી છે, નવલ? આ પેલી ગાય બાંગડે (ભાંભરે) છે ને?’ ચોપાડના ખૂણા ઠારી રહેલી ડોશીએ કહ્યું. પણ પછી તો એય પેલા કાંઠા તરફ સાધુઓને તાકવા લાગી.
‘શું તાકી રહી છે, નવલ? આ પેલી ગાય બાંગડે (ભાંભરે) છે ને?’ ચોપાડના ખૂણા ઠારી રહેલી ડોશીએ કહ્યું. પણ પછી તો એય પેલા કાંઠા તરફ સાધુઓને તાકવા લાગી.


‘બીજું તો કાંઈ નંઈ માસી, પણ આ પીટ્યાને અહીં ક્યાં ધૂણી ધખાવવાનું સૂઝ્યું હશે?’ નવલની વાણીમાં ભલે હળવાશ હતી – સહજ ભાવ હતો, બાકી કાંઠા તરફ મંડાઈ રહેલી એ આસમાની આંખોમાં ને ભીના વાન પર તો ભારોભાર ગંભીરતા હતી, પ્રતિક્ષણે વધતી જતી હતી.
‘બીજું તો કાંઈ નંઈ માસી, પણ આ પીટ્યાને અહીં ક્યાં ધૂણી ધખાવવાનું સૂઝ્યું હશે?’ નવલની વાણીમાં ભલે હળવાશ હતી – સહજ ભાવ હતો, બાકી કાંઠા તરફ મંડાઈ રહેલી એ આસમાની આંખોમાં ને ભીના વાન પર તો ભારોભાર ગંભીરતા હતી, પ્રતિક્ષણે વધતી જતી હતી.


‘હશે, આપણે શું? ઘો મરવાની થાય એટલે વાઘરીવાડે જાય. પોર પેલો એક મદારી તો પકડાઈ ગયો છે અહીંથી. ત્યારે આ પીટ્યા જાણતા નંઈ હોય? સરકારનો ડોળો તો આ ત્રણ વરસથી દિનરાત આ ઘર ઉપર મંડાયેલો જ છે…’
‘હશે, આપણે શું? ઘો મરવાની થાય એટલે વાઘરીવાડે જાય. પોર પેલો એક મદારી તો પકડાઈ ગયો છે અહીંથી. ત્યારે આ પીટ્યા જાણતા નંઈ હોય? સરકારનો ડોળો તો આ ત્રણ વરસથી દિનરાત આ ઘર ઉપર મંડાયેલો જ છે…’