ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રેણુકા પટેલ/મીરાંનું ઘર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{Center|'''મીરાંનું ઘર'''}}
{{SetTitle}}
----
{{Heading|મીરાંનું ઘર | રેણુકા પટેલ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
બસને એક આંચકો આવ્યો અને મીરાંની આંખ ઊઘડી ગઈ. પોતાની કાંડાઘડિયાળમાં જોયું.હજી તો બે જ વાગ્યા છે. અમદાવાદ તો આવશે છેક સવારે સાત વાગે! હવે જલદી બસને પાંખો આવી જાય અને પાંચ કલાકના બદલે પાંચ મિનિટમાં ઘર આવી જાય તો કેટલું સારું! આજે ઘર છોડ્યું બાવીસ દિવસ તો થઈ ગયા. છેલ્લા ત્રણ-ચાર દિવસથી તો શાશ્વત સાથે વાત પણ નથી થઈ. રામ જાણે શું કર્યા કરે છે. ન ઘરનો ફોન લાગે છે ન એનો સેલફોન લાગે છે. નીકળતી વખતે જ નક્કી કર્યું હતું કે રોજ એક વાર ફોન પર વાત કરીશું જ, પણ આ શાશ્વત! મીરાંને જરા ચિંતા થઈ. માંદો તો નહીં પડ્યો હોય! પણ માંદો પડ્યો હોય એમાં ફોન કેમ ન લાગે? તદ્દન ઇડિયટ જેવો છે, ગમાર! મીરાંને સહેજ ગુસ્સો આવી ગયો, તેણે બસમાં નજર કરી. આછી રોશનીમાં બસમાં બધાં જ ઘસઘસાટ ઊંઘતા હતાં. કોઈ કોઈનાં નસકોરાંનો અવાજ બસની ઘરઘરાટીમાં ભળી જઈને રાતની નીરવ શાંતિમાં વિક્ષેપ પાડી રહ્યો હતો. તેણે બારી બહાર નજર કરી. વિશ્વ જાણે ગાઢ અંધકારમાં ડૂબી ગયું હતું. આવો જ ગાઢ અંધકાર તેના જીવનમાં પણ વ્યાપી ગયો હતો જ્યારે તેની માનું મરણ થયું હતું. ઉષાબહેન પણ ત્યારે જ તો તેને મળ્યાં હતાં. ઉષાબહેન ત્યારે શાશ્વતના જન્મ માટે રાણકપુર આવેલાં. ઉષાબહેનનું પિયર અને મીરાંના મામાનું ઘર એક જ ફળિયામાં હતું. મીરાંની માના મૃત્યુ બાદ મામા તેને પોતાના ઘરે લઈ આવેલા. મીરાંની ઉંમર તે વખતે માંડ ૧૪-૧૫ વર્ષની. ઉષાબહેન તેને બહુ ગમતાં. ક્યારેક ઉષાબહેન પાસે આવીને બેસતી અને રડી પડતી. માના મૃત્યુને છ-સાત મહિના જ થયેલા, મામા-મામી સાથે બહુ ફાવતું નહીં અને બીજું કોઈ ખાસ સગું હતું નહીં. બધા જ રસ્તા બંધ થઈ ગયા હોય એવું લાગતું હતું ત્યારે ઉષાબહેને જ તેનો હાથ પકડેલો. ડિલિવરી પછી અમદાવાદ આવ્યાં ત્યારે શાશ્વતની સાથે મીરાંને પણ લઈ આવેલાં.
બસને એક આંચકો આવ્યો અને મીરાંની આંખ ઊઘડી ગઈ. પોતાની કાંડાઘડિયાળમાં જોયું.હજી તો બે જ વાગ્યા છે. અમદાવાદ તો આવશે છેક સવારે સાત વાગે! હવે જલદી બસને પાંખો આવી જાય અને પાંચ કલાકના બદલે પાંચ મિનિટમાં ઘર આવી જાય તો કેટલું સારું! આજે ઘર છોડ્યું બાવીસ દિવસ તો થઈ ગયા. છેલ્લા ત્રણ-ચાર દિવસથી તો શાશ્વત સાથે વાત પણ નથી થઈ. રામ જાણે શું કર્યા કરે છે. ન ઘરનો ફોન લાગે છે ન એનો સેલફોન લાગે છે. નીકળતી વખતે જ નક્કી કર્યું હતું કે રોજ એક વાર ફોન પર વાત કરીશું જ, પણ આ શાશ્વત! મીરાંને જરા ચિંતા થઈ. માંદો તો નહીં પડ્યો હોય! પણ માંદો પડ્યો હોય એમાં ફોન કેમ ન લાગે? તદ્દન ઇડિયટ જેવો છે, ગમાર! મીરાંને સહેજ ગુસ્સો આવી ગયો, તેણે બસમાં નજર કરી. આછી રોશનીમાં બસમાં બધાં જ ઘસઘસાટ ઊંઘતા હતાં. કોઈ કોઈનાં નસકોરાંનો અવાજ બસની ઘરઘરાટીમાં ભળી જઈને રાતની નીરવ શાંતિમાં વિક્ષેપ પાડી રહ્યો હતો. તેણે બારી બહાર નજર કરી. વિશ્વ જાણે ગાઢ અંધકારમાં ડૂબી ગયું હતું. આવો જ ગાઢ અંધકાર તેના જીવનમાં પણ વ્યાપી ગયો હતો જ્યારે તેની માનું મરણ થયું હતું. ઉષાબહેન પણ ત્યારે જ તો તેને મળ્યાં હતાં. ઉષાબહેન ત્યારે શાશ્વતના જન્મ માટે રાણકપુર આવેલાં. ઉષાબહેનનું પિયર અને મીરાંના મામાનું ઘર એક જ ફળિયામાં હતું. મીરાંની માના મૃત્યુ બાદ મામા તેને પોતાના ઘરે લઈ આવેલા. મીરાંની ઉંમર તે વખતે માંડ ૧૪-૧૫ વર્ષની. ઉષાબહેન તેને બહુ ગમતાં. ક્યારેક ઉષાબહેન પાસે આવીને બેસતી અને રડી પડતી. માના મૃત્યુને છ-સાત મહિના જ થયેલા, મામા-મામી સાથે બહુ ફાવતું નહીં અને બીજું કોઈ ખાસ સગું હતું નહીં. બધા જ રસ્તા બંધ થઈ ગયા હોય એવું લાગતું હતું ત્યારે ઉષાબહેને જ તેનો હાથ પકડેલો. ડિલિવરી પછી અમદાવાદ આવ્યાં ત્યારે શાશ્વતની સાથે મીરાંને પણ લઈ આવેલાં.